ખાલિસ્તાની આતંકવાદી પન્નુ વિરૂધ્ધ NIAનો સપાટો, પંજાબમાં આવેલી મિલકતો જપ્ત


  • Published By :
  • Published Date : 2023-09-24 12:51:24

ભારત અને કેનેડા વચ્ચેના તણાવ વચ્ચે NIAએ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. NIAએ પન્નુની ચંદીગઢ અને અમૃતસરમાં આવેલી પ્રોપર્ટીને ગેરકાયદેસર ગતિવિધિઓ (નિવારણ) અધિનિયમ હેઠળ જપ્ત કરી છે. NIAની આ કાર્યવાહીથી તે ચોંકી ગયો છે. ફરી એકવાર તેણે ભારત વિરુદ્ધ નિવેદનો આપવાનું શરૂ કર્યું છે. પન્નુએ કહ્યું કે તેમની મિલકતો જપ્ત કરીને તેમને ચૂપ કરી શકાશે નહીં. પન્નુનો દાવો છે કે તેની સામે ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા છે.


જપ્તીની નોટિસ લગાવવામાં આવી


ચંદીગઢના સેક્ટર 15માં મિલકતની જપ્તી સંબંધિત નોટિસ ચોંટાડવામાં આવી હતી. આવી જ બીજી નોટિસ પન્નુની તેમના વતન ખાનકોટમાં ખેતીની જમીન પર લગાવવામાં આવી હતી. આને ખાલિસ્તાન તરફી આતંકવાદીઓ સામેની મોટી કાર્યવાહી માનવામાં આવે છે. આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે કેનેડાએ આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. કેનેડાના પીએમએ કહ્યું કે નિજ્જરની હત્યામાં ભારતીય ગુપ્તચર એજન્સીઓનો હાથ હતો. ભારતે આ વાતને નકારી કાઢી છે.


પન્નુ આતંકવાદીઓની ભરતી કરે છે


નિજ્જરના મૃત્યુ પછી ગુસ્સે ભરાયેલા પન્નુએ તાજેતરમાં હિન્દુઓ અને ભારતીયોને ધમકી આપી હતી.તેણે NIAની કાર્યવાહીને ભારત સરકારની નિરાશા ગણાવી હતી. તેણે કહ્યું, 'ભારત સાથેના સંઘર્ષમાં કોઈ પણ વ્યક્તિની સંપત્તિનો મુદ્દો મહત્વનો નથી. અમે ખાલિસ્તાન બનાવીશું. વર્ષ 2020માં ગૃહ મંત્રાલયે પન્નુને આતંકવાદી જાહેર કર્યો હતો. પન્નુ ભારત વિરુદ્ધ આતંકવાદમાં યુવાનોની ભરતી કરી રહ્યો છે. પન્નુ હરદીપ સિંહ નિજ્જર સાથે મળીને કામ કરતો હતો.


પન્નુએ ધમકી આપી હતી


કેનેડાએ જ્યારે ભારત સાથે રાજદ્વારી વિવાદ શરૂ કર્યો ત્યારે પન્નુએ પણ હિંમત ખુલી છે. આ દરમિયાન તેણે કેનેડામાં રહેતા હિન્દુઓને દેશ છોડી જવાની ધમકી આપી હતી. એક વીડિયોમાં તેણે કહ્યું, 'ઇન્ડો-કેનેડિયન હિંદુઓ, તમે કેનેડા અને કેનેડિયન બંધારણ પ્રત્યેની તમારી નિષ્ઠાનો ઇનકાર કર્યો છે. તમારી મંજીલ ભારત છે, તમે કેનેડા છોડીને ભારત જાવ.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .