Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સુરેશ દલાલની રચના - આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે…


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-25 18:16:32

આજે ધૂળેટીના તહેવારની આપણે ધામધૂમ પૂર્વક ઉજવણી કરી. એકબીજા પર સ્નેહથી કલર છાંટ્યો. હોળી અને શ્રીકૃષ્ણ તેમજ રાધાજી સાથે નાતો છે તેવી વાતો આપણે અનેક વખત સાંભળી હશે. જ્યારે ધૂળેટી શબ્દ આપણા કાનમાં પડે ત્યારે આપણા મનમાં શ્રીકૃષ્ણ અને રાધાજીની છબી સામે આવી જાય. ત્યારે આજે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે સુરેશ દલાલની રચના...    


આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે...


આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે…

પિચકારી મારો નહીં ગિરીધારીલાલ રે …


તારા તે કાળજાને કેસુડે લાલ લાલ

ઝુલે મારા અંતરની ડાળ

રોમ આ રંગાય મારુ તારી તે આંખના

ઉડતા અણસાર ને ગુલાલ


રાધિકાનો રંગ એક, તારુ તે વ્હાલ રે…

પિચકારી મારો નહીં ગિરીધારીલાલ રે …


મીઠેરી મુરલીના સુર તણી ધાર થકી

ભીનું મારા આયખાનું પોત

અંતર ને આંખના અબીલ ગુલાલની

આજ લગી વ્હાલી મુને ચોટ


રાધિકાનો રંગ એક, તારુ તે વ્હાલ રે…

પિચકારી મારો નહીં ગિરીધારીલાલ રે …

  - સુરેશ દલાલ



વધારે વરસાદ પડવાથી સામાન્ય માણસને વધારે ફરક નથી પડતો પરંતુ જગતના તાતની ચિંતા વધી જાય છે જ્યારે વરસાદ જરૂરિયાત કરતા વધારે વરસે અથવા તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો.. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદે તબાહી સર્જી છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે..

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.