Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે વાંચો અમૃત ઘાયલની રચના - રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-16 13:58:19

જેમ માણસના ચહેરા અલગ હોય છે તેમ લોકોના સ્વભાવ પણ અલગ હોય છે. કોઈ માણસ આત્મવિશ્વાસથી ભરપુર હોય છે તો કોઈ માણસમાં આત્મવિશ્વાસની કમી હોય છે, કોઈ માણસ પોઝિટિવ વિચાર વાળો હોય છે તો કોઈ માણસ નેગેટિવ વિચાર વાળો હોય છે. કોઈ માણસને માત્ર મુશ્કેલી જ દેખાતી હોય તો કોઈને મુશ્કેલીમાં પણ રસ્તો દેખાતો હોય છે. મુશ્કેલીમાં બહાર આવવા માટે રસ્તો શોધતા અનેક માણસો હોય છે. 


આત્મવિશ્વાસને લઈ કવિ કહી રહ્યા છે...

ત્યારે સાહિત્યના સમીપમાં આજે અમૃત ઘાયલની રચના જેમાં તે આત્મવિશ્વાસ, આત્મબળ વિશે વાત કરી રહ્યા છે. મૂંઝવણમાં પણ આત્મવિશ્વાસ રાખવાથી રસ્તો મળી જાય છે તેની વાત કવિએ પોતાની રચનામાં કરી છે. ત્યારે આજે વાંચીએ અમૃત ઘાયલની રચનાને....


રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,

થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના?


નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના,

બિન્દુ મહીં ડૂબીને સિન્ધુ તરી જવાના!


કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના?

દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના!


છો ને ફર્યા, નથી કંઈ દી’થી ડરી જવાના!

એ શું કરી શક્યા છે, એ શું કરી જવાના!


મનમાં વિચાર શું છે? અવિરામ કંઈ દીપક છે

પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાના!


એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે,

હર જખ્મને નજરથી ટાંકા ભરી જવાના!


સ્વયં વિકાસ છીંએ, સ્વયં વિનાશ છીંએ!

સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના!


સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીંએ!

દીપક નથી અમે કૈં ઠાર્યા ઠરી જવાના!


અય કાળ, કંઈ નથી ભય, તું થાય તે કરી લે,

ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના!


દુનિયા શું કામ ખાલી અમને મિટાવી રહી છે?

આ ખોળિયું અમે ખુદ ખાલી કરી જવાના.


અમૃત ‘ઘાયલ’   



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..