પાટીદાર આંદોલનથી ચમકેલા હાર્દિક પટેલ પાસે કેટલી સંપત્તિ અને પોલીસ કેસ છે? જાણો


  • Published By :
  • Published Date : 2022-11-16 15:26:01

ગુજરાતમાં વર્ષ  2015માં પાટીદાર અનામત આંદોલનથી દેશભરમાં ચમકેલા હાર્દિક પટેલ ભાજપની ટિકિટ પર વિરમગામથી ચૂંટણી લડી રહ્યા છે. હાર્દિક પટેલે ગઈકાલે શક્તિ પ્રદર્શન કરી વિરમગામ બેઠકથી ફોર્મ ભર્યું હતું. હાર્દિક પટેલે પોતાનું પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું તે સમયે રજૂ કરેલા સોગંદનામામાં તેના શિક્ષણ, સંપત્તી અને પોલીસ કેસો અંગે માહિતી હતી. 


હાર્દિક પટેલ પાસે જંગમ અને સ્થાવર મિલકત કેટલી છે?


હાર્દિક પટેલના સોગંદનામા મુજબ તેમણે વર્ષ 2021-22નું રિટર્ન જ ભર્યું છે આ પહેલા કોઈ રિટર્ન ભર્યુ નથી. વર્ષ 2021-22 દરમિયાન તેમણે 4.90 લાખની વાર્ષિક આવક થઈ જ્યારે તેમના પત્ની કિંજલ પટેલ પણ આ દરમિયાન 4.79 લાખની વાર્ષિક આવક દર્શાવી છે. હાર્દિક પાસે હાલ 88 હજાર રોકડ તથા પત્ની કિંજલ પાસે 24 હજાર રોકડ છે. હાર્દિકના એક્સિસ બેંક એકાઉન્ટમાં 970 રૂપિયા છે જ્યારે અમદાવાદ ડિસ્ટ્રીક્ટ બેંકમાં 1100 રૂપિયા છે. જ્યારે તેના પત્ની કિંજલ પટેલના PNB એકાઉન્ટમાં 11,055 તથા મહેસાણા અર્બન ડો.ઓ.બેંકમાં 47,354 રૂપિયા છે.


તે ઉપરાંત હાર્દિક પટેલ પાસે 4.68 લાખની કિંમતનું 9 તોલા સોનાના દાગીના છે જ્યારે 1.50 લાખની કિંમતની 2.50 કિલો ચાંદી છે. કિંજલ પાસે 11.44 લાખની કિંમતના 22 તોલા સોનું અને 1.08 લાખનું 1.8 કિલો ચાંદી છે. હાર્દિક પટેલ પાસે કુલ 4.25 વિઘા ખેતીની જમીન છે. જેની બજાર કિંમત 38 લાખ રૂપિયા થાય છે. ઉપરાંત તેણે ચંદ્રનગર ગ્રુપ સે.સ મંડળીમાંથી રૂ.2 લાખની લોન પણ લીધેલી છે. હાર્દિક પટેલે સોગંદનામા મુજબ અમદાવાદની સહજાનંદ કોલેજમાંથી બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. જે 2013માં પૂરો થયો હતો.


હાર્દિક પટેલ સામે 9 જેટલા ગુનાઓ


હાર્દિક પટેલે અનમાત આંદોલન શરૂ કર્યું તે સમયે તેમની સામે કુલ 9 જેટલા ગુનાઓ નોંધાયા હતા. જેમાં કડીમાં ધમકી આપવા અંગે, વસ્ત્રાપુર, અમરોલીમાં ઉશ્કેરણી જનક સલાહ આપવા, અમદાવાદ ડી.સી.બી પોલીસ સ્ટેશનમાં સરકાર પ્રત્યે અનાદર ફેલાવવા અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાનો, પાટણ બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 395, 427, 323, 504, 506 (2) મુજબ ગુનો નોંધાયો છે, વરાછા પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર રેલી કાઢવાનો, ગાંધીનગરમાં IPCની કલમ 452, 504, 192, 114, 193ની કમલ હેઠળ, નિકોલ પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 143, 147, 149, 353, 188, 186, 120 (B), 294(B), 34, 506(1)ની કલમો તથા કામરેજ પોલીસ સ્ટેશનમાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ, તેમજ જાહેર મિલકતને નુકસાન કરવાના કેસ નોંધાયેલા છે. જેમાં એક કેસમાં હાર્દિક પટેલને રૂ. 50 હજારનો દંડ તથા 2 વર્ષની કોર્ટની સજા સંભળાવવામાં આવેલી છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.