તુર્કીમાં હેન્ડ બેગથી બોમ્બ વિસ્ફોટ, 6 લોકોના મોત, 81 ઘાયલ


  • Published By :
  • Published Date : 2022-11-14 14:23:42

તુર્કીના ઈસ્તાંબુલમાં ગઈકાલે બોમ્બ ધમાકો થયો હતો જેમાં 6 લોકોના મોત થઈ ગયા હતા. આ ઘટનામાં 81 લોકો ઘાયલ થયા છે. સ્થાનિક પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે પણ તે કોઈ માહિતી આપવાની મનાહી કરી રહ્યો છે. સ્થાનિક સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ આ હુમલામાં એક મહિલા અને 2 યુવક એમ કુલ 3 લોકો સામેલ હતા. 

મહિલાએ પર્સમાં રાખ્યો હતો બોમ્બ

રવિવારે સાંજે 4 વાગ્યાને 15 મીનીટે ધમાકો થયો હતો. આ ધમાકો એવી જગ્યા પર કરવામાં આવ્યો હતો જ્યાં લોકોની અવર જવર વધુ હતી. સ્થાનિક મીડિયાના સમાચારો મુજબ એક મહિલાએ ભીડવાળી જગ્યા પર બ્લેક બેગ મૂકી હતી. આ બેગના કારણે જ ધમાકો થયો હતો. તુર્કીના ઉપરાષ્ટ્રપતિએ આ વિસ્ફોટને આતંકવાદી હુમલો જણાવ્યું હતું. 

ધમાકાનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોની અંદર લોકો એક સાંકળી ગલીમાં જઈ રહ્યા છે. અચાનક તે ગલીની અંદર મોટો ધમાકો થાય છે અને લોકો ભાગવા માંડે છે. આ ઘટનામાં 6 લોકોના મોત થયા હતા અને 81 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 



બનાસકાંઠા લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. આક્રામક પ્રચાર કરતા ગેનીબેન દેખાય છે ત્યારે પોલીસને લઈ તેણે ફરી એક વાર નિવેદન આપ્યું છે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચના આજે પ્રસ્તુત કરવી છે સાહિત્યના સમીપમાં.. આ રચનામાં મેઘાણી સાહેબે બાળકોની વાત કરી છે જમાવા માટે વલખાં મારવા મજબૂર છે..

ગુજરાતમાં એક તરફ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ છે તો બીજી તરફ કિરીટ પટેલ દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું જે આગમાં ઘી હોમવાનું કામ કરી શકે છે..

અમદાવાદ પૂર્વ બેઠક માટે ભાજપે હસમુખ પટેલને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત હિંમતસિંહ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આગામી પાંચ વર્ષ દરમિયાન તેઓ પોતાના મતવિસ્તારમાં શું કામ કરશે તે સવાલ જમાવટની ટીમ દ્વારા પૂછવામાં આવ્યો હતો.