Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે તુષાર શુક્લની રચના - ચાલ, લઈ લઈએ થોડા અબોલા...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-04 15:51:48

શબ્દનો જેટલો મહિમા છે એટલો જ મહિમા મૌનનો પણ છે... અનેક લોકો આપણી આસપાસ હોય છે જે ઘણા બોલકણા હોય છે... બોલવાની તેમની આદત હોય છે... પરંતુ અનેક એવા હોય છે જેમને મૌન વધારે પ્રિય હોય છે... શબ્દોને તે કિંમતી માને છે અને એટલા જ માટે તેમને લાગે છે કે શબ્દોને વેડફવા ના જોઈએ... ત્યારે શબ્દો અને મૌનને સમર્પિત તુષાર શુક્લની એક રચના આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત કરવી છે..  


ચાલ, લઈ લઈએ થોડા અબોલા


ચાલ, લઈ લઈએ થોડા અબોલા

બોલ બોલ કરવાથી આપણા જ શબ્દો આ

આપણને લાગવાના પોલા –


આપણને શબ્દોનો મહિમા સમજાય

એથી મૌનને જ બોલવા દઈએ

હૈયાને સમજાવી, હોઠોને સીવી લઈ

કહેવું હોય એ ય તે ન કહીએ

અમથા અમથા જ સાવ વેડફતાં આપણે આ

મોતી શા શબ્દો અમોલા –


બોલવાથી ઘટતો હોય બોલ તણો મહિમા –

તો બોલી બગાડવાનું શાને ?

મૂંગા રહીએ ને તો ય દલડાંની વાત ઓલ્યું

દલડું સાંભળશે એક કાને

ઉનાળુ બપ્પોરે ઓશરીના છાયામાં

જેવાં લપાઈ રહે હોલાં –

– તુષાર શુક્લ



એક મોટી દુર્ઘટના હરિયાણાના નૂંહમાં બની છે.. નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત બળી જવાને કારણે થયા છે... મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .