Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે દીકરીને સમર્પિત એક રચના - પિતાના આંખનું પાણી આજ સસરાને ગ્લાસનું પાણી થઈ ગઈ


  • Published By :
  • Published Date : 2024-01-20 15:41:07

કહેવાય છે કે દીકરી પિતાના કાળજાનું કલેજું હોય છે. માતા પિતાના ઘરે જ્યારે દીકરી હોય છે ત્યારે એકદમ બિંદાસ્ત હોય છે. પરંતુ જ્યારે દીકરીના લગ્ન થઈ જાય તે બાદ દીકરી વહુ થઈ જાય છે અને તેનું જીવન બદલાઈ જાય છે. જે દીકરી પોતાના ઘરમાં એક ગ્લાસ પણ પાણીનો રસોડામાં નથી મૂકતી તે લગ્ન બાદ સાસરીયાઓની સેવા કરતી થઈ ગઈ છે. જે દીકરી જિન્સ અને ટી-શર્ટમાં રહેતી હતી તે હવે સાડી પહેરતી થઈ ગઈ છે. 3 ટાઈમ આરામથી જમતી દીકરી 3 ટાઈમ જમવાનું બનાવતી થઈ ગઈ. મા પાસે કામ કરાવતી દીકરી સાસુમાનું કામ કરતી થઈ ગઈ. છૂટથી પૈસા વાપરતી દીકરી લગ્ન બાદ શાકભાજીના ભાવ કરાવતી થઈ ગઈ. 



દીકરીના જીવનમાં લગ્ન બાદ શું ફેરફાર આવે છે તે અંગેની રચના  

દીકરીને વ્હાલનો દરિયો કહેવામાં આવે છે. પિતાના ઘરે જ્યારે દીકરી હોય છે ત્યારે તે વહેતા પાણીની જેમ હોય છે, મસ્ત બિન્દાસ્ત હોય છે. પરંતુ જ્યારે દીકરી પરણીને સાસરે જાય છે તે બાદ તેનું જીવન બદલાઈ જાય છે. જે કામ એને પિતાના ઘરે કરવાનો કંટાળો આવતો હતો તે કામ આજે એને કરવું પડે છે અને એ હસતા મોઢે કરે પણ છે.. આજે સાહિત્યના સમીપમાં એવી રચના પ્રસ્તુત કરવી છે જેમાં લગ્ન બાદ દીકરીના જીવનમાં કેવા પરિવર્તન આવે છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. રચના કોણે લખી છે તે ખબર નથી પરંતુ રચના તમને ગમી શકે છે. 



કાલની દીકરી આજ વહુ થઈ ગઈ,

કાલે જલસા કરતી હવે સાસરીયામાં સેવા કરતી થઈ ગઈ,

કાલે જીન્સ પહેરતી આજ સાડી પહેરતી થઈ ગઈ,

માવતરમાં વહેતી ચંચલ નદી સાસરીમાં ધીર ગંભીર થઈ ગઈ,

રોજ છૂટથી પૈસા વાપરતી આજ શાકભાજીના ભાવ કરતી થઈ ગઈ,

કાલે સ્કુટી ફૂલ સ્પીડમાં ચલાવતી આજ બાઈકમાં પાછળ બેસતી થઈ ગઈ,

ગઈકાલ સુધી ૩ ટાઇમ બિન્દાસ જમતી આજ ૩ ટાઇમ જમવાનું બનાવતી થઈ ગઈ,

હમેશા પોતાનું ધાર્યું કરતી આજ પતિનું ધાર્યું કરતી થઈ ગઈ,

માં પાસે કામ કરાવતી આજ સાસુમાનું કામ કરતી થઈ ગઈ,

બેન સાથે લડતી ઝઘડતી નણંદનું કહ્યું કરતી થઈ ગઈ,

ભાભીની મજાક કરતી આજ જેઠાણીને આદર આપતી થઈ ગઈ,

પિતાના આંખનું પાણી આજ સસરાને ગ્લાસનું પાણી થઈ ગઈ,

છતાં પણ પિતા કહે છે કે વાહ અમારી આંખનું રતન,

અમારી લાડો “દીકરી” સાસરીયે જઈ સુખી થઈ ગઈ.

લેખક : અજ્ઞાત



અમેરિકામાં થોડાક સમય પેહલા જ , ઇઝરાયેલી એમ્બેસીના બે સ્ટાફ પર. જીવલેણ હુમલો થયો છે. આ હુમલો વોશિંગટન ડીસીમાં જે જ્યુઈશ મ્યુઝિયમ આવેલું છે તેની નજીક આ હુમલો કરવામાં આવ્યો છે. આ બાબતે ત્યાંના મેટ્રોપોલિટન પોલીસ ડિપાર્ટમેન્ટએ એક સસ્પેક્ટને કસ્ટડીમાં લીધો છે. પ્રાથમિક માહિતી એ સામે આવી છે કે આ હિંસક હુમલો ઈલિયાસ રોડ્રિગુએઝ દ્વારા કરવામાં આવ્યો છે. જયારે પોલીસે તેની ધરપકડ કરી ત્યારે તેણે "ફ્રી પેલેસ્ટાઇન ફ્રી પેલેસ્ટાઇન" નામની બૂમો પાડી હતી.

અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ લઇને આજે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે , ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે , પાકિસ્તાન સાથે DGMO સ્તરની કોઈ પણ વાતચીત આજે નઈ થાય . સીઝફાયર ચાલુ જ રહેશે. બેઉ દેશોના DGMO એટલેકે , ડિરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે આજે કોઈ જ સંવાદ નથી થવા જઈ રહ્યો .