Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે વાંચો ખેડૂતની દયનિય સ્થિતિના હૃદય સ્પર્શી શબ્દાંકનને....


  • Published By :
  • Published Date : 2024-01-05 12:35:39

અનેક લોકોની પીડાઓ એવી હશે જે કદાચ આપણે નહીં સમજી શકીએ. કારણ કે તેમની પીડા અંગે કદાચ આપણે વિચાર પણ નહીં કર્યો હોય. એમની જગ્યા પર આપણે પોતાને મૂકીને ક્યારેય નહીં જોયું હોય કે જો આવું થાય તો આપણી દશા કેવી હોત? અમે વાત કરી રહ્યા છીએ જગતના તાત એવા ખેડૂતની... ખેડૂતો જ્યારે વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરે છે ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે શું વાત વાતમાં ખેડૂતો આંદોલન કરવા આવી જાય છે વગેરે વગેરે.... પરંતુ ક્યારેય આપણે પોતાને તેમની જગ્યા પર રાખીને વિચાર્યું છે? 


ખેડૂતોની વેદના વ્યક્ત કરતી રચના 

આપણી થાળી સુધી તે અનાજ પહોંચાડવા માટે દિવસ રાત મહેનત કરે છે. ગરમી હોય, વરસાદ હોય કે પછી ઠંડી હોય આપણને ભોજન મળે તે માટે ખેડૂતો કટિબદ્ધ છે. પરંતુ અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં આપણા સુધી જમવાનું પહોંચાડનાર ખેડૂતોના પરિવારજનો ભૂખ્યા રહે છે. ખાલી પેટે ઊંઘવાનો વારો આવે છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે ખેડૂતોને સમર્પિત એક રચના વાંચો. ખેડૂતની ભૂખ શું ભાંગે? દશા એની દોહ્લી લાગે... આ રચના કરવામાં આવી છે રૂપસિંહ વાઘસિંહ રાઠોડ દ્વારા તેવી માહિતી અમારી પાસે છે.   



ખેડૂતની ભૂખ શું ભાંગે? દશા એની દોહ્યલી લાગે!

મૂડી ઝાઝી ને મજૂરી ઝાઝી, ઝાઝેરાં માથે રણ;

મજૂરી કરીને જાત પાડે તોયે કોઠી ન ભાળે કણ! – ખેડૂતની.

બી જોઈતું ને, બળદ જોઈતા, જોઈતું ઝાઝું ઘાસ;

મેઘરાજા જો માન માગે તો પડતો ઝાઝો ત્રાસ. – ખેડૂતની.

ખેડી-ખેડીને ઘણા વાવ્યા, વર્ષા આવી ધાઈ;

કિંતુ એટલે અન્ન ના ઊછરે, સાંભળ ને મુજ ભાઈ? – ખેડૂતની.

ઊધઈ સૂકવે છોડવા ઝાઝા ખેડુ શું રાખે ખંત?

ઊગતા છોડવા આરોગીને સમાધિ લેતા સંત. – ખેડૂતની.

ઈયળ પડે ને ખપરાં પડે, ગેરુયે રંગે ધાન;

હિમોકાકોએ દયા કરે તો ખેડૂત ભાળે ધાન. – ખેડૂતની.

રોઝ, શિયાળવાં, વાંદરાં, મોર ને બાકી રહેલામાં ચોર;

એ સઘળાંથી ખાતાં બચેલું ખેડૂતને કર હોય. – ખેડૂતની.

વાઢી-લણી અને ખળામાં લાવી અનાજ લેવાતે દિન;

ભાંડ, ભવાયા, મીર, ભંગી અને ઢેઢની લે આશિષ. – ખેડૂતની.

અનાજ લાવી ઘરમાં નાખ્યું ઘણી ઉમેદો સાથ;

બીજે દહાડે લેણદારો સૌ આવિયા ચોપડા સાથ. – ખેડૂતની.

વેરો-વાઘોટી માગતો મ્હેતો, લેણાં માગતો શેઠ;

ખેડુ દિલમાં ઘણું દુભાયે, શાને ભરાશે પેટ? – ખેડૂતની.


– રૂપસિંહ વાઘસિંહ રાઠોડ



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.