Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - રાધાનું નામ જરીક લીધું જ્યાં વ્રજમાં....


  • Published By :
  • Published Date : 2024-07-31 18:17:43

આપણે ત્યાં માનવામાં આવે છે કે કૃષ્ણ વગર રાધા અધૂરા અને રાધા વગર રાધા અધૂરા.. રાધા કૃષ્ણનું નામ જોડે લેવામાં આવે છે... જ્યારથી કૃષ્ણ ભગવાને વ્રજ છોડ્યું ત્યારથી તેમણે વાંસળી વગાડી ના હતી. ગુજરાતી સાહિત્યમાં કૃષ્ણ અને રાધાના પ્રેમ વિશે ઘણું બધું લખાયું છે, બોલાયું છે.. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે કૃષ્ણ રાધાને સમર્પિત એક રચના...     


રાધાનું નામ જરીક લીધું જ્યાં વ્રજમાં

ત્યાં માધવની વેણું ઉઠી વાગી

બંસીના સૂરોથી ગ્હેકયાં કૈં મોરલાંને,

રાધા પણ ઝબકીને જાગી…


મારા રૂદીયામાં તારી ઝાંખીની ઝંખના

ને,રહું આઠે પ્રહર હું આનંદમાં

અભરખાના વન તો અડાબીડ ઉગ્યાં

તને પામવાં દોડું વૃંદાવનમાં

ગોકુળ ,મથુરાની આવજામાં ક્યાંથી

દ્વારિકાની લગની તને લાગી….


કોયલ સમ બંસીનાં મધુર ટહુકારે

મ્હેકીં ઉઠ્યું વાંસવન

રાધાના રોમરોમે કૃષ્ણના વિરહથી

વ્યાકુળ થૈ ગ્યું તન,મન

રાજા રણછોડ ક્યારે વૃજમાં પધારશો

રાધાની અરજી અનુરાગી…       


— વિનોદ માણેક, ચાતક



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .