Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે વાંચો ખેડૂતની દયનિય સ્થિતિના હૃદય સ્પર્શી શબ્દાંકનને....


  • Published By :
  • Published Date : 2024-01-05 12:35:39

અનેક લોકોની પીડાઓ એવી હશે જે કદાચ આપણે નહીં સમજી શકીએ. કારણ કે તેમની પીડા અંગે કદાચ આપણે વિચાર પણ નહીં કર્યો હોય. એમની જગ્યા પર આપણે પોતાને મૂકીને ક્યારેય નહીં જોયું હોય કે જો આવું થાય તો આપણી દશા કેવી હોત? અમે વાત કરી રહ્યા છીએ જગતના તાત એવા ખેડૂતની... ખેડૂતો જ્યારે વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરે છે ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે શું વાત વાતમાં ખેડૂતો આંદોલન કરવા આવી જાય છે વગેરે વગેરે.... પરંતુ ક્યારેય આપણે પોતાને તેમની જગ્યા પર રાખીને વિચાર્યું છે? 


ખેડૂતોની વેદના વ્યક્ત કરતી રચના 

આપણી થાળી સુધી તે અનાજ પહોંચાડવા માટે દિવસ રાત મહેનત કરે છે. ગરમી હોય, વરસાદ હોય કે પછી ઠંડી હોય આપણને ભોજન મળે તે માટે ખેડૂતો કટિબદ્ધ છે. પરંતુ અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં આપણા સુધી જમવાનું પહોંચાડનાર ખેડૂતોના પરિવારજનો ભૂખ્યા રહે છે. ખાલી પેટે ઊંઘવાનો વારો આવે છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે ખેડૂતોને સમર્પિત એક રચના વાંચો. ખેડૂતની ભૂખ શું ભાંગે? દશા એની દોહ્લી લાગે... આ રચના કરવામાં આવી છે રૂપસિંહ વાઘસિંહ રાઠોડ દ્વારા તેવી માહિતી અમારી પાસે છે.   



ખેડૂતની ભૂખ શું ભાંગે? દશા એની દોહ્યલી લાગે!

મૂડી ઝાઝી ને મજૂરી ઝાઝી, ઝાઝેરાં માથે રણ;

મજૂરી કરીને જાત પાડે તોયે કોઠી ન ભાળે કણ! – ખેડૂતની.

બી જોઈતું ને, બળદ જોઈતા, જોઈતું ઝાઝું ઘાસ;

મેઘરાજા જો માન માગે તો પડતો ઝાઝો ત્રાસ. – ખેડૂતની.

ખેડી-ખેડીને ઘણા વાવ્યા, વર્ષા આવી ધાઈ;

કિંતુ એટલે અન્ન ના ઊછરે, સાંભળ ને મુજ ભાઈ? – ખેડૂતની.

ઊધઈ સૂકવે છોડવા ઝાઝા ખેડુ શું રાખે ખંત?

ઊગતા છોડવા આરોગીને સમાધિ લેતા સંત. – ખેડૂતની.

ઈયળ પડે ને ખપરાં પડે, ગેરુયે રંગે ધાન;

હિમોકાકોએ દયા કરે તો ખેડૂત ભાળે ધાન. – ખેડૂતની.

રોઝ, શિયાળવાં, વાંદરાં, મોર ને બાકી રહેલામાં ચોર;

એ સઘળાંથી ખાતાં બચેલું ખેડૂતને કર હોય. – ખેડૂતની.

વાઢી-લણી અને ખળામાં લાવી અનાજ લેવાતે દિન;

ભાંડ, ભવાયા, મીર, ભંગી અને ઢેઢની લે આશિષ. – ખેડૂતની.

અનાજ લાવી ઘરમાં નાખ્યું ઘણી ઉમેદો સાથ;

બીજે દહાડે લેણદારો સૌ આવિયા ચોપડા સાથ. – ખેડૂતની.

વેરો-વાઘોટી માગતો મ્હેતો, લેણાં માગતો શેઠ;

ખેડુ દિલમાં ઘણું દુભાયે, શાને ભરાશે પેટ? – ખેડૂતની.


– રૂપસિંહ વાઘસિંહ રાઠોડ



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.