Gyanvapi Case : વ્યાસજીના ભોંયરામાં હિન્દુઓ દ્વારા કરવામાં આવતી પૂજાનો અધિકાર યથાવત્ રહ્યો, અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી અરજી...


  • Published By :
  • Published Date : 2024-02-26 11:11:39

જ્ઞાનવાપી કેસને લઈ આજે અલ્હાબાદ હાઈકોર્ટમાં સુનાવણી થવાની હતી પરંતુ સુનાવણી થાય તે પહેલા જ હાઈકોર્ટ દ્વારા મુસ્લિમ પક્ષોને મોટો ઝટકો આપી દેવામાં આવ્યો. કોર્ટે અરજીને જ ફગાવી દીધી હતી જેને લઈ વ્યાસજીના ભોંયરામાં હિન્દુઓને પૂજા કરવાનો અધિકાર યથાવત્ રાખ્યો છે. હાઈકોર્ટ દ્વારા અરજી ફગાવી દેવાતા હવે મુસ્લિમ પક્ષ આને લઈ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવી શકે છે તેવી સંભાવનાઓ છે.   

હાઈકોર્ટે ફગાવી દીધી મુસ્લિમ પક્ષની અરજી!

મુસ્લિમ પક્ષને અલ્હાબાદ હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. જ્ઞાનવાપી સંકુલમાં વ્યાસજીના ભોંયરામાં હિન્દુઓને પૂજા કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ વાતને પડકારતી અરજી મુસ્લિમ પક્ષ દ્વારા કરવામાં આવી હતી.  અંજુમન વ્યવસ્થા મસ્જિદ સમિતિને જ્ઞાનવાપીમાં વ્યાસજીના ભોંયરામાં પૂજા શરૂ કરવા સામે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી. પરંતુ કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી છે. જેને કારણે વ્યાસજીના ભોંયરામાં હિન્દુઓને પૂજા કરવાનો અધિકાર યથાવત રહ્યો છે. વાસ્તવમાં, આ પૂજા કરવાનો આદેશ વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો, જેની સામે મુસ્લિમ પક્ષે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટે આ કેસની સુનાવણી કરતા મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી હતી. હાઇકોર્ટે વારાણસી જિલ્લા ન્યાયાધીશના 31 જાન્યુઆરીએ પૂજા શરૂ કરવાના આદેશને યોગ્ય ગણાવ્યો હતો.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.