Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - રાધાનું નામ જરીક લીધું જ્યાં વ્રજમાં....


  • Published By :
  • Published Date : 2024-07-31 18:17:43

આપણે ત્યાં માનવામાં આવે છે કે કૃષ્ણ વગર રાધા અધૂરા અને રાધા વગર રાધા અધૂરા.. રાધા કૃષ્ણનું નામ જોડે લેવામાં આવે છે... જ્યારથી કૃષ્ણ ભગવાને વ્રજ છોડ્યું ત્યારથી તેમણે વાંસળી વગાડી ના હતી. ગુજરાતી સાહિત્યમાં કૃષ્ણ અને રાધાના પ્રેમ વિશે ઘણું બધું લખાયું છે, બોલાયું છે.. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે કૃષ્ણ રાધાને સમર્પિત એક રચના...     


રાધાનું નામ જરીક લીધું જ્યાં વ્રજમાં

ત્યાં માધવની વેણું ઉઠી વાગી

બંસીના સૂરોથી ગ્હેકયાં કૈં મોરલાંને,

રાધા પણ ઝબકીને જાગી…


મારા રૂદીયામાં તારી ઝાંખીની ઝંખના

ને,રહું આઠે પ્રહર હું આનંદમાં

અભરખાના વન તો અડાબીડ ઉગ્યાં

તને પામવાં દોડું વૃંદાવનમાં

ગોકુળ ,મથુરાની આવજામાં ક્યાંથી

દ્વારિકાની લગની તને લાગી….


કોયલ સમ બંસીનાં મધુર ટહુકારે

મ્હેકીં ઉઠ્યું વાંસવન

રાધાના રોમરોમે કૃષ્ણના વિરહથી

વ્યાકુળ થૈ ગ્યું તન,મન

રાજા રણછોડ ક્યારે વૃજમાં પધારશો

રાધાની અરજી અનુરાગી…       


— વિનોદ માણેક, ચાતક



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .