વ્યાસ જયંતિના દિવસે ઉજવાય છે ગુરુ પૂર્ણિમા, જાણો કેમ આ દિવસે જ ગવાય છે ગુરૂના ગુણગાન?


  • Published By :
  • Published Date : 2023-07-03 17:02:37

અષાઢ મહિનાની પૂનમને ગુરૂ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. શિષ્યના જીવનમાં જેટલું મહત્વ તેના માતા પિતાનું હોય છે તેટલું જ મહત્વ ગુરૂનું પણ હોય છે. ગુરૂના શબ્દનો અર્થ સમજીએ તો ગુનો અર્થ થાય છે અંધાર અને રૂનો અર્થ થાય છે હટાવવા વાળા. એટલે ગુરૂ શબ્દનો અર્થ થાય છે જે અંધકારને દૂર કરે છે તેને ગુરૂ કહેવાય છે. ગુરૂપૂર્ણિમા એટલે ગુરુના ગુણગાણ ગવવાનો દિવસ, તેમનો ઋણ સ્વીકાર કરવાનો દિવસ. આપણા શાસ્ત્રોમાં ગુરૂને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગુરૂ વગર જ્ઞાન મેળવવું અશક્ય છે. પ્રભુ પ્રાપ્તિનો માર્ગ ગુરૂ બતાવે છે. એવું કહેવામાં આવ્યું છે કે ગુરૂ વિના જ્ઞાન નહીં. સાચુ પણ છે માતા જન્મ આપે છે પરંતુ વ્યક્તિના ઘડતરમાં ગુરૂ મહત્વનું સ્થાન ભજવે છે. બાળકને સાક્ષરતા ગુરૂથી પ્રાપ્ત થાય છે. 


આજની પૂનમે વ્યાસ પૂનમ પણ કેહવાય છે 

હિંદુ ધર્મમાં દરેક તિથિનું અલગ મહત્વ રહેલું છે. અનેક તિથિઓ પર વિશેષ તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે. દર વર્ષે હિંદુ કેલેન્ડર પ્રમાણે અષાઢી પૂનમના દિવસે વ્યાસ પૂર્ણિમા જેને આપણે ગુરૂ પૂર્ણિમા તરીકે પણ ઓળખીયે છીએ.ધાર્મિક ગ્રંથોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે આ દિવસે વ્યાસજીનો જન્મ થયો હતો. વ્યાસજીને ભગવાન વિષ્ણુનો અવતાર પણ કહેવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે વેદવ્યાસે આજના દિવસે બ્રહ્મસૂત્રની રચના કરી હતી. તેમણે જ મહાભારત, 18 પુરાણો અને 18 ઉપ પુરાણોની રચના કરી હતી. એટલે અષાઢ મહિનાની પૂર્ણિમાએ ગુરુ તરીકે તેમની પૂજા કરવામાં આવે છે. 



અનેક લોકો આ દિવસે કરે છે માતા પિતાની પૂજા   

ગુરૂપૂર્ણિમાની ઉજવણી ધામધૂમથી સમગ્ર દેશમાં કરવામાં આવતી હોય છે. પહેલાના સમયમાં શિષ્યો ગુરૂના આશ્રમમાં રહી અભ્યાસ કરતા હતા. આજના દિવસે પણ અનેક લોકો પોતાના ગુરૂને મળવા જતા હોય છે. ગૂરૂના શરણે શિશ નમાવી આશીર્વાદ લેતા હોય છે. અનેક લોકો એવું પણ માને છે કે જો ગુરૂના આશીર્વાદ મળી જાય તો બેડો પાર થઈ જાય. આ દિવસે અનેક લોકો પોતાના માતા પિતાની પૂજા પણ કરતા હોય છે. ત્યારે જમાવટ તરફથી તમામ દર્શકોને ગુરૂપૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ.  


(નોંધ - અહીંયા આપેલી માહિતી માન્યતાઓ પર આધારિત છે)



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.