હજયાત્રીઓ પાસેથી વધુ ભાડું લેવાના મુદ્દે હાઇકોર્ટે ખુલાસો આપવા ફટકારી નોટિસ, જાણો સમગ્ર મામલો શું છે


  • Published By :
  • Published Date : 2023-05-30 18:26:02

હજ માટે જતાં અમદાવાદના હાજીઓ પાસેથી વધુ ભાડું લેવામાં આવતું હોવાના મુદ્દે થયેલી રિટ મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી.આજે હાઈકોર્ટે ખુલાસો આપવા માટે સંબંધિત પક્ષોને નોટિસ ફટકારી છે. હજ યાત્રિકોનો આરોપ છે કે ગત વર્ષ સુધી અમદાવાદના હાજીઓ પાસેથી મુંબઇ જેટલું જ ભાડું લેવાતું હતું અને હવે આ વર્ષે જ એમાં વધારો કરવામાં આવ્યો છે અને એમાં 70 હજારથી એક લાખ રૂપિયા સુધીનો વધારો થયો છે. ચોથી જૂનથી હજની ફ્લાઇટ શરૂ થવાની છે.


આગામી સુનાવણી 2 જૂને થશે


આજની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે લઘુમતી બાબતોના મંત્રાલય, કેન્દ્રીય હજ સમિતિ અને ગુજરાત રાજ્ય હજ સમિતિને ગુજરાતના હાજીઓ પાસેથી વધુ પૈસા કેમ લેવામાં આવે છે? એ અંગે ખુલાસો કરવા માટે નોટિસ જારી કરી છે. ઉપરાંત આ વર્ષે હાજીઓને 2100 સાઉદી રિયાલ કેમ નથી આપવામાં આવી રહ્યા? એવો પ્રશ્ન પણ હાઇકોર્ટે કર્યો હતો. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં આગામી સુનાવણી 2 જૂને થશે.


10,000 જેટલા હાજીઓની લકી ડ્રોથી પસંદગી


હજયાત્રા માટે ગુજરાતમાંથી પણ લકી ડ્રો મારફત આશરે 10,000 જેટલા હાજીઓની પસંદગી કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ કરતાં મુંબઈ, હૈદરાબાદ અને બેંગલુરુ એમ ત્રણ એરપોર્ટથી જેદ્દાહ એરપોર્ટ સુધીનું ઓછું અંતર હોવા છતાં ગુજરાત રાજ્યમાંથી હજયાત્રાએ જઈ રહેલા હાજીઓ પાસેથી અંદાજે 68000થી 70000 રૂપિયા વધુ વસૂલવામાં આવી રહ્યા છે. અગાઉ આ તફાવત 2થી 5 હજાર રૂપિયાનો જ હતો. એને લઈને હજ યાત્રીઓએ હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્યા હતા. આજે સુનાવણી હાથ ધરાતાં હાઈકોર્ટે ખુલાસો આપવા નોટિસ ફટકારી છે. અરજદારોએ હાઈકોર્ટને હજ કમિટી ઓફ ઇન્ડિયાના સર્ક્યુલરને ગેરબંધારણીય, ગેરકાયદે અને ભેદભાવ પૂર્ણ જણાવી રદ કરવા માગણી કરી હતી.


સમગ્ર મામલો શું છે?


ગુજરાત હાઈકોર્ટમાં અરજદારોની રજૂઆત હતી કે,‘હજયાત્રીઓ માટે જે 3.72 લાખ અમદાવાદ માટે ભાડું રાખવામાં આવ્યું છે જ્યારે મુંબઇથી હાજીઓ માટેનું ભાડું 3 લાખ રૂપિયાની આસપાસ છે. જોકે, અમદાવાદ અને મુંબઇ બંને ભારતના પશ્ચિમ વિસ્તારમાં હોવાથી એકસમાન ભાડું હોવું જોઇએ. અગાઉ માત્ર પાંચ હજાર રૂપિયાનો તફાવત હતો, પરંતુ હવે તો 70 હજારથી એક લાખ રૂપિયા સુધીનો તફાવત છે. આ સંદર્ભે વિવિધ હાઇકોર્ટમાં અરજીઓ પણ થઇ છે.


2100 સાઉદી રિયાલ ચૂકવવાનું બંધ


વર્ષ 2023ની પોલિસીમાં ગત વર્ષ સુધી જે હાજીઓ હજ પઢવા જતા હતા તેમને તેમના દ્વારા ભરવામાં આવેલી રકમમાંથી હજ કમિટી ઓફ ઈન્ડિયા તરફથી 2100 સાઉદી રિયાલ જેદ્દાહ અથવા મદીના શરીફમાં ચૂકવવામાં આવતા હતા. જેથી તેઓ હજ દરમિયાન ખાવા-પીવાની જરૂરિયાતો પૂર્ણ કરી શકતા હતા, પરંતુ આ વર્ષે 2100 સાઉદી રિયાલ ચૂકવવાનું બંધ રાખવામાં આવ્યું છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.