ખાલિસ્તાની આતંકવાદી પન્નુ વિરૂધ્ધ NIAનો સપાટો, પંજાબમાં આવેલી મિલકતો જપ્ત


  • Published By :
  • Published Date : 2023-09-24 12:51:24

ભારત અને કેનેડા વચ્ચેના તણાવ વચ્ચે NIAએ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. NIAએ પન્નુની ચંદીગઢ અને અમૃતસરમાં આવેલી પ્રોપર્ટીને ગેરકાયદેસર ગતિવિધિઓ (નિવારણ) અધિનિયમ હેઠળ જપ્ત કરી છે. NIAની આ કાર્યવાહીથી તે ચોંકી ગયો છે. ફરી એકવાર તેણે ભારત વિરુદ્ધ નિવેદનો આપવાનું શરૂ કર્યું છે. પન્નુએ કહ્યું કે તેમની મિલકતો જપ્ત કરીને તેમને ચૂપ કરી શકાશે નહીં. પન્નુનો દાવો છે કે તેની સામે ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા છે.


જપ્તીની નોટિસ લગાવવામાં આવી


ચંદીગઢના સેક્ટર 15માં મિલકતની જપ્તી સંબંધિત નોટિસ ચોંટાડવામાં આવી હતી. આવી જ બીજી નોટિસ પન્નુની તેમના વતન ખાનકોટમાં ખેતીની જમીન પર લગાવવામાં આવી હતી. આને ખાલિસ્તાન તરફી આતંકવાદીઓ સામેની મોટી કાર્યવાહી માનવામાં આવે છે. આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે કેનેડાએ આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. કેનેડાના પીએમએ કહ્યું કે નિજ્જરની હત્યામાં ભારતીય ગુપ્તચર એજન્સીઓનો હાથ હતો. ભારતે આ વાતને નકારી કાઢી છે.


પન્નુ આતંકવાદીઓની ભરતી કરે છે


નિજ્જરના મૃત્યુ પછી ગુસ્સે ભરાયેલા પન્નુએ તાજેતરમાં હિન્દુઓ અને ભારતીયોને ધમકી આપી હતી.તેણે NIAની કાર્યવાહીને ભારત સરકારની નિરાશા ગણાવી હતી. તેણે કહ્યું, 'ભારત સાથેના સંઘર્ષમાં કોઈ પણ વ્યક્તિની સંપત્તિનો મુદ્દો મહત્વનો નથી. અમે ખાલિસ્તાન બનાવીશું. વર્ષ 2020માં ગૃહ મંત્રાલયે પન્નુને આતંકવાદી જાહેર કર્યો હતો. પન્નુ ભારત વિરુદ્ધ આતંકવાદમાં યુવાનોની ભરતી કરી રહ્યો છે. પન્નુ હરદીપ સિંહ નિજ્જર સાથે મળીને કામ કરતો હતો.


પન્નુએ ધમકી આપી હતી


કેનેડાએ જ્યારે ભારત સાથે રાજદ્વારી વિવાદ શરૂ કર્યો ત્યારે પન્નુએ પણ હિંમત ખુલી છે. આ દરમિયાન તેણે કેનેડામાં રહેતા હિન્દુઓને દેશ છોડી જવાની ધમકી આપી હતી. એક વીડિયોમાં તેણે કહ્યું, 'ઇન્ડો-કેનેડિયન હિંદુઓ, તમે કેનેડા અને કેનેડિયન બંધારણ પ્રત્યેની તમારી નિષ્ઠાનો ઇનકાર કર્યો છે. તમારી મંજીલ ભારત છે, તમે કેનેડા છોડીને ભારત જાવ.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.