Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે વાંચો શિક્ષકને સમર્પિત રચના - વિદ્યાર્થીને ફક્ત ભણતર નહીં, ગણતર પણ શીખવાડે...


  • Published By :
  • Published Date : 2024-01-11 11:20:09

ગુરૂ ગોવિંદ દોઉ ખડે કાકે લાગૂ પાય 

બલિહારી ગુરૂ આપને ગોવિંદ દિયો બતાય. 



આપણે ત્યાં ગુરૂને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. ગુરૂ એટલે એ વ્યક્તિ જે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય. માતા પિતા બાદ બાળકના જીવનમાં જો કોઈ મહત્વની ભૂમિકા ભજવે છે તે શિક્ષક, ગુરૂ હોય છે. માતા પિતા તેમજ ગુરૂનું ઋણ બાળક ક્યારે નહીં ચૂકવી શકે. શિક્ષણ બાળકને ન માત્ર ભણાવે છે પરંતુ તે બાળકનું ઘડતર પણ કરે છે. દુનિયાની રેસમાં બાળક ક્યાંય પાછો ન પડે તે માટે શિક્ષક તેને તૈયાર કરે છે. 


શિક્ષકને સમર્પિત એક રચના 

ત્યારે આજે સાહિત્યના સમીપમાં આજે શિક્ષકને સમર્પિત એક રચના. ભૂલ થઈ હોય તો ગુસ્સો કરે છે પણ તેમના જીવનને સુધારે છે. સમસ્યાના સમયે જે સૌથી પહેલા યાદ આવે તે શિક્ષક. વિદ્યાર્થીઓને ફકત ભણતર નહીં, ગણતર પણ શીખવાડે. આજે જે રચના તમારા સુધી પહોંચાડી છે તે જાગૃતિ કૈલાની છે...


શિક્ષક


વિદ્યાર્થીને ફક્ત ભણતર નહીં, ગણતર પણ શીખવાડે,

તેમના જીવનમાં માતા,પિતા પછીનું જે સ્થાન બનાવે.


ભૂલ પર ભલે અઢળક ગુસ્સો કરે, પણ જીવનને સુધારે

શિક્ષા તો કરે પછી સ્નેહ પણ માતા પિતા જેવો દર્શાવે.


સમસ્યાના સમયે સૌથી પહેલી તમારી યાદ જો અપાવે,

એવું અનેરૂ સ્થાન વિદ્યાર્થીના જીવનમાં પોતાનું બનાવે.


ખુદને વિદ્યાર્થીના જીવનનો મિત્ર અને શુભેચ્છક બનાવે,

જિંદગીની હર એક પરિસ્થિતિ સામે લડતા શીખવાડે.


દ્રોણ કે સાંદીપની નહીં પણ ખુદને શ્રેષ્ઠ માનવ બનાવે,

ખુદને વંદનિય ના સહી, પણ યાદગાર ચોક્કસ બનાવે.

  - જાગૃતિ કૈલા 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.