હાર્ટ એટેકની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી, હારીજમાં એક શિક્ષકનું શાળામાં જ મોત


  • Published By :
  • Published Date : 2023-02-17 13:41:01

ગુજરાતમાં હ્રદયરોગની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી ગઈ છે, હાર્ટ એટેકની સમસ્યાથી નાના-મોટા સૌ કોઈ માટે પરેશાન કરી રહી છે. શિયાળાની કાતિલ ઠંડીમાં લોકો હાર્ટ એટેકથી મોતને ભેટી રહ્યા છે. આજે પાટણના હારીજની મોડેલ સ્કૂલનાં શિક્ષકનું ચાલું શાળા દરમિયાન મોત નિપજ્યું છે. ભરતભાઈ સબુરભાઈ પરમાર નામનાં શિક્ષકનું હાર્ટ એટેકથી મોત થતાં શાળા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે. હાલ શિક્ષકની લાશને પોસ્ટ મોર્ટમ માટે હારીજની સરકારી રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.


ગઈ કાલે જ રાજકોટમાં યુવકનું થયું હતું મોત


હજુ ગઈ કાલે જ રાજકોટમાં ક્રિકેટ રમીને પરત જઈ રહેલા યુવકનું મોત થઈ ગયું હતું, યુવકનું હાર્ટ એટેકથી મોત થઈ ગયું છે. ભરત બારિયા નામનો યુવક લગ્ન પ્રસંગમાં આવ્યો હતો. અન્ય યુવકો સાથે તે ક્રિકેટ રમીને જ્યારે પરત જઈ રહ્યો હતો ત્યારે અચાનક તેની તબિયત લથડી હતી અને ગણતરીની મિનિટોમાં તેનું પ્રાણ પંખીડું ઉડી ગયું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે 8 દિવસ અગાઉ પણ શહેરમાં ક્રિકેટ અને ફૂટબોલ રમતા યુવકના મોતની ઘટના બની હતી.



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.