Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે સાંઈરામ દવેની રચના - એક દીકરીએ કાગળ લખ્યો માતાને સરનામે....


  • Published By :
  • Published Date : 2024-02-05 16:50:07

સંતાન અને માતાના સંબંધ વિશે આપણે જાણીએ છીએ. માતા અને બાળક વચ્ચેના સ્નેહને શબ્દમાં વર્ણવવી કદાચ અશક્ય છે. જો પ્રયત્ન કરીએ તો શબ્દો ખુટે તેમ હોય છે. પરંતુ અનેક વખત એવું જોવામાં આવ્યું છે કે દીકરાની ઝંખનાને કારણે અનેક દીકરીઓને મા બાપ જન્મવા જ નથી દેતા. ગર્ભમાં હોય ત્યારે જ બાળકીને મારી નાખે છે. ઘણી વખત એવી પરિસ્થિતિ સર્જાય છે કે માતાને તો દીકરી જોઈતી હોય છે, માતા દીકરી રૂપી સંતાન ઝંખતી હોય છે પરંતુ પરિવારના દબાણને કારણે માતા કઈ કરી શકતી નથી.


ભૃણ હત્યા કરવામાં આવતી હતી બાળકીની!

પહેલાના સમયમાં ભૃણ હત્યા વધારે થતી હતી, અનેક બાળકીને જન્મ થાય એની પહેલા જ મારી નાખવામાં આવતી હોય છે. પરંતુ આજના સમયમાં આવા કિસ્સાઓ જોવા મળે છે પરંતુ ઘણા ઓછા પ્રમાણમાં. બાળકીઓને મારી નાખવામાં આવે છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત કરવી છે સાંઈરામ દવેની એવી રચના જેમાં પુત્રી માતાને પત્ર લખે છે અને બાળકીને ના મારવા માટે કહે છે.    



એક દીકરીએ કાગળ લખ્યો માતાને સરનામે, 

સરનામામાં પોસ્ટ કરૂણાં, મુકામ મમતા ગામે


એક લાખ સપનાઓ માડી મેં તો ઉદરમાં જોયા

પણ મારી હત્યા પાછળ ના કોઈ હૃદયથી રોયા,

હું ધલવલતી કે દીકરો ના બની શકી એ ડામે

સરનામામાં પોસ્ટ કરૂણાં, મુકામ મમતા ગામે..


તુ'ય કોકની દીકરી યાદ છે, તું'ય કોકની થાપણ!

વાંક શું મારો? કા આપ્યું આ જનમની પેલા ખાપણ.

તું દીકરી માટે ઝંખે પણ કલંક માં ના નામે

સરનામામાં પોસ્ટ કરૂણાં, મુકામ મમતા ગામે...



ભૃણની હત્યા નથી માત્ર આ, છે મમતાનું મોત,

તારા એક આ કૃર વિચારે, બુઝી કરૂણા જ્યોત

ઓળખી જાજે આવીશ જલ્દી ડોક્ટર થઈને સામે

સરનામામાં પોસ્ટ કરૂણાં, મુકામ મમતા ગામે...


હવે ભાઈલો જન્મે ત્યારે દે જે ચુમ્મી મારી,

આવજે મમ્મી ક્યાંક હજી છે મારી ઈન્તેજારી,

હવે તો દીકરી તારો, વૃદ્ધાશ્રમ મોકલે તો જામે,

સરનામામાં પોસ્ટ કરૂણાં, મુકામ મમતા ગામે...


દીકરીને કોઈ જનમ ન દેશે દીકરા કેમ પરણશે?

બંધ કરો  આપાપ, માફ તો ઈશ્વર પણ ના કરશે,

સાંઈ દીકરીનો કાગળ લઈ ફરતો ગામે ગામે

સરનામામાં પોસ્ટ કરૂણાં મુકામ મમતા ગામે...

  સાંઈરામ દવે  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.