Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે વાંચો ખેડૂતની દયનિય સ્થિતિના હૃદય સ્પર્શી શબ્દાંકનને....


  • Published By :
  • Published Date : 2024-01-05 12:35:39

અનેક લોકોની પીડાઓ એવી હશે જે કદાચ આપણે નહીં સમજી શકીએ. કારણ કે તેમની પીડા અંગે કદાચ આપણે વિચાર પણ નહીં કર્યો હોય. એમની જગ્યા પર આપણે પોતાને મૂકીને ક્યારેય નહીં જોયું હોય કે જો આવું થાય તો આપણી દશા કેવી હોત? અમે વાત કરી રહ્યા છીએ જગતના તાત એવા ખેડૂતની... ખેડૂતો જ્યારે વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરે છે ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે શું વાત વાતમાં ખેડૂતો આંદોલન કરવા આવી જાય છે વગેરે વગેરે.... પરંતુ ક્યારેય આપણે પોતાને તેમની જગ્યા પર રાખીને વિચાર્યું છે? 


ખેડૂતોની વેદના વ્યક્ત કરતી રચના 

આપણી થાળી સુધી તે અનાજ પહોંચાડવા માટે દિવસ રાત મહેનત કરે છે. ગરમી હોય, વરસાદ હોય કે પછી ઠંડી હોય આપણને ભોજન મળે તે માટે ખેડૂતો કટિબદ્ધ છે. પરંતુ અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં આપણા સુધી જમવાનું પહોંચાડનાર ખેડૂતોના પરિવારજનો ભૂખ્યા રહે છે. ખાલી પેટે ઊંઘવાનો વારો આવે છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે ખેડૂતોને સમર્પિત એક રચના વાંચો. ખેડૂતની ભૂખ શું ભાંગે? દશા એની દોહ્લી લાગે... આ રચના કરવામાં આવી છે રૂપસિંહ વાઘસિંહ રાઠોડ દ્વારા તેવી માહિતી અમારી પાસે છે.   



ખેડૂતની ભૂખ શું ભાંગે? દશા એની દોહ્યલી લાગે!

મૂડી ઝાઝી ને મજૂરી ઝાઝી, ઝાઝેરાં માથે રણ;

મજૂરી કરીને જાત પાડે તોયે કોઠી ન ભાળે કણ! – ખેડૂતની.

બી જોઈતું ને, બળદ જોઈતા, જોઈતું ઝાઝું ઘાસ;

મેઘરાજા જો માન માગે તો પડતો ઝાઝો ત્રાસ. – ખેડૂતની.

ખેડી-ખેડીને ઘણા વાવ્યા, વર્ષા આવી ધાઈ;

કિંતુ એટલે અન્ન ના ઊછરે, સાંભળ ને મુજ ભાઈ? – ખેડૂતની.

ઊધઈ સૂકવે છોડવા ઝાઝા ખેડુ શું રાખે ખંત?

ઊગતા છોડવા આરોગીને સમાધિ લેતા સંત. – ખેડૂતની.

ઈયળ પડે ને ખપરાં પડે, ગેરુયે રંગે ધાન;

હિમોકાકોએ દયા કરે તો ખેડૂત ભાળે ધાન. – ખેડૂતની.

રોઝ, શિયાળવાં, વાંદરાં, મોર ને બાકી રહેલામાં ચોર;

એ સઘળાંથી ખાતાં બચેલું ખેડૂતને કર હોય. – ખેડૂતની.

વાઢી-લણી અને ખળામાં લાવી અનાજ લેવાતે દિન;

ભાંડ, ભવાયા, મીર, ભંગી અને ઢેઢની લે આશિષ. – ખેડૂતની.

અનાજ લાવી ઘરમાં નાખ્યું ઘણી ઉમેદો સાથ;

બીજે દહાડે લેણદારો સૌ આવિયા ચોપડા સાથ. – ખેડૂતની.

વેરો-વાઘોટી માગતો મ્હેતો, લેણાં માગતો શેઠ;

ખેડુ દિલમાં ઘણું દુભાયે, શાને ભરાશે પેટ? – ખેડૂતની.


– રૂપસિંહ વાઘસિંહ રાઠોડ



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.