હાર્દિક પટેલ ફરી આવ્યા પાટીદાર નેતાના નિશાને, રેશ્મા પટેલે માર્યો હાર્દિકને ટોણો


  • Published By :
  • Published Date : 2022-10-29 10:50:59

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. ચૂંટણી નજીક આવતા ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી કરવા પ્રક્રિયા હાથ ધરી છે. ચૂંટણી નજીક આવતા હાર્દિક પટેલ પર શાબ્દિક પ્રહાર થઈ રહ્યા છે. ત્યારે પાટીદાર નેતા રેશ્મા પટેલે હાર્દિક પટેલ પર નિશાન સાધતા કહ્યું કે ભૂતકાળમાં મારા ભાઈએ કોંગ્રેસનો તાજ પહેર્યો હતો, હાર્દિક પટેલ ટિકિટ વહેંચતા હતા જ્યારે આજે ભાજપની ખિસકોલી બનીને દાવેદારોની લાંબી લાઈનમાં ઉભા છે.

રેશ્મા પટેલના નિશાના પર હાર્દિક પટેલ

ગુજરાતમાં આ વખતે ત્રણ પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરવાની છે. ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારોના નામ અંગે મનોમંથન કરી રહી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ 7 વખત લિસ્ટ જાહેર કરી ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે. ઉમેદવારોના નામની પસંદગી કરવા માટે ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે. ત્યારે  કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલ હાર્દિક પટેલે વિરમગામ બેઠક પરથી પોતાની દાવેદારી નોંધાવી છે. ત્યારે રેશ્મા પટેલે હાર્દિક પટેલ પર પ્રહાર કર્યા છે.

इस्तीफा देने के बाद हार्दिक पटेल का बड़ा आरोप, बोले- कांग्रेस सबसे बड़ी  जातिवादी पार्टी - gujarat election hardik Patel congress rahul gandhi  naresh patel bjp ntc - AajTak

ભાજપની ખિસકોલી બની હાર્દિક દાવેદારોની લાઈનમાં ઉભા છે - રેશ્મા 

પાટીદાર નેતા રેશ્મા પટેલે હાર્દિક પર નિશાન સાધ્તા કહ્યું કે ગુજરાત ચૂંટણી 2022 માટે ભાજપમાં દાવેદારોની લાંબી લાઈન સમજી શકાય છે. પરંતુ વિચારવા જેવી વાત એ છે કે ભૂતકાળમાં મારા ભાઈ હાર્દિક પટેલે કોંગ્રેસનો તાજ પહેર્યો હતો. તે સમયે હાર્દિક પટેલ ટિકિટ વહેંચતા હતા જ્યારે આજે ભાજપની ખિસકોલી બનીને દાવેદારોની લાંબી લાઈનમાં ઉભા છે.            




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.