Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે.


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-10 16:19:15

જ્યારે કોઈ વખત આપણી ઈચ્છા પ્રમાણે ના થાય ત્યારે આપણે કહીએ કે ભગવાનની ઈચ્છા ના હતી..  ભગવાન પર રાખેલો વિશ્વાસ આપણને ક્યારેય અંદરથી નથી ટૂટવા દેતો.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે એવી રચના જેની પ્રાર્થના આપણે કરી હશે.., 



ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે.

ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે!


દુનિયાની જૂઠી વાણી, વિષે જો દુ:ખ વાસે તો,

જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે!


કચેરી માંહીં કાજીનો, નથી હિસાબ કોડીનો.

જગત કાજી બનીને તું વહોરી ના પીડા લેજે!


જગતના કાચના યંત્રે, ખરી વસ્તુ નહીં ભાસે.

નસારા કે નઠારાની જરાયે સંગતે રહેજે!


રહેજે શાંતિ સંતોષે, સદાયે નિર્મળે ચિત્તે.

દિલે જે દુ:ખ કે આનંદ કોઇને નહીં કહેજે!


વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં, તેને ત્યજી દેજે

ઘડી જાયે ભલાઈની મહાલક્ષ્મી ગણી લેજે!


રહે ઉન્મત્ત આનંદે, ખરું એ સુખ માની લે.

પીએ તો શ્રી પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી પીજે!


કટુ વાણી સુણે જો કોઇની, વાણી મીઠી કહેજે

પરાઇ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે!


અરે ! પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માંગે તો

ન માગ્યે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે!


અહો શું પ્રેમમાં રાચે ? નહીં ત્યાં સત્ય પામે તું ?

અરે તું બેવફાઈથી ચડે નિંદા તણા નેજે.


લહે છે સત્ય જે સંસાર તેનાથી પરો રહેજે,

અરે એ કીમિયાની જો મઝા છે તે પછી કહેજે.


વફાઈ તો નથી આખી દુનિયામાં જરા દીઠી,

વફાદારી બતા’વા ત્યાં નહીં કોઈ પળે જાજે.


રહી નિર્મોહી શાંતિથી, રહે એ સુખ મોટું છે

જગત બાજીગરીનાં તું બધાં છલબલ જવા દેજે !


પ્રભુના નામનાં પુષ્પો, પરોવી કાવ્યમાળા તું.

પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે !


કવિ રાજા થયો શી છે પછી પીડા તને કાંઇ?

નિજાનંદે હંમેશાં બાલ મસ્તીમાં મઝા લેજે !


– બાલાશંકર કંથારીયા



દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.

ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોનો પાણીમાં ઘરકાવ થઈ ગયો છે.. ભારે વરસાદને કારણે લોકોનું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. પાણી ભરાઈ ગયા છે જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આપણે ગુજરાતમાં રહીએ છીએ, ગુજરાતની આપણી ભાષા છે.. પરંતુ અનેક લોકો ગુજરાતમાં જ એવા હશે જેમને ગુજરાતી બોલતા નહીં આવડતી હોય. અને જો થોડી થોડી આવડતી હોય છે તો પણ બરાબર બોલતા નથી આવડતું.