Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે વાંચો ખેડૂતની દયનિય સ્થિતિના હૃદય સ્પર્શી શબ્દાંકનને....


  • Published By :
  • Published Date : 2024-01-05 12:35:39

અનેક લોકોની પીડાઓ એવી હશે જે કદાચ આપણે નહીં સમજી શકીએ. કારણ કે તેમની પીડા અંગે કદાચ આપણે વિચાર પણ નહીં કર્યો હોય. એમની જગ્યા પર આપણે પોતાને મૂકીને ક્યારેય નહીં જોયું હોય કે જો આવું થાય તો આપણી દશા કેવી હોત? અમે વાત કરી રહ્યા છીએ જગતના તાત એવા ખેડૂતની... ખેડૂતો જ્યારે વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરે છે ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે શું વાત વાતમાં ખેડૂતો આંદોલન કરવા આવી જાય છે વગેરે વગેરે.... પરંતુ ક્યારેય આપણે પોતાને તેમની જગ્યા પર રાખીને વિચાર્યું છે? 


ખેડૂતોની વેદના વ્યક્ત કરતી રચના 

આપણી થાળી સુધી તે અનાજ પહોંચાડવા માટે દિવસ રાત મહેનત કરે છે. ગરમી હોય, વરસાદ હોય કે પછી ઠંડી હોય આપણને ભોજન મળે તે માટે ખેડૂતો કટિબદ્ધ છે. પરંતુ અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં આપણા સુધી જમવાનું પહોંચાડનાર ખેડૂતોના પરિવારજનો ભૂખ્યા રહે છે. ખાલી પેટે ઊંઘવાનો વારો આવે છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે ખેડૂતોને સમર્પિત એક રચના વાંચો. ખેડૂતની ભૂખ શું ભાંગે? દશા એની દોહ્લી લાગે... આ રચના કરવામાં આવી છે રૂપસિંહ વાઘસિંહ રાઠોડ દ્વારા તેવી માહિતી અમારી પાસે છે.   



ખેડૂતની ભૂખ શું ભાંગે? દશા એની દોહ્યલી લાગે!

મૂડી ઝાઝી ને મજૂરી ઝાઝી, ઝાઝેરાં માથે રણ;

મજૂરી કરીને જાત પાડે તોયે કોઠી ન ભાળે કણ! – ખેડૂતની.

બી જોઈતું ને, બળદ જોઈતા, જોઈતું ઝાઝું ઘાસ;

મેઘરાજા જો માન માગે તો પડતો ઝાઝો ત્રાસ. – ખેડૂતની.

ખેડી-ખેડીને ઘણા વાવ્યા, વર્ષા આવી ધાઈ;

કિંતુ એટલે અન્ન ના ઊછરે, સાંભળ ને મુજ ભાઈ? – ખેડૂતની.

ઊધઈ સૂકવે છોડવા ઝાઝા ખેડુ શું રાખે ખંત?

ઊગતા છોડવા આરોગીને સમાધિ લેતા સંત. – ખેડૂતની.

ઈયળ પડે ને ખપરાં પડે, ગેરુયે રંગે ધાન;

હિમોકાકોએ દયા કરે તો ખેડૂત ભાળે ધાન. – ખેડૂતની.

રોઝ, શિયાળવાં, વાંદરાં, મોર ને બાકી રહેલામાં ચોર;

એ સઘળાંથી ખાતાં બચેલું ખેડૂતને કર હોય. – ખેડૂતની.

વાઢી-લણી અને ખળામાં લાવી અનાજ લેવાતે દિન;

ભાંડ, ભવાયા, મીર, ભંગી અને ઢેઢની લે આશિષ. – ખેડૂતની.

અનાજ લાવી ઘરમાં નાખ્યું ઘણી ઉમેદો સાથ;

બીજે દહાડે લેણદારો સૌ આવિયા ચોપડા સાથ. – ખેડૂતની.

વેરો-વાઘોટી માગતો મ્હેતો, લેણાં માગતો શેઠ;

ખેડુ દિલમાં ઘણું દુભાયે, શાને ભરાશે પેટ? – ખેડૂતની.


– રૂપસિંહ વાઘસિંહ રાઠોડ



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે