ફરી ઓનલાઈન શોપિંગ કરવું પડ્યું ભારે !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 19:02:07

IIM અમદાવાદના એક છોકરા સાથે ઓનલાઈન કૌભાંડનો મામલો સામે આવ્યો છે. તેણે એક ઈ-કોમર્સ વેબસાઈટ પરથી લેપટોપનો ઓર્ડર આપ્યો હતો. ત્યારે ઓર્ડર મળ્યા બાદ જ્યારે પેકેજ ખોલવામાં આવ્યું તો તેમાં ઘડિયાળના સાબુના બાર નીકળ્યા. જોકે આ ઓર્ડર તેના પિતાને મળ્યો હતો. જે પછી ફ્લિપકાર્ટના કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવને ફરિયાદ કરવામાં આવી તો તેઓએ ફરિયાદ નોંધવાનો ઈન્કાર કરી દીધો.અમદાવાદના યશસ્વી શર્મા. યશસ્વીએ તેની લિંક્ડઇન પ્રોફાઇલ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે તેણે બિગ બિલિયન ડેઝ સેલ દરમિયાન તેના પિતા માટે લેપટોપનો ઓર્ડર આપ્યો હતો, ઓર્ડરનું પેકેજ તેના પિતાને મળ્યું હતું અને જ્યારે તેણે પેકેજ ખોલ્યું ત્યારે ત્યાં ઘડિના  સાબુ હતા. તેમાં બાર કર્યું . એમને કસ્ટમેર કેરમાં કમ્પલેનપણ કરી પરંતુ તેમની કૅમ્પલેમ લેવામાં આવી નહીં.

 

છેતરપિંડીથી કેવી રીતે બચવું?

ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી ઓનલાઈન ચીજવસ્તુઓનું વેચાણ કરતી અન્ય ઘણી ઈ-કોમર્સ વેબસાઈટ તમને 'ઓપન બોક્સ ડિલિવરી' નામની સેવા આપે છે. આ ઓપન બોક્સ ડિલિવરી સિસ્ટમમાં, જે ડિલિવરી એજન્ટ કંપની વતી તમારું પાર્સલ લાવે છે, તેણે તે પાર્સલ તમારી સામે ખોલીને તેની તપાસ કરાવવી પડશે. અહીં તમે ખાતરીપૂર્વક આરામ કરી શકો છો કે તમારી આઇટમ સાચી છે અને કાર્ય કરે છે. જે પછી તમે એજન્ટને OTP શેર કરી શકો છો



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.