જ્ઞાનવાપી વિવાદ પર કોર્ટે હિંદુ પક્ષની દલીલ સ્વીકારી, 22મીએ થશે સુનાવણી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 16:12:27

ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલી જ્ઞાનવાપી ખરેખર કોની છે? આ અંગે હિંદુઓ અને મુસ્લિમો પોત પોતાનો દાવો કરતા હતા. અંતે આ કેસ કોર્ટમાં ગયો આજે સોમવારે મસ્જિદ વિવાદમાં વારાણસી જિલ્લા કોર્ટેમાંથી ચુકાદો આવી ગયો છે. કોર્ટ તરફથી હિન્દુ પક્ષની અરજીનો સ્વિકાર કરવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું  કે આ કેસ સુનાવણી કરવા યોગ્ય છે. કોર્ટ દ્વારા  આગામી 22 સપ્ટેમ્બરે આ કેસની સુનાવણી શરૂ કરવામાં આવશે.


શું કહ્યું વારાણસી જિલ્લા કોર્ટે 


જિલ્લા જજ ડો. અજય કૃષ્ણ વિશ્વેશે ચુકાદો સંભળાવતા કહ્યું કે, આ કેસમાં અંજૂમન ઈંતજામિયા કમિટીની અરજી રદ કરવામા આવે છે. જજે કહ્યું કે, રૂલ 6/11 લાગૂ થશે, 7/11 લાગૂ નહીં થાય. તો વળી કોર્ટે માન્યું કે, જ્ઞાનવાપી પરિસરમાં પૂજા કરવાના અધિકારવાળી માગ 5 હિન્દુ મહિલાઓ દ્વારા દાખલ કરવાનો કેસ સુનાવણી યોગ્ય છે. સાથે જ હવે આ કેસની આગામી સુનાવણી 22 સપ્ટેમ્બરે થશે.



વારાણસીમાં કલમ 144 લાગુ કરાઈ


જ્ઞાનવાપી મસ્જીદ કેસની ગંભીરતાને જોતા વારાણસીમાં કલમ-144 લગાવવામાં આવી હતી. ઠેર-ઠેર પોલીસ તૈનાત કરવામાં આવી હતી. કોર્ટ પરિસરની સુરક્ષા અંગે પોલીસ તંત્ર ઘણુ સજાગ હતું. કોર્ટ પરિસરમાં કોઈ અરાજક્તા ન સર્જાય તે માટે બે હજારથી પણ વધુ પોલીસકર્મી ખડકી દેવામાં આવ્યા હતા. બીજી તરફ જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી વિવાદનો ચૂકાદો પોતાના પક્ષમાં આવે તે માટે હિંદુ પક્ષ દ્વારા અનેક મંદિરોમાં હનુમાન ચાલીસાનો પાઠ પણ કરવામાં આવ્યો હતો. 


જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી કેસ શું છે?


ઉત્તર પ્રદેશના વારાણસી સ્થિત જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં સ્થાપિત હિંદુ દેવી-દેવતાઓની પૂજા કરવાની મંજૂરી પાંચ હિંદુ મહિલાઓએ માંગી હતી. આ પાંચ અરજીકર્તાઓની આગેવાની દિલ્હીની રાખી સિંહ કરી રહી છે, બાકીની ચાર મહિલાઓ બનારસની સીતા સાહુ, મંજુ વ્યાસ, લક્ષ્મી દેવી અને રેખા પાઠક છે. કોર્ટના આદેશ પર મસ્જિદમાં સર્વે પણ કરવામાં આવ્યો હતો. સર્વે બાદ હિંદુ પક્ષે દાવો કર્યો હતો કે શિવલિંગ મસ્જિદના ભોંયરામાં છે, જ્યારે મુસ્લિમ પક્ષે તેને ફુવારો હોવાનું જણાવ્યું હતું. 26 એપ્રિલ 2022ના રોજ, વારાણસી સિવિલ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં શૃંગાર ગૌરી અને અન્ય દેવતાઓની ચકાસણી માટે વીડિયોગ્રાફી અને સર્વે કરવાનો આદેશ આપ્યો હતો.




દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.