જ્ઞાન સહાયકો મુદ્દે ભાજપના 156 ધારાસભ્યોમાંથી એક માત્ર આ MLAએ અવાજ ઉઠાવ્યો, શિક્ષણમંત્રીને લખ્યો પત્ર


  • Published By :
  • Published Date : 2023-09-10 19:40:53

રાજ્યમાં ઘણા દિવસોથી ટેટ-ટાટના ઉમેદવારો ઠેર-ઠેર ફરી આવેદનો આપી રહ્યા હતા, ચિઠ્ઠી લખી, તેમની માંગણી માટેનો અવાજ ઉઠાવી રહ્યા હતા તે અવાજમાં અમુક નેતાઓની સાથે વધુ એક નેતાનો અવાજ સામેલ થયો છે, અને આ મહત્વની બાબત એટલે છે કે આ નેતા શાસક પક્ષના છે, જયારે ભાજપના પ્રવક્તાઓ આ વિષય પર ચાલુ ડિબેટ છોડી જતા રહે છે ત્યારે અમરાઈવાડી વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવેલા ભાજપના ધારાસભ્ય હસમુખ પટેલે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પત્ર લખ્યો છે.



ધારાસભ્ય હસમુખ પટેલે પત્રમાં શું લખ્યું?


ભાજપના 156 ધારાસભ્યોમાંથી એક નેતાજી લાગ્યું કે ટેટ-ટાટના ઉમેદવારોની માંગ સાચી છે અને તેમણે રાજ્યના શિક્ષણમંત્રીને પત્ર લખ્યો અને કહ્યું કે આ યોજના ગુજરાતના બાળકો અને ટેટ-ટાટના ઉમેદવારોના હિતમાં નથી- અમદાવાદ -અમરાઈવાડી- વિધાનસભા નં-50માં ધારાસભ્ય ડૉ. હસમુખ પટેલે 9 સપ્ટેમ્બરે મંત્રીજી કુબેર ડીંડોરને પત્ર લખ્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે 'જયભારત સાથે જણાવવાનું કે, TET-TAT પાસ થયેલ ઉમેદવારોની રજૂઆત મુજબ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ,૨૦૨૦' અને 'મિશન સ્કુલ્સ ઓફ એકસેલેન્સ' ના લક્ષ્યો મુજબ ગુણવત્તા યુક્ત શિક્ષણના હેતુ માટે ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં 'જ્ઞાન સહાયક યોજના' બહાર પાડવામાં આવેલ છે. જેમાં જ્ઞાન સહાયકોને મુજબ 11 માસના કરાર આધારિત શાળામાં નિમણૂંક આપવામાં આવશે. જે ગુજરાતના બાળકો તથા TET-TAT પાસ ઉમેદવારોના હિતમાં નથી. જો જ્ઞાન સહાયકોની યોજના અમલમાં આવશે તો છેલ્લા ઘણા વર્ષોથી આ પરીક્ષા તેમજ આ નોકરીને પોતાનું અંતિમ લક્ષ્ય માનીને મેહનત કરતા ભાવી શિક્ષકોનું ભવિષ્ય અંધકારમય બનવાની પુરેપુરી શક્યતાઓ રહેલી છે. ઉપરોક્ત વિષયને ગંભીરતા જણાઈ અને ગુજરાતના બાળકોના શિક્ષણના હિતમાં અને TET-TAT પાસ ઉમેદવારોના પરિવારમાં કાયમી રોજગારી માટે સરકારશ્રી દ્વારા જ્ઞાન સહાયક તથા અન્ય કરાર આધારિત શિક્ષકોની જગ્યાએ કાયમી વિદ્યા સહાયક, સરકારી શિક્ષકોની ભરતી કરવા આપ સાહેબશ્રી TET- TAT પાસ થયેલ ઉમેદવારોને ન્યાય મળે તે હેતુથી આપશ્રીને મારી ભલામણ છે. તો આ અંગે યોગ્ય ઘટતું કરવા વિનંતી.' 

 

NSUI નેતાનું MLAને આંદોલનમાં જોડાવા આમંત્રણ  


ધારાસભ્યના આ પત્ર પર વિદ્યાર્થી સંગઠન NSUIએ આકરા પ્રહાર કર્યા છે. NSUIના વિદ્યાર્થી નેતા તોષિત મકવાણાએ જણાવ્યું હતું કે, અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલ માત્ર શિક્ષકોને લોલીપોપ આપવા માટે સોશિયલ મીડિયા મારફતે પત્ર લખે છે. ધારાસભ્ય ખરેખર ઉમેદવારોનું હિત ઈચ્છતા હોય તો ગાંધીનગર ચાલી રહેલ આંદોલનમાં જોડાઈ. વિદ્યાર્થીઓ તથા સંગઠન સાથે આંદોલન કરે. આંદોલનમાં જોડાય તો જ સાચા સેવક કહેવાય.


જ્ઞાન સહાયક યોજના શું છે?


ગુજરાત સરકાર દ્વારા જ્ઞાન સહાયકની 11 માસના કરાર આધારિત 26,500 રૂપિયાના પગારે ભરતી કરવામાં આવી રહી છે. જેને પગલે TET-TAT પાસ વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો હોવાની બૂમરાણ ઉઠી છે. આ જ્ઞાન સહાયક યોજનાથી વર્ષોથી મહેનત કરતાં TET-TAT પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોનું સરકારી શિક્ષક બનવાનું સપનું રોળાઈ રહ્યું છે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.