વ્યાસ જયંતિના દિવસે ઉજવાય છે ગુરુ પૂર્ણિમા, જાણો કેમ આ દિવસે જ ગવાય છે ગુરૂના ગુણગાન?


  • Published By :
  • Published Date : 2023-07-03 17:02:37

અષાઢ મહિનાની પૂનમને ગુરૂ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. શિષ્યના જીવનમાં જેટલું મહત્વ તેના માતા પિતાનું હોય છે તેટલું જ મહત્વ ગુરૂનું પણ હોય છે. ગુરૂના શબ્દનો અર્થ સમજીએ તો ગુનો અર્થ થાય છે અંધાર અને રૂનો અર્થ થાય છે હટાવવા વાળા. એટલે ગુરૂ શબ્દનો અર્થ થાય છે જે અંધકારને દૂર કરે છે તેને ગુરૂ કહેવાય છે. ગુરૂપૂર્ણિમા એટલે ગુરુના ગુણગાણ ગવવાનો દિવસ, તેમનો ઋણ સ્વીકાર કરવાનો દિવસ. આપણા શાસ્ત્રોમાં ગુરૂને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગુરૂ વગર જ્ઞાન મેળવવું અશક્ય છે. પ્રભુ પ્રાપ્તિનો માર્ગ ગુરૂ બતાવે છે. એવું કહેવામાં આવ્યું છે કે ગુરૂ વિના જ્ઞાન નહીં. સાચુ પણ છે માતા જન્મ આપે છે પરંતુ વ્યક્તિના ઘડતરમાં ગુરૂ મહત્વનું સ્થાન ભજવે છે. બાળકને સાક્ષરતા ગુરૂથી પ્રાપ્ત થાય છે. 


આજની પૂનમે વ્યાસ પૂનમ પણ કેહવાય છે 

હિંદુ ધર્મમાં દરેક તિથિનું અલગ મહત્વ રહેલું છે. અનેક તિથિઓ પર વિશેષ તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે. દર વર્ષે હિંદુ કેલેન્ડર પ્રમાણે અષાઢી પૂનમના દિવસે વ્યાસ પૂર્ણિમા જેને આપણે ગુરૂ પૂર્ણિમા તરીકે પણ ઓળખીયે છીએ.ધાર્મિક ગ્રંથોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે આ દિવસે વ્યાસજીનો જન્મ થયો હતો. વ્યાસજીને ભગવાન વિષ્ણુનો અવતાર પણ કહેવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે વેદવ્યાસે આજના દિવસે બ્રહ્મસૂત્રની રચના કરી હતી. તેમણે જ મહાભારત, 18 પુરાણો અને 18 ઉપ પુરાણોની રચના કરી હતી. એટલે અષાઢ મહિનાની પૂર્ણિમાએ ગુરુ તરીકે તેમની પૂજા કરવામાં આવે છે. 



અનેક લોકો આ દિવસે કરે છે માતા પિતાની પૂજા   

ગુરૂપૂર્ણિમાની ઉજવણી ધામધૂમથી સમગ્ર દેશમાં કરવામાં આવતી હોય છે. પહેલાના સમયમાં શિષ્યો ગુરૂના આશ્રમમાં રહી અભ્યાસ કરતા હતા. આજના દિવસે પણ અનેક લોકો પોતાના ગુરૂને મળવા જતા હોય છે. ગૂરૂના શરણે શિશ નમાવી આશીર્વાદ લેતા હોય છે. અનેક લોકો એવું પણ માને છે કે જો ગુરૂના આશીર્વાદ મળી જાય તો બેડો પાર થઈ જાય. આ દિવસે અનેક લોકો પોતાના માતા પિતાની પૂજા પણ કરતા હોય છે. ત્યારે જમાવટ તરફથી તમામ દર્શકોને ગુરૂપૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ.  


(નોંધ - અહીંયા આપેલી માહિતી માન્યતાઓ પર આધારિત છે)



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.