સ્વ. હરેન પંડ્યાની લોકપ્રિયતાની સરખામણી કરવી અયોગ્યઃ હરેન પંડ્યાના પત્ની


  • Published By :
  • Published Date : 2022-11-13 00:13:04

સ્વ. હરેન પંડ્યા એટલે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા અને ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી. વર્ષ 2003માં તેમની હત્યા કરી દેવામાં આવે છે. અમુક લોકો હરેન પંડ્યાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આલોચક તરીકે પણ યાદ કરે છે. પણ અત્યારે આપણે તેમને એટલા માટે યાદ કરી રહ્યા છીએ કારણ કે તેમના પત્નીએ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પત્ર લખ્યો છે. પત્ર તેમણે એટલા માટે લખ્યો છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના જ નેતા અને ધારાસભ્ય રાકેશ શાહે હરેન પંડ્યા પર કથિત ટિપ્પણી કરી છે. રાકેશ શાહ એ જ એલિસબ્રિજના ધારાસભ્ય છે જે એલિસબ્રિજ પરથી હરેન પંડ્યા ધારાસભ્ય હતા. 


રાકેશ શાહે હરેન પંડ્યા વિશે શું વાત કરી?

રાકેશ શાહ વર્ષ 2017થી અત્યાર સુધી એલિસબ્રિજ બેઠક પર ધારાસભ્ય તરીકે છે. તેમણે હરેન પટેલ વિશે ટિપ્પણી કરીને કહ્યું હતું કે "એલિસબ્રિજ પર હરેન પંડ્યાના સમયમાં ઓછા મત આવતા હતા. હરેન પંડ્યા લડતા હતા ત્યારે તેમને ઓછા મત મળતા હતા. મારા આવ્યા પછી ભાજપને એલિસબ્રિજ પર વધારે મત મળે છે." સ્વર્ગસ્ત હરેન પંડ્યા એલિસબ્રિજ બેઠક પરથી બેવાર ધારાસભ્ય બન્યા હતા. એકવાર 1995માં અને બીજીવાર 1998માં.  

                                                                                                        એલિસબ્રિજ ધારાસભ્ય રાકેશ શાહ

જાગૃતિ બેને રાકેશ શાહને માફી માગવા કહ્યું

સ્વર્ગસ્ત હરેન પંડ્યાના પત્ની જાગૃતિબેન પંડ્યાએ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પત્ર લખીને રાકેશ શાહને નિવેદન પાછુ લેવા માટે પત્ર લખ્યો છે. જાગૃતિબેન પંડ્યાએ જણાવ્યું હતું કે હરેન પંડ્યાને લોકો હજુ પણ પ્રેમ કરે છે. રાકેશ શાહે અખબારી યાદીમાં જે નિવેદન આપ્યું છે તે તેમણે પાછું લેવું જોઈએ. હરેન પંડ્યાએ પોતાની લાયકાતથી લોકપ્રીયતા મેળવી હતી. તેમની સરખામણી કોઈને સાથે કરવી અયોગ્ય છે. પક્ષ ટિકિટ ના આપે તો આવા નિવેદનો ના આપવા જોઈએ. રાકેશ શાહે પોતાનું નિવેદન પાછું ખેંચવું જોઈએ અને માફી માગવી જોઈએ. 

રાજ્ય બાળ આયોગના અધ્યક્ષા જાગૃતિબેન પંડયા ભૂજની મુલાકાતે – News18 Gujarati

કોણ હતા હરેન પંડ્યા?

ભાજપના નેતા અને કેશુભાઈ પટેલની સરકારમાં ગૃહમંત્રી રહેલા હરેન પંડ્યાની 26 માર્ચ 2003ના રોજ અમદાવાદ શહેરના લૉ ગાર્ડન વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. લો ગાર્ડનમાં સવારે હરેન પંડ્યા ચાલી રહ્યા હતા ત્યારે તેમના પર ગોળીઓ ચલાવવામાં આવી હતી જેમાં તેમનું મોત થયું હતું. સીબીઆઈનું સમગ્ર મામલે માનવું હતું કે વર્ષ 2002માં ગોધરામાં થયેલા દંગાના કારણે તેમની હત્યા કરવામાં આવી હતી. હરેન પંડ્યાની હત્યાની તપાસ તત્કાલીન DCP ડીજી વણજારાને સોંપવામાં આવી હતી. આ કેસ હાઈપ્રોફાઈલ હોવાના કારણે સીબીઆઈને તપાસ સોંપવામાં આવી હતી. વર્ષ 2007માં આ કેસમાં નવ આરોપીને આજીવન જેલની સજા અને અન્ય 2 વ્યક્તિને 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.




અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.