ફરી ઓનલાઈન શોપિંગ કરવું પડ્યું ભારે !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 19:02:07

IIM અમદાવાદના એક છોકરા સાથે ઓનલાઈન કૌભાંડનો મામલો સામે આવ્યો છે. તેણે એક ઈ-કોમર્સ વેબસાઈટ પરથી લેપટોપનો ઓર્ડર આપ્યો હતો. ત્યારે ઓર્ડર મળ્યા બાદ જ્યારે પેકેજ ખોલવામાં આવ્યું તો તેમાં ઘડિયાળના સાબુના બાર નીકળ્યા. જોકે આ ઓર્ડર તેના પિતાને મળ્યો હતો. જે પછી ફ્લિપકાર્ટના કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવને ફરિયાદ કરવામાં આવી તો તેઓએ ફરિયાદ નોંધવાનો ઈન્કાર કરી દીધો.અમદાવાદના યશસ્વી શર્મા. યશસ્વીએ તેની લિંક્ડઇન પ્રોફાઇલ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે તેણે બિગ બિલિયન ડેઝ સેલ દરમિયાન તેના પિતા માટે લેપટોપનો ઓર્ડર આપ્યો હતો, ઓર્ડરનું પેકેજ તેના પિતાને મળ્યું હતું અને જ્યારે તેણે પેકેજ ખોલ્યું ત્યારે ત્યાં ઘડિના  સાબુ હતા. તેમાં બાર કર્યું . એમને કસ્ટમેર કેરમાં કમ્પલેનપણ કરી પરંતુ તેમની કૅમ્પલેમ લેવામાં આવી નહીં.

 

છેતરપિંડીથી કેવી રીતે બચવું?

ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી ઓનલાઈન ચીજવસ્તુઓનું વેચાણ કરતી અન્ય ઘણી ઈ-કોમર્સ વેબસાઈટ તમને 'ઓપન બોક્સ ડિલિવરી' નામની સેવા આપે છે. આ ઓપન બોક્સ ડિલિવરી સિસ્ટમમાં, જે ડિલિવરી એજન્ટ કંપની વતી તમારું પાર્સલ લાવે છે, તેણે તે પાર્સલ તમારી સામે ખોલીને તેની તપાસ કરાવવી પડશે. અહીં તમે ખાતરીપૂર્વક આરામ કરી શકો છો કે તમારી આઇટમ સાચી છે અને કાર્ય કરે છે. જે પછી તમે એજન્ટને OTP શેર કરી શકો છો



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"