Gujarati Literature : સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - જહાજો એ ડૂબાડી દીધાંના દાખલા છે....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-08 08:33:11

આપણે માનતા હોઈએ છીએ કે સુખ ચેન, આનંદ પૈસાવાળાઓને હોય છે. પરંતુ વાસ્તવિક્તામાં એવું નથી હોતું. અનેક એવા ઉદાહરણો આપણી સામે હોય છે જેમાં રેશમી પથારી કેમ ના હોય પરંતુ ત્યાં ઉંઘ નથી આવતી અને રસ્તા પર મજૂરી કરી જીવનને વ્યતિત કરનાર લોકોને સારી ઉંઘ આવે છે, આસાનીથી તે ઉંઘી જતા હોય છે. અનેક વખત એવા ઉદાહરણો પણ સામે છે જેમાં તાકાતવર લોકો અન્યને કમજોર સમજે પરંતુ એવું ભૂલી જાય છે કે સસલા આગળ કાચબો પણ જીતી જાય છે. જહાજો ડૂબી જાય છે અને તણખલાઓ તરી જાય છે તેવા ઉદાહરણો પણ આપણી સામે છે. સામાન્ય રીતે અમે સાહિત્યના સમીપમાં લેખક સાથે રચના પ્રસ્તુત કરતા હોઈએ છીએ પરંતુ આ રચના કોની છે તેની અમને ખબર નથી. જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવો ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના -  


જહાજો એ ડૂબાડી દીધાંના દાખલા છે


જહાજો એ ડૂબાડી દીધાંના દાખલા છે

ને તણખલાઓએ તારી દીધાંના દાખલા છે.


હસ્તી ક્યાં હતી એક રાજા આગળ એની છતાંય,

જાળ કાતરી ઉંદરે સિંહ છોડાવ્યાના દાખલા છે.


છો તાકતવર તમે પણ અન્યને કમજોર ના સમજો,

અહીં દોડમાં કાચબાએ સસલાને હરાવ્યાના દાખલા છે.


સાહ્યબી પડખાં ઘસે છે રાતભર રેશમી તળાઈઓમાં,

ને કાળી મજૂરી રસ્તાની કોરે ચેનથી સૂતાંના દાખલા છે.


દવાઓ બધી નાકામ થઈ ગઈ મરણપથારી પર,

ત્યારે કોઈની દુઆઓએ અસર દેખાડ્યાનાં દાખલા છે.


અમર ક્યાં રહે છે આ જગતમાં કોઈ કાયમ,

જેના જનમના દાખલા છે, તેના મરણનાંય દાખલા છે..



મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક વૃદ્ધ ની અનોખી ઘટના સામે આવી છે. ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક 75 વર્ષીય દાદાએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. ગામના લોકોએ તેમના લગ્ન કરાવી દીધા હતા.

ગુજરાતમાં એક તરફ કમસોમી વરસાદની આગહી કરવામાં આવી છે તો બીજી તરફ રાજ્યના અનેક ભાગો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. 17 તારીખ સુધી અનેક ભાગો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે.

મહીસાગરથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં કેનાલ લિકેજના કારણે ખેતરો જાણે તળાવ બની ગયા છે... મહીસાગરના લુણાવાડાના, અરીઠા, કડિયાવાડ, અને કોઠા ગામના ખેડૂતો માટે કેનાલ આફત સમાન સાબિત થઈ રહી છે..

માતા પિતા પણ સાથે નથી રહેતા હતા હવે તો.. અનેક લોકો એવા હોય છે જે માતા પિતાની સાથે તો રહે છે પરંતુ તેમને દુ:ખી કરે છે.. બાળકના વ્યવહારથી માતા પિતાનું દિલ દુભાય છે.. પરિવારનું મહત્વ શું હોય છે તે જાણવું હોયને તો એક વખત અનાથાશ્રમની મુલાકાત લેવી જોઈએ..