Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે વાંચો શિક્ષકને સમર્પિત રચના - વિદ્યાર્થીને ફક્ત ભણતર નહીં, ગણતર પણ શીખવાડે...


  • Published By :
  • Published Date : 2024-01-11 11:20:09

ગુરૂ ગોવિંદ દોઉ ખડે કાકે લાગૂ પાય 

બલિહારી ગુરૂ આપને ગોવિંદ દિયો બતાય. 



આપણે ત્યાં ગુરૂને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. ગુરૂ એટલે એ વ્યક્તિ જે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય. માતા પિતા બાદ બાળકના જીવનમાં જો કોઈ મહત્વની ભૂમિકા ભજવે છે તે શિક્ષક, ગુરૂ હોય છે. માતા પિતા તેમજ ગુરૂનું ઋણ બાળક ક્યારે નહીં ચૂકવી શકે. શિક્ષણ બાળકને ન માત્ર ભણાવે છે પરંતુ તે બાળકનું ઘડતર પણ કરે છે. દુનિયાની રેસમાં બાળક ક્યાંય પાછો ન પડે તે માટે શિક્ષક તેને તૈયાર કરે છે. 


શિક્ષકને સમર્પિત એક રચના 

ત્યારે આજે સાહિત્યના સમીપમાં આજે શિક્ષકને સમર્પિત એક રચના. ભૂલ થઈ હોય તો ગુસ્સો કરે છે પણ તેમના જીવનને સુધારે છે. સમસ્યાના સમયે જે સૌથી પહેલા યાદ આવે તે શિક્ષક. વિદ્યાર્થીઓને ફકત ભણતર નહીં, ગણતર પણ શીખવાડે. આજે જે રચના તમારા સુધી પહોંચાડી છે તે જાગૃતિ કૈલાની છે...


શિક્ષક


વિદ્યાર્થીને ફક્ત ભણતર નહીં, ગણતર પણ શીખવાડે,

તેમના જીવનમાં માતા,પિતા પછીનું જે સ્થાન બનાવે.


ભૂલ પર ભલે અઢળક ગુસ્સો કરે, પણ જીવનને સુધારે

શિક્ષા તો કરે પછી સ્નેહ પણ માતા પિતા જેવો દર્શાવે.


સમસ્યાના સમયે સૌથી પહેલી તમારી યાદ જો અપાવે,

એવું અનેરૂ સ્થાન વિદ્યાર્થીના જીવનમાં પોતાનું બનાવે.


ખુદને વિદ્યાર્થીના જીવનનો મિત્ર અને શુભેચ્છક બનાવે,

જિંદગીની હર એક પરિસ્થિતિ સામે લડતા શીખવાડે.


દ્રોણ કે સાંદીપની નહીં પણ ખુદને શ્રેષ્ઠ માનવ બનાવે,

ખુદને વંદનિય ના સહી, પણ યાદગાર ચોક્કસ બનાવે.

  - જાગૃતિ કૈલા 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે