Gujarati Literature- સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની રચના - શિવાજીનું હાલરડું...


  • Published By :
  • Published Date : 2024-02-19 16:11:34

આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી છે. છત્રપતિ શિવાજી મહારાજની વીરતા વિશે તો આપણે જાણીએ છીએ. તેમની વીરતા વિશે, તેમના શોર્ય વિશે જેટલું કહીએ એટલું ઓછું પડે તેમ છે. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણીની રચના જે કદાચ તમારામાંથી અનેક લોકોને આવડતી હશે...


શિવાજીને નીંદરૂ ના’વે…


આભમાં ઉગેલ ચાંદલો ને જીજીબાઈને આવ્યા બાળ

બાળુડા ને માત હિંચોળે

ઘણણણ ડુંગરા બોલે !

શિવાજીને નીંદરૂ ના’વે,

માતા જીજીબાઈ ઝૂલાવે.


પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લખમણની વાત

માતાજીને મુખ જે દી થી,

ઊડી એની ઉંઘ તે દી થી.

શિવાજીને નીંદરૂ ના’વે…


પોઢજો રે મારા બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ

કાલે કાળા જુદ્ધ ખેલાશે

સુવાટાણું ક્યાંય ન રે’શે.

શિવાજીને નીંદરૂ ના’વે…


ધાવજો રે, મારા પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ

રહેશે નહીં, રણ ઘેલુડા

ખાવા મુઠ્ઠી ધાનની વેળા.

શિવાજીને નીંદરૂ ના’વે…


પેરી ઓઢી લેજો પાતળા રે ! પીળા – લાલ પીરોજી ચીર,

કાયા તારી લોહીમાં ના’શે

ઢાંકણ તે દી’ ઢાલનું થાશે.

શિવાજીને નીંદરૂ ના’વે…


ઘૂઘરા, ધાવણી પોપટ લાકડી ફેરવી લેજો આજ,

તે દી તો હાથ રે’વાની

રાતી બંબોળ ભવાની.

શિવાજીને નીંદરૂ ના’વે…


લાલ કંકુ કેરા ચાંદલાને ભાલે તાણજો કેસર આડપ,

તે દી તો સિંદોરિયા થાપા

છાતી માથે ઝીલવા, બાપા.

શિવાજીને નીંદરૂ ના’વે…


આજ માતા ચોડે ચૂમીયું રે ! બાળા ઝીલજો બેવડ ગાલ,

તે દી તારા મોઢડા માથે

ઘુંવાધાર તોપ મંડાશે.

શિવાજીને નીંદરૂ ના’વે…


આજ માતાજીની ગોદમાં રે, તુંને હુંફ આવે આઠે પોર,

તે દી કાળી મેઘલી રાતે

વાયુ ટાઢા મોતના વાશે.

શિવાજીને નીંદરૂ ના’વે…


આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડા કેરી સેજ,

તે દી તારી વીર પથારી

પાથરશે વીશ ભુજાળી.

શિવાજીને નીંદરૂ ના’વે…


આજ માતાજીને ખોબલે રે, તારા માથડાં ઝોલે જાય,

તે દી તારે શિર ઓશીકાં

મેલાશે તીર બંધૂકા.

શિવાજીને નીંદરૂ ના’વે…


સૂઇ લેજે મારા કેસરી રે ! તારી હિંદવાણું જોવે વાટ,

જાગી વે’લો આવ બાલુડા

માને હાથ ભેટ બાંધવા.

શિવાજીને નીંદરૂ ના’વે…


જાગી વે’લો આવજે વીરા!

ટીલું માના લોહીનું લેવા.

શિવાજીને નીંદરૂ ના’વે,

માતા જીજીબાઇ ઝૂલાવે.


બાળુડાને માત હિંચોળે, ઘણણણ ડુંગરા બોલે !


 


– ઝવેરચંદ મેઘાણી




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.