Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - હરિનો મારગ છે શૂરાનો નહિ કાયરનું કામ જોને;


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-12 16:34:36

જ્યારે આપણે મનમાં ભક્તિનો વિચાર કરીએ ત્યારે એવું થાય કે ભક્તિ શૂરવીરોનું કામ. જે માણસ મનથી મજબૂત હોય છે તે જ હરિનો મારગ, ભક્તિનો માર્ગ અપનાવતો હોય છે. હરિનો માર્ગ કાયરનો માર્ગ નથી. જ્યારે બધુ છૂટી જાય ત્યારે ઈશ્વર મળે છે.. સાંસારિક જગતની ચિંતા જ્યારે છૂટે છે, જે વ્યક્તિ ભય મુક્ત અને ચિંતા મુક્ત થઈ જશે તેને જ હરિનો માર્ગ મળે છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે પ્રીતમની રચના....  


 

હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને


હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને;

પરથમ પહેલું મસ્તક મૂકી, વળતા લેવું નામ જોને


સુત વિત્ત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;

સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડ્યા મરજીવા જોને


મરણ આંગમે તે ભરે મૂઠી, દિલની દુગ્ધા વામે જોને;

તીરે ઊભા જુએ તમાસો, તે કોડી નવ પામે જોને


પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને;

માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને


માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને;

મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને


રામ-અમલમાં રાતામાતા પૂરા પ્રેમી પરખે જોને;

પ્રીતમના સ્વામીની લીલા, તે રજનિ-દન નરખે જોને



રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર પરેશ ધાનાણી અને પરષોત્તમ રૂપાલાએ મતદાન કર્યું છે. તેની બાદ તેમના દ્વારા પ્રતિક્રિયા આપી છે.

ગુજરાતના રાણીપમાં પીએમ મોદી મતદાન કરવા માટે આવ્યા હતા. સામાન્ય રીતે લોકોને તેમને જોવાનો ઉત્સાહ હોય છે ત્યારે તે ઉત્સાહ આજે પણ લોકોમાં જોવા મળ્યો હતો..

દેશમાં 93 બેઠકો માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે.. ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.. સુરત બેઠક બિનહરીફ જાહેર થઈ હતી માટે ત્યાં મતદાન થવાનું નથી.. 9 વાગ્યા સુધી ગુજરાતમાં 9.97 ટકા સરેરાશ મતદાન થયું છે.. સૌથી વધારે બનાસકાંઠામાં થયું છે જ્યારે સૌથી ઓછું મતદાન અમદાવાદ વેસ્ટમાં થયું છે...

ગુજરાતમાં આજે ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થઈ રહ્યું છે. તાપમાનનો પારો આજે વધી શકે છે તેવી આગાહી હવામાન વિભાગે કરી હતી. અનેક જગ્યાઓ માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.