ગુજરાતીઓને થઈ રહ્યો છે કાતિલ ઠંડીનો અહેસાસ, હજી પણ ગગડશે તાપમાનનો પારો


  • Published By :
  • Published Date : 2023-01-17 09:28:38

ગુજરાતમાં ફરી એક વખત કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તરભારતના રાજ્યોમાં બરફવર્ષા થવાને કારણે ગુજરાતમાં આ વખતે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાન ગગડી રહ્યું છે. ઠંડીએ અનેક વર્ષોના રેકોર્ડ તોડી દીધા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આવનાર ત્રણ-ચાર દિવસ આનાથી પણ વધારે ઠંડી પડશે. તાપમાન સતત ઘટતા રાજ્ય ઠંડુગાર બની ગયું છે.

Cold Wave to Persist over Gujarat for Next 48 Hours Cold wave: રાજ્યમાં કાતિલ ઠંડીમાં ઠૂંઠવાયા લોકો, હજુ આટલા દિવસ રહેશે ઠંડીનું જોર

રાજ્યમાં જોવા મળ્યો ઠંડીનો ચમકારો

છેલ્લા અનેક દિવસોથી રાજ્યમાં હાડ થીજાવતી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અનેક વર્ષો બાદ આવી ઠંડી પડી હોય તેવું ગુજરાતીઓ માની રહ્યા છે. રાજ્યમાં કોલ્ડ વેવની અનુભૂતિ થઈ રહી છે. રાજ્યના 14 જેટલા શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી ઓછું નોંધાયું હતું. જેમાં ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, જામનગર જેવા શહેરોનો સમાવેશ થાય છે. આવનાર દિવસોમાં આ તાપમાન યથાવત રહેશે અથવા તો આનાથી પણ ઓછુ થશે તેવી આગાહી કરવામાં આવી છે.

 માઉન્ટ આબુમાં શિયાળો માનવીના હાડકા ઓગળી રહ્યો છે એટલું જ નહીં પાકને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. (તસવીર: કિશન વાસવાણી)

ક્યાં કેટલું નોંધાયું તાપમાન 

અમદાવાદમાં 7.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે ગાંધીનગરમાં 5.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. નલિયામાં  સૌથી ઓછુ તાપમાન નોંધાયું હતું. નલિયામાં 2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પોરબંદરમાં 6.2, રાજકોટમાં 7.3, સુરેન્દ્રનગરમાં 8.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. છોટા ઉદેપુરમાં 10.1, વડોદરામાં 10.4, કંડલામાં 9.1, અમરેલીમાં 9, ડીસામાં 7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. માઉન્ટ આબુમાં તો બરફની વર્ષા થઈ હતી. 

 માઉન્ટ આબુમાં એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 7 ડિગ્રીના ઘટાડાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. દિવસભર વાતાવરણમાં ધુળ અને ધ્રૂજારી છૂટી જવાની લાગણી અનુભવાઈ હતી. અહીંની દિનચર્યા સૂર્યોદય પછી જ શરૂ થઈ શકતી હતી.,

ઠંડીને કારણે વધી ખેડૂતોની ચિંતા 

માઉન્ટ આબુમાં માઈનસ 6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઠંડીનું પ્રમાણ વધતા પ્રવાસીઓને મજા પડી ગઈ હતી. અનેક સ્થળો પર બરફ જામેલો પણ જોવા મળ્યો હતો. એક તરફ જ્યાં ઠંડીને કારણે લોકોને મજા આવી રહી છે લોકો હિમવર્ષાની મોજ માણી રહ્યા છે તો આ હિમવર્ષા ખેડૂતો માટે ચિંતા લઈને આવ્યું છે. ઠંડી તેમજ હિમવર્ષાને કારણે પાકને નુકસાન પહોંચવાની ભીતી ખેડૂતો સેવી રહ્યા છે.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.