Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે સંદીપ ચૌધરીની રચના - કાળે કાળે શક્તિનો અવતાર ધરવા એ નારી થઈ છે


  • Published By :
  • Published Date : 2024-01-08 16:37:00

મા... બહેન... પત્ની... દીકરી... દોસ્ત વગેરે શબ્દો આપણે એક સ્ત્રી માટે વાપરતા હોઈએ છીએ. આપણે સ્ત્રીને આ સંબંધો પૂરતી સિમીત કરી દીધી છે. આપણે તેને મા માનીએ છીએ, બહેન માનીએ પરંતુ તેને નારી નથી માનતા. આપણે નથી માની શક્તા કે મહિલા એકલાનું પણ અસ્તિત્વ હોય. સ્ત્રીએ કેવી રીતે વર્તન કરવું જોઈએ, કોની આગળ કેટલું બોલવું જોઈએ, કોની સાથે વાત કરવી જોઈએ તે બધું સ્ત્રી પોતે નહીં પરંતુ તેની વતી કોઈ બીજું, આપણે નક્કી કરીએ છીએ. આપણે કદાચ સ્ત્રીને કટપુતળી બનાવીને રાખી દીધી છે. આપણે સ્વીકાર જ નથી કરી શકતા કે મહિલાનું  પોતાનું સ્વાભિમાન હોય છે.


જ્યારે મહિલા અવાજ ઉપાડે છે ત્યારે...  

સ્ત્રી સશક્તિકરણની વાતો કરીએ છીએ પરંતુ જ્યારે એક સ્ત્રી આગળ વધે ત્યારે શરૂઆતમાં તો લોકો એને સપોર્ટ કરતા હોય છે પરંતુ પછી.. તેના પરિવારવાળા જ મુખ્યત્વે તેના દુશ્મન બની જતા હોય છે. સ્ત્રી જ્યારે પોતાના માટે અવાજ ઉપાડે ત્યારે તેનો અવાજ દબાવવા વાળા કદાચ તેની આજુબાજુના લોકો હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે વાંચો સંદીપ ચૌધરીની રચના જેમાં તેમણે સ્ત્રી, નારી વિશે વાત કરી છે.     



કાળજી રાખવા સૌની એ નારી થઈ છે

પા-પા પગલીથી એ ઢીંગલી સાથે વ્યવહારૂ થઈ છે, 

પ્રેમ આપવા એ નારી થઈ છે..


સ્નેહ, વ્હાલને રક્ષાની પોટલીમાં પરૌવાઈ છે, 

કાળજી રાખવા સૌની એ નારી થઈ છે...


સ્નેહમાં જે સઘળું ખમી ગઈ છે,

સહન કરવા નહીં પણ સંભાળી લેવા એ નારી થઈ છે..


આંખ એનીને સપના સ્નેહીઓના જોતી, 

પરોપકારના પરિસ્તંભ રચવા એ નારી થઈ છે...


જીવમાંથી જીવને એને કરવા શિવ,

કાળે કાળે શક્તિનો અવતાર ધરવા એ નારી થઈ છે..


પુરાણોમાં પ્રથમ તું ને વેદોના વદને, 

શક્તિના પ્રમાણ સઘળે આપવા એ નારી થઈ છે...

- સંદીપ ચૌધરી



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.