Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે વાંચો શિક્ષકને સમર્પિત રચના - વિદ્યાર્થીને ફક્ત ભણતર નહીં, ગણતર પણ શીખવાડે...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-11 11:20:09

ગુરૂ ગોવિંદ દોઉ ખડે કાકે લાગૂ પાય 

બલિહારી ગુરૂ આપને ગોવિંદ દિયો બતાય. 



આપણે ત્યાં ગુરૂને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. ગુરૂ એટલે એ વ્યક્તિ જે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય. માતા પિતા બાદ બાળકના જીવનમાં જો કોઈ મહત્વની ભૂમિકા ભજવે છે તે શિક્ષક, ગુરૂ હોય છે. માતા પિતા તેમજ ગુરૂનું ઋણ બાળક ક્યારે નહીં ચૂકવી શકે. શિક્ષણ બાળકને ન માત્ર ભણાવે છે પરંતુ તે બાળકનું ઘડતર પણ કરે છે. દુનિયાની રેસમાં બાળક ક્યાંય પાછો ન પડે તે માટે શિક્ષક તેને તૈયાર કરે છે. 


શિક્ષકને સમર્પિત એક રચના 

ત્યારે આજે સાહિત્યના સમીપમાં આજે શિક્ષકને સમર્પિત એક રચના. ભૂલ થઈ હોય તો ગુસ્સો કરે છે પણ તેમના જીવનને સુધારે છે. સમસ્યાના સમયે જે સૌથી પહેલા યાદ આવે તે શિક્ષક. વિદ્યાર્થીઓને ફકત ભણતર નહીં, ગણતર પણ શીખવાડે. આજે જે રચના તમારા સુધી પહોંચાડી છે તે જાગૃતિ કૈલાની છે...


શિક્ષક


વિદ્યાર્થીને ફક્ત ભણતર નહીં, ગણતર પણ શીખવાડે,

તેમના જીવનમાં માતા,પિતા પછીનું જે સ્થાન બનાવે.


ભૂલ પર ભલે અઢળક ગુસ્સો કરે, પણ જીવનને સુધારે

શિક્ષા તો કરે પછી સ્નેહ પણ માતા પિતા જેવો દર્શાવે.


સમસ્યાના સમયે સૌથી પહેલી તમારી યાદ જો અપાવે,

એવું અનેરૂ સ્થાન વિદ્યાર્થીના જીવનમાં પોતાનું બનાવે.


ખુદને વિદ્યાર્થીના જીવનનો મિત્ર અને શુભેચ્છક બનાવે,

જિંદગીની હર એક પરિસ્થિતિ સામે લડતા શીખવાડે.


દ્રોણ કે સાંદીપની નહીં પણ ખુદને શ્રેષ્ઠ માનવ બનાવે,

ખુદને વંદનિય ના સહી, પણ યાદગાર ચોક્કસ બનાવે.

  - જાગૃતિ કૈલા 



ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..