Gujarati Literature : સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - જહાજો એ ડૂબાડી દીધાંના દાખલા છે....


  • Published By :
  • Published Date : 2024-03-08 08:33:11

આપણે માનતા હોઈએ છીએ કે સુખ ચેન, આનંદ પૈસાવાળાઓને હોય છે. પરંતુ વાસ્તવિક્તામાં એવું નથી હોતું. અનેક એવા ઉદાહરણો આપણી સામે હોય છે જેમાં રેશમી પથારી કેમ ના હોય પરંતુ ત્યાં ઉંઘ નથી આવતી અને રસ્તા પર મજૂરી કરી જીવનને વ્યતિત કરનાર લોકોને સારી ઉંઘ આવે છે, આસાનીથી તે ઉંઘી જતા હોય છે. અનેક વખત એવા ઉદાહરણો પણ સામે છે જેમાં તાકાતવર લોકો અન્યને કમજોર સમજે પરંતુ એવું ભૂલી જાય છે કે સસલા આગળ કાચબો પણ જીતી જાય છે. જહાજો ડૂબી જાય છે અને તણખલાઓ તરી જાય છે તેવા ઉદાહરણો પણ આપણી સામે છે. સામાન્ય રીતે અમે સાહિત્યના સમીપમાં લેખક સાથે રચના પ્રસ્તુત કરતા હોઈએ છીએ પરંતુ આ રચના કોની છે તેની અમને ખબર નથી. જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવો ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના -  


જહાજો એ ડૂબાડી દીધાંના દાખલા છે


જહાજો એ ડૂબાડી દીધાંના દાખલા છે

ને તણખલાઓએ તારી દીધાંના દાખલા છે.


હસ્તી ક્યાં હતી એક રાજા આગળ એની છતાંય,

જાળ કાતરી ઉંદરે સિંહ છોડાવ્યાના દાખલા છે.


છો તાકતવર તમે પણ અન્યને કમજોર ના સમજો,

અહીં દોડમાં કાચબાએ સસલાને હરાવ્યાના દાખલા છે.


સાહ્યબી પડખાં ઘસે છે રાતભર રેશમી તળાઈઓમાં,

ને કાળી મજૂરી રસ્તાની કોરે ચેનથી સૂતાંના દાખલા છે.


દવાઓ બધી નાકામ થઈ ગઈ મરણપથારી પર,

ત્યારે કોઈની દુઆઓએ અસર દેખાડ્યાનાં દાખલા છે.


અમર ક્યાં રહે છે આ જગતમાં કોઈ કાયમ,

જેના જનમના દાખલા છે, તેના મરણનાંય દાખલા છે..



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.