Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મરીઝની રચના - જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું


  • Published By :
  • Published Date : 2024-09-27 16:57:55

અનેક લોકો એવા હોય છે જે થોડું હાંસલ કરી લે છે પછી આગળ નથી વધતા.. ગતિમાન નથી રહેતા.. જીવનમાં તોફાનો હોય છે પરંતુ તેનાથી કેવી રીતે ઝઝુમવું તેની ખબર નથી હોતી. જીવનમાં ક્યાં જવું છે તેની ખબર નથી હોતી.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મરીઝ સાહેબની એવી રચના જે મુખ્યત્વે બધાને ખબર હશે...  


જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું,

ફકત એના મોઘમ ઈશારે ઈશારે.

ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું,

છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે.


અહીં દુ:ખની દુનિયામાં એક રંગ જોયો,

ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે.

સુજનની કબર કે ગુનેગારની હો,

છે સરખી ઉદાસી મઝારે મઝારે.


હૃદય મારું વ્યાપક, નજર મારી સુંદર,

કલા મારી મોહક વિચારે વિચારે.

નથી આભને પણ કશી જાણ એની,

કે મેં ચાંદ જોયા સિતારે સિતારે.


અમારાં બધાં સુખ અને દુ:ખની વચ્ચે,

સમયના વિના કંઈ તફાવત ન જોયો.

બધીયે મજાઓ હતી રાતે રાતે,

ને સંતાપ એનો સવારે સવારે.


નથી ઝંખના મારી ગમતી જો તમને,

તો એનું નિવારણ તમારું મિલન છે.

તમે આમ અવગણના કરતા જશો તો,

થતી રહેશે ઈચ્છા વધારે વધારે.


અમસ્તો અમસ્તો હતો પ્રશ્ન મારો,

હકીકતમાં કોની છે સાચી બુલંદી.

જવાબ એનો દેવા ઊઠી આંગળીઓ,

તમારી દિશામાં મિનારે મિનારે.


જગતમાં છે લ્હાવા કદમ પર કદમ પર,

ફકત એક શરત છે ગતિમાન રહેવું.

નવા છે મુસાફિર વિસામે વિસામે,

નવી સગવડો છે ઉતારે ઉતારે.


મરણ કે જીવન હો એ બંને સ્થિતિમાં,

‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.

જનાજો જશે તો જશે કાંધે કાંધે,

જીવન પણ ગયું છે સહારે સહારે

– મરીઝ




મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.