Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - રાધાનું નામ જરીક લીધું જ્યાં વ્રજમાં....


  • Published By :
  • Published Date : 2024-07-31 18:17:43

આપણે ત્યાં માનવામાં આવે છે કે કૃષ્ણ વગર રાધા અધૂરા અને રાધા વગર રાધા અધૂરા.. રાધા કૃષ્ણનું નામ જોડે લેવામાં આવે છે... જ્યારથી કૃષ્ણ ભગવાને વ્રજ છોડ્યું ત્યારથી તેમણે વાંસળી વગાડી ના હતી. ગુજરાતી સાહિત્યમાં કૃષ્ણ અને રાધાના પ્રેમ વિશે ઘણું બધું લખાયું છે, બોલાયું છે.. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે કૃષ્ણ રાધાને સમર્પિત એક રચના...     


રાધાનું નામ જરીક લીધું જ્યાં વ્રજમાં

ત્યાં માધવની વેણું ઉઠી વાગી

બંસીના સૂરોથી ગ્હેકયાં કૈં મોરલાંને,

રાધા પણ ઝબકીને જાગી…


મારા રૂદીયામાં તારી ઝાંખીની ઝંખના

ને,રહું આઠે પ્રહર હું આનંદમાં

અભરખાના વન તો અડાબીડ ઉગ્યાં

તને પામવાં દોડું વૃંદાવનમાં

ગોકુળ ,મથુરાની આવજામાં ક્યાંથી

દ્વારિકાની લગની તને લાગી….


કોયલ સમ બંસીનાં મધુર ટહુકારે

મ્હેકીં ઉઠ્યું વાંસવન

રાધાના રોમરોમે કૃષ્ણના વિરહથી

વ્યાકુળ થૈ ગ્યું તન,મન

રાજા રણછોડ ક્યારે વૃજમાં પધારશો

રાધાની અરજી અનુરાગી…       


— વિનોદ માણેક, ચાતક



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.