ગુજરાતીઓ ઠંડીમાં ઠુઠવાયા! રાજ્યમાં થઈ રહ્યો છે ઠંડીનો અહેસાસ, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-01-03 10:26:18

આકરો તાપ તો ગુજરાતીઓએ સહન કર્યો છે પરંતુ હવે કડકડતી ઠંડી કોને કહેવાય તેનો અનુભવ થઈ રહ્યો છે. જાન્યુઆરીની શરૂઆતથી રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. તાપમાનનો પારો ગગડી રહ્યો છે. વહેલી સવારે જો ઓફિસ જવાનું હોય તો એવો વિચાર કરવો પડે કે કેટલા સ્વેટર પહેરીને જવું! ઠંડો પવન વહી રહ્યો છે જેને લઈ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. થોડા દિવસો પહેલા ઠંડી હતી પરંતુ પવન ન હતો જેને કારણે વધારે ઠંડી લાગતી ન હતી. પરંતુ ઠંડા પવનને કારણે ઠંડી પોતાનું આકરૂં સ્વરૂપ ધારણ રાજ્યમાં કરી રહી છે. દર વખતની જેમ નલિયાનું લઘુત્તમ તાપમાન એકદમ ઓછું નોંધાયું છે. 

મસૂરીમાં ભારે હિમવર્ષા… | chitralekha

અનેક રાજ્યોમાં થઈ રહી છે હિમવર્ષા 

ડિસેમ્બર મહિનામાં જોઈએ એવો  ઠંડીનો માહોલ જામ્યો ન હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના આંખોમાં પાણી હતા. માવઠાને કારણે ઠંડીનો અનુભવ ન થતો હતો. એવી આગાહી કરવામાં આવી હતી કે આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે ત્યારે એ આગાહી હાલ સાચી પડતી લાગી રહી છે. તાપમાનનો પારો સતત ગગડ્યો છે અને નલિયાનું તાપમાન 8.4 પર પહોંચી ગયું છે. દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં હિમવર્ષા થઈ રહી છે જેને કારણે ગુજરાતમાં પણ ઠંડીમાં આંશિક વધારો જોવા મળી રહ્યો છે. 

 

ગઈકાલથી વહી રહ્યો છે ઠંડો પવન!

બુધવારે એટલે આજે પણ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. મંગળવારે પણ એવી જ પરિસ્થિતિ હતી કે ઘરની બહાર નીકળવું કે નહીં તેનો વિચાર લોકો કરી રહ્યા હતા! ઉનાળામાં રાત્રીના સમયે લોકો બહાર જવાનું પસંદ કરે છે પરંતુ શિયાળામાં રાત્રે ધાબળા ઓઢી ઉંઘી જવાનું પસંદ કરે છે. એમ પણ શિયાળામાં ઉંઘ વધારે આવે તેવું માનવામાં આવે છે. ત્યારે બુધવારે પણ ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે કારણ કે આજ સવારથી પવન વહી રહ્યો છે. 

ભાવનગર જિલ્લાના મિની કશ્મીર મહુવામાં ગાત્રો થીજાવતી ઠંડી : તાપમાન

ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

મંગળવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 15.9 ડિગ્રી, ડીસાનું તાપમાન 13.2, ગાંધીનગરનું તાપમાન 14.0, વલ્લભવિદ્યાનગરનું તાપમાન 15.8 ડિગ્રી નોંધાયું હતું, વડોદરાનું તાપમાન 17.0, સુરતનું 17.4 જ્યારે વલસાડમાં તાપમાનનો પારો 17.0 ડિગ્રી પર પહોંચ્યો હતો. તે ઉપરાંત નલિયાનું તાપમાન 8.4, ભાવનગરનું તાપમાન 16.4, દ્વારકાનું તાપમાન 15.9, પોરબંદરનું તાપમાન 14.4  ડિગ્રી નોંધાયું હતું, રાજકોટનું તાપમાન 12.8, દીવનું તાપમાન 17.0, સુરેન્દ્રનગરનું તાપમાન 14.0 ડિગ્રી નોંધાયું છે. ત્યારે આગામી દિવસો દરમિયાન તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નથી તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.