જ્ઞાનવાપી વિવાદ પર કોર્ટે હિંદુ પક્ષની દલીલ સ્વીકારી, 22મીએ થશે સુનાવણી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 16:12:27

ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલી જ્ઞાનવાપી ખરેખર કોની છે? આ અંગે હિંદુઓ અને મુસ્લિમો પોત પોતાનો દાવો કરતા હતા. અંતે આ કેસ કોર્ટમાં ગયો આજે સોમવારે મસ્જિદ વિવાદમાં વારાણસી જિલ્લા કોર્ટેમાંથી ચુકાદો આવી ગયો છે. કોર્ટ તરફથી હિન્દુ પક્ષની અરજીનો સ્વિકાર કરવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું  કે આ કેસ સુનાવણી કરવા યોગ્ય છે. કોર્ટ દ્વારા  આગામી 22 સપ્ટેમ્બરે આ કેસની સુનાવણી શરૂ કરવામાં આવશે.


શું કહ્યું વારાણસી જિલ્લા કોર્ટે 


જિલ્લા જજ ડો. અજય કૃષ્ણ વિશ્વેશે ચુકાદો સંભળાવતા કહ્યું કે, આ કેસમાં અંજૂમન ઈંતજામિયા કમિટીની અરજી રદ કરવામા આવે છે. જજે કહ્યું કે, રૂલ 6/11 લાગૂ થશે, 7/11 લાગૂ નહીં થાય. તો વળી કોર્ટે માન્યું કે, જ્ઞાનવાપી પરિસરમાં પૂજા કરવાના અધિકારવાળી માગ 5 હિન્દુ મહિલાઓ દ્વારા દાખલ કરવાનો કેસ સુનાવણી યોગ્ય છે. સાથે જ હવે આ કેસની આગામી સુનાવણી 22 સપ્ટેમ્બરે થશે.



વારાણસીમાં કલમ 144 લાગુ કરાઈ


જ્ઞાનવાપી મસ્જીદ કેસની ગંભીરતાને જોતા વારાણસીમાં કલમ-144 લગાવવામાં આવી હતી. ઠેર-ઠેર પોલીસ તૈનાત કરવામાં આવી હતી. કોર્ટ પરિસરની સુરક્ષા અંગે પોલીસ તંત્ર ઘણુ સજાગ હતું. કોર્ટ પરિસરમાં કોઈ અરાજક્તા ન સર્જાય તે માટે બે હજારથી પણ વધુ પોલીસકર્મી ખડકી દેવામાં આવ્યા હતા. બીજી તરફ જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી વિવાદનો ચૂકાદો પોતાના પક્ષમાં આવે તે માટે હિંદુ પક્ષ દ્વારા અનેક મંદિરોમાં હનુમાન ચાલીસાનો પાઠ પણ કરવામાં આવ્યો હતો. 


જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી કેસ શું છે?


ઉત્તર પ્રદેશના વારાણસી સ્થિત જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં સ્થાપિત હિંદુ દેવી-દેવતાઓની પૂજા કરવાની મંજૂરી પાંચ હિંદુ મહિલાઓએ માંગી હતી. આ પાંચ અરજીકર્તાઓની આગેવાની દિલ્હીની રાખી સિંહ કરી રહી છે, બાકીની ચાર મહિલાઓ બનારસની સીતા સાહુ, મંજુ વ્યાસ, લક્ષ્મી દેવી અને રેખા પાઠક છે. કોર્ટના આદેશ પર મસ્જિદમાં સર્વે પણ કરવામાં આવ્યો હતો. સર્વે બાદ હિંદુ પક્ષે દાવો કર્યો હતો કે શિવલિંગ મસ્જિદના ભોંયરામાં છે, જ્યારે મુસ્લિમ પક્ષે તેને ફુવારો હોવાનું જણાવ્યું હતું. 26 એપ્રિલ 2022ના રોજ, વારાણસી સિવિલ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં શૃંગાર ગૌરી અને અન્ય દેવતાઓની ચકાસણી માટે વીડિયોગ્રાફી અને સર્વે કરવાનો આદેશ આપ્યો હતો.




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.