Gujarati Literature- સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની રચના - શિવાજીનું હાલરડું...


  • Published By :
  • Published Date : 2024-02-19 16:11:34

આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી છે. છત્રપતિ શિવાજી મહારાજની વીરતા વિશે તો આપણે જાણીએ છીએ. તેમની વીરતા વિશે, તેમના શોર્ય વિશે જેટલું કહીએ એટલું ઓછું પડે તેમ છે. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણીની રચના જે કદાચ તમારામાંથી અનેક લોકોને આવડતી હશે...


શિવાજીને નીંદરૂ ના’વે…


આભમાં ઉગેલ ચાંદલો ને જીજીબાઈને આવ્યા બાળ

બાળુડા ને માત હિંચોળે

ઘણણણ ડુંગરા બોલે !

શિવાજીને નીંદરૂ ના’વે,

માતા જીજીબાઈ ઝૂલાવે.


પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લખમણની વાત

માતાજીને મુખ જે દી થી,

ઊડી એની ઉંઘ તે દી થી.

શિવાજીને નીંદરૂ ના’વે…


પોઢજો રે મારા બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ

કાલે કાળા જુદ્ધ ખેલાશે

સુવાટાણું ક્યાંય ન રે’શે.

શિવાજીને નીંદરૂ ના’વે…


ધાવજો રે, મારા પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ

રહેશે નહીં, રણ ઘેલુડા

ખાવા મુઠ્ઠી ધાનની વેળા.

શિવાજીને નીંદરૂ ના’વે…


પેરી ઓઢી લેજો પાતળા રે ! પીળા – લાલ પીરોજી ચીર,

કાયા તારી લોહીમાં ના’શે

ઢાંકણ તે દી’ ઢાલનું થાશે.

શિવાજીને નીંદરૂ ના’વે…


ઘૂઘરા, ધાવણી પોપટ લાકડી ફેરવી લેજો આજ,

તે દી તો હાથ રે’વાની

રાતી બંબોળ ભવાની.

શિવાજીને નીંદરૂ ના’વે…


લાલ કંકુ કેરા ચાંદલાને ભાલે તાણજો કેસર આડપ,

તે દી તો સિંદોરિયા થાપા

છાતી માથે ઝીલવા, બાપા.

શિવાજીને નીંદરૂ ના’વે…


આજ માતા ચોડે ચૂમીયું રે ! બાળા ઝીલજો બેવડ ગાલ,

તે દી તારા મોઢડા માથે

ઘુંવાધાર તોપ મંડાશે.

શિવાજીને નીંદરૂ ના’વે…


આજ માતાજીની ગોદમાં રે, તુંને હુંફ આવે આઠે પોર,

તે દી કાળી મેઘલી રાતે

વાયુ ટાઢા મોતના વાશે.

શિવાજીને નીંદરૂ ના’વે…


આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડા કેરી સેજ,

તે દી તારી વીર પથારી

પાથરશે વીશ ભુજાળી.

શિવાજીને નીંદરૂ ના’વે…


આજ માતાજીને ખોબલે રે, તારા માથડાં ઝોલે જાય,

તે દી તારે શિર ઓશીકાં

મેલાશે તીર બંધૂકા.

શિવાજીને નીંદરૂ ના’વે…


સૂઇ લેજે મારા કેસરી રે ! તારી હિંદવાણું જોવે વાટ,

જાગી વે’લો આવ બાલુડા

માને હાથ ભેટ બાંધવા.

શિવાજીને નીંદરૂ ના’વે…


જાગી વે’લો આવજે વીરા!

ટીલું માના લોહીનું લેવા.

શિવાજીને નીંદરૂ ના’વે,

માતા જીજીબાઇ ઝૂલાવે.


બાળુડાને માત હિંચોળે, ઘણણણ ડુંગરા બોલે !


 


– ઝવેરચંદ મેઘાણી




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.