પાટીદાર આંદોલનથી ચમકેલા હાર્દિક પટેલ પાસે કેટલી સંપત્તિ અને પોલીસ કેસ છે? જાણો


  • Published By :
  • Published Date : 2022-11-16 15:26:01

ગુજરાતમાં વર્ષ  2015માં પાટીદાર અનામત આંદોલનથી દેશભરમાં ચમકેલા હાર્દિક પટેલ ભાજપની ટિકિટ પર વિરમગામથી ચૂંટણી લડી રહ્યા છે. હાર્દિક પટેલે ગઈકાલે શક્તિ પ્રદર્શન કરી વિરમગામ બેઠકથી ફોર્મ ભર્યું હતું. હાર્દિક પટેલે પોતાનું પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું તે સમયે રજૂ કરેલા સોગંદનામામાં તેના શિક્ષણ, સંપત્તી અને પોલીસ કેસો અંગે માહિતી હતી. 


હાર્દિક પટેલ પાસે જંગમ અને સ્થાવર મિલકત કેટલી છે?


હાર્દિક પટેલના સોગંદનામા મુજબ તેમણે વર્ષ 2021-22નું રિટર્ન જ ભર્યું છે આ પહેલા કોઈ રિટર્ન ભર્યુ નથી. વર્ષ 2021-22 દરમિયાન તેમણે 4.90 લાખની વાર્ષિક આવક થઈ જ્યારે તેમના પત્ની કિંજલ પટેલ પણ આ દરમિયાન 4.79 લાખની વાર્ષિક આવક દર્શાવી છે. હાર્દિક પાસે હાલ 88 હજાર રોકડ તથા પત્ની કિંજલ પાસે 24 હજાર રોકડ છે. હાર્દિકના એક્સિસ બેંક એકાઉન્ટમાં 970 રૂપિયા છે જ્યારે અમદાવાદ ડિસ્ટ્રીક્ટ બેંકમાં 1100 રૂપિયા છે. જ્યારે તેના પત્ની કિંજલ પટેલના PNB એકાઉન્ટમાં 11,055 તથા મહેસાણા અર્બન ડો.ઓ.બેંકમાં 47,354 રૂપિયા છે.


તે ઉપરાંત હાર્દિક પટેલ પાસે 4.68 લાખની કિંમતનું 9 તોલા સોનાના દાગીના છે જ્યારે 1.50 લાખની કિંમતની 2.50 કિલો ચાંદી છે. કિંજલ પાસે 11.44 લાખની કિંમતના 22 તોલા સોનું અને 1.08 લાખનું 1.8 કિલો ચાંદી છે. હાર્દિક પટેલ પાસે કુલ 4.25 વિઘા ખેતીની જમીન છે. જેની બજાર કિંમત 38 લાખ રૂપિયા થાય છે. ઉપરાંત તેણે ચંદ્રનગર ગ્રુપ સે.સ મંડળીમાંથી રૂ.2 લાખની લોન પણ લીધેલી છે. હાર્દિક પટેલે સોગંદનામા મુજબ અમદાવાદની સહજાનંદ કોલેજમાંથી બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. જે 2013માં પૂરો થયો હતો.


હાર્દિક પટેલ સામે 9 જેટલા ગુનાઓ


હાર્દિક પટેલે અનમાત આંદોલન શરૂ કર્યું તે સમયે તેમની સામે કુલ 9 જેટલા ગુનાઓ નોંધાયા હતા. જેમાં કડીમાં ધમકી આપવા અંગે, વસ્ત્રાપુર, અમરોલીમાં ઉશ્કેરણી જનક સલાહ આપવા, અમદાવાદ ડી.સી.બી પોલીસ સ્ટેશનમાં સરકાર પ્રત્યે અનાદર ફેલાવવા અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાનો, પાટણ બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 395, 427, 323, 504, 506 (2) મુજબ ગુનો નોંધાયો છે, વરાછા પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર રેલી કાઢવાનો, ગાંધીનગરમાં IPCની કલમ 452, 504, 192, 114, 193ની કમલ હેઠળ, નિકોલ પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 143, 147, 149, 353, 188, 186, 120 (B), 294(B), 34, 506(1)ની કલમો તથા કામરેજ પોલીસ સ્ટેશનમાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ, તેમજ જાહેર મિલકતને નુકસાન કરવાના કેસ નોંધાયેલા છે. જેમાં એક કેસમાં હાર્દિક પટેલને રૂ. 50 હજારનો દંડ તથા 2 વર્ષની કોર્ટની સજા સંભળાવવામાં આવેલી છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.