Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે શૂન્ય પાલનપુરીની રચના - દૂધ ને માટે રોતા બાળક, રો તારા તકદીરને રો....


  • Published By :
  • Published Date : 2024-01-17 11:55:28

આપણે જ્યારે ગરીબને જોઈએ છે તેમના બાળકને જોઈએ ત્યારે મનમાં વિચાર આવે કે આ લોકોનું જીવન કેવી રીતે વ્યતીત થતું હશે? તેમનો પરિવાર ભોજનમાં શું ખાતા હશે, નાના બાળકોને દૂધ કેવી રીતે મળતું હશે વગેરે વગેરે... રસ્તા પર પણ અનેક એવા લોકો મળી જાય જે કહે છે કે અમને જમવાનું આપો અમે આટલા દિવસથી કંઈ નથી ખાધું. તેમના કપડા પણ ફાટેલા હોય છે. અનેક કિસ્સાઓ આપણી સામે એવા હશે જેમાં જે લોકોનું ઘર બનાવતા હોય છે, મતલબ જે શ્રમિકો ઘરને બનાવે છે તે જ ઘર વગરના હોય છે.   


પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના....

આજે સાહિત્યના સમીપમાં શૂન્ય પાલનપૂરીની રચના દૂધ ને માટે રોતા બાળક, રો તારા તકદીરને રો.. આ રચના બાદ કદાચ તમારી આંખોમાંથી આસું પણ આવી શકે છે, એ દ્રશ્યો પણ તમારી સામે આવી શકે છે જેની વાત અહીં કરવામાં આવી છે. 



દૂધ ને માટે રોતા બાળક, રો તારા તકદીરને રો

એ ઘરમાં તુ જનમ્યું શાને, જે ઘરમાં ઉપવાસ ફરજ છે,

દર્દ વ્યથા પરીતાપ ફરજ છે, ગમ અશ્રુ નિશ્વાસ ફરજ છે .. 

દૂધ ને માટે રોતા બાળક, રો તારા તકદીરને રો


ત્યાં જન્મત તો પુષ્પ હિંડોળે નર્મ શયનનાં સાધન હોત

મોટર મળતે, ગાડી મળતે, નર્સનાં લાલન-પાલન હોત

સોના-રૂપાના ચમચાથી દૂધની ધારા વહેતી હોત

તું રડતે તો પ્રેમની નદીઓ તોડી કિનારા વહેતી હોત

પણ તારા દુર્ભાગ્ય હશે કે જન્મ લીધો તેં આ ઘરમાં

ફેર નથી જે ઘરમાં ઇન્સાન અને જડ પથ્થરમાં … 

દૂધને માટે રોતાં બાળક, રો તારા તકદીરને રો


હાડ ને ચામનાં ખોખામાં તું દૂધનાં વલખાં મારે છે

મહેનત નિષ્ફળ જાતી જોઇ રોઇને અશ્રુ પાડે છે

આ ઘરની એ રીત પુરાણી આદીથી નિર્માઇ છે

મહેનત નિષ્ફળ જાયે છે, નિષ્ફળ જાવાને સર્જાઇ છે

વ્યર્થ રડીને ખાલી તારો અશ્રુ ભંડાર ન કર

મોંઘામૂલા એ મોતીનો ગેરઉપયોગ લગાર ન કર … 

દૂધ ને માટે રોતા બાળક, રો તારા તકદીરને રો


તન તોડીને જાત ઘસીને પેટ અવર ભરવાનાં છે

શ્રમ પરસેવે લોહી નિતારી મહેલ ઊભાં કરવાનાં છે

એના બદલે મળશે ખાવા ગમ ને પીવા આંસુડા

લાગશે એવાં કપરાં કાળે અમૃત સરખા આંસુડા … 

દૂધ ને માટે રોતા બાળક, રો તારા તકદીરને રો


ભુખ્યા પેટ ને નગ્ન શરીરો એ તો છે દસ્તુર અહીં

ચેન અને આરામ રહે છે સ્વપ્ન મહીં પણ દૂર અહીં

આ ઘરમાં તો એવી અગણીત વાતો મળવાની

ભુખના દા’ડા મળવાના ને પ્યાસની રાતો મળવાની

આ ઘરમાં ઉપવાસ ફરજ છે, દર્દ વ્યથા પરીતાપ ફરજ છે,

ગમ અશ્રુ નિશ્વાસ ફરજ છે, આ ઘરમાં તું જનમ્યું શાને… 

દૂધ ને માટે રોતા બાળક, રો તારા તકદીરને રો


- શૂન્ય પાલનપુરી 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.