મુસલમાન પહેલા હિંદુ જ હતા, 600 વર્ષ પહેલા કાશ્મીરી પંડિતોએ ઈસ્લામ અપનાવ્યો: ગુલામ નબી આઝાદ


  • Published By :
  • Published Date : 2023-08-17 16:08:03

કોંગ્રેસથી અલગ થઈને અલગ પાર્ટી ડેમોક્રેટિક આઝાદ પાર્ટી (DPAP) બનાવનારા જમ્મુ-કાશ્મિરના પૂર્વ સીએમ ગુલામ નબી આઝાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આઝાદ જમ્મુ-કાશ્મિરના લોકોથી કહીં રહ્યા હતાં કે "હિંદુ ધર્મ ઈસ્લામથી ઘણો જુનો છે, અને આપણે બધા પહેલા હિંદુ જ હતા, તેમણે કહ્યું કે ઇસ્લામ 1500 વર્ષ પહેલા આવ્યો હતો હતો અને 600 વર્ષ પહેલા બધા કાશ્મિરીઓ પંડિત હતા. તેમણે કહ્યું કે બધા હિંદુઓમાંથી જ કન્વર્ટ થયા છે."


કન્વર્ટ થઈને મુસલમાન બન્યા


ગુલામ નબી આઝાદનો આ વીડિયો જમ્મુ અને કાશ્મિરના ડોડા જિલ્લાનો છે, આઝાદ 9 ઓગસ્ટના રોજ અહીં ભાષણ આપવા પહોંચ્યા હતા, વીડિયોમાં આઝાદ કહીં રહ્યા છે, 'ઈસ્લામનો જન્મ 1500 પહેલા જ થયો હતો, ભારતમાં કોઈ જ બહારનું નથી. આપણે બધા આ જ દેશના છિએ. ભારતના મુસ્લિમો મૂળ રૂપથી હિંદુ હતા, જે બાદમાં કન્વર્ટ થઈ ગયા. તેઓ કન્વર્ટ થઈને મુસલમાન બની ગયા. તેમણે વધુમાં કહ્યું  કે કાશ્મિરમાં 600 વર્ષ પહેલા માત્ર કાશ્મિરી પંડિતો જ રહેતા હતા. પછી અનેક લોકો કન્વર્ટ થઈને મુસલમાન બની ગયા. આ દરમિયાવ આઝાદે ભાઈચારો, શાંતિ અને એકતા જાળવી રાખવાનો આગ્રહ કરતા કહ્યું કે 'ધર્મને રાજનિતી સાથે જોડવો જોઈએ નહીં, લોકોએ ધર્મ અને નામ પર મતદાન કરવું જોઈએ નહીં. 


કોઈ બહારથી નથી આવ્યું


ગુલામ નબી આઝાદે કહ્યું અમે બહારથી નથી આવ્યા, આ માટીમાંથી પેદા થયા છીએ, અને આજ માટીમાં મળી જઈશું, ભાજપના કોઈ નેતાએ કહ્યું કે કોઈ બહારથી આવ્યું છે, કોઈ અંદરથી આવ્યું છે, મેં તેમને કહ્યું કે કોઈ અંદર અને બહારથી નથી આવ્યું. હિંદુઓમાં અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે,  ત્યાર બાદ તેમને નદીમાં તર્પણ કરવામાં આવે છે, તે પાણી અલગ-અલગ જગ્યાએ જાય છે, ખેતરોમાં પણ જાય છે એટલે કે અમારા પેટમાં જાય છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.