Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે ચૂંટણીને સમર્પિત રચના - અમારા ચૂંટેલા અમને નડે છે..


  • Published By :
  • Published Date : 2024-04-29 17:20:08

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે.. રાજકીય પાર્ટીના નેતાઓ દ્વારા પ્રયાસ કરવામા આવશે મતદાતાઓને રિઝવવાનો.. અનેક વખત લોકોના મુખેથી સાંભળ્યું હશે કે દારૂ અને ચવાણું વેચી મતદાતાઓને પોતાની તરફ મતદાન કરવા માટે કહેવામાં આવે છે.. ભોળી જનતાને વચનો આપવામાં આવશે અને પાંચ વર્ષ દરમિયાન મતદાતાની પરિસ્થિતિ જોવા પણ નહીં આવે.. ચૂંટણી નજીક આવશે ત્યારે મોટી મોટી સભાઓ ગજવવામાં આવે છે જેને કારણે સામાન્ય માણસને, સામાન્ય જનતાને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે... અમને નથી ખબર આ રચના કોની છે જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..  

   

અમારા ચૂંટેલા અમને નડે છે..


ચૂંટણીમાં શીરા પૂરીની પંગત જમાડી

પૈસા કપડા વહેચીને દારૂ પીવડાવી


મતો ઉઘરાવીને દિલ્હી દોડે છે

અમારા ચૂંટેલા અમને નડે છે..


અહિંસાની વાતો કરી લોકોને ભરમાવી

એક બીજાને આક્ષેપોથી નવડાવી


રેલીમાં કે સભામાં પથરા પડે છે

અમારા ચૂંટેલા અમને નડે છે


ચૂંટાયા પછી સુરત(મોંઢું)ના દેખાડી

ભોળી પ્રજાને વચનોમાં ભરમાવી


પાંચ વર્ષે લોકો પાછળ પડે છે,

અમારા ચૂંટેલા અમને નડે છે


મંદિર અને મસ્જિદોના પ્રશ્નો જગાવી

અનામત માટે લોકોને લડાવી


અખંડતા અને સ્થિરતાની રાડો પાડે છે

અમારા ચૂંટેલા અમને નડે છે


રેલીઓ અને યાત્રાઓમાં ભીડ જમાવી

ટ્રાફિકમાં નિર્દોષ જનતાને ફસાવી


એ વેતન અને ભથ્થા માટે લડે છે

અમારા ચૂંટેલા અમને નડે છે


રાહુ અને કેતુ તો સૌને નડે છે

પણ આ જીવતા ભૂતો છાતી પર ચડે છે


સ્વપ્ન વ્યથિત અંતર રડે છે

અમારા ચૂંટેલા અમને નડે છે




જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે