Gujarati Literature- સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ઉમાશંકર જોષીની રચના - મળી માતૃભાષા મને ગુજરાતી...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-21 16:00:35

આજે વિશ્વ માતૃભાષા દિવસ છે.. માતા અને માતૃભાષા દરેકને વ્હાલી હોય છે. ભાષા એટલે એક એવું માધ્યમ છે જેના થકી આપણે એક બીજા સાથે સંવાદ કરી શકીએ છીએ. એક બીજાની લાગણી આપણે સમજી શકીએ છીએ. ત્યારે આજે સાહિત્યના સમીપમાં ઉમાશંકર જોષીની રચનાને પ્રસ્તુત કરવી છે જે માાતૃભાષા ગુજરાતીને સમર્પિત છે... 

  

મળી માતૃભાષા મને ગુજરાતી.


સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,

મળી માતૃભાષા મને ગુજરાતી.


રમે અન્ય સખીઓ થકી દેઇ તાળી,

સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી.

કરે બોલતા જે ભર્યા ભાવ છાતી,

રમો માતૃભાષા મુખે ગુજરાતી.


મળી હેમઆશિષ, નરસિંહ-મીરાં,

થયા પ્રેમભટ્ટ ને અખો ભક્ત ધીંરા,

પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે,

સજી ન્હાનલે કલ્પનાભવ્ય તેજે.


ધ્રુવા સત્ય-સાથી અહિંસા સુહાતી,

નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી.


– ઉમાશંકર જોષી



સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'