લ્યો બોલો! ગુલાબસિંહ રાજપૂતે ઉપવાસ પહેલા ભગવાનને પત્ર લખ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 12:37:04

આજકાલ બધા ભગવાન ભરોસે છે તેવું લાગી રહ્યું છે. તે પછી ગોવાના પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામતે હોય કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત હોય. તમામ લોકો ચૂંટણી પહેલા ભગવાન ભરોસે હોય તેવું લાગી રહ્યું છે. 


શું છે વિવાદ?

થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે ઉપવાસ પર બેસતા પહેલા ધરણીધર ભગવાનને પત્ર લખ્યો છે. થરાદ વિધાનસભા વિસ્તારના પડતર પ્રશ્નોનો ઉકેલ ના આવતા તેમણે ગુજરાત સરકારને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે ભગવાન ધરણી સરકારને સદબુદ્ધી આપે. 


ભગવાન ધરણીધરને શું કરી ફરિયાદ 

ગુલાબસિંહ રાજપૂતે થરાદ મતવિસ્તારના 10 પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ઉપવાસ પર બેસવાના છે. ભગવાન ધરણીધરને ફરિયાદ કરતા તેમણે પત્રમાં લખ્યું હતું કે ભગવાન સરકારને સદબુદ્ધી આપે અને પોતાને ઉપવાસ પર બેસવાની શક્તિ આપે. 


કયા પડતર પ્રશ્નો મામલે કરશે ઉપવાસ 

થરાદ વિધાનસભાના 97 ગામને પૂરતા પ્રમાણમાં પાણી આપવા, રસ્તા પાકા કરવા, નાગલા-ડોડગામ-ખાનપુરમાં પાણી નિકાલ, નર્મદા કેનાલમાંથી લીકેજનો પ્રશ્ન દૂર કરવા, ગૌશાળા માટે જાહેરાત મુજબ 500 કરોડ ચૂકવવા, જમીનોના રિસર્વે કરવા, દલીત સમાજની સ્મશાનભૂમિ નીમ કરવા જેવા મુદ્દે ગુલાબસિંહ રાજપૂત ઉપવાસ કરવા જઈ રહ્યા છે.  



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .