Gyanvapi Case : વ્યાસજીના ભોંયરામાં હિન્દુઓ દ્વારા કરવામાં આવતી પૂજાનો અધિકાર યથાવત્ રહ્યો, અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી અરજી...


  • Published By :
  • Published Date : 2024-02-26 11:11:39

જ્ઞાનવાપી કેસને લઈ આજે અલ્હાબાદ હાઈકોર્ટમાં સુનાવણી થવાની હતી પરંતુ સુનાવણી થાય તે પહેલા જ હાઈકોર્ટ દ્વારા મુસ્લિમ પક્ષોને મોટો ઝટકો આપી દેવામાં આવ્યો. કોર્ટે અરજીને જ ફગાવી દીધી હતી જેને લઈ વ્યાસજીના ભોંયરામાં હિન્દુઓને પૂજા કરવાનો અધિકાર યથાવત્ રાખ્યો છે. હાઈકોર્ટ દ્વારા અરજી ફગાવી દેવાતા હવે મુસ્લિમ પક્ષ આને લઈ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવી શકે છે તેવી સંભાવનાઓ છે.   

હાઈકોર્ટે ફગાવી દીધી મુસ્લિમ પક્ષની અરજી!

મુસ્લિમ પક્ષને અલ્હાબાદ હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. જ્ઞાનવાપી સંકુલમાં વ્યાસજીના ભોંયરામાં હિન્દુઓને પૂજા કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ વાતને પડકારતી અરજી મુસ્લિમ પક્ષ દ્વારા કરવામાં આવી હતી.  અંજુમન વ્યવસ્થા મસ્જિદ સમિતિને જ્ઞાનવાપીમાં વ્યાસજીના ભોંયરામાં પૂજા શરૂ કરવા સામે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી. પરંતુ કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી છે. જેને કારણે વ્યાસજીના ભોંયરામાં હિન્દુઓને પૂજા કરવાનો અધિકાર યથાવત રહ્યો છે. વાસ્તવમાં, આ પૂજા કરવાનો આદેશ વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો, જેની સામે મુસ્લિમ પક્ષે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટે આ કેસની સુનાવણી કરતા મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી હતી. હાઇકોર્ટે વારાણસી જિલ્લા ન્યાયાધીશના 31 જાન્યુઆરીએ પૂજા શરૂ કરવાના આદેશને યોગ્ય ગણાવ્યો હતો.



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .