Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે.


  • Published By :
  • Published Date : 2024-05-10 16:19:15

જ્યારે કોઈ વખત આપણી ઈચ્છા પ્રમાણે ના થાય ત્યારે આપણે કહીએ કે ભગવાનની ઈચ્છા ના હતી..  ભગવાન પર રાખેલો વિશ્વાસ આપણને ક્યારેય અંદરથી નથી ટૂટવા દેતો.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે એવી રચના જેની પ્રાર્થના આપણે કરી હશે.., 



ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે.

ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે!


દુનિયાની જૂઠી વાણી, વિષે જો દુ:ખ વાસે તો,

જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે!


કચેરી માંહીં કાજીનો, નથી હિસાબ કોડીનો.

જગત કાજી બનીને તું વહોરી ના પીડા લેજે!


જગતના કાચના યંત્રે, ખરી વસ્તુ નહીં ભાસે.

નસારા કે નઠારાની જરાયે સંગતે રહેજે!


રહેજે શાંતિ સંતોષે, સદાયે નિર્મળે ચિત્તે.

દિલે જે દુ:ખ કે આનંદ કોઇને નહીં કહેજે!


વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં, તેને ત્યજી દેજે

ઘડી જાયે ભલાઈની મહાલક્ષ્મી ગણી લેજે!


રહે ઉન્મત્ત આનંદે, ખરું એ સુખ માની લે.

પીએ તો શ્રી પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી પીજે!


કટુ વાણી સુણે જો કોઇની, વાણી મીઠી કહેજે

પરાઇ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે!


અરે ! પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માંગે તો

ન માગ્યે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે!


અહો શું પ્રેમમાં રાચે ? નહીં ત્યાં સત્ય પામે તું ?

અરે તું બેવફાઈથી ચડે નિંદા તણા નેજે.


લહે છે સત્ય જે સંસાર તેનાથી પરો રહેજે,

અરે એ કીમિયાની જો મઝા છે તે પછી કહેજે.


વફાઈ તો નથી આખી દુનિયામાં જરા દીઠી,

વફાદારી બતા’વા ત્યાં નહીં કોઈ પળે જાજે.


રહી નિર્મોહી શાંતિથી, રહે એ સુખ મોટું છે

જગત બાજીગરીનાં તું બધાં છલબલ જવા દેજે !


પ્રભુના નામનાં પુષ્પો, પરોવી કાવ્યમાળા તું.

પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે !


કવિ રાજા થયો શી છે પછી પીડા તને કાંઇ?

નિજાનંદે હંમેશાં બાલ મસ્તીમાં મઝા લેજે !


– બાલાશંકર કંથારીયા



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .