તુર્કીમાં હેન્ડ બેગથી બોમ્બ વિસ્ફોટ, 6 લોકોના મોત, 81 ઘાયલ


  • Published By :
  • Published Date : 2022-11-14 14:23:42

તુર્કીના ઈસ્તાંબુલમાં ગઈકાલે બોમ્બ ધમાકો થયો હતો જેમાં 6 લોકોના મોત થઈ ગયા હતા. આ ઘટનામાં 81 લોકો ઘાયલ થયા છે. સ્થાનિક પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે પણ તે કોઈ માહિતી આપવાની મનાહી કરી રહ્યો છે. સ્થાનિક સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ આ હુમલામાં એક મહિલા અને 2 યુવક એમ કુલ 3 લોકો સામેલ હતા. 

મહિલાએ પર્સમાં રાખ્યો હતો બોમ્બ

રવિવારે સાંજે 4 વાગ્યાને 15 મીનીટે ધમાકો થયો હતો. આ ધમાકો એવી જગ્યા પર કરવામાં આવ્યો હતો જ્યાં લોકોની અવર જવર વધુ હતી. સ્થાનિક મીડિયાના સમાચારો મુજબ એક મહિલાએ ભીડવાળી જગ્યા પર બ્લેક બેગ મૂકી હતી. આ બેગના કારણે જ ધમાકો થયો હતો. તુર્કીના ઉપરાષ્ટ્રપતિએ આ વિસ્ફોટને આતંકવાદી હુમલો જણાવ્યું હતું. 

ધમાકાનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોની અંદર લોકો એક સાંકળી ગલીમાં જઈ રહ્યા છે. અચાનક તે ગલીની અંદર મોટો ધમાકો થાય છે અને લોકો ભાગવા માંડે છે. આ ઘટનામાં 6 લોકોના મોત થયા હતા અને 81 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .