Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે દીકરીને સમર્પિત એક રચના - પિતાના આંખનું પાણી આજ સસરાને ગ્લાસનું પાણી થઈ ગઈ


  • Published By :
  • Published Date : 2024-01-20 15:41:07

કહેવાય છે કે દીકરી પિતાના કાળજાનું કલેજું હોય છે. માતા પિતાના ઘરે જ્યારે દીકરી હોય છે ત્યારે એકદમ બિંદાસ્ત હોય છે. પરંતુ જ્યારે દીકરીના લગ્ન થઈ જાય તે બાદ દીકરી વહુ થઈ જાય છે અને તેનું જીવન બદલાઈ જાય છે. જે દીકરી પોતાના ઘરમાં એક ગ્લાસ પણ પાણીનો રસોડામાં નથી મૂકતી તે લગ્ન બાદ સાસરીયાઓની સેવા કરતી થઈ ગઈ છે. જે દીકરી જિન્સ અને ટી-શર્ટમાં રહેતી હતી તે હવે સાડી પહેરતી થઈ ગઈ છે. 3 ટાઈમ આરામથી જમતી દીકરી 3 ટાઈમ જમવાનું બનાવતી થઈ ગઈ. મા પાસે કામ કરાવતી દીકરી સાસુમાનું કામ કરતી થઈ ગઈ. છૂટથી પૈસા વાપરતી દીકરી લગ્ન બાદ શાકભાજીના ભાવ કરાવતી થઈ ગઈ. 



દીકરીના જીવનમાં લગ્ન બાદ શું ફેરફાર આવે છે તે અંગેની રચના  

દીકરીને વ્હાલનો દરિયો કહેવામાં આવે છે. પિતાના ઘરે જ્યારે દીકરી હોય છે ત્યારે તે વહેતા પાણીની જેમ હોય છે, મસ્ત બિન્દાસ્ત હોય છે. પરંતુ જ્યારે દીકરી પરણીને સાસરે જાય છે તે બાદ તેનું જીવન બદલાઈ જાય છે. જે કામ એને પિતાના ઘરે કરવાનો કંટાળો આવતો હતો તે કામ આજે એને કરવું પડે છે અને એ હસતા મોઢે કરે પણ છે.. આજે સાહિત્યના સમીપમાં એવી રચના પ્રસ્તુત કરવી છે જેમાં લગ્ન બાદ દીકરીના જીવનમાં કેવા પરિવર્તન આવે છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. રચના કોણે લખી છે તે ખબર નથી પરંતુ રચના તમને ગમી શકે છે. 



કાલની દીકરી આજ વહુ થઈ ગઈ,

કાલે જલસા કરતી હવે સાસરીયામાં સેવા કરતી થઈ ગઈ,

કાલે જીન્સ પહેરતી આજ સાડી પહેરતી થઈ ગઈ,

માવતરમાં વહેતી ચંચલ નદી સાસરીમાં ધીર ગંભીર થઈ ગઈ,

રોજ છૂટથી પૈસા વાપરતી આજ શાકભાજીના ભાવ કરતી થઈ ગઈ,

કાલે સ્કુટી ફૂલ સ્પીડમાં ચલાવતી આજ બાઈકમાં પાછળ બેસતી થઈ ગઈ,

ગઈકાલ સુધી ૩ ટાઇમ બિન્દાસ જમતી આજ ૩ ટાઇમ જમવાનું બનાવતી થઈ ગઈ,

હમેશા પોતાનું ધાર્યું કરતી આજ પતિનું ધાર્યું કરતી થઈ ગઈ,

માં પાસે કામ કરાવતી આજ સાસુમાનું કામ કરતી થઈ ગઈ,

બેન સાથે લડતી ઝઘડતી નણંદનું કહ્યું કરતી થઈ ગઈ,

ભાભીની મજાક કરતી આજ જેઠાણીને આદર આપતી થઈ ગઈ,

પિતાના આંખનું પાણી આજ સસરાને ગ્લાસનું પાણી થઈ ગઈ,

છતાં પણ પિતા કહે છે કે વાહ અમારી આંખનું રતન,

અમારી લાડો “દીકરી” સાસરીયે જઈ સુખી થઈ ગઈ.

લેખક : અજ્ઞાત



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.