Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે દીકરીને સમર્પિત એક રચના - પિતાના આંખનું પાણી આજ સસરાને ગ્લાસનું પાણી થઈ ગઈ


  • Published By :
  • Published Date : 2024-01-20 15:41:07

કહેવાય છે કે દીકરી પિતાના કાળજાનું કલેજું હોય છે. માતા પિતાના ઘરે જ્યારે દીકરી હોય છે ત્યારે એકદમ બિંદાસ્ત હોય છે. પરંતુ જ્યારે દીકરીના લગ્ન થઈ જાય તે બાદ દીકરી વહુ થઈ જાય છે અને તેનું જીવન બદલાઈ જાય છે. જે દીકરી પોતાના ઘરમાં એક ગ્લાસ પણ પાણીનો રસોડામાં નથી મૂકતી તે લગ્ન બાદ સાસરીયાઓની સેવા કરતી થઈ ગઈ છે. જે દીકરી જિન્સ અને ટી-શર્ટમાં રહેતી હતી તે હવે સાડી પહેરતી થઈ ગઈ છે. 3 ટાઈમ આરામથી જમતી દીકરી 3 ટાઈમ જમવાનું બનાવતી થઈ ગઈ. મા પાસે કામ કરાવતી દીકરી સાસુમાનું કામ કરતી થઈ ગઈ. છૂટથી પૈસા વાપરતી દીકરી લગ્ન બાદ શાકભાજીના ભાવ કરાવતી થઈ ગઈ. 



દીકરીના જીવનમાં લગ્ન બાદ શું ફેરફાર આવે છે તે અંગેની રચના  

દીકરીને વ્હાલનો દરિયો કહેવામાં આવે છે. પિતાના ઘરે જ્યારે દીકરી હોય છે ત્યારે તે વહેતા પાણીની જેમ હોય છે, મસ્ત બિન્દાસ્ત હોય છે. પરંતુ જ્યારે દીકરી પરણીને સાસરે જાય છે તે બાદ તેનું જીવન બદલાઈ જાય છે. જે કામ એને પિતાના ઘરે કરવાનો કંટાળો આવતો હતો તે કામ આજે એને કરવું પડે છે અને એ હસતા મોઢે કરે પણ છે.. આજે સાહિત્યના સમીપમાં એવી રચના પ્રસ્તુત કરવી છે જેમાં લગ્ન બાદ દીકરીના જીવનમાં કેવા પરિવર્તન આવે છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. રચના કોણે લખી છે તે ખબર નથી પરંતુ રચના તમને ગમી શકે છે. 



કાલની દીકરી આજ વહુ થઈ ગઈ,

કાલે જલસા કરતી હવે સાસરીયામાં સેવા કરતી થઈ ગઈ,

કાલે જીન્સ પહેરતી આજ સાડી પહેરતી થઈ ગઈ,

માવતરમાં વહેતી ચંચલ નદી સાસરીમાં ધીર ગંભીર થઈ ગઈ,

રોજ છૂટથી પૈસા વાપરતી આજ શાકભાજીના ભાવ કરતી થઈ ગઈ,

કાલે સ્કુટી ફૂલ સ્પીડમાં ચલાવતી આજ બાઈકમાં પાછળ બેસતી થઈ ગઈ,

ગઈકાલ સુધી ૩ ટાઇમ બિન્દાસ જમતી આજ ૩ ટાઇમ જમવાનું બનાવતી થઈ ગઈ,

હમેશા પોતાનું ધાર્યું કરતી આજ પતિનું ધાર્યું કરતી થઈ ગઈ,

માં પાસે કામ કરાવતી આજ સાસુમાનું કામ કરતી થઈ ગઈ,

બેન સાથે લડતી ઝઘડતી નણંદનું કહ્યું કરતી થઈ ગઈ,

ભાભીની મજાક કરતી આજ જેઠાણીને આદર આપતી થઈ ગઈ,

પિતાના આંખનું પાણી આજ સસરાને ગ્લાસનું પાણી થઈ ગઈ,

છતાં પણ પિતા કહે છે કે વાહ અમારી આંખનું રતન,

અમારી લાડો “દીકરી” સાસરીયે જઈ સુખી થઈ ગઈ.

લેખક : અજ્ઞાત



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.