ગુજરાતીઓને થઈ રહ્યો છે કાતિલ ઠંડીનો અહેસાસ, હજી પણ ગગડશે તાપમાનનો પારો


  • Published By :
  • Published Date : 2023-01-17 09:28:38

ગુજરાતમાં ફરી એક વખત કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તરભારતના રાજ્યોમાં બરફવર્ષા થવાને કારણે ગુજરાતમાં આ વખતે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાન ગગડી રહ્યું છે. ઠંડીએ અનેક વર્ષોના રેકોર્ડ તોડી દીધા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આવનાર ત્રણ-ચાર દિવસ આનાથી પણ વધારે ઠંડી પડશે. તાપમાન સતત ઘટતા રાજ્ય ઠંડુગાર બની ગયું છે.

Cold Wave to Persist over Gujarat for Next 48 Hours Cold wave: રાજ્યમાં કાતિલ ઠંડીમાં ઠૂંઠવાયા લોકો, હજુ આટલા દિવસ રહેશે ઠંડીનું જોર

રાજ્યમાં જોવા મળ્યો ઠંડીનો ચમકારો

છેલ્લા અનેક દિવસોથી રાજ્યમાં હાડ થીજાવતી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અનેક વર્ષો બાદ આવી ઠંડી પડી હોય તેવું ગુજરાતીઓ માની રહ્યા છે. રાજ્યમાં કોલ્ડ વેવની અનુભૂતિ થઈ રહી છે. રાજ્યના 14 જેટલા શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી ઓછું નોંધાયું હતું. જેમાં ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, જામનગર જેવા શહેરોનો સમાવેશ થાય છે. આવનાર દિવસોમાં આ તાપમાન યથાવત રહેશે અથવા તો આનાથી પણ ઓછુ થશે તેવી આગાહી કરવામાં આવી છે.

 માઉન્ટ આબુમાં શિયાળો માનવીના હાડકા ઓગળી રહ્યો છે એટલું જ નહીં પાકને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. (તસવીર: કિશન વાસવાણી)

ક્યાં કેટલું નોંધાયું તાપમાન 

અમદાવાદમાં 7.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે ગાંધીનગરમાં 5.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. નલિયામાં  સૌથી ઓછુ તાપમાન નોંધાયું હતું. નલિયામાં 2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પોરબંદરમાં 6.2, રાજકોટમાં 7.3, સુરેન્દ્રનગરમાં 8.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. છોટા ઉદેપુરમાં 10.1, વડોદરામાં 10.4, કંડલામાં 9.1, અમરેલીમાં 9, ડીસામાં 7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. માઉન્ટ આબુમાં તો બરફની વર્ષા થઈ હતી. 

 માઉન્ટ આબુમાં એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 7 ડિગ્રીના ઘટાડાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. દિવસભર વાતાવરણમાં ધુળ અને ધ્રૂજારી છૂટી જવાની લાગણી અનુભવાઈ હતી. અહીંની દિનચર્યા સૂર્યોદય પછી જ શરૂ થઈ શકતી હતી.,

ઠંડીને કારણે વધી ખેડૂતોની ચિંતા 

માઉન્ટ આબુમાં માઈનસ 6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઠંડીનું પ્રમાણ વધતા પ્રવાસીઓને મજા પડી ગઈ હતી. અનેક સ્થળો પર બરફ જામેલો પણ જોવા મળ્યો હતો. એક તરફ જ્યાં ઠંડીને કારણે લોકોને મજા આવી રહી છે લોકો હિમવર્ષાની મોજ માણી રહ્યા છે તો આ હિમવર્ષા ખેડૂતો માટે ચિંતા લઈને આવ્યું છે. ઠંડી તેમજ હિમવર્ષાને કારણે પાકને નુકસાન પહોંચવાની ભીતી ખેડૂતો સેવી રહ્યા છે.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.