તુર્કીમાં હેન્ડ બેગથી બોમ્બ વિસ્ફોટ, 6 લોકોના મોત, 81 ઘાયલ


  • Published By :
  • Published Date : 2022-11-14 14:23:42

તુર્કીના ઈસ્તાંબુલમાં ગઈકાલે બોમ્બ ધમાકો થયો હતો જેમાં 6 લોકોના મોત થઈ ગયા હતા. આ ઘટનામાં 81 લોકો ઘાયલ થયા છે. સ્થાનિક પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે પણ તે કોઈ માહિતી આપવાની મનાહી કરી રહ્યો છે. સ્થાનિક સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ આ હુમલામાં એક મહિલા અને 2 યુવક એમ કુલ 3 લોકો સામેલ હતા. 

મહિલાએ પર્સમાં રાખ્યો હતો બોમ્બ

રવિવારે સાંજે 4 વાગ્યાને 15 મીનીટે ધમાકો થયો હતો. આ ધમાકો એવી જગ્યા પર કરવામાં આવ્યો હતો જ્યાં લોકોની અવર જવર વધુ હતી. સ્થાનિક મીડિયાના સમાચારો મુજબ એક મહિલાએ ભીડવાળી જગ્યા પર બ્લેક બેગ મૂકી હતી. આ બેગના કારણે જ ધમાકો થયો હતો. તુર્કીના ઉપરાષ્ટ્રપતિએ આ વિસ્ફોટને આતંકવાદી હુમલો જણાવ્યું હતું. 

ધમાકાનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોની અંદર લોકો એક સાંકળી ગલીમાં જઈ રહ્યા છે. અચાનક તે ગલીની અંદર મોટો ધમાકો થાય છે અને લોકો ભાગવા માંડે છે. આ ઘટનામાં 6 લોકોના મોત થયા હતા અને 81 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.