Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે ચૂંટણીને સમર્પિત રચના - અમારા ચૂંટેલા અમને નડે છે..


  • Published By :
  • Published Date : 2024-04-29 17:20:08

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે.. રાજકીય પાર્ટીના નેતાઓ દ્વારા પ્રયાસ કરવામા આવશે મતદાતાઓને રિઝવવાનો.. અનેક વખત લોકોના મુખેથી સાંભળ્યું હશે કે દારૂ અને ચવાણું વેચી મતદાતાઓને પોતાની તરફ મતદાન કરવા માટે કહેવામાં આવે છે.. ભોળી જનતાને વચનો આપવામાં આવશે અને પાંચ વર્ષ દરમિયાન મતદાતાની પરિસ્થિતિ જોવા પણ નહીં આવે.. ચૂંટણી નજીક આવશે ત્યારે મોટી મોટી સભાઓ ગજવવામાં આવે છે જેને કારણે સામાન્ય માણસને, સામાન્ય જનતાને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે... અમને નથી ખબર આ રચના કોની છે જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..  

   

અમારા ચૂંટેલા અમને નડે છે..


ચૂંટણીમાં શીરા પૂરીની પંગત જમાડી

પૈસા કપડા વહેચીને દારૂ પીવડાવી


મતો ઉઘરાવીને દિલ્હી દોડે છે

અમારા ચૂંટેલા અમને નડે છે..


અહિંસાની વાતો કરી લોકોને ભરમાવી

એક બીજાને આક્ષેપોથી નવડાવી


રેલીમાં કે સભામાં પથરા પડે છે

અમારા ચૂંટેલા અમને નડે છે


ચૂંટાયા પછી સુરત(મોંઢું)ના દેખાડી

ભોળી પ્રજાને વચનોમાં ભરમાવી


પાંચ વર્ષે લોકો પાછળ પડે છે,

અમારા ચૂંટેલા અમને નડે છે


મંદિર અને મસ્જિદોના પ્રશ્નો જગાવી

અનામત માટે લોકોને લડાવી


અખંડતા અને સ્થિરતાની રાડો પાડે છે

અમારા ચૂંટેલા અમને નડે છે


રેલીઓ અને યાત્રાઓમાં ભીડ જમાવી

ટ્રાફિકમાં નિર્દોષ જનતાને ફસાવી


એ વેતન અને ભથ્થા માટે લડે છે

અમારા ચૂંટેલા અમને નડે છે


રાહુ અને કેતુ તો સૌને નડે છે

પણ આ જીવતા ભૂતો છાતી પર ચડે છે


સ્વપ્ન વ્યથિત અંતર રડે છે

અમારા ચૂંટેલા અમને નડે છે




ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.