દર્દીઓની સુખાકારી માટે રાજકોટની આ હોસ્પિટલમાં દરરોજ થાય છે Hanuman Chalisaનો પાઠ, જાણો


  • Published By :
  • Published Date : 2023-07-31 16:16:36

હોસ્પિટલમાં જ્યારે માણસ દાખલ હોય છે ત્યારે તેને સૌથી વધારે જરૂર હોય છે એક આશાની કે બધુ ઠીક થઈ જશે. એક એવી ઉમ્મીદ જે તેને જીવવાનું કારણ આપે. માણસો જ્યારે દર્દમાં હોય છે ત્યારે મુખ્યત્વે પોતાના ઈષ્ટને યાદ કરતા હોય છે. એવું કહેવામાં આવે છે કે મંદિર કરતા પણ વધારે પ્રાર્થનાઓ જો ક્યાંય સંભળાતી હોય તો તે છે હોસ્પિટલ. હોસ્પિટલમાં દર્દી જલ્દી સાજો થઈ ઘરે પરત ફરે તે માટે લોકો પ્રાર્થના કરે છે. અનેક લોકો એવું માને છે કે જો દવાની સાથે દુઆ પણ ઉમેરાઈ જાય તો દર્દી જલ્દી સાજો થઈ જાય છે. ત્યારે આવો જ એક પ્રકારનો પ્રયોગ રાજકોટની એક હોસ્પિટલમાં કરવામાં આવે છે. ગીતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલીત હોસ્પિટલમાં હોસ્પિટલના સ્ટાફ દ્વારા તેમજ દર્દીઓ દ્વારા હનુમાનચાલીસાના પાઠ નિત્ય કરવામાં આવે છે. 


દરરોજ સવારે હોસ્પિટલમાં કરાય છે હનુમાન ચાલીસાના પાઠ 

મંદિરોમાં આપણે ધૂન થતી હોય કે પ્રાર્થના કરાતી હોય તેવું સાંભળ્યું હશે. પરંતુ રાજકોટની એક હોસ્પિટલ છે જ્યાં દરરોજ સવારે હનુમાન ચાલીસા ગાવાની પરંપરા છે. દર્દીઓની સુખાકારી માટે અનેક વર્ષોથી વહેલી સવારે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે છે. દર્દીઓ તેમજ હોસ્પિટલનો સ્ટાફ ભાવ સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે. એવું પણ સામે આવ્યું છે કે આ પ્રયોગને કારણે દર્દીઓના આરોગ્યમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર દરરોજ સવારે એક હોલમાં આખો સ્ટાફ ભેગો થાય છે અને ત્યારબાદ હનુમાન ચાલીસા વગાડવામા આવે અને જોડે જોડે લોકો પણ તેનું ગાન કરે છે. 


દર્દીઓના આરોગ્યમાં પણ જોવા મળે છે સકારાત્મક ફેરફાર 

હનુમાન ચાલીસાના પાઠથી વાતાવરણ પણ ભક્તિમય બની જતું હોય છે. હોસ્પિટલમાં ચાલતા આ પ્રયોગમાં અનેક દર્દીઓ પણ જોડાય છે. આરોગ્યમાં પણ સકારાત્મક ફેરફાર દર્દીઓને અનુભવાય છે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.