Gujarati Literature : સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - જહાજો એ ડૂબાડી દીધાંના દાખલા છે....


  • Published By :
  • Published Date : 2024-03-08 08:33:11

આપણે માનતા હોઈએ છીએ કે સુખ ચેન, આનંદ પૈસાવાળાઓને હોય છે. પરંતુ વાસ્તવિક્તામાં એવું નથી હોતું. અનેક એવા ઉદાહરણો આપણી સામે હોય છે જેમાં રેશમી પથારી કેમ ના હોય પરંતુ ત્યાં ઉંઘ નથી આવતી અને રસ્તા પર મજૂરી કરી જીવનને વ્યતિત કરનાર લોકોને સારી ઉંઘ આવે છે, આસાનીથી તે ઉંઘી જતા હોય છે. અનેક વખત એવા ઉદાહરણો પણ સામે છે જેમાં તાકાતવર લોકો અન્યને કમજોર સમજે પરંતુ એવું ભૂલી જાય છે કે સસલા આગળ કાચબો પણ જીતી જાય છે. જહાજો ડૂબી જાય છે અને તણખલાઓ તરી જાય છે તેવા ઉદાહરણો પણ આપણી સામે છે. સામાન્ય રીતે અમે સાહિત્યના સમીપમાં લેખક સાથે રચના પ્રસ્તુત કરતા હોઈએ છીએ પરંતુ આ રચના કોની છે તેની અમને ખબર નથી. જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવો ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના -  


જહાજો એ ડૂબાડી દીધાંના દાખલા છે


જહાજો એ ડૂબાડી દીધાંના દાખલા છે

ને તણખલાઓએ તારી દીધાંના દાખલા છે.


હસ્તી ક્યાં હતી એક રાજા આગળ એની છતાંય,

જાળ કાતરી ઉંદરે સિંહ છોડાવ્યાના દાખલા છે.


છો તાકતવર તમે પણ અન્યને કમજોર ના સમજો,

અહીં દોડમાં કાચબાએ સસલાને હરાવ્યાના દાખલા છે.


સાહ્યબી પડખાં ઘસે છે રાતભર રેશમી તળાઈઓમાં,

ને કાળી મજૂરી રસ્તાની કોરે ચેનથી સૂતાંના દાખલા છે.


દવાઓ બધી નાકામ થઈ ગઈ મરણપથારી પર,

ત્યારે કોઈની દુઆઓએ અસર દેખાડ્યાનાં દાખલા છે.


અમર ક્યાં રહે છે આ જગતમાં કોઈ કાયમ,

જેના જનમના દાખલા છે, તેના મરણનાંય દાખલા છે..



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.