સ્વ. હરેન પંડ્યાની લોકપ્રિયતાની સરખામણી કરવી અયોગ્યઃ હરેન પંડ્યાના પત્ની


  • Published By :
  • Published Date : 2022-11-13 00:13:04

સ્વ. હરેન પંડ્યા એટલે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા અને ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી. વર્ષ 2003માં તેમની હત્યા કરી દેવામાં આવે છે. અમુક લોકો હરેન પંડ્યાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આલોચક તરીકે પણ યાદ કરે છે. પણ અત્યારે આપણે તેમને એટલા માટે યાદ કરી રહ્યા છીએ કારણ કે તેમના પત્નીએ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પત્ર લખ્યો છે. પત્ર તેમણે એટલા માટે લખ્યો છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના જ નેતા અને ધારાસભ્ય રાકેશ શાહે હરેન પંડ્યા પર કથિત ટિપ્પણી કરી છે. રાકેશ શાહ એ જ એલિસબ્રિજના ધારાસભ્ય છે જે એલિસબ્રિજ પરથી હરેન પંડ્યા ધારાસભ્ય હતા. 


રાકેશ શાહે હરેન પંડ્યા વિશે શું વાત કરી?

રાકેશ શાહ વર્ષ 2017થી અત્યાર સુધી એલિસબ્રિજ બેઠક પર ધારાસભ્ય તરીકે છે. તેમણે હરેન પટેલ વિશે ટિપ્પણી કરીને કહ્યું હતું કે "એલિસબ્રિજ પર હરેન પંડ્યાના સમયમાં ઓછા મત આવતા હતા. હરેન પંડ્યા લડતા હતા ત્યારે તેમને ઓછા મત મળતા હતા. મારા આવ્યા પછી ભાજપને એલિસબ્રિજ પર વધારે મત મળે છે." સ્વર્ગસ્ત હરેન પંડ્યા એલિસબ્રિજ બેઠક પરથી બેવાર ધારાસભ્ય બન્યા હતા. એકવાર 1995માં અને બીજીવાર 1998માં.  

                                                                                                        એલિસબ્રિજ ધારાસભ્ય રાકેશ શાહ

જાગૃતિ બેને રાકેશ શાહને માફી માગવા કહ્યું

સ્વર્ગસ્ત હરેન પંડ્યાના પત્ની જાગૃતિબેન પંડ્યાએ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પત્ર લખીને રાકેશ શાહને નિવેદન પાછુ લેવા માટે પત્ર લખ્યો છે. જાગૃતિબેન પંડ્યાએ જણાવ્યું હતું કે હરેન પંડ્યાને લોકો હજુ પણ પ્રેમ કરે છે. રાકેશ શાહે અખબારી યાદીમાં જે નિવેદન આપ્યું છે તે તેમણે પાછું લેવું જોઈએ. હરેન પંડ્યાએ પોતાની લાયકાતથી લોકપ્રીયતા મેળવી હતી. તેમની સરખામણી કોઈને સાથે કરવી અયોગ્ય છે. પક્ષ ટિકિટ ના આપે તો આવા નિવેદનો ના આપવા જોઈએ. રાકેશ શાહે પોતાનું નિવેદન પાછું ખેંચવું જોઈએ અને માફી માગવી જોઈએ. 

રાજ્ય બાળ આયોગના અધ્યક્ષા જાગૃતિબેન પંડયા ભૂજની મુલાકાતે – News18 Gujarati

કોણ હતા હરેન પંડ્યા?

ભાજપના નેતા અને કેશુભાઈ પટેલની સરકારમાં ગૃહમંત્રી રહેલા હરેન પંડ્યાની 26 માર્ચ 2003ના રોજ અમદાવાદ શહેરના લૉ ગાર્ડન વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. લો ગાર્ડનમાં સવારે હરેન પંડ્યા ચાલી રહ્યા હતા ત્યારે તેમના પર ગોળીઓ ચલાવવામાં આવી હતી જેમાં તેમનું મોત થયું હતું. સીબીઆઈનું સમગ્ર મામલે માનવું હતું કે વર્ષ 2002માં ગોધરામાં થયેલા દંગાના કારણે તેમની હત્યા કરવામાં આવી હતી. હરેન પંડ્યાની હત્યાની તપાસ તત્કાલીન DCP ડીજી વણજારાને સોંપવામાં આવી હતી. આ કેસ હાઈપ્રોફાઈલ હોવાના કારણે સીબીઆઈને તપાસ સોંપવામાં આવી હતી. વર્ષ 2007માં આ કેસમાં નવ આરોપીને આજીવન જેલની સજા અને અન્ય 2 વ્યક્તિને 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.