લ્યો બોલો! ગુલાબસિંહ રાજપૂતે ઉપવાસ પહેલા ભગવાનને પત્ર લખ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 12:37:04

આજકાલ બધા ભગવાન ભરોસે છે તેવું લાગી રહ્યું છે. તે પછી ગોવાના પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામતે હોય કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત હોય. તમામ લોકો ચૂંટણી પહેલા ભગવાન ભરોસે હોય તેવું લાગી રહ્યું છે. 


શું છે વિવાદ?

થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે ઉપવાસ પર બેસતા પહેલા ધરણીધર ભગવાનને પત્ર લખ્યો છે. થરાદ વિધાનસભા વિસ્તારના પડતર પ્રશ્નોનો ઉકેલ ના આવતા તેમણે ગુજરાત સરકારને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે ભગવાન ધરણી સરકારને સદબુદ્ધી આપે. 


ભગવાન ધરણીધરને શું કરી ફરિયાદ 

ગુલાબસિંહ રાજપૂતે થરાદ મતવિસ્તારના 10 પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ઉપવાસ પર બેસવાના છે. ભગવાન ધરણીધરને ફરિયાદ કરતા તેમણે પત્રમાં લખ્યું હતું કે ભગવાન સરકારને સદબુદ્ધી આપે અને પોતાને ઉપવાસ પર બેસવાની શક્તિ આપે. 


કયા પડતર પ્રશ્નો મામલે કરશે ઉપવાસ 

થરાદ વિધાનસભાના 97 ગામને પૂરતા પ્રમાણમાં પાણી આપવા, રસ્તા પાકા કરવા, નાગલા-ડોડગામ-ખાનપુરમાં પાણી નિકાલ, નર્મદા કેનાલમાંથી લીકેજનો પ્રશ્ન દૂર કરવા, ગૌશાળા માટે જાહેરાત મુજબ 500 કરોડ ચૂકવવા, જમીનોના રિસર્વે કરવા, દલીત સમાજની સ્મશાનભૂમિ નીમ કરવા જેવા મુદ્દે ગુલાબસિંહ રાજપૂત ઉપવાસ કરવા જઈ રહ્યા છે.  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.