Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે સાંઈરામ દવેની રચના - એક દીકરીએ કાગળ લખ્યો માતાને સરનામે....


  • Published By :
  • Published Date : 2024-02-05 16:50:07

સંતાન અને માતાના સંબંધ વિશે આપણે જાણીએ છીએ. માતા અને બાળક વચ્ચેના સ્નેહને શબ્દમાં વર્ણવવી કદાચ અશક્ય છે. જો પ્રયત્ન કરીએ તો શબ્દો ખુટે તેમ હોય છે. પરંતુ અનેક વખત એવું જોવામાં આવ્યું છે કે દીકરાની ઝંખનાને કારણે અનેક દીકરીઓને મા બાપ જન્મવા જ નથી દેતા. ગર્ભમાં હોય ત્યારે જ બાળકીને મારી નાખે છે. ઘણી વખત એવી પરિસ્થિતિ સર્જાય છે કે માતાને તો દીકરી જોઈતી હોય છે, માતા દીકરી રૂપી સંતાન ઝંખતી હોય છે પરંતુ પરિવારના દબાણને કારણે માતા કઈ કરી શકતી નથી.


ભૃણ હત્યા કરવામાં આવતી હતી બાળકીની!

પહેલાના સમયમાં ભૃણ હત્યા વધારે થતી હતી, અનેક બાળકીને જન્મ થાય એની પહેલા જ મારી નાખવામાં આવતી હોય છે. પરંતુ આજના સમયમાં આવા કિસ્સાઓ જોવા મળે છે પરંતુ ઘણા ઓછા પ્રમાણમાં. બાળકીઓને મારી નાખવામાં આવે છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત કરવી છે સાંઈરામ દવેની એવી રચના જેમાં પુત્રી માતાને પત્ર લખે છે અને બાળકીને ના મારવા માટે કહે છે.    



એક દીકરીએ કાગળ લખ્યો માતાને સરનામે, 

સરનામામાં પોસ્ટ કરૂણાં, મુકામ મમતા ગામે


એક લાખ સપનાઓ માડી મેં તો ઉદરમાં જોયા

પણ મારી હત્યા પાછળ ના કોઈ હૃદયથી રોયા,

હું ધલવલતી કે દીકરો ના બની શકી એ ડામે

સરનામામાં પોસ્ટ કરૂણાં, મુકામ મમતા ગામે..


તુ'ય કોકની દીકરી યાદ છે, તું'ય કોકની થાપણ!

વાંક શું મારો? કા આપ્યું આ જનમની પેલા ખાપણ.

તું દીકરી માટે ઝંખે પણ કલંક માં ના નામે

સરનામામાં પોસ્ટ કરૂણાં, મુકામ મમતા ગામે...



ભૃણની હત્યા નથી માત્ર આ, છે મમતાનું મોત,

તારા એક આ કૃર વિચારે, બુઝી કરૂણા જ્યોત

ઓળખી જાજે આવીશ જલ્દી ડોક્ટર થઈને સામે

સરનામામાં પોસ્ટ કરૂણાં, મુકામ મમતા ગામે...


હવે ભાઈલો જન્મે ત્યારે દે જે ચુમ્મી મારી,

આવજે મમ્મી ક્યાંક હજી છે મારી ઈન્તેજારી,

હવે તો દીકરી તારો, વૃદ્ધાશ્રમ મોકલે તો જામે,

સરનામામાં પોસ્ટ કરૂણાં, મુકામ મમતા ગામે...


દીકરીને કોઈ જનમ ન દેશે દીકરા કેમ પરણશે?

બંધ કરો  આપાપ, માફ તો ઈશ્વર પણ ના કરશે,

સાંઈ દીકરીનો કાગળ લઈ ફરતો ગામે ગામે

સરનામામાં પોસ્ટ કરૂણાં મુકામ મમતા ગામે...

  સાંઈરામ દવે  



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. "

આજના દિવસે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી ઉપરાંત કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. તો હવે આજે વીડિયોમાં સૌપ્રથમ આપણે સમજીશું કે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ શું છે? એ પણ સમજીશું કોંગ્રેસ કેમ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.

આણંદ અમુલ નિયામક મંડળની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. આ ચૂંટણીઓ ૧૦મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ માટે આણંદ અમુલ ડેરીએ આખરી મતદાર યાદી પણ પ્રસ્સિદ્ધ કરી નાખી છે. હવે ચૂંટણીનો ધમધમાટ તેજ થવા સાથે ઉમેદવારની દાવેદારી કરવા ઇચ્છતા નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આણંદ નિયામક મંડળની ૧૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં મહિલાઓ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.

ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી , હવે ફરી એકવાર બેઉ દેશ ભારત અને પાકિસ્તાન આરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહ્યા છે . ભારત અને પાકિસ્તાનની નૌકા સેનાઓ બે દિવસો ૧૧ અને ૧૨ ઓગસ્ટ માટે , આરબ સાગરમાં યુદ્ધ અબ્યાસ હાથ ધરશે. બને દેશના ફાયરિંગ ઝોન વચ્ચે ૬૦ નોટિકલ માઈલનું અંતર રહેશે. તો હવે બીજી તરફ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાની મુલાકાતે છે . જ્યાંથી તેમણે ભારત માટે પરમાણુ બોમ્બની ધમકી ઉચ્ચારી છે.