Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે તુષાર શુક્લની રચના - ચાલ, લઈ લઈએ થોડા અબોલા...


  • Published By :
  • Published Date : 2024-05-04 15:51:48

શબ્દનો જેટલો મહિમા છે એટલો જ મહિમા મૌનનો પણ છે... અનેક લોકો આપણી આસપાસ હોય છે જે ઘણા બોલકણા હોય છે... બોલવાની તેમની આદત હોય છે... પરંતુ અનેક એવા હોય છે જેમને મૌન વધારે પ્રિય હોય છે... શબ્દોને તે કિંમતી માને છે અને એટલા જ માટે તેમને લાગે છે કે શબ્દોને વેડફવા ના જોઈએ... ત્યારે શબ્દો અને મૌનને સમર્પિત તુષાર શુક્લની એક રચના આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત કરવી છે..  


ચાલ, લઈ લઈએ થોડા અબોલા


ચાલ, લઈ લઈએ થોડા અબોલા

બોલ બોલ કરવાથી આપણા જ શબ્દો આ

આપણને લાગવાના પોલા –


આપણને શબ્દોનો મહિમા સમજાય

એથી મૌનને જ બોલવા દઈએ

હૈયાને સમજાવી, હોઠોને સીવી લઈ

કહેવું હોય એ ય તે ન કહીએ

અમથા અમથા જ સાવ વેડફતાં આપણે આ

મોતી શા શબ્દો અમોલા –


બોલવાથી ઘટતો હોય બોલ તણો મહિમા –

તો બોલી બગાડવાનું શાને ?

મૂંગા રહીએ ને તો ય દલડાંની વાત ઓલ્યું

દલડું સાંભળશે એક કાને

ઉનાળુ બપ્પોરે ઓશરીના છાયામાં

જેવાં લપાઈ રહે હોલાં –

– તુષાર શુક્લ



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .