Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે સાંઈરામ દવેની રચના - એક દીકરીએ કાગળ લખ્યો માતાને સરનામે....


  • Published By :
  • Published Date : 2024-02-05 16:50:07

સંતાન અને માતાના સંબંધ વિશે આપણે જાણીએ છીએ. માતા અને બાળક વચ્ચેના સ્નેહને શબ્દમાં વર્ણવવી કદાચ અશક્ય છે. જો પ્રયત્ન કરીએ તો શબ્દો ખુટે તેમ હોય છે. પરંતુ અનેક વખત એવું જોવામાં આવ્યું છે કે દીકરાની ઝંખનાને કારણે અનેક દીકરીઓને મા બાપ જન્મવા જ નથી દેતા. ગર્ભમાં હોય ત્યારે જ બાળકીને મારી નાખે છે. ઘણી વખત એવી પરિસ્થિતિ સર્જાય છે કે માતાને તો દીકરી જોઈતી હોય છે, માતા દીકરી રૂપી સંતાન ઝંખતી હોય છે પરંતુ પરિવારના દબાણને કારણે માતા કઈ કરી શકતી નથી.


ભૃણ હત્યા કરવામાં આવતી હતી બાળકીની!

પહેલાના સમયમાં ભૃણ હત્યા વધારે થતી હતી, અનેક બાળકીને જન્મ થાય એની પહેલા જ મારી નાખવામાં આવતી હોય છે. પરંતુ આજના સમયમાં આવા કિસ્સાઓ જોવા મળે છે પરંતુ ઘણા ઓછા પ્રમાણમાં. બાળકીઓને મારી નાખવામાં આવે છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત કરવી છે સાંઈરામ દવેની એવી રચના જેમાં પુત્રી માતાને પત્ર લખે છે અને બાળકીને ના મારવા માટે કહે છે.    



એક દીકરીએ કાગળ લખ્યો માતાને સરનામે, 

સરનામામાં પોસ્ટ કરૂણાં, મુકામ મમતા ગામે


એક લાખ સપનાઓ માડી મેં તો ઉદરમાં જોયા

પણ મારી હત્યા પાછળ ના કોઈ હૃદયથી રોયા,

હું ધલવલતી કે દીકરો ના બની શકી એ ડામે

સરનામામાં પોસ્ટ કરૂણાં, મુકામ મમતા ગામે..


તુ'ય કોકની દીકરી યાદ છે, તું'ય કોકની થાપણ!

વાંક શું મારો? કા આપ્યું આ જનમની પેલા ખાપણ.

તું દીકરી માટે ઝંખે પણ કલંક માં ના નામે

સરનામામાં પોસ્ટ કરૂણાં, મુકામ મમતા ગામે...



ભૃણની હત્યા નથી માત્ર આ, છે મમતાનું મોત,

તારા એક આ કૃર વિચારે, બુઝી કરૂણા જ્યોત

ઓળખી જાજે આવીશ જલ્દી ડોક્ટર થઈને સામે

સરનામામાં પોસ્ટ કરૂણાં, મુકામ મમતા ગામે...


હવે ભાઈલો જન્મે ત્યારે દે જે ચુમ્મી મારી,

આવજે મમ્મી ક્યાંક હજી છે મારી ઈન્તેજારી,

હવે તો દીકરી તારો, વૃદ્ધાશ્રમ મોકલે તો જામે,

સરનામામાં પોસ્ટ કરૂણાં, મુકામ મમતા ગામે...


દીકરીને કોઈ જનમ ન દેશે દીકરા કેમ પરણશે?

બંધ કરો  આપાપ, માફ તો ઈશ્વર પણ ના કરશે,

સાંઈ દીકરીનો કાગળ લઈ ફરતો ગામે ગામે

સરનામામાં પોસ્ટ કરૂણાં મુકામ મમતા ગામે...

  સાંઈરામ દવે  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.