Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે વાંચો શિક્ષકને સમર્પિત રચના - વિદ્યાર્થીને ફક્ત ભણતર નહીં, ગણતર પણ શીખવાડે...


  • Published By :
  • Published Date : 2024-01-11 11:20:09

ગુરૂ ગોવિંદ દોઉ ખડે કાકે લાગૂ પાય 

બલિહારી ગુરૂ આપને ગોવિંદ દિયો બતાય. 



આપણે ત્યાં ગુરૂને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. ગુરૂ એટલે એ વ્યક્તિ જે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય. માતા પિતા બાદ બાળકના જીવનમાં જો કોઈ મહત્વની ભૂમિકા ભજવે છે તે શિક્ષક, ગુરૂ હોય છે. માતા પિતા તેમજ ગુરૂનું ઋણ બાળક ક્યારે નહીં ચૂકવી શકે. શિક્ષણ બાળકને ન માત્ર ભણાવે છે પરંતુ તે બાળકનું ઘડતર પણ કરે છે. દુનિયાની રેસમાં બાળક ક્યાંય પાછો ન પડે તે માટે શિક્ષક તેને તૈયાર કરે છે. 


શિક્ષકને સમર્પિત એક રચના 

ત્યારે આજે સાહિત્યના સમીપમાં આજે શિક્ષકને સમર્પિત એક રચના. ભૂલ થઈ હોય તો ગુસ્સો કરે છે પણ તેમના જીવનને સુધારે છે. સમસ્યાના સમયે જે સૌથી પહેલા યાદ આવે તે શિક્ષક. વિદ્યાર્થીઓને ફકત ભણતર નહીં, ગણતર પણ શીખવાડે. આજે જે રચના તમારા સુધી પહોંચાડી છે તે જાગૃતિ કૈલાની છે...


શિક્ષક


વિદ્યાર્થીને ફક્ત ભણતર નહીં, ગણતર પણ શીખવાડે,

તેમના જીવનમાં માતા,પિતા પછીનું જે સ્થાન બનાવે.


ભૂલ પર ભલે અઢળક ગુસ્સો કરે, પણ જીવનને સુધારે

શિક્ષા તો કરે પછી સ્નેહ પણ માતા પિતા જેવો દર્શાવે.


સમસ્યાના સમયે સૌથી પહેલી તમારી યાદ જો અપાવે,

એવું અનેરૂ સ્થાન વિદ્યાર્થીના જીવનમાં પોતાનું બનાવે.


ખુદને વિદ્યાર્થીના જીવનનો મિત્ર અને શુભેચ્છક બનાવે,

જિંદગીની હર એક પરિસ્થિતિ સામે લડતા શીખવાડે.


દ્રોણ કે સાંદીપની નહીં પણ ખુદને શ્રેષ્ઠ માનવ બનાવે,

ખુદને વંદનિય ના સહી, પણ યાદગાર ચોક્કસ બનાવે.

  - જાગૃતિ કૈલા 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.