ગ્યાસુદ્દીન શેખે લખ્યો હતો ચંડાળ ચોકડી વાળો લેટર, રાજકારણ ગરમાયા બાદ કરી આ ટ્વિટ, જાણો શક્તિસિંહ ગોહિલ વિશે શું કહ્યું તેમણે?


  • Published By :
  • Published Date : 2023-06-24 17:01:34

કોંગ્રેસમાં ચાલતો આંતરિક વિખવાદ હંમેશા ચર્ચાનો વિષય બનતો હોય છે. નિષ્ણાંતોના માનવા અનુસાર નેતાઓ વચ્ચે ચાલતા ડખાની અસર કોંગ્રેસના સંગઠનમાં પડતી હોય છે. ત્યારે ગુજરાત કોંગ્રેસને મજબૂત કરવા હાઈ કમાન્ડે શક્તિસિંહ ગોહિલની નિમણૂંક ગુજરાત કોંગ્રેસ પ્રમુખ તરીકે કરી છે. શક્તિસિંહ ગોહિલ સેટ થાય તે પહેલા કોંગ્રેસના અગ્રણી નેતા માનવામાં આવતા ગ્યાસુદ્દીન શેખ તેમજ ઈમરાન ખેડાવાલાએ તેમને ચિઠ્ઠી લખી હતી. ચિઠ્ઠી લખીને તેમણે શહેરી વિસ્તારોમાં પક્ષને મજબૂત બનાવવા પ્રસ્થાપિત ચંડાળ ચોકડીઓથી મુક્ત બનાવવાની માગ કરી હતી. ગઈકાલે આ વાત ચર્ચાનો વિષય બની હતી ત્યારે આજે તેમની બીજી ટ્વિટ ચર્ચામાં છે. પોતાની ટ્વિટમાં તેમણે કહ્યું કે શક્તિસિંહ ગોહિલ સાથે આ મામલે બેઠક થઈ હતી અને અમે આ મુદ્દાને સમાપ્ત કરી રહ્યા છીએ.

         

ગઈકાલે નેતાએ લખ્યો હતો પત્ર

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ હતી. કોંગ્રેસના ફાળે માત્ર ગણતરીની સીટો આવી હતી. કોંગ્રેસમાં ચાલતા આંતરિક વિવાદ અનેક વખત આપણી સામે આવ્યો છે. ત્યારે કોંગ્રેસના બે વરિષ્ઠ નેતાએ શક્તિસિંહ ગોહિલને પત્ર લખી વિનંતી કરી હતી. ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાના આ પત્રમાં શહેરી વિસ્તારોમાં પક્ષને મજબૂત બનાવવા પ્રસ્થાપિત ચંડાળ ચોકડીઓથી મુક્ત બનાવવાની માગ કરી છે.  આવા લોકો ઘણા વર્ષોથી શહેરોમાં કોંગ્રેસને સારું પરિણામ આપી શક્યા નથી. શહેરી વિસ્તારમાં આવા લોકોને હોદ્દા પરથી દૂર નહિ કરાય ત્યાં સુધી કોંગ્રેસ સત્તા પર નહિ આવી શકે.



તેમણે કોંગ્રેસ પાર્ટીમાં  તમામ ધર્મના અને સમૂહના નાના કાર્યકરને મહત્વ આપવા પર પણ ભાર મુક્યો છે. તેમણે કહ્યું કે "કાલે દિલ્હી હાઈકમાન્ડ સાથેની મીટીંગના ફોટાઓ સોશ્યલ મીડીયામાં વાઈરલ થતા હજારો લોકોના અમોને ફોન અને મેસેજ આવ્યા કે જે પીઢ નેતાઓને બોલાવ્યા એ સારી બાબત છે પરંતુ આમાં પક્ષને સમર્થિત થઈ 24x7 કામ કરતા કોઈ ચહેરા કેમ દેખાતા નથી? તેવા સમયે અમોએ કોંગ્રેસ હાઈકમાન્ડને ટ્વીટ દ્વારા ગુજરાતના લાખો કાર્યકર્તાઓના મનની ભાવનાને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ દુઃખ સાથે કહેવુ પડે છે કે શિસ્તબદ્ધ રીતે બંધબારણે કાર્યકર્તાઓના હિતમાં રજૂઆત કરવામા આવે તેનું કોઈ જ પરિણામ ન દેખાય ત્યારે પક્ષના હિતમાં જાહેરમાં પણ કાર્યકર્તાઓની વાતને વાચા આપવા મજબૂર થવુ પડે છે."



શક્તિસિંહ ગોહિલ માટે ગ્યાસુદ્દીન શેખે કહી આ વાત 

નેતાઓ દ્વારા લખવામાં આવેલા આ પત્રને નિષ્ણાંતો લેટર બોમ્બ કહેતા હતા. શક્તિસિંહને મળેલા પત્ર પર ચર્ચાઓ થઈ રહી હતી. ત્યારે આજે ફરી એક વખત ગ્યાસુદ્દીન શેખે આ મામલે ટ્વિટ કરી છે. પોતાની ટ્વિટમાં તેમણે લખ્યું છે કે જે મામલે ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાએ ટ્વિટ કર્યું હતું તેની મુદ્દે શક્તિસિંહ ગોહીલ સાથે બેઠક થઈ હતી અને તે સકારાત્મક રહી હતી. અમે આ મામલાને અહીંયા જ ખતમ કરી રહ્યા છીએ. અમારો વિરોધ શક્તિસિંહ ગોહિલ વિરૂદ્ધ ક્યારેય ન હતો. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.