હાર્ટ એટેકની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી, હારીજમાં એક શિક્ષકનું શાળામાં જ મોત


  • Published By :
  • Published Date : 2023-02-17 13:41:01

ગુજરાતમાં હ્રદયરોગની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી ગઈ છે, હાર્ટ એટેકની સમસ્યાથી નાના-મોટા સૌ કોઈ માટે પરેશાન કરી રહી છે. શિયાળાની કાતિલ ઠંડીમાં લોકો હાર્ટ એટેકથી મોતને ભેટી રહ્યા છે. આજે પાટણના હારીજની મોડેલ સ્કૂલનાં શિક્ષકનું ચાલું શાળા દરમિયાન મોત નિપજ્યું છે. ભરતભાઈ સબુરભાઈ પરમાર નામનાં શિક્ષકનું હાર્ટ એટેકથી મોત થતાં શાળા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે. હાલ શિક્ષકની લાશને પોસ્ટ મોર્ટમ માટે હારીજની સરકારી રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.


ગઈ કાલે જ રાજકોટમાં યુવકનું થયું હતું મોત


હજુ ગઈ કાલે જ રાજકોટમાં ક્રિકેટ રમીને પરત જઈ રહેલા યુવકનું મોત થઈ ગયું હતું, યુવકનું હાર્ટ એટેકથી મોત થઈ ગયું છે. ભરત બારિયા નામનો યુવક લગ્ન પ્રસંગમાં આવ્યો હતો. અન્ય યુવકો સાથે તે ક્રિકેટ રમીને જ્યારે પરત જઈ રહ્યો હતો ત્યારે અચાનક તેની તબિયત લથડી હતી અને ગણતરીની મિનિટોમાં તેનું પ્રાણ પંખીડું ઉડી ગયું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે 8 દિવસ અગાઉ પણ શહેરમાં ક્રિકેટ અને ફૂટબોલ રમતા યુવકના મોતની ઘટના બની હતી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.