ગ્યાસુદ્દીન શેખે લખ્યો હતો ચંડાળ ચોકડી વાળો લેટર, રાજકારણ ગરમાયા બાદ કરી આ ટ્વિટ, જાણો શક્તિસિંહ ગોહિલ વિશે શું કહ્યું તેમણે?


  • Published By :
  • Published Date : 2023-06-24 17:01:34

કોંગ્રેસમાં ચાલતો આંતરિક વિખવાદ હંમેશા ચર્ચાનો વિષય બનતો હોય છે. નિષ્ણાંતોના માનવા અનુસાર નેતાઓ વચ્ચે ચાલતા ડખાની અસર કોંગ્રેસના સંગઠનમાં પડતી હોય છે. ત્યારે ગુજરાત કોંગ્રેસને મજબૂત કરવા હાઈ કમાન્ડે શક્તિસિંહ ગોહિલની નિમણૂંક ગુજરાત કોંગ્રેસ પ્રમુખ તરીકે કરી છે. શક્તિસિંહ ગોહિલ સેટ થાય તે પહેલા કોંગ્રેસના અગ્રણી નેતા માનવામાં આવતા ગ્યાસુદ્દીન શેખ તેમજ ઈમરાન ખેડાવાલાએ તેમને ચિઠ્ઠી લખી હતી. ચિઠ્ઠી લખીને તેમણે શહેરી વિસ્તારોમાં પક્ષને મજબૂત બનાવવા પ્રસ્થાપિત ચંડાળ ચોકડીઓથી મુક્ત બનાવવાની માગ કરી હતી. ગઈકાલે આ વાત ચર્ચાનો વિષય બની હતી ત્યારે આજે તેમની બીજી ટ્વિટ ચર્ચામાં છે. પોતાની ટ્વિટમાં તેમણે કહ્યું કે શક્તિસિંહ ગોહિલ સાથે આ મામલે બેઠક થઈ હતી અને અમે આ મુદ્દાને સમાપ્ત કરી રહ્યા છીએ.

         

ગઈકાલે નેતાએ લખ્યો હતો પત્ર

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ હતી. કોંગ્રેસના ફાળે માત્ર ગણતરીની સીટો આવી હતી. કોંગ્રેસમાં ચાલતા આંતરિક વિવાદ અનેક વખત આપણી સામે આવ્યો છે. ત્યારે કોંગ્રેસના બે વરિષ્ઠ નેતાએ શક્તિસિંહ ગોહિલને પત્ર લખી વિનંતી કરી હતી. ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાના આ પત્રમાં શહેરી વિસ્તારોમાં પક્ષને મજબૂત બનાવવા પ્રસ્થાપિત ચંડાળ ચોકડીઓથી મુક્ત બનાવવાની માગ કરી છે.  આવા લોકો ઘણા વર્ષોથી શહેરોમાં કોંગ્રેસને સારું પરિણામ આપી શક્યા નથી. શહેરી વિસ્તારમાં આવા લોકોને હોદ્દા પરથી દૂર નહિ કરાય ત્યાં સુધી કોંગ્રેસ સત્તા પર નહિ આવી શકે.



તેમણે કોંગ્રેસ પાર્ટીમાં  તમામ ધર્મના અને સમૂહના નાના કાર્યકરને મહત્વ આપવા પર પણ ભાર મુક્યો છે. તેમણે કહ્યું કે "કાલે દિલ્હી હાઈકમાન્ડ સાથેની મીટીંગના ફોટાઓ સોશ્યલ મીડીયામાં વાઈરલ થતા હજારો લોકોના અમોને ફોન અને મેસેજ આવ્યા કે જે પીઢ નેતાઓને બોલાવ્યા એ સારી બાબત છે પરંતુ આમાં પક્ષને સમર્થિત થઈ 24x7 કામ કરતા કોઈ ચહેરા કેમ દેખાતા નથી? તેવા સમયે અમોએ કોંગ્રેસ હાઈકમાન્ડને ટ્વીટ દ્વારા ગુજરાતના લાખો કાર્યકર્તાઓના મનની ભાવનાને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ દુઃખ સાથે કહેવુ પડે છે કે શિસ્તબદ્ધ રીતે બંધબારણે કાર્યકર્તાઓના હિતમાં રજૂઆત કરવામા આવે તેનું કોઈ જ પરિણામ ન દેખાય ત્યારે પક્ષના હિતમાં જાહેરમાં પણ કાર્યકર્તાઓની વાતને વાચા આપવા મજબૂર થવુ પડે છે."



શક્તિસિંહ ગોહિલ માટે ગ્યાસુદ્દીન શેખે કહી આ વાત 

નેતાઓ દ્વારા લખવામાં આવેલા આ પત્રને નિષ્ણાંતો લેટર બોમ્બ કહેતા હતા. શક્તિસિંહને મળેલા પત્ર પર ચર્ચાઓ થઈ રહી હતી. ત્યારે આજે ફરી એક વખત ગ્યાસુદ્દીન શેખે આ મામલે ટ્વિટ કરી છે. પોતાની ટ્વિટમાં તેમણે લખ્યું છે કે જે મામલે ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાએ ટ્વિટ કર્યું હતું તેની મુદ્દે શક્તિસિંહ ગોહીલ સાથે બેઠક થઈ હતી અને તે સકારાત્મક રહી હતી. અમે આ મામલાને અહીંયા જ ખતમ કરી રહ્યા છીએ. અમારો વિરોધ શક્તિસિંહ ગોહિલ વિરૂદ્ધ ક્યારેય ન હતો. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.