હાર્ટ એટેકની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી, હારીજમાં એક શિક્ષકનું શાળામાં જ મોત


  • Published By :
  • Published Date : 2023-02-17 13:41:01

ગુજરાતમાં હ્રદયરોગની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી ગઈ છે, હાર્ટ એટેકની સમસ્યાથી નાના-મોટા સૌ કોઈ માટે પરેશાન કરી રહી છે. શિયાળાની કાતિલ ઠંડીમાં લોકો હાર્ટ એટેકથી મોતને ભેટી રહ્યા છે. આજે પાટણના હારીજની મોડેલ સ્કૂલનાં શિક્ષકનું ચાલું શાળા દરમિયાન મોત નિપજ્યું છે. ભરતભાઈ સબુરભાઈ પરમાર નામનાં શિક્ષકનું હાર્ટ એટેકથી મોત થતાં શાળા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે. હાલ શિક્ષકની લાશને પોસ્ટ મોર્ટમ માટે હારીજની સરકારી રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.


ગઈ કાલે જ રાજકોટમાં યુવકનું થયું હતું મોત


હજુ ગઈ કાલે જ રાજકોટમાં ક્રિકેટ રમીને પરત જઈ રહેલા યુવકનું મોત થઈ ગયું હતું, યુવકનું હાર્ટ એટેકથી મોત થઈ ગયું છે. ભરત બારિયા નામનો યુવક લગ્ન પ્રસંગમાં આવ્યો હતો. અન્ય યુવકો સાથે તે ક્રિકેટ રમીને જ્યારે પરત જઈ રહ્યો હતો ત્યારે અચાનક તેની તબિયત લથડી હતી અને ગણતરીની મિનિટોમાં તેનું પ્રાણ પંખીડું ઉડી ગયું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે 8 દિવસ અગાઉ પણ શહેરમાં ક્રિકેટ અને ફૂટબોલ રમતા યુવકના મોતની ઘટના બની હતી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.