અમદાવાદમાં સૌથી ભયાનક અકસ્માત, નબીરો બેફામ બન્યો SG Highway પર હિટ એન્ડ રન, પોલીસનું પણ મૃત્યું


  • Published By :
  • Published Date : 2023-07-20 12:46:46

નબીરો બેફામ, છેલ્લા કેટલાય સમયનો સૌથી ભયાનક અકસ્માત, 9ના મોત

નબીરાઓ જ્યારે બેફામ થાય છે ત્યારે એક્સીલેટર પર પગ દબાવતી વખતે એમને લાગે છે કે એ રાજ્યની કાયદો વ્યવસ્થાને પગ નીચે કચડીને જઈ રહ્યા છે. અમદાવાદનો એસ.જી.હાઈવે ફરી એકવાર બેફામ મગજના કરોડપતિનો ભોગ બન્યો જ્યારે પુરપાટ ઝડપે આપવી જેગુઆર કારે ઈસ્કોન બ્રિજ પર ઉભા રહેવા ટોળાને અડફેટે લીધું. એ ટોળામાં પોલીસના કર્મચારી પણ હતા,કોન્સ્ટેબલ સહિત 9 લોકોના મૃત્યું થયા છે.


ઈસ્કોન બ્રિજ પર આખી ઘટના થઈ, પહેલેથી જ બે ગાડીઓ ટકરાઈ હતી તો મદદ અને પોલીસની સાથે ઉભા રહેલા ટોળા પર લગભગ 160કિમી પ્રતિ કલાકની ઝડપથી આવતી જગુઆર કાર ટકરાઈ, જેમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકોના મૃત્યું થયા, અમદાવાદના ગોતા વિસ્તારના કુખ્યાતનો દિકરો કાર ચલાવતો હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ સામે આવ્યું છે.


પ્રાથમિક દ્રષ્ટીએ મૃતકોના નામ

ધર્મેન્દ્રસિંહ - પોલીસ કોન્સ્ટેબલ

નિરવ - ચાંદલોડીયા

અક્ષય ચાવડા - બોટાદ

અમન કચ્છી - સુરેન્દ્રનગર

કૃણાલ કોડીયા - બોટાદ

અરમાન વઢવાણીયા - સુરેન્દ્રનગર

રોનક વિહલપરા - બોટાદ


ઈસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ થાર ઘુસી ગઈ હતી, લોકો આ અકસ્માત જોવા ઉભા હતા ત્યાં જ કર્ણાવતી ક્લબ બાજુથી આવતી 160કિમીની ઝડપની જેગુઆરે અસ્કમાત સર્જ્યો,  10 જેટલા લોકો ઘાયલ થયા છે જેમને સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે અને અકસ્માત કરનાર પણ ઘાયલ થતા એને સિમ્સ હોસ્પિટલ ખસેડાયો છે.

ગોતામાં પહેલેથી જ એક કેસમાં કથિત રીતે જેલની અંદર વ્યક્તિનો દિકરાએ જ અકસ્માત કર્યાનું અનુમાન છે. એની સાથે બીજો એક યુવક અને યુવતી પણ હતા, એમને પણ ઈજા થઈ છે, લોકો અને કાર ચાલક વચ્ચે સંઘર્ષ થાય એ પહેલા જ એને કોઈક બચાવીને સિમ્સમાં દાખલ કરવા લઈ ગયું. છોકરી અચાનક ક્યાં ગાયબ થઈ ગઈ કોઈને ખબર નથી અને એ સિવાય બે ઈજાગ્રસ્તો નામે મિજાન શેખ અને નારણ ગુર્જરને અસારવા સિવિલમાં ખસેડાયા છે

આ લોકો કોઈ સજાથી ડરતા નથી, સિસ્ટમને પગની ધૂળ સમજે છે!

અમદાવાદના વિસ્મય શાહથી લઈને હમણાં છેક તથ્ય સુધીની વાત હોય, આ લોકોને પોતાના રૂપિયા પર એટલો ઘમંડ હોય છે કે એક્સીલેટર બેફામ બને એ પહેલા એમને વિચાર જ નથી આવતો કે અકસ્માત થશે અને કોઈનો જીવ જશે તો! એમના માટે આ માત્ર થ્રિલની વાત હોય છે. એમની થ્રિલ લોકોના ઘર, લોકોના કાળજાના ટુકડા છીનવી લે છે પણ આ લોકોને લેશમાત્ર ફરક નથી પડતો. એ સમજે છે કે આ દુનિયામાં રૂપિયાથી બધુ જ ખરીદી શકાય છે. કાયદાથી લઈ લોકોના જીવ સુધી કંઈ પણ. આ ઘટનામાં 9 લોકોને મારનાર તથ્ય પટેલના પિતાએ બચાવ કર્યો છે. પ્રજ્ઞેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી રહ્યા છે જેમાં તે કહી રહ્યા છે કે કોઇ મને મારે તો હું માર ખાવા તૈયાર, દંડ કરે તો દંડ ભરવા તૈયાર... હવે ન્યાયાલય નક્કી કરશે કે કેવી રીતે ન્યાય કરવો..... મારો દિકરો 90 કિમીએ ચલાવતો હતો. 


ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.