Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - હરિનો મારગ છે શૂરાનો નહિ કાયરનું કામ જોને;


  • Published By :
  • Published Date : 2024-04-12 16:34:36

જ્યારે આપણે મનમાં ભક્તિનો વિચાર કરીએ ત્યારે એવું થાય કે ભક્તિ શૂરવીરોનું કામ. જે માણસ મનથી મજબૂત હોય છે તે જ હરિનો મારગ, ભક્તિનો માર્ગ અપનાવતો હોય છે. હરિનો માર્ગ કાયરનો માર્ગ નથી. જ્યારે બધુ છૂટી જાય ત્યારે ઈશ્વર મળે છે.. સાંસારિક જગતની ચિંતા જ્યારે છૂટે છે, જે વ્યક્તિ ભય મુક્ત અને ચિંતા મુક્ત થઈ જશે તેને જ હરિનો માર્ગ મળે છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે પ્રીતમની રચના....  


 

હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને


હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને;

પરથમ પહેલું મસ્તક મૂકી, વળતા લેવું નામ જોને


સુત વિત્ત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;

સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડ્યા મરજીવા જોને


મરણ આંગમે તે ભરે મૂઠી, દિલની દુગ્ધા વામે જોને;

તીરે ઊભા જુએ તમાસો, તે કોડી નવ પામે જોને


પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને;

માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને


માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને;

મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને


રામ-અમલમાં રાતામાતા પૂરા પ્રેમી પરખે જોને;

પ્રીતમના સ્વામીની લીલા, તે રજનિ-દન નરખે જોને



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.