હલવા સેરેમની બાદ 'લોક' થયા નાણા મંત્રાલયના 100 કર્મચારીઓ, 1 ફેબ્રુ. બાદ આવશે બહાર, જાણો કેમ?


  • Published By :
  • Published Date : 2023-01-26 21:53:06

બજેટની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કરશે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે. આજે નાણામંત્રાલયમાં યોજાયેલી હલવો સેરેમનીમાં નિર્મલા સીતારમણ પણ ઉપસ્થિત રહ્યા હતા અને અધિકારીઓ સાથે સ્વાદિષ્ટ હલવાની મજા માણી હતી. ગુરુવારે પરંપરાગત હલવા સેરેમની સાથે બજેટને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી આ ઈવેન્ટ થઈ શકી ન હતી. દર વર્ષે બજેટની તૈયારી માટે લોક-ઇન પ્રક્રિયા પહેલા હલવા સમારોહનું આયોજન કરવામાં આવે છે. 


અધિકારીઓ ભોયરામાં બંધ


હલવા સેરેમની પછી, નાણા મંત્રાલયના કેટલાક પસંદગીના અધિકારીઓ નોર્થ બ્લોકના ભોંયરામાં રહે છે. નાણામંત્રીના બજેટ ભાષણ પછી જ આ લોકોને બહાર જવાની મંજૂરી આપવામાં આવે છે. આવું એટલા માટે થાય છે કે બજેટ સંબંધિત કોઈ માહિતી લીક ન થાય તેટલા માટે તેમને લોક-ઈન કરવામાં આવે છે. આ સમય દરમિયાન તેઓ પરિવારજનો, મિત્રોને મળી શક્તા નથી. 


પોલીસ અને IBની રહેશે છે નજર


બજેટ બનાવવાની પ્રક્રિયા સાથે સંકળાયેલા લગભગ 100 કર્મચારીઓને એક સપ્તાહ સુધી પરિવારથી દૂર રહેવું પડે છે. આ દરમિયાન તેમને મોબાઈલ, ઈમેલ, ફોન અને ઈન્ટરનેટનો ઉપયોગ કરવાની છૂટ નથી. એટલે કે તેઓ બહારની દુનિયાથી સંપૂર્ણપણે કપાયેલા રહે છે. ગુપ્તચર વિભાગ તેમના પર સતત નજર રાખે છે. માત્ર ભારતમાં જ નહીં, વિશ્વના ઘણા દેશોમાં અધિકારીઓને આવી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. આ અધિકારીઓ માટે ડોક્ટરોની એક ટીમ પણ હાજર રહે છે. જો કોઈ અધિકારીની તબિયત બગડે તો તેમની સારવાર થઈ શકે તે માટે આવું કરવામાં આવે છે. આ અધિકારીઓ પર સતત CCTVથી નજર રાખવામાં આવે છે.




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.