દર્દીઓની સુખાકારી માટે રાજકોટની આ હોસ્પિટલમાં દરરોજ થાય છે Hanuman Chalisaનો પાઠ, જાણો


  • Published By :
  • Published Date : 2023-07-31 16:16:36

હોસ્પિટલમાં જ્યારે માણસ દાખલ હોય છે ત્યારે તેને સૌથી વધારે જરૂર હોય છે એક આશાની કે બધુ ઠીક થઈ જશે. એક એવી ઉમ્મીદ જે તેને જીવવાનું કારણ આપે. માણસો જ્યારે દર્દમાં હોય છે ત્યારે મુખ્યત્વે પોતાના ઈષ્ટને યાદ કરતા હોય છે. એવું કહેવામાં આવે છે કે મંદિર કરતા પણ વધારે પ્રાર્થનાઓ જો ક્યાંય સંભળાતી હોય તો તે છે હોસ્પિટલ. હોસ્પિટલમાં દર્દી જલ્દી સાજો થઈ ઘરે પરત ફરે તે માટે લોકો પ્રાર્થના કરે છે. અનેક લોકો એવું માને છે કે જો દવાની સાથે દુઆ પણ ઉમેરાઈ જાય તો દર્દી જલ્દી સાજો થઈ જાય છે. ત્યારે આવો જ એક પ્રકારનો પ્રયોગ રાજકોટની એક હોસ્પિટલમાં કરવામાં આવે છે. ગીતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલીત હોસ્પિટલમાં હોસ્પિટલના સ્ટાફ દ્વારા તેમજ દર્દીઓ દ્વારા હનુમાનચાલીસાના પાઠ નિત્ય કરવામાં આવે છે. 


દરરોજ સવારે હોસ્પિટલમાં કરાય છે હનુમાન ચાલીસાના પાઠ 

મંદિરોમાં આપણે ધૂન થતી હોય કે પ્રાર્થના કરાતી હોય તેવું સાંભળ્યું હશે. પરંતુ રાજકોટની એક હોસ્પિટલ છે જ્યાં દરરોજ સવારે હનુમાન ચાલીસા ગાવાની પરંપરા છે. દર્દીઓની સુખાકારી માટે અનેક વર્ષોથી વહેલી સવારે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે છે. દર્દીઓ તેમજ હોસ્પિટલનો સ્ટાફ ભાવ સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે. એવું પણ સામે આવ્યું છે કે આ પ્રયોગને કારણે દર્દીઓના આરોગ્યમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર દરરોજ સવારે એક હોલમાં આખો સ્ટાફ ભેગો થાય છે અને ત્યારબાદ હનુમાન ચાલીસા વગાડવામા આવે અને જોડે જોડે લોકો પણ તેનું ગાન કરે છે. 


દર્દીઓના આરોગ્યમાં પણ જોવા મળે છે સકારાત્મક ફેરફાર 

હનુમાન ચાલીસાના પાઠથી વાતાવરણ પણ ભક્તિમય બની જતું હોય છે. હોસ્પિટલમાં ચાલતા આ પ્રયોગમાં અનેક દર્દીઓ પણ જોડાય છે. આરોગ્યમાં પણ સકારાત્મક ફેરફાર દર્દીઓને અનુભવાય છે. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.