જ્ઞાન સહાયકો મુદ્દે ભાજપના 156 ધારાસભ્યોમાંથી એક માત્ર આ MLAએ અવાજ ઉઠાવ્યો, શિક્ષણમંત્રીને લખ્યો પત્ર


  • Published By :
  • Published Date : 2023-09-10 19:40:53

રાજ્યમાં ઘણા દિવસોથી ટેટ-ટાટના ઉમેદવારો ઠેર-ઠેર ફરી આવેદનો આપી રહ્યા હતા, ચિઠ્ઠી લખી, તેમની માંગણી માટેનો અવાજ ઉઠાવી રહ્યા હતા તે અવાજમાં અમુક નેતાઓની સાથે વધુ એક નેતાનો અવાજ સામેલ થયો છે, અને આ મહત્વની બાબત એટલે છે કે આ નેતા શાસક પક્ષના છે, જયારે ભાજપના પ્રવક્તાઓ આ વિષય પર ચાલુ ડિબેટ છોડી જતા રહે છે ત્યારે અમરાઈવાડી વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવેલા ભાજપના ધારાસભ્ય હસમુખ પટેલે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પત્ર લખ્યો છે.



ધારાસભ્ય હસમુખ પટેલે પત્રમાં શું લખ્યું?


ભાજપના 156 ધારાસભ્યોમાંથી એક નેતાજી લાગ્યું કે ટેટ-ટાટના ઉમેદવારોની માંગ સાચી છે અને તેમણે રાજ્યના શિક્ષણમંત્રીને પત્ર લખ્યો અને કહ્યું કે આ યોજના ગુજરાતના બાળકો અને ટેટ-ટાટના ઉમેદવારોના હિતમાં નથી- અમદાવાદ -અમરાઈવાડી- વિધાનસભા નં-50માં ધારાસભ્ય ડૉ. હસમુખ પટેલે 9 સપ્ટેમ્બરે મંત્રીજી કુબેર ડીંડોરને પત્ર લખ્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે 'જયભારત સાથે જણાવવાનું કે, TET-TAT પાસ થયેલ ઉમેદવારોની રજૂઆત મુજબ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ,૨૦૨૦' અને 'મિશન સ્કુલ્સ ઓફ એકસેલેન્સ' ના લક્ષ્યો મુજબ ગુણવત્તા યુક્ત શિક્ષણના હેતુ માટે ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં 'જ્ઞાન સહાયક યોજના' બહાર પાડવામાં આવેલ છે. જેમાં જ્ઞાન સહાયકોને મુજબ 11 માસના કરાર આધારિત શાળામાં નિમણૂંક આપવામાં આવશે. જે ગુજરાતના બાળકો તથા TET-TAT પાસ ઉમેદવારોના હિતમાં નથી. જો જ્ઞાન સહાયકોની યોજના અમલમાં આવશે તો છેલ્લા ઘણા વર્ષોથી આ પરીક્ષા તેમજ આ નોકરીને પોતાનું અંતિમ લક્ષ્ય માનીને મેહનત કરતા ભાવી શિક્ષકોનું ભવિષ્ય અંધકારમય બનવાની પુરેપુરી શક્યતાઓ રહેલી છે. ઉપરોક્ત વિષયને ગંભીરતા જણાઈ અને ગુજરાતના બાળકોના શિક્ષણના હિતમાં અને TET-TAT પાસ ઉમેદવારોના પરિવારમાં કાયમી રોજગારી માટે સરકારશ્રી દ્વારા જ્ઞાન સહાયક તથા અન્ય કરાર આધારિત શિક્ષકોની જગ્યાએ કાયમી વિદ્યા સહાયક, સરકારી શિક્ષકોની ભરતી કરવા આપ સાહેબશ્રી TET- TAT પાસ થયેલ ઉમેદવારોને ન્યાય મળે તે હેતુથી આપશ્રીને મારી ભલામણ છે. તો આ અંગે યોગ્ય ઘટતું કરવા વિનંતી.' 

 

NSUI નેતાનું MLAને આંદોલનમાં જોડાવા આમંત્રણ  


ધારાસભ્યના આ પત્ર પર વિદ્યાર્થી સંગઠન NSUIએ આકરા પ્રહાર કર્યા છે. NSUIના વિદ્યાર્થી નેતા તોષિત મકવાણાએ જણાવ્યું હતું કે, અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલ માત્ર શિક્ષકોને લોલીપોપ આપવા માટે સોશિયલ મીડિયા મારફતે પત્ર લખે છે. ધારાસભ્ય ખરેખર ઉમેદવારોનું હિત ઈચ્છતા હોય તો ગાંધીનગર ચાલી રહેલ આંદોલનમાં જોડાઈ. વિદ્યાર્થીઓ તથા સંગઠન સાથે આંદોલન કરે. આંદોલનમાં જોડાય તો જ સાચા સેવક કહેવાય.


જ્ઞાન સહાયક યોજના શું છે?


ગુજરાત સરકાર દ્વારા જ્ઞાન સહાયકની 11 માસના કરાર આધારિત 26,500 રૂપિયાના પગારે ભરતી કરવામાં આવી રહી છે. જેને પગલે TET-TAT પાસ વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો હોવાની બૂમરાણ ઉઠી છે. આ જ્ઞાન સહાયક યોજનાથી વર્ષોથી મહેનત કરતાં TET-TAT પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોનું સરકારી શિક્ષક બનવાનું સપનું રોળાઈ રહ્યું છે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.