Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે ચૂંટણીને સમર્પિત રચના - અમારા ચૂંટેલા અમને નડે છે..


  • Published By :
  • Published Date : 2024-04-29 17:20:08

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે.. રાજકીય પાર્ટીના નેતાઓ દ્વારા પ્રયાસ કરવામા આવશે મતદાતાઓને રિઝવવાનો.. અનેક વખત લોકોના મુખેથી સાંભળ્યું હશે કે દારૂ અને ચવાણું વેચી મતદાતાઓને પોતાની તરફ મતદાન કરવા માટે કહેવામાં આવે છે.. ભોળી જનતાને વચનો આપવામાં આવશે અને પાંચ વર્ષ દરમિયાન મતદાતાની પરિસ્થિતિ જોવા પણ નહીં આવે.. ચૂંટણી નજીક આવશે ત્યારે મોટી મોટી સભાઓ ગજવવામાં આવે છે જેને કારણે સામાન્ય માણસને, સામાન્ય જનતાને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે... અમને નથી ખબર આ રચના કોની છે જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..  

   

અમારા ચૂંટેલા અમને નડે છે..


ચૂંટણીમાં શીરા પૂરીની પંગત જમાડી

પૈસા કપડા વહેચીને દારૂ પીવડાવી


મતો ઉઘરાવીને દિલ્હી દોડે છે

અમારા ચૂંટેલા અમને નડે છે..


અહિંસાની વાતો કરી લોકોને ભરમાવી

એક બીજાને આક્ષેપોથી નવડાવી


રેલીમાં કે સભામાં પથરા પડે છે

અમારા ચૂંટેલા અમને નડે છે


ચૂંટાયા પછી સુરત(મોંઢું)ના દેખાડી

ભોળી પ્રજાને વચનોમાં ભરમાવી


પાંચ વર્ષે લોકો પાછળ પડે છે,

અમારા ચૂંટેલા અમને નડે છે


મંદિર અને મસ્જિદોના પ્રશ્નો જગાવી

અનામત માટે લોકોને લડાવી


અખંડતા અને સ્થિરતાની રાડો પાડે છે

અમારા ચૂંટેલા અમને નડે છે


રેલીઓ અને યાત્રાઓમાં ભીડ જમાવી

ટ્રાફિકમાં નિર્દોષ જનતાને ફસાવી


એ વેતન અને ભથ્થા માટે લડે છે

અમારા ચૂંટેલા અમને નડે છે


રાહુ અને કેતુ તો સૌને નડે છે

પણ આ જીવતા ભૂતો છાતી પર ચડે છે


સ્વપ્ન વ્યથિત અંતર રડે છે

અમારા ચૂંટેલા અમને નડે છે




સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .