Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે દીકરીને સમર્પિત એક રચના - પિતાના આંખનું પાણી આજ સસરાને ગ્લાસનું પાણી થઈ ગઈ


  • Published By :
  • Published Date : 2024-01-20 15:41:07

કહેવાય છે કે દીકરી પિતાના કાળજાનું કલેજું હોય છે. માતા પિતાના ઘરે જ્યારે દીકરી હોય છે ત્યારે એકદમ બિંદાસ્ત હોય છે. પરંતુ જ્યારે દીકરીના લગ્ન થઈ જાય તે બાદ દીકરી વહુ થઈ જાય છે અને તેનું જીવન બદલાઈ જાય છે. જે દીકરી પોતાના ઘરમાં એક ગ્લાસ પણ પાણીનો રસોડામાં નથી મૂકતી તે લગ્ન બાદ સાસરીયાઓની સેવા કરતી થઈ ગઈ છે. જે દીકરી જિન્સ અને ટી-શર્ટમાં રહેતી હતી તે હવે સાડી પહેરતી થઈ ગઈ છે. 3 ટાઈમ આરામથી જમતી દીકરી 3 ટાઈમ જમવાનું બનાવતી થઈ ગઈ. મા પાસે કામ કરાવતી દીકરી સાસુમાનું કામ કરતી થઈ ગઈ. છૂટથી પૈસા વાપરતી દીકરી લગ્ન બાદ શાકભાજીના ભાવ કરાવતી થઈ ગઈ. 



દીકરીના જીવનમાં લગ્ન બાદ શું ફેરફાર આવે છે તે અંગેની રચના  

દીકરીને વ્હાલનો દરિયો કહેવામાં આવે છે. પિતાના ઘરે જ્યારે દીકરી હોય છે ત્યારે તે વહેતા પાણીની જેમ હોય છે, મસ્ત બિન્દાસ્ત હોય છે. પરંતુ જ્યારે દીકરી પરણીને સાસરે જાય છે તે બાદ તેનું જીવન બદલાઈ જાય છે. જે કામ એને પિતાના ઘરે કરવાનો કંટાળો આવતો હતો તે કામ આજે એને કરવું પડે છે અને એ હસતા મોઢે કરે પણ છે.. આજે સાહિત્યના સમીપમાં એવી રચના પ્રસ્તુત કરવી છે જેમાં લગ્ન બાદ દીકરીના જીવનમાં કેવા પરિવર્તન આવે છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. રચના કોણે લખી છે તે ખબર નથી પરંતુ રચના તમને ગમી શકે છે. 



કાલની દીકરી આજ વહુ થઈ ગઈ,

કાલે જલસા કરતી હવે સાસરીયામાં સેવા કરતી થઈ ગઈ,

કાલે જીન્સ પહેરતી આજ સાડી પહેરતી થઈ ગઈ,

માવતરમાં વહેતી ચંચલ નદી સાસરીમાં ધીર ગંભીર થઈ ગઈ,

રોજ છૂટથી પૈસા વાપરતી આજ શાકભાજીના ભાવ કરતી થઈ ગઈ,

કાલે સ્કુટી ફૂલ સ્પીડમાં ચલાવતી આજ બાઈકમાં પાછળ બેસતી થઈ ગઈ,

ગઈકાલ સુધી ૩ ટાઇમ બિન્દાસ જમતી આજ ૩ ટાઇમ જમવાનું બનાવતી થઈ ગઈ,

હમેશા પોતાનું ધાર્યું કરતી આજ પતિનું ધાર્યું કરતી થઈ ગઈ,

માં પાસે કામ કરાવતી આજ સાસુમાનું કામ કરતી થઈ ગઈ,

બેન સાથે લડતી ઝઘડતી નણંદનું કહ્યું કરતી થઈ ગઈ,

ભાભીની મજાક કરતી આજ જેઠાણીને આદર આપતી થઈ ગઈ,

પિતાના આંખનું પાણી આજ સસરાને ગ્લાસનું પાણી થઈ ગઈ,

છતાં પણ પિતા કહે છે કે વાહ અમારી આંખનું રતન,

અમારી લાડો “દીકરી” સાસરીયે જઈ સુખી થઈ ગઈ.

લેખક : અજ્ઞાત



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે