અમદાવાદમાં સૌથી ભયાનક અકસ્માત, નબીરો બેફામ બન્યો SG Highway પર હિટ એન્ડ રન, પોલીસનું પણ મૃત્યું


  • Published By :
  • Published Date : 2023-07-20 12:46:46

નબીરો બેફામ, છેલ્લા કેટલાય સમયનો સૌથી ભયાનક અકસ્માત, 9ના મોત

નબીરાઓ જ્યારે બેફામ થાય છે ત્યારે એક્સીલેટર પર પગ દબાવતી વખતે એમને લાગે છે કે એ રાજ્યની કાયદો વ્યવસ્થાને પગ નીચે કચડીને જઈ રહ્યા છે. અમદાવાદનો એસ.જી.હાઈવે ફરી એકવાર બેફામ મગજના કરોડપતિનો ભોગ બન્યો જ્યારે પુરપાટ ઝડપે આપવી જેગુઆર કારે ઈસ્કોન બ્રિજ પર ઉભા રહેવા ટોળાને અડફેટે લીધું. એ ટોળામાં પોલીસના કર્મચારી પણ હતા,કોન્સ્ટેબલ સહિત 9 લોકોના મૃત્યું થયા છે.


ઈસ્કોન બ્રિજ પર આખી ઘટના થઈ, પહેલેથી જ બે ગાડીઓ ટકરાઈ હતી તો મદદ અને પોલીસની સાથે ઉભા રહેલા ટોળા પર લગભગ 160કિમી પ્રતિ કલાકની ઝડપથી આવતી જગુઆર કાર ટકરાઈ, જેમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકોના મૃત્યું થયા, અમદાવાદના ગોતા વિસ્તારના કુખ્યાતનો દિકરો કાર ચલાવતો હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ સામે આવ્યું છે.


પ્રાથમિક દ્રષ્ટીએ મૃતકોના નામ

ધર્મેન્દ્રસિંહ - પોલીસ કોન્સ્ટેબલ

નિરવ - ચાંદલોડીયા

અક્ષય ચાવડા - બોટાદ

અમન કચ્છી - સુરેન્દ્રનગર

કૃણાલ કોડીયા - બોટાદ

અરમાન વઢવાણીયા - સુરેન્દ્રનગર

રોનક વિહલપરા - બોટાદ


ઈસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ થાર ઘુસી ગઈ હતી, લોકો આ અકસ્માત જોવા ઉભા હતા ત્યાં જ કર્ણાવતી ક્લબ બાજુથી આવતી 160કિમીની ઝડપની જેગુઆરે અસ્કમાત સર્જ્યો,  10 જેટલા લોકો ઘાયલ થયા છે જેમને સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે અને અકસ્માત કરનાર પણ ઘાયલ થતા એને સિમ્સ હોસ્પિટલ ખસેડાયો છે.

ગોતામાં પહેલેથી જ એક કેસમાં કથિત રીતે જેલની અંદર વ્યક્તિનો દિકરાએ જ અકસ્માત કર્યાનું અનુમાન છે. એની સાથે બીજો એક યુવક અને યુવતી પણ હતા, એમને પણ ઈજા થઈ છે, લોકો અને કાર ચાલક વચ્ચે સંઘર્ષ થાય એ પહેલા જ એને કોઈક બચાવીને સિમ્સમાં દાખલ કરવા લઈ ગયું. છોકરી અચાનક ક્યાં ગાયબ થઈ ગઈ કોઈને ખબર નથી અને એ સિવાય બે ઈજાગ્રસ્તો નામે મિજાન શેખ અને નારણ ગુર્જરને અસારવા સિવિલમાં ખસેડાયા છે

આ લોકો કોઈ સજાથી ડરતા નથી, સિસ્ટમને પગની ધૂળ સમજે છે!

અમદાવાદના વિસ્મય શાહથી લઈને હમણાં છેક તથ્ય સુધીની વાત હોય, આ લોકોને પોતાના રૂપિયા પર એટલો ઘમંડ હોય છે કે એક્સીલેટર બેફામ બને એ પહેલા એમને વિચાર જ નથી આવતો કે અકસ્માત થશે અને કોઈનો જીવ જશે તો! એમના માટે આ માત્ર થ્રિલની વાત હોય છે. એમની થ્રિલ લોકોના ઘર, લોકોના કાળજાના ટુકડા છીનવી લે છે પણ આ લોકોને લેશમાત્ર ફરક નથી પડતો. એ સમજે છે કે આ દુનિયામાં રૂપિયાથી બધુ જ ખરીદી શકાય છે. કાયદાથી લઈ લોકોના જીવ સુધી કંઈ પણ. આ ઘટનામાં 9 લોકોને મારનાર તથ્ય પટેલના પિતાએ બચાવ કર્યો છે. પ્રજ્ઞેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી રહ્યા છે જેમાં તે કહી રહ્યા છે કે કોઇ મને મારે તો હું માર ખાવા તૈયાર, દંડ કરે તો દંડ ભરવા તૈયાર... હવે ન્યાયાલય નક્કી કરશે કે કેવી રીતે ન્યાય કરવો..... મારો દિકરો 90 કિમીએ ચલાવતો હતો. 


Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.