જ્ઞાન સહાયકો મુદ્દે ભાજપના 156 ધારાસભ્યોમાંથી એક માત્ર આ MLAએ અવાજ ઉઠાવ્યો, શિક્ષણમંત્રીને લખ્યો પત્ર


  • Published By :
  • Published Date : 2023-09-10 19:40:53

રાજ્યમાં ઘણા દિવસોથી ટેટ-ટાટના ઉમેદવારો ઠેર-ઠેર ફરી આવેદનો આપી રહ્યા હતા, ચિઠ્ઠી લખી, તેમની માંગણી માટેનો અવાજ ઉઠાવી રહ્યા હતા તે અવાજમાં અમુક નેતાઓની સાથે વધુ એક નેતાનો અવાજ સામેલ થયો છે, અને આ મહત્વની બાબત એટલે છે કે આ નેતા શાસક પક્ષના છે, જયારે ભાજપના પ્રવક્તાઓ આ વિષય પર ચાલુ ડિબેટ છોડી જતા રહે છે ત્યારે અમરાઈવાડી વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવેલા ભાજપના ધારાસભ્ય હસમુખ પટેલે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પત્ર લખ્યો છે.



ધારાસભ્ય હસમુખ પટેલે પત્રમાં શું લખ્યું?


ભાજપના 156 ધારાસભ્યોમાંથી એક નેતાજી લાગ્યું કે ટેટ-ટાટના ઉમેદવારોની માંગ સાચી છે અને તેમણે રાજ્યના શિક્ષણમંત્રીને પત્ર લખ્યો અને કહ્યું કે આ યોજના ગુજરાતના બાળકો અને ટેટ-ટાટના ઉમેદવારોના હિતમાં નથી- અમદાવાદ -અમરાઈવાડી- વિધાનસભા નં-50માં ધારાસભ્ય ડૉ. હસમુખ પટેલે 9 સપ્ટેમ્બરે મંત્રીજી કુબેર ડીંડોરને પત્ર લખ્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે 'જયભારત સાથે જણાવવાનું કે, TET-TAT પાસ થયેલ ઉમેદવારોની રજૂઆત મુજબ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ,૨૦૨૦' અને 'મિશન સ્કુલ્સ ઓફ એકસેલેન્સ' ના લક્ષ્યો મુજબ ગુણવત્તા યુક્ત શિક્ષણના હેતુ માટે ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં 'જ્ઞાન સહાયક યોજના' બહાર પાડવામાં આવેલ છે. જેમાં જ્ઞાન સહાયકોને મુજબ 11 માસના કરાર આધારિત શાળામાં નિમણૂંક આપવામાં આવશે. જે ગુજરાતના બાળકો તથા TET-TAT પાસ ઉમેદવારોના હિતમાં નથી. જો જ્ઞાન સહાયકોની યોજના અમલમાં આવશે તો છેલ્લા ઘણા વર્ષોથી આ પરીક્ષા તેમજ આ નોકરીને પોતાનું અંતિમ લક્ષ્ય માનીને મેહનત કરતા ભાવી શિક્ષકોનું ભવિષ્ય અંધકારમય બનવાની પુરેપુરી શક્યતાઓ રહેલી છે. ઉપરોક્ત વિષયને ગંભીરતા જણાઈ અને ગુજરાતના બાળકોના શિક્ષણના હિતમાં અને TET-TAT પાસ ઉમેદવારોના પરિવારમાં કાયમી રોજગારી માટે સરકારશ્રી દ્વારા જ્ઞાન સહાયક તથા અન્ય કરાર આધારિત શિક્ષકોની જગ્યાએ કાયમી વિદ્યા સહાયક, સરકારી શિક્ષકોની ભરતી કરવા આપ સાહેબશ્રી TET- TAT પાસ થયેલ ઉમેદવારોને ન્યાય મળે તે હેતુથી આપશ્રીને મારી ભલામણ છે. તો આ અંગે યોગ્ય ઘટતું કરવા વિનંતી.' 

 

NSUI નેતાનું MLAને આંદોલનમાં જોડાવા આમંત્રણ  


ધારાસભ્યના આ પત્ર પર વિદ્યાર્થી સંગઠન NSUIએ આકરા પ્રહાર કર્યા છે. NSUIના વિદ્યાર્થી નેતા તોષિત મકવાણાએ જણાવ્યું હતું કે, અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલ માત્ર શિક્ષકોને લોલીપોપ આપવા માટે સોશિયલ મીડિયા મારફતે પત્ર લખે છે. ધારાસભ્ય ખરેખર ઉમેદવારોનું હિત ઈચ્છતા હોય તો ગાંધીનગર ચાલી રહેલ આંદોલનમાં જોડાઈ. વિદ્યાર્થીઓ તથા સંગઠન સાથે આંદોલન કરે. આંદોલનમાં જોડાય તો જ સાચા સેવક કહેવાય.


જ્ઞાન સહાયક યોજના શું છે?


ગુજરાત સરકાર દ્વારા જ્ઞાન સહાયકની 11 માસના કરાર આધારિત 26,500 રૂપિયાના પગારે ભરતી કરવામાં આવી રહી છે. જેને પગલે TET-TAT પાસ વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો હોવાની બૂમરાણ ઉઠી છે. આ જ્ઞાન સહાયક યોજનાથી વર્ષોથી મહેનત કરતાં TET-TAT પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોનું સરકારી શિક્ષક બનવાનું સપનું રોળાઈ રહ્યું છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.