હલવા સેરેમની બાદ 'લોક' થયા નાણા મંત્રાલયના 100 કર્મચારીઓ, 1 ફેબ્રુ. બાદ આવશે બહાર, જાણો કેમ?


  • Published By :
  • Published Date : 2023-01-26 21:53:06

બજેટની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કરશે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે. આજે નાણામંત્રાલયમાં યોજાયેલી હલવો સેરેમનીમાં નિર્મલા સીતારમણ પણ ઉપસ્થિત રહ્યા હતા અને અધિકારીઓ સાથે સ્વાદિષ્ટ હલવાની મજા માણી હતી. ગુરુવારે પરંપરાગત હલવા સેરેમની સાથે બજેટને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી આ ઈવેન્ટ થઈ શકી ન હતી. દર વર્ષે બજેટની તૈયારી માટે લોક-ઇન પ્રક્રિયા પહેલા હલવા સમારોહનું આયોજન કરવામાં આવે છે. 


અધિકારીઓ ભોયરામાં બંધ


હલવા સેરેમની પછી, નાણા મંત્રાલયના કેટલાક પસંદગીના અધિકારીઓ નોર્થ બ્લોકના ભોંયરામાં રહે છે. નાણામંત્રીના બજેટ ભાષણ પછી જ આ લોકોને બહાર જવાની મંજૂરી આપવામાં આવે છે. આવું એટલા માટે થાય છે કે બજેટ સંબંધિત કોઈ માહિતી લીક ન થાય તેટલા માટે તેમને લોક-ઈન કરવામાં આવે છે. આ સમય દરમિયાન તેઓ પરિવારજનો, મિત્રોને મળી શક્તા નથી. 


પોલીસ અને IBની રહેશે છે નજર


બજેટ બનાવવાની પ્રક્રિયા સાથે સંકળાયેલા લગભગ 100 કર્મચારીઓને એક સપ્તાહ સુધી પરિવારથી દૂર રહેવું પડે છે. આ દરમિયાન તેમને મોબાઈલ, ઈમેલ, ફોન અને ઈન્ટરનેટનો ઉપયોગ કરવાની છૂટ નથી. એટલે કે તેઓ બહારની દુનિયાથી સંપૂર્ણપણે કપાયેલા રહે છે. ગુપ્તચર વિભાગ તેમના પર સતત નજર રાખે છે. માત્ર ભારતમાં જ નહીં, વિશ્વના ઘણા દેશોમાં અધિકારીઓને આવી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. આ અધિકારીઓ માટે ડોક્ટરોની એક ટીમ પણ હાજર રહે છે. જો કોઈ અધિકારીની તબિયત બગડે તો તેમની સારવાર થઈ શકે તે માટે આવું કરવામાં આવે છે. આ અધિકારીઓ પર સતત CCTVથી નજર રાખવામાં આવે છે.




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.