અમદાવાદમાં સૌથી ભયાનક અકસ્માત, નબીરો બેફામ બન્યો SG Highway પર હિટ એન્ડ રન, પોલીસનું પણ મૃત્યું


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-20 12:46:46

નબીરો બેફામ, છેલ્લા કેટલાય સમયનો સૌથી ભયાનક અકસ્માત, 9ના મોત

નબીરાઓ જ્યારે બેફામ થાય છે ત્યારે એક્સીલેટર પર પગ દબાવતી વખતે એમને લાગે છે કે એ રાજ્યની કાયદો વ્યવસ્થાને પગ નીચે કચડીને જઈ રહ્યા છે. અમદાવાદનો એસ.જી.હાઈવે ફરી એકવાર બેફામ મગજના કરોડપતિનો ભોગ બન્યો જ્યારે પુરપાટ ઝડપે આપવી જેગુઆર કારે ઈસ્કોન બ્રિજ પર ઉભા રહેવા ટોળાને અડફેટે લીધું. એ ટોળામાં પોલીસના કર્મચારી પણ હતા,કોન્સ્ટેબલ સહિત 9 લોકોના મૃત્યું થયા છે.


ઈસ્કોન બ્રિજ પર આખી ઘટના થઈ, પહેલેથી જ બે ગાડીઓ ટકરાઈ હતી તો મદદ અને પોલીસની સાથે ઉભા રહેલા ટોળા પર લગભગ 160કિમી પ્રતિ કલાકની ઝડપથી આવતી જગુઆર કાર ટકરાઈ, જેમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકોના મૃત્યું થયા, અમદાવાદના ગોતા વિસ્તારના કુખ્યાતનો દિકરો કાર ચલાવતો હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ સામે આવ્યું છે.


પ્રાથમિક દ્રષ્ટીએ મૃતકોના નામ

ધર્મેન્દ્રસિંહ - પોલીસ કોન્સ્ટેબલ

નિરવ - ચાંદલોડીયા

અક્ષય ચાવડા - બોટાદ

અમન કચ્છી - સુરેન્દ્રનગર

કૃણાલ કોડીયા - બોટાદ

અરમાન વઢવાણીયા - સુરેન્દ્રનગર

રોનક વિહલપરા - બોટાદ


ઈસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ થાર ઘુસી ગઈ હતી, લોકો આ અકસ્માત જોવા ઉભા હતા ત્યાં જ કર્ણાવતી ક્લબ બાજુથી આવતી 160કિમીની ઝડપની જેગુઆરે અસ્કમાત સર્જ્યો,  10 જેટલા લોકો ઘાયલ થયા છે જેમને સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે અને અકસ્માત કરનાર પણ ઘાયલ થતા એને સિમ્સ હોસ્પિટલ ખસેડાયો છે.

ગોતામાં પહેલેથી જ એક કેસમાં કથિત રીતે જેલની અંદર વ્યક્તિનો દિકરાએ જ અકસ્માત કર્યાનું અનુમાન છે. એની સાથે બીજો એક યુવક અને યુવતી પણ હતા, એમને પણ ઈજા થઈ છે, લોકો અને કાર ચાલક વચ્ચે સંઘર્ષ થાય એ પહેલા જ એને કોઈક બચાવીને સિમ્સમાં દાખલ કરવા લઈ ગયું. છોકરી અચાનક ક્યાં ગાયબ થઈ ગઈ કોઈને ખબર નથી અને એ સિવાય બે ઈજાગ્રસ્તો નામે મિજાન શેખ અને નારણ ગુર્જરને અસારવા સિવિલમાં ખસેડાયા છે

આ લોકો કોઈ સજાથી ડરતા નથી, સિસ્ટમને પગની ધૂળ સમજે છે!

અમદાવાદના વિસ્મય શાહથી લઈને હમણાં છેક તથ્ય સુધીની વાત હોય, આ લોકોને પોતાના રૂપિયા પર એટલો ઘમંડ હોય છે કે એક્સીલેટર બેફામ બને એ પહેલા એમને વિચાર જ નથી આવતો કે અકસ્માત થશે અને કોઈનો જીવ જશે તો! એમના માટે આ માત્ર થ્રિલની વાત હોય છે. એમની થ્રિલ લોકોના ઘર, લોકોના કાળજાના ટુકડા છીનવી લે છે પણ આ લોકોને લેશમાત્ર ફરક નથી પડતો. એ સમજે છે કે આ દુનિયામાં રૂપિયાથી બધુ જ ખરીદી શકાય છે. કાયદાથી લઈ લોકોના જીવ સુધી કંઈ પણ. આ ઘટનામાં 9 લોકોને મારનાર તથ્ય પટેલના પિતાએ બચાવ કર્યો છે. પ્રજ્ઞેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી રહ્યા છે જેમાં તે કહી રહ્યા છે કે કોઇ મને મારે તો હું માર ખાવા તૈયાર, દંડ કરે તો દંડ ભરવા તૈયાર... હવે ન્યાયાલય નક્કી કરશે કે કેવી રીતે ન્યાય કરવો..... મારો દિકરો 90 કિમીએ ચલાવતો હતો. 


ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે