Gyanvapi Case : વ્યાસજીના ભોંયરામાં હિન્દુઓ દ્વારા કરવામાં આવતી પૂજાનો અધિકાર યથાવત્ રહ્યો, અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી અરજી...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-26 11:11:39

જ્ઞાનવાપી કેસને લઈ આજે અલ્હાબાદ હાઈકોર્ટમાં સુનાવણી થવાની હતી પરંતુ સુનાવણી થાય તે પહેલા જ હાઈકોર્ટ દ્વારા મુસ્લિમ પક્ષોને મોટો ઝટકો આપી દેવામાં આવ્યો. કોર્ટે અરજીને જ ફગાવી દીધી હતી જેને લઈ વ્યાસજીના ભોંયરામાં હિન્દુઓને પૂજા કરવાનો અધિકાર યથાવત્ રાખ્યો છે. હાઈકોર્ટ દ્વારા અરજી ફગાવી દેવાતા હવે મુસ્લિમ પક્ષ આને લઈ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવી શકે છે તેવી સંભાવનાઓ છે.   

હાઈકોર્ટે ફગાવી દીધી મુસ્લિમ પક્ષની અરજી!

મુસ્લિમ પક્ષને અલ્હાબાદ હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. જ્ઞાનવાપી સંકુલમાં વ્યાસજીના ભોંયરામાં હિન્દુઓને પૂજા કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ વાતને પડકારતી અરજી મુસ્લિમ પક્ષ દ્વારા કરવામાં આવી હતી.  અંજુમન વ્યવસ્થા મસ્જિદ સમિતિને જ્ઞાનવાપીમાં વ્યાસજીના ભોંયરામાં પૂજા શરૂ કરવા સામે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી. પરંતુ કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી છે. જેને કારણે વ્યાસજીના ભોંયરામાં હિન્દુઓને પૂજા કરવાનો અધિકાર યથાવત રહ્યો છે. વાસ્તવમાં, આ પૂજા કરવાનો આદેશ વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો, જેની સામે મુસ્લિમ પક્ષે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટે આ કેસની સુનાવણી કરતા મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી હતી. હાઇકોર્ટે વારાણસી જિલ્લા ન્યાયાધીશના 31 જાન્યુઆરીએ પૂજા શરૂ કરવાના આદેશને યોગ્ય ગણાવ્યો હતો.



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.