ફરી ઓનલાઈન શોપિંગ કરવું પડ્યું ભારે !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 19:02:07

IIM અમદાવાદના એક છોકરા સાથે ઓનલાઈન કૌભાંડનો મામલો સામે આવ્યો છે. તેણે એક ઈ-કોમર્સ વેબસાઈટ પરથી લેપટોપનો ઓર્ડર આપ્યો હતો. ત્યારે ઓર્ડર મળ્યા બાદ જ્યારે પેકેજ ખોલવામાં આવ્યું તો તેમાં ઘડિયાળના સાબુના બાર નીકળ્યા. જોકે આ ઓર્ડર તેના પિતાને મળ્યો હતો. જે પછી ફ્લિપકાર્ટના કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવને ફરિયાદ કરવામાં આવી તો તેઓએ ફરિયાદ નોંધવાનો ઈન્કાર કરી દીધો.અમદાવાદના યશસ્વી શર્મા. યશસ્વીએ તેની લિંક્ડઇન પ્રોફાઇલ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે તેણે બિગ બિલિયન ડેઝ સેલ દરમિયાન તેના પિતા માટે લેપટોપનો ઓર્ડર આપ્યો હતો, ઓર્ડરનું પેકેજ તેના પિતાને મળ્યું હતું અને જ્યારે તેણે પેકેજ ખોલ્યું ત્યારે ત્યાં ઘડિના  સાબુ હતા. તેમાં બાર કર્યું . એમને કસ્ટમેર કેરમાં કમ્પલેનપણ કરી પરંતુ તેમની કૅમ્પલેમ લેવામાં આવી નહીં.

 

છેતરપિંડીથી કેવી રીતે બચવું?

ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી ઓનલાઈન ચીજવસ્તુઓનું વેચાણ કરતી અન્ય ઘણી ઈ-કોમર્સ વેબસાઈટ તમને 'ઓપન બોક્સ ડિલિવરી' નામની સેવા આપે છે. આ ઓપન બોક્સ ડિલિવરી સિસ્ટમમાં, જે ડિલિવરી એજન્ટ કંપની વતી તમારું પાર્સલ લાવે છે, તેણે તે પાર્સલ તમારી સામે ખોલીને તેની તપાસ કરાવવી પડશે. અહીં તમે ખાતરીપૂર્વક આરામ કરી શકો છો કે તમારી આઇટમ સાચી છે અને કાર્ય કરે છે. જે પછી તમે એજન્ટને OTP શેર કરી શકો છો



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.