હજયાત્રીઓ પાસેથી વધુ ભાડું લેવાના મુદ્દે હાઇકોર્ટે ખુલાસો આપવા ફટકારી નોટિસ, જાણો સમગ્ર મામલો શું છે


  • Published By :
  • Published Date : 2023-05-30 18:26:02

હજ માટે જતાં અમદાવાદના હાજીઓ પાસેથી વધુ ભાડું લેવામાં આવતું હોવાના મુદ્દે થયેલી રિટ મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી.આજે હાઈકોર્ટે ખુલાસો આપવા માટે સંબંધિત પક્ષોને નોટિસ ફટકારી છે. હજ યાત્રિકોનો આરોપ છે કે ગત વર્ષ સુધી અમદાવાદના હાજીઓ પાસેથી મુંબઇ જેટલું જ ભાડું લેવાતું હતું અને હવે આ વર્ષે જ એમાં વધારો કરવામાં આવ્યો છે અને એમાં 70 હજારથી એક લાખ રૂપિયા સુધીનો વધારો થયો છે. ચોથી જૂનથી હજની ફ્લાઇટ શરૂ થવાની છે.


આગામી સુનાવણી 2 જૂને થશે


આજની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે લઘુમતી બાબતોના મંત્રાલય, કેન્દ્રીય હજ સમિતિ અને ગુજરાત રાજ્ય હજ સમિતિને ગુજરાતના હાજીઓ પાસેથી વધુ પૈસા કેમ લેવામાં આવે છે? એ અંગે ખુલાસો કરવા માટે નોટિસ જારી કરી છે. ઉપરાંત આ વર્ષે હાજીઓને 2100 સાઉદી રિયાલ કેમ નથી આપવામાં આવી રહ્યા? એવો પ્રશ્ન પણ હાઇકોર્ટે કર્યો હતો. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં આગામી સુનાવણી 2 જૂને થશે.


10,000 જેટલા હાજીઓની લકી ડ્રોથી પસંદગી


હજયાત્રા માટે ગુજરાતમાંથી પણ લકી ડ્રો મારફત આશરે 10,000 જેટલા હાજીઓની પસંદગી કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ કરતાં મુંબઈ, હૈદરાબાદ અને બેંગલુરુ એમ ત્રણ એરપોર્ટથી જેદ્દાહ એરપોર્ટ સુધીનું ઓછું અંતર હોવા છતાં ગુજરાત રાજ્યમાંથી હજયાત્રાએ જઈ રહેલા હાજીઓ પાસેથી અંદાજે 68000થી 70000 રૂપિયા વધુ વસૂલવામાં આવી રહ્યા છે. અગાઉ આ તફાવત 2થી 5 હજાર રૂપિયાનો જ હતો. એને લઈને હજ યાત્રીઓએ હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્યા હતા. આજે સુનાવણી હાથ ધરાતાં હાઈકોર્ટે ખુલાસો આપવા નોટિસ ફટકારી છે. અરજદારોએ હાઈકોર્ટને હજ કમિટી ઓફ ઇન્ડિયાના સર્ક્યુલરને ગેરબંધારણીય, ગેરકાયદે અને ભેદભાવ પૂર્ણ જણાવી રદ કરવા માગણી કરી હતી.


સમગ્ર મામલો શું છે?


ગુજરાત હાઈકોર્ટમાં અરજદારોની રજૂઆત હતી કે,‘હજયાત્રીઓ માટે જે 3.72 લાખ અમદાવાદ માટે ભાડું રાખવામાં આવ્યું છે જ્યારે મુંબઇથી હાજીઓ માટેનું ભાડું 3 લાખ રૂપિયાની આસપાસ છે. જોકે, અમદાવાદ અને મુંબઇ બંને ભારતના પશ્ચિમ વિસ્તારમાં હોવાથી એકસમાન ભાડું હોવું જોઇએ. અગાઉ માત્ર પાંચ હજાર રૂપિયાનો તફાવત હતો, પરંતુ હવે તો 70 હજારથી એક લાખ રૂપિયા સુધીનો તફાવત છે. આ સંદર્ભે વિવિધ હાઇકોર્ટમાં અરજીઓ પણ થઇ છે.


2100 સાઉદી રિયાલ ચૂકવવાનું બંધ


વર્ષ 2023ની પોલિસીમાં ગત વર્ષ સુધી જે હાજીઓ હજ પઢવા જતા હતા તેમને તેમના દ્વારા ભરવામાં આવેલી રકમમાંથી હજ કમિટી ઓફ ઈન્ડિયા તરફથી 2100 સાઉદી રિયાલ જેદ્દાહ અથવા મદીના શરીફમાં ચૂકવવામાં આવતા હતા. જેથી તેઓ હજ દરમિયાન ખાવા-પીવાની જરૂરિયાતો પૂર્ણ કરી શકતા હતા, પરંતુ આ વર્ષે 2100 સાઉદી રિયાલ ચૂકવવાનું બંધ રાખવામાં આવ્યું છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.