ગુજરાતીઓને થઈ રહ્યો છે કાતિલ ઠંડીનો અહેસાસ, હજી પણ ગગડશે તાપમાનનો પારો


  • Published By :
  • Published Date : 2023-01-17 09:28:38

ગુજરાતમાં ફરી એક વખત કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તરભારતના રાજ્યોમાં બરફવર્ષા થવાને કારણે ગુજરાતમાં આ વખતે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાન ગગડી રહ્યું છે. ઠંડીએ અનેક વર્ષોના રેકોર્ડ તોડી દીધા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આવનાર ત્રણ-ચાર દિવસ આનાથી પણ વધારે ઠંડી પડશે. તાપમાન સતત ઘટતા રાજ્ય ઠંડુગાર બની ગયું છે.

Cold Wave to Persist over Gujarat for Next 48 Hours Cold wave: રાજ્યમાં કાતિલ ઠંડીમાં ઠૂંઠવાયા લોકો, હજુ આટલા દિવસ રહેશે ઠંડીનું જોર

રાજ્યમાં જોવા મળ્યો ઠંડીનો ચમકારો

છેલ્લા અનેક દિવસોથી રાજ્યમાં હાડ થીજાવતી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અનેક વર્ષો બાદ આવી ઠંડી પડી હોય તેવું ગુજરાતીઓ માની રહ્યા છે. રાજ્યમાં કોલ્ડ વેવની અનુભૂતિ થઈ રહી છે. રાજ્યના 14 જેટલા શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી ઓછું નોંધાયું હતું. જેમાં ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, જામનગર જેવા શહેરોનો સમાવેશ થાય છે. આવનાર દિવસોમાં આ તાપમાન યથાવત રહેશે અથવા તો આનાથી પણ ઓછુ થશે તેવી આગાહી કરવામાં આવી છે.

 માઉન્ટ આબુમાં શિયાળો માનવીના હાડકા ઓગળી રહ્યો છે એટલું જ નહીં પાકને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. (તસવીર: કિશન વાસવાણી)

ક્યાં કેટલું નોંધાયું તાપમાન 

અમદાવાદમાં 7.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે ગાંધીનગરમાં 5.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. નલિયામાં  સૌથી ઓછુ તાપમાન નોંધાયું હતું. નલિયામાં 2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પોરબંદરમાં 6.2, રાજકોટમાં 7.3, સુરેન્દ્રનગરમાં 8.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. છોટા ઉદેપુરમાં 10.1, વડોદરામાં 10.4, કંડલામાં 9.1, અમરેલીમાં 9, ડીસામાં 7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. માઉન્ટ આબુમાં તો બરફની વર્ષા થઈ હતી. 

 માઉન્ટ આબુમાં એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 7 ડિગ્રીના ઘટાડાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. દિવસભર વાતાવરણમાં ધુળ અને ધ્રૂજારી છૂટી જવાની લાગણી અનુભવાઈ હતી. અહીંની દિનચર્યા સૂર્યોદય પછી જ શરૂ થઈ શકતી હતી.,

ઠંડીને કારણે વધી ખેડૂતોની ચિંતા 

માઉન્ટ આબુમાં માઈનસ 6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઠંડીનું પ્રમાણ વધતા પ્રવાસીઓને મજા પડી ગઈ હતી. અનેક સ્થળો પર બરફ જામેલો પણ જોવા મળ્યો હતો. એક તરફ જ્યાં ઠંડીને કારણે લોકોને મજા આવી રહી છે લોકો હિમવર્ષાની મોજ માણી રહ્યા છે તો આ હિમવર્ષા ખેડૂતો માટે ચિંતા લઈને આવ્યું છે. ઠંડી તેમજ હિમવર્ષાને કારણે પાકને નુકસાન પહોંચવાની ભીતી ખેડૂતો સેવી રહ્યા છે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.