ખાલિસ્તાની આતંકવાદી પન્નુ વિરૂધ્ધ NIAનો સપાટો, પંજાબમાં આવેલી મિલકતો જપ્ત


  • Published By :
  • Published Date : 2023-09-24 12:51:24

ભારત અને કેનેડા વચ્ચેના તણાવ વચ્ચે NIAએ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. NIAએ પન્નુની ચંદીગઢ અને અમૃતસરમાં આવેલી પ્રોપર્ટીને ગેરકાયદેસર ગતિવિધિઓ (નિવારણ) અધિનિયમ હેઠળ જપ્ત કરી છે. NIAની આ કાર્યવાહીથી તે ચોંકી ગયો છે. ફરી એકવાર તેણે ભારત વિરુદ્ધ નિવેદનો આપવાનું શરૂ કર્યું છે. પન્નુએ કહ્યું કે તેમની મિલકતો જપ્ત કરીને તેમને ચૂપ કરી શકાશે નહીં. પન્નુનો દાવો છે કે તેની સામે ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા છે.


જપ્તીની નોટિસ લગાવવામાં આવી


ચંદીગઢના સેક્ટર 15માં મિલકતની જપ્તી સંબંધિત નોટિસ ચોંટાડવામાં આવી હતી. આવી જ બીજી નોટિસ પન્નુની તેમના વતન ખાનકોટમાં ખેતીની જમીન પર લગાવવામાં આવી હતી. આને ખાલિસ્તાન તરફી આતંકવાદીઓ સામેની મોટી કાર્યવાહી માનવામાં આવે છે. આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે કેનેડાએ આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. કેનેડાના પીએમએ કહ્યું કે નિજ્જરની હત્યામાં ભારતીય ગુપ્તચર એજન્સીઓનો હાથ હતો. ભારતે આ વાતને નકારી કાઢી છે.


પન્નુ આતંકવાદીઓની ભરતી કરે છે


નિજ્જરના મૃત્યુ પછી ગુસ્સે ભરાયેલા પન્નુએ તાજેતરમાં હિન્દુઓ અને ભારતીયોને ધમકી આપી હતી.તેણે NIAની કાર્યવાહીને ભારત સરકારની નિરાશા ગણાવી હતી. તેણે કહ્યું, 'ભારત સાથેના સંઘર્ષમાં કોઈ પણ વ્યક્તિની સંપત્તિનો મુદ્દો મહત્વનો નથી. અમે ખાલિસ્તાન બનાવીશું. વર્ષ 2020માં ગૃહ મંત્રાલયે પન્નુને આતંકવાદી જાહેર કર્યો હતો. પન્નુ ભારત વિરુદ્ધ આતંકવાદમાં યુવાનોની ભરતી કરી રહ્યો છે. પન્નુ હરદીપ સિંહ નિજ્જર સાથે મળીને કામ કરતો હતો.


પન્નુએ ધમકી આપી હતી


કેનેડાએ જ્યારે ભારત સાથે રાજદ્વારી વિવાદ શરૂ કર્યો ત્યારે પન્નુએ પણ હિંમત ખુલી છે. આ દરમિયાન તેણે કેનેડામાં રહેતા હિન્દુઓને દેશ છોડી જવાની ધમકી આપી હતી. એક વીડિયોમાં તેણે કહ્યું, 'ઇન્ડો-કેનેડિયન હિંદુઓ, તમે કેનેડા અને કેનેડિયન બંધારણ પ્રત્યેની તમારી નિષ્ઠાનો ઇનકાર કર્યો છે. તમારી મંજીલ ભારત છે, તમે કેનેડા છોડીને ભારત જાવ.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.