હાર્દિક પટેલ ફરી આવ્યા પાટીદાર નેતાના નિશાને, રેશ્મા પટેલે માર્યો હાર્દિકને ટોણો


  • Published By :
  • Published Date : 2022-10-29 10:50:59

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. ચૂંટણી નજીક આવતા ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી કરવા પ્રક્રિયા હાથ ધરી છે. ચૂંટણી નજીક આવતા હાર્દિક પટેલ પર શાબ્દિક પ્રહાર થઈ રહ્યા છે. ત્યારે પાટીદાર નેતા રેશ્મા પટેલે હાર્દિક પટેલ પર નિશાન સાધતા કહ્યું કે ભૂતકાળમાં મારા ભાઈએ કોંગ્રેસનો તાજ પહેર્યો હતો, હાર્દિક પટેલ ટિકિટ વહેંચતા હતા જ્યારે આજે ભાજપની ખિસકોલી બનીને દાવેદારોની લાંબી લાઈનમાં ઉભા છે.

રેશ્મા પટેલના નિશાના પર હાર્દિક પટેલ

ગુજરાતમાં આ વખતે ત્રણ પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરવાની છે. ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારોના નામ અંગે મનોમંથન કરી રહી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ 7 વખત લિસ્ટ જાહેર કરી ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે. ઉમેદવારોના નામની પસંદગી કરવા માટે ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે. ત્યારે  કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલ હાર્દિક પટેલે વિરમગામ બેઠક પરથી પોતાની દાવેદારી નોંધાવી છે. ત્યારે રેશ્મા પટેલે હાર્દિક પટેલ પર પ્રહાર કર્યા છે.

इस्तीफा देने के बाद हार्दिक पटेल का बड़ा आरोप, बोले- कांग्रेस सबसे बड़ी  जातिवादी पार्टी - gujarat election hardik Patel congress rahul gandhi  naresh patel bjp ntc - AajTak

ભાજપની ખિસકોલી બની હાર્દિક દાવેદારોની લાઈનમાં ઉભા છે - રેશ્મા 

પાટીદાર નેતા રેશ્મા પટેલે હાર્દિક પર નિશાન સાધ્તા કહ્યું કે ગુજરાત ચૂંટણી 2022 માટે ભાજપમાં દાવેદારોની લાંબી લાઈન સમજી શકાય છે. પરંતુ વિચારવા જેવી વાત એ છે કે ભૂતકાળમાં મારા ભાઈ હાર્દિક પટેલે કોંગ્રેસનો તાજ પહેર્યો હતો. તે સમયે હાર્દિક પટેલ ટિકિટ વહેંચતા હતા જ્યારે આજે ભાજપની ખિસકોલી બનીને દાવેદારોની લાંબી લાઈનમાં ઉભા છે.            




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.