હજયાત્રીઓ પાસેથી વધુ ભાડું લેવાના મુદ્દે હાઇકોર્ટે ખુલાસો આપવા ફટકારી નોટિસ, જાણો સમગ્ર મામલો શું છે


  • Published By :
  • Published Date : 2023-05-30 18:26:02

હજ માટે જતાં અમદાવાદના હાજીઓ પાસેથી વધુ ભાડું લેવામાં આવતું હોવાના મુદ્દે થયેલી રિટ મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી.આજે હાઈકોર્ટે ખુલાસો આપવા માટે સંબંધિત પક્ષોને નોટિસ ફટકારી છે. હજ યાત્રિકોનો આરોપ છે કે ગત વર્ષ સુધી અમદાવાદના હાજીઓ પાસેથી મુંબઇ જેટલું જ ભાડું લેવાતું હતું અને હવે આ વર્ષે જ એમાં વધારો કરવામાં આવ્યો છે અને એમાં 70 હજારથી એક લાખ રૂપિયા સુધીનો વધારો થયો છે. ચોથી જૂનથી હજની ફ્લાઇટ શરૂ થવાની છે.


આગામી સુનાવણી 2 જૂને થશે


આજની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે લઘુમતી બાબતોના મંત્રાલય, કેન્દ્રીય હજ સમિતિ અને ગુજરાત રાજ્ય હજ સમિતિને ગુજરાતના હાજીઓ પાસેથી વધુ પૈસા કેમ લેવામાં આવે છે? એ અંગે ખુલાસો કરવા માટે નોટિસ જારી કરી છે. ઉપરાંત આ વર્ષે હાજીઓને 2100 સાઉદી રિયાલ કેમ નથી આપવામાં આવી રહ્યા? એવો પ્રશ્ન પણ હાઇકોર્ટે કર્યો હતો. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં આગામી સુનાવણી 2 જૂને થશે.


10,000 જેટલા હાજીઓની લકી ડ્રોથી પસંદગી


હજયાત્રા માટે ગુજરાતમાંથી પણ લકી ડ્રો મારફત આશરે 10,000 જેટલા હાજીઓની પસંદગી કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ કરતાં મુંબઈ, હૈદરાબાદ અને બેંગલુરુ એમ ત્રણ એરપોર્ટથી જેદ્દાહ એરપોર્ટ સુધીનું ઓછું અંતર હોવા છતાં ગુજરાત રાજ્યમાંથી હજયાત્રાએ જઈ રહેલા હાજીઓ પાસેથી અંદાજે 68000થી 70000 રૂપિયા વધુ વસૂલવામાં આવી રહ્યા છે. અગાઉ આ તફાવત 2થી 5 હજાર રૂપિયાનો જ હતો. એને લઈને હજ યાત્રીઓએ હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્યા હતા. આજે સુનાવણી હાથ ધરાતાં હાઈકોર્ટે ખુલાસો આપવા નોટિસ ફટકારી છે. અરજદારોએ હાઈકોર્ટને હજ કમિટી ઓફ ઇન્ડિયાના સર્ક્યુલરને ગેરબંધારણીય, ગેરકાયદે અને ભેદભાવ પૂર્ણ જણાવી રદ કરવા માગણી કરી હતી.


સમગ્ર મામલો શું છે?


ગુજરાત હાઈકોર્ટમાં અરજદારોની રજૂઆત હતી કે,‘હજયાત્રીઓ માટે જે 3.72 લાખ અમદાવાદ માટે ભાડું રાખવામાં આવ્યું છે જ્યારે મુંબઇથી હાજીઓ માટેનું ભાડું 3 લાખ રૂપિયાની આસપાસ છે. જોકે, અમદાવાદ અને મુંબઇ બંને ભારતના પશ્ચિમ વિસ્તારમાં હોવાથી એકસમાન ભાડું હોવું જોઇએ. અગાઉ માત્ર પાંચ હજાર રૂપિયાનો તફાવત હતો, પરંતુ હવે તો 70 હજારથી એક લાખ રૂપિયા સુધીનો તફાવત છે. આ સંદર્ભે વિવિધ હાઇકોર્ટમાં અરજીઓ પણ થઇ છે.


2100 સાઉદી રિયાલ ચૂકવવાનું બંધ


વર્ષ 2023ની પોલિસીમાં ગત વર્ષ સુધી જે હાજીઓ હજ પઢવા જતા હતા તેમને તેમના દ્વારા ભરવામાં આવેલી રકમમાંથી હજ કમિટી ઓફ ઈન્ડિયા તરફથી 2100 સાઉદી રિયાલ જેદ્દાહ અથવા મદીના શરીફમાં ચૂકવવામાં આવતા હતા. જેથી તેઓ હજ દરમિયાન ખાવા-પીવાની જરૂરિયાતો પૂર્ણ કરી શકતા હતા, પરંતુ આ વર્ષે 2100 સાઉદી રિયાલ ચૂકવવાનું બંધ રાખવામાં આવ્યું છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.