લ્યો બોલો! ગુલાબસિંહ રાજપૂતે ઉપવાસ પહેલા ભગવાનને પત્ર લખ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 12:37:04

આજકાલ બધા ભગવાન ભરોસે છે તેવું લાગી રહ્યું છે. તે પછી ગોવાના પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામતે હોય કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત હોય. તમામ લોકો ચૂંટણી પહેલા ભગવાન ભરોસે હોય તેવું લાગી રહ્યું છે. 


શું છે વિવાદ?

થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે ઉપવાસ પર બેસતા પહેલા ધરણીધર ભગવાનને પત્ર લખ્યો છે. થરાદ વિધાનસભા વિસ્તારના પડતર પ્રશ્નોનો ઉકેલ ના આવતા તેમણે ગુજરાત સરકારને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે ભગવાન ધરણી સરકારને સદબુદ્ધી આપે. 


ભગવાન ધરણીધરને શું કરી ફરિયાદ 

ગુલાબસિંહ રાજપૂતે થરાદ મતવિસ્તારના 10 પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ઉપવાસ પર બેસવાના છે. ભગવાન ધરણીધરને ફરિયાદ કરતા તેમણે પત્રમાં લખ્યું હતું કે ભગવાન સરકારને સદબુદ્ધી આપે અને પોતાને ઉપવાસ પર બેસવાની શક્તિ આપે. 


કયા પડતર પ્રશ્નો મામલે કરશે ઉપવાસ 

થરાદ વિધાનસભાના 97 ગામને પૂરતા પ્રમાણમાં પાણી આપવા, રસ્તા પાકા કરવા, નાગલા-ડોડગામ-ખાનપુરમાં પાણી નિકાલ, નર્મદા કેનાલમાંથી લીકેજનો પ્રશ્ન દૂર કરવા, ગૌશાળા માટે જાહેરાત મુજબ 500 કરોડ ચૂકવવા, જમીનોના રિસર્વે કરવા, દલીત સમાજની સ્મશાનભૂમિ નીમ કરવા જેવા મુદ્દે ગુલાબસિંહ રાજપૂત ઉપવાસ કરવા જઈ રહ્યા છે.  



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .