મુસલમાન પહેલા હિંદુ જ હતા, 600 વર્ષ પહેલા કાશ્મીરી પંડિતોએ ઈસ્લામ અપનાવ્યો: ગુલામ નબી આઝાદ


  • Published By :
  • Published Date : 2023-08-17 16:08:03

કોંગ્રેસથી અલગ થઈને અલગ પાર્ટી ડેમોક્રેટિક આઝાદ પાર્ટી (DPAP) બનાવનારા જમ્મુ-કાશ્મિરના પૂર્વ સીએમ ગુલામ નબી આઝાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આઝાદ જમ્મુ-કાશ્મિરના લોકોથી કહીં રહ્યા હતાં કે "હિંદુ ધર્મ ઈસ્લામથી ઘણો જુનો છે, અને આપણે બધા પહેલા હિંદુ જ હતા, તેમણે કહ્યું કે ઇસ્લામ 1500 વર્ષ પહેલા આવ્યો હતો હતો અને 600 વર્ષ પહેલા બધા કાશ્મિરીઓ પંડિત હતા. તેમણે કહ્યું કે બધા હિંદુઓમાંથી જ કન્વર્ટ થયા છે."


કન્વર્ટ થઈને મુસલમાન બન્યા


ગુલામ નબી આઝાદનો આ વીડિયો જમ્મુ અને કાશ્મિરના ડોડા જિલ્લાનો છે, આઝાદ 9 ઓગસ્ટના રોજ અહીં ભાષણ આપવા પહોંચ્યા હતા, વીડિયોમાં આઝાદ કહીં રહ્યા છે, 'ઈસ્લામનો જન્મ 1500 પહેલા જ થયો હતો, ભારતમાં કોઈ જ બહારનું નથી. આપણે બધા આ જ દેશના છિએ. ભારતના મુસ્લિમો મૂળ રૂપથી હિંદુ હતા, જે બાદમાં કન્વર્ટ થઈ ગયા. તેઓ કન્વર્ટ થઈને મુસલમાન બની ગયા. તેમણે વધુમાં કહ્યું  કે કાશ્મિરમાં 600 વર્ષ પહેલા માત્ર કાશ્મિરી પંડિતો જ રહેતા હતા. પછી અનેક લોકો કન્વર્ટ થઈને મુસલમાન બની ગયા. આ દરમિયાવ આઝાદે ભાઈચારો, શાંતિ અને એકતા જાળવી રાખવાનો આગ્રહ કરતા કહ્યું કે 'ધર્મને રાજનિતી સાથે જોડવો જોઈએ નહીં, લોકોએ ધર્મ અને નામ પર મતદાન કરવું જોઈએ નહીં. 


કોઈ બહારથી નથી આવ્યું


ગુલામ નબી આઝાદે કહ્યું અમે બહારથી નથી આવ્યા, આ માટીમાંથી પેદા થયા છીએ, અને આજ માટીમાં મળી જઈશું, ભાજપના કોઈ નેતાએ કહ્યું કે કોઈ બહારથી આવ્યું છે, કોઈ અંદરથી આવ્યું છે, મેં તેમને કહ્યું કે કોઈ અંદર અને બહારથી નથી આવ્યું. હિંદુઓમાં અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે,  ત્યાર બાદ તેમને નદીમાં તર્પણ કરવામાં આવે છે, તે પાણી અલગ-અલગ જગ્યાએ જાય છે, ખેતરોમાં પણ જાય છે એટલે કે અમારા પેટમાં જાય છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.