Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે ચૂંટણીને સમર્પિત રચના - અમારા ચૂંટેલા અમને નડે છે..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-29 17:20:08

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે.. રાજકીય પાર્ટીના નેતાઓ દ્વારા પ્રયાસ કરવામા આવશે મતદાતાઓને રિઝવવાનો.. અનેક વખત લોકોના મુખેથી સાંભળ્યું હશે કે દારૂ અને ચવાણું વેચી મતદાતાઓને પોતાની તરફ મતદાન કરવા માટે કહેવામાં આવે છે.. ભોળી જનતાને વચનો આપવામાં આવશે અને પાંચ વર્ષ દરમિયાન મતદાતાની પરિસ્થિતિ જોવા પણ નહીં આવે.. ચૂંટણી નજીક આવશે ત્યારે મોટી મોટી સભાઓ ગજવવામાં આવે છે જેને કારણે સામાન્ય માણસને, સામાન્ય જનતાને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે... અમને નથી ખબર આ રચના કોની છે જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..  

   

અમારા ચૂંટેલા અમને નડે છે..


ચૂંટણીમાં શીરા પૂરીની પંગત જમાડી

પૈસા કપડા વહેચીને દારૂ પીવડાવી


મતો ઉઘરાવીને દિલ્હી દોડે છે

અમારા ચૂંટેલા અમને નડે છે..


અહિંસાની વાતો કરી લોકોને ભરમાવી

એક બીજાને આક્ષેપોથી નવડાવી


રેલીમાં કે સભામાં પથરા પડે છે

અમારા ચૂંટેલા અમને નડે છે


ચૂંટાયા પછી સુરત(મોંઢું)ના દેખાડી

ભોળી પ્રજાને વચનોમાં ભરમાવી


પાંચ વર્ષે લોકો પાછળ પડે છે,

અમારા ચૂંટેલા અમને નડે છે


મંદિર અને મસ્જિદોના પ્રશ્નો જગાવી

અનામત માટે લોકોને લડાવી


અખંડતા અને સ્થિરતાની રાડો પાડે છે

અમારા ચૂંટેલા અમને નડે છે


રેલીઓ અને યાત્રાઓમાં ભીડ જમાવી

ટ્રાફિકમાં નિર્દોષ જનતાને ફસાવી


એ વેતન અને ભથ્થા માટે લડે છે

અમારા ચૂંટેલા અમને નડે છે


રાહુ અને કેતુ તો સૌને નડે છે

પણ આ જીવતા ભૂતો છાતી પર ચડે છે


સ્વપ્ન વ્યથિત અંતર રડે છે

અમારા ચૂંટેલા અમને નડે છે




મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક વૃદ્ધ ની અનોખી ઘટના સામે આવી છે. ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક 75 વર્ષીય દાદાએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. ગામના લોકોએ તેમના લગ્ન કરાવી દીધા હતા.

ગુજરાતમાં એક તરફ કમસોમી વરસાદની આગહી કરવામાં આવી છે તો બીજી તરફ રાજ્યના અનેક ભાગો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. 17 તારીખ સુધી અનેક ભાગો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે.

મહીસાગરથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં કેનાલ લિકેજના કારણે ખેતરો જાણે તળાવ બની ગયા છે... મહીસાગરના લુણાવાડાના, અરીઠા, કડિયાવાડ, અને કોઠા ગામના ખેડૂતો માટે કેનાલ આફત સમાન સાબિત થઈ રહી છે..

માતા પિતા પણ સાથે નથી રહેતા હતા હવે તો.. અનેક લોકો એવા હોય છે જે માતા પિતાની સાથે તો રહે છે પરંતુ તેમને દુ:ખી કરે છે.. બાળકના વ્યવહારથી માતા પિતાનું દિલ દુભાય છે.. પરિવારનું મહત્વ શું હોય છે તે જાણવું હોયને તો એક વખત અનાથાશ્રમની મુલાકાત લેવી જોઈએ..