Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે સંદીપ ચૌધરીની રચના - કાળે કાળે શક્તિનો અવતાર ધરવા એ નારી થઈ છે


  • Published By :
  • Published Date : 2024-01-08 16:37:00

મા... બહેન... પત્ની... દીકરી... દોસ્ત વગેરે શબ્દો આપણે એક સ્ત્રી માટે વાપરતા હોઈએ છીએ. આપણે સ્ત્રીને આ સંબંધો પૂરતી સિમીત કરી દીધી છે. આપણે તેને મા માનીએ છીએ, બહેન માનીએ પરંતુ તેને નારી નથી માનતા. આપણે નથી માની શક્તા કે મહિલા એકલાનું પણ અસ્તિત્વ હોય. સ્ત્રીએ કેવી રીતે વર્તન કરવું જોઈએ, કોની આગળ કેટલું બોલવું જોઈએ, કોની સાથે વાત કરવી જોઈએ તે બધું સ્ત્રી પોતે નહીં પરંતુ તેની વતી કોઈ બીજું, આપણે નક્કી કરીએ છીએ. આપણે કદાચ સ્ત્રીને કટપુતળી બનાવીને રાખી દીધી છે. આપણે સ્વીકાર જ નથી કરી શકતા કે મહિલાનું  પોતાનું સ્વાભિમાન હોય છે.


જ્યારે મહિલા અવાજ ઉપાડે છે ત્યારે...  

સ્ત્રી સશક્તિકરણની વાતો કરીએ છીએ પરંતુ જ્યારે એક સ્ત્રી આગળ વધે ત્યારે શરૂઆતમાં તો લોકો એને સપોર્ટ કરતા હોય છે પરંતુ પછી.. તેના પરિવારવાળા જ મુખ્યત્વે તેના દુશ્મન બની જતા હોય છે. સ્ત્રી જ્યારે પોતાના માટે અવાજ ઉપાડે ત્યારે તેનો અવાજ દબાવવા વાળા કદાચ તેની આજુબાજુના લોકો હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે વાંચો સંદીપ ચૌધરીની રચના જેમાં તેમણે સ્ત્રી, નારી વિશે વાત કરી છે.     



કાળજી રાખવા સૌની એ નારી થઈ છે

પા-પા પગલીથી એ ઢીંગલી સાથે વ્યવહારૂ થઈ છે, 

પ્રેમ આપવા એ નારી થઈ છે..


સ્નેહ, વ્હાલને રક્ષાની પોટલીમાં પરૌવાઈ છે, 

કાળજી રાખવા સૌની એ નારી થઈ છે...


સ્નેહમાં જે સઘળું ખમી ગઈ છે,

સહન કરવા નહીં પણ સંભાળી લેવા એ નારી થઈ છે..


આંખ એનીને સપના સ્નેહીઓના જોતી, 

પરોપકારના પરિસ્તંભ રચવા એ નારી થઈ છે...


જીવમાંથી જીવને એને કરવા શિવ,

કાળે કાળે શક્તિનો અવતાર ધરવા એ નારી થઈ છે..


પુરાણોમાં પ્રથમ તું ને વેદોના વદને, 

શક્તિના પ્રમાણ સઘળે આપવા એ નારી થઈ છે...

- સંદીપ ચૌધરી



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.