ગ્યાસુદ્દીન શેખે લખ્યો હતો ચંડાળ ચોકડી વાળો લેટર, રાજકારણ ગરમાયા બાદ કરી આ ટ્વિટ, જાણો શક્તિસિંહ ગોહિલ વિશે શું કહ્યું તેમણે?


  • Published By :
  • Published Date : 2023-06-24 17:01:34

કોંગ્રેસમાં ચાલતો આંતરિક વિખવાદ હંમેશા ચર્ચાનો વિષય બનતો હોય છે. નિષ્ણાંતોના માનવા અનુસાર નેતાઓ વચ્ચે ચાલતા ડખાની અસર કોંગ્રેસના સંગઠનમાં પડતી હોય છે. ત્યારે ગુજરાત કોંગ્રેસને મજબૂત કરવા હાઈ કમાન્ડે શક્તિસિંહ ગોહિલની નિમણૂંક ગુજરાત કોંગ્રેસ પ્રમુખ તરીકે કરી છે. શક્તિસિંહ ગોહિલ સેટ થાય તે પહેલા કોંગ્રેસના અગ્રણી નેતા માનવામાં આવતા ગ્યાસુદ્દીન શેખ તેમજ ઈમરાન ખેડાવાલાએ તેમને ચિઠ્ઠી લખી હતી. ચિઠ્ઠી લખીને તેમણે શહેરી વિસ્તારોમાં પક્ષને મજબૂત બનાવવા પ્રસ્થાપિત ચંડાળ ચોકડીઓથી મુક્ત બનાવવાની માગ કરી હતી. ગઈકાલે આ વાત ચર્ચાનો વિષય બની હતી ત્યારે આજે તેમની બીજી ટ્વિટ ચર્ચામાં છે. પોતાની ટ્વિટમાં તેમણે કહ્યું કે શક્તિસિંહ ગોહિલ સાથે આ મામલે બેઠક થઈ હતી અને અમે આ મુદ્દાને સમાપ્ત કરી રહ્યા છીએ.

         

ગઈકાલે નેતાએ લખ્યો હતો પત્ર

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ હતી. કોંગ્રેસના ફાળે માત્ર ગણતરીની સીટો આવી હતી. કોંગ્રેસમાં ચાલતા આંતરિક વિવાદ અનેક વખત આપણી સામે આવ્યો છે. ત્યારે કોંગ્રેસના બે વરિષ્ઠ નેતાએ શક્તિસિંહ ગોહિલને પત્ર લખી વિનંતી કરી હતી. ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાના આ પત્રમાં શહેરી વિસ્તારોમાં પક્ષને મજબૂત બનાવવા પ્રસ્થાપિત ચંડાળ ચોકડીઓથી મુક્ત બનાવવાની માગ કરી છે.  આવા લોકો ઘણા વર્ષોથી શહેરોમાં કોંગ્રેસને સારું પરિણામ આપી શક્યા નથી. શહેરી વિસ્તારમાં આવા લોકોને હોદ્દા પરથી દૂર નહિ કરાય ત્યાં સુધી કોંગ્રેસ સત્તા પર નહિ આવી શકે.



તેમણે કોંગ્રેસ પાર્ટીમાં  તમામ ધર્મના અને સમૂહના નાના કાર્યકરને મહત્વ આપવા પર પણ ભાર મુક્યો છે. તેમણે કહ્યું કે "કાલે દિલ્હી હાઈકમાન્ડ સાથેની મીટીંગના ફોટાઓ સોશ્યલ મીડીયામાં વાઈરલ થતા હજારો લોકોના અમોને ફોન અને મેસેજ આવ્યા કે જે પીઢ નેતાઓને બોલાવ્યા એ સારી બાબત છે પરંતુ આમાં પક્ષને સમર્થિત થઈ 24x7 કામ કરતા કોઈ ચહેરા કેમ દેખાતા નથી? તેવા સમયે અમોએ કોંગ્રેસ હાઈકમાન્ડને ટ્વીટ દ્વારા ગુજરાતના લાખો કાર્યકર્તાઓના મનની ભાવનાને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ દુઃખ સાથે કહેવુ પડે છે કે શિસ્તબદ્ધ રીતે બંધબારણે કાર્યકર્તાઓના હિતમાં રજૂઆત કરવામા આવે તેનું કોઈ જ પરિણામ ન દેખાય ત્યારે પક્ષના હિતમાં જાહેરમાં પણ કાર્યકર્તાઓની વાતને વાચા આપવા મજબૂર થવુ પડે છે."



શક્તિસિંહ ગોહિલ માટે ગ્યાસુદ્દીન શેખે કહી આ વાત 

નેતાઓ દ્વારા લખવામાં આવેલા આ પત્રને નિષ્ણાંતો લેટર બોમ્બ કહેતા હતા. શક્તિસિંહને મળેલા પત્ર પર ચર્ચાઓ થઈ રહી હતી. ત્યારે આજે ફરી એક વખત ગ્યાસુદ્દીન શેખે આ મામલે ટ્વિટ કરી છે. પોતાની ટ્વિટમાં તેમણે લખ્યું છે કે જે મામલે ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાએ ટ્વિટ કર્યું હતું તેની મુદ્દે શક્તિસિંહ ગોહીલ સાથે બેઠક થઈ હતી અને તે સકારાત્મક રહી હતી. અમે આ મામલાને અહીંયા જ ખતમ કરી રહ્યા છીએ. અમારો વિરોધ શક્તિસિંહ ગોહિલ વિરૂદ્ધ ક્યારેય ન હતો. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.