Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે સંદીપ ચૌધરીની રચના - કાળે કાળે શક્તિનો અવતાર ધરવા એ નારી થઈ છે


  • Published By :
  • Published Date : 2024-01-08 16:37:00

મા... બહેન... પત્ની... દીકરી... દોસ્ત વગેરે શબ્દો આપણે એક સ્ત્રી માટે વાપરતા હોઈએ છીએ. આપણે સ્ત્રીને આ સંબંધો પૂરતી સિમીત કરી દીધી છે. આપણે તેને મા માનીએ છીએ, બહેન માનીએ પરંતુ તેને નારી નથી માનતા. આપણે નથી માની શક્તા કે મહિલા એકલાનું પણ અસ્તિત્વ હોય. સ્ત્રીએ કેવી રીતે વર્તન કરવું જોઈએ, કોની આગળ કેટલું બોલવું જોઈએ, કોની સાથે વાત કરવી જોઈએ તે બધું સ્ત્રી પોતે નહીં પરંતુ તેની વતી કોઈ બીજું, આપણે નક્કી કરીએ છીએ. આપણે કદાચ સ્ત્રીને કટપુતળી બનાવીને રાખી દીધી છે. આપણે સ્વીકાર જ નથી કરી શકતા કે મહિલાનું  પોતાનું સ્વાભિમાન હોય છે.


જ્યારે મહિલા અવાજ ઉપાડે છે ત્યારે...  

સ્ત્રી સશક્તિકરણની વાતો કરીએ છીએ પરંતુ જ્યારે એક સ્ત્રી આગળ વધે ત્યારે શરૂઆતમાં તો લોકો એને સપોર્ટ કરતા હોય છે પરંતુ પછી.. તેના પરિવારવાળા જ મુખ્યત્વે તેના દુશ્મન બની જતા હોય છે. સ્ત્રી જ્યારે પોતાના માટે અવાજ ઉપાડે ત્યારે તેનો અવાજ દબાવવા વાળા કદાચ તેની આજુબાજુના લોકો હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે વાંચો સંદીપ ચૌધરીની રચના જેમાં તેમણે સ્ત્રી, નારી વિશે વાત કરી છે.     



કાળજી રાખવા સૌની એ નારી થઈ છે

પા-પા પગલીથી એ ઢીંગલી સાથે વ્યવહારૂ થઈ છે, 

પ્રેમ આપવા એ નારી થઈ છે..


સ્નેહ, વ્હાલને રક્ષાની પોટલીમાં પરૌવાઈ છે, 

કાળજી રાખવા સૌની એ નારી થઈ છે...


સ્નેહમાં જે સઘળું ખમી ગઈ છે,

સહન કરવા નહીં પણ સંભાળી લેવા એ નારી થઈ છે..


આંખ એનીને સપના સ્નેહીઓના જોતી, 

પરોપકારના પરિસ્તંભ રચવા એ નારી થઈ છે...


જીવમાંથી જીવને એને કરવા શિવ,

કાળે કાળે શક્તિનો અવતાર ધરવા એ નારી થઈ છે..


પુરાણોમાં પ્રથમ તું ને વેદોના વદને, 

શક્તિના પ્રમાણ સઘળે આપવા એ નારી થઈ છે...

- સંદીપ ચૌધરી



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે