Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે વાંચો અમૃત ઘાયલની રચના - રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના...


  • Published By :
  • Published Date : 2024-01-16 13:58:19

જેમ માણસના ચહેરા અલગ હોય છે તેમ લોકોના સ્વભાવ પણ અલગ હોય છે. કોઈ માણસ આત્મવિશ્વાસથી ભરપુર હોય છે તો કોઈ માણસમાં આત્મવિશ્વાસની કમી હોય છે, કોઈ માણસ પોઝિટિવ વિચાર વાળો હોય છે તો કોઈ માણસ નેગેટિવ વિચાર વાળો હોય છે. કોઈ માણસને માત્ર મુશ્કેલી જ દેખાતી હોય તો કોઈને મુશ્કેલીમાં પણ રસ્તો દેખાતો હોય છે. મુશ્કેલીમાં બહાર આવવા માટે રસ્તો શોધતા અનેક માણસો હોય છે. 


આત્મવિશ્વાસને લઈ કવિ કહી રહ્યા છે...

ત્યારે સાહિત્યના સમીપમાં આજે અમૃત ઘાયલની રચના જેમાં તે આત્મવિશ્વાસ, આત્મબળ વિશે વાત કરી રહ્યા છે. મૂંઝવણમાં પણ આત્મવિશ્વાસ રાખવાથી રસ્તો મળી જાય છે તેની વાત કવિએ પોતાની રચનામાં કરી છે. ત્યારે આજે વાંચીએ અમૃત ઘાયલની રચનાને....


રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,

થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના?


નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના,

બિન્દુ મહીં ડૂબીને સિન્ધુ તરી જવાના!


કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના?

દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના!


છો ને ફર્યા, નથી કંઈ દી’થી ડરી જવાના!

એ શું કરી શક્યા છે, એ શું કરી જવાના!


મનમાં વિચાર શું છે? અવિરામ કંઈ દીપક છે

પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાના!


એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે,

હર જખ્મને નજરથી ટાંકા ભરી જવાના!


સ્વયં વિકાસ છીંએ, સ્વયં વિનાશ છીંએ!

સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના!


સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીંએ!

દીપક નથી અમે કૈં ઠાર્યા ઠરી જવાના!


અય કાળ, કંઈ નથી ભય, તું થાય તે કરી લે,

ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના!


દુનિયા શું કામ ખાલી અમને મિટાવી રહી છે?

આ ખોળિયું અમે ખુદ ખાલી કરી જવાના.


અમૃત ‘ઘાયલ’   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.