Hariyana : ભાણીના લગ્નમાં મામાએ કર્યું એટલું મામેરૂ કે ચારેય તરફ થઈ રહી છે ચર્ચા! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-29 16:12:13

આપણે ત્યાં જ્યારે પણ લગ્નની વિધી થાય ત્યારે મામા મામેરૂ લઈને આવતા હોય છે. બધા પોત પોતાની પરિસ્થિતિ પ્રમાણે મામેરૂ કરતા હોય છે. ત્યારે હરિયાણાથી એક સમાચાર સામે આવ્યા જેમાં મામા એ પોતાની ભાણીના લગ્નમાં એક કરોડ 1 લાખ 11 હજાર 111 રૂપિયાનું મામેરું કર્યું છે. મામાએ પોતાની ભાણીને એટલું બધું શગુન આપ્યું કે તેની ચર્ચા દેશભરમાં થઈ રહી છે. આનો વીડિયો સામે આવ્યા બાદ લોકો આની પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

uncle gives 1 crore in his niece bhaat ceremony


લગ્ન વખતે મામા તરફથી મામેરૂ આપવામાં આવે છે! 

મામેરાની વિધિ દેશના અનેક રાજ્યોમાં લોકપ્રિય છે ત્યાં આનો રિવાજ પણ છે. આજથી નહીં, પરંતુ લાંબા સમયથી. આમાં, ભાઈ પોતાના બહેનના બાળકો એટલે કે તેના ભાણીયા, ભાણીના લગ્નમાં લાવે. ઘરેણાં, રોકડ, કપડાં અને અન્ય વસ્તુઓ આપે છે અને મામેરાની વિધી કરે છે. આવું જ કંઈક રેવાડીના એક ગામમાં થયું. હરિયાણાના રેવાડીને અડીને આવેલા અસલવાસ ગામમાં રહેતા સતબીરની એકમાત્ર બહેનના લગ્ન સિંદરપુરમાં થયા હતા. તે ઘણા સમયથી ગઢી બોલની રોડ પર પડયાવાસ પાસે તેના પરિવાર સાથે રહે છે. તેના પતિનું અવસાન થયું છે. તેમને એક પુત્રી છે. કાકા સતબીર તેમના લગ્નમાં ભાતની વિધિ કરવા આવ્યા હતા.



1 કરોડ, 1 લાખ, 11 હજાર 111 રૂપિયાની આપી રોકડ 

મામેરૂ કરવા જ્યારે મામા આવ્યા ત્યારે સતબીરે 500-500ની નોટોની ઢગલીઓ કાઢી. સમારોહમાં 1 કરોડ, 1 લાખ, 11 હજાર 111 રૂપિયાની રોકડ આપવામાં આવી હતી. આ સિવાય સતબીરે કરોડો રૂપિયાની જ્વેલરી તેમજ અન્ય વસ્તુઓ પણ આપી હતી. આ ધાર્મિક વિધિ દરમિયાનનો વીડિયો પણ સામે આવ્યો છે. મહત્વનું છે કે આ વીડિયો સામે આવ્યા બાદ આની ઓલોચના થઈ રહી છે તો કોઈને આ વીડિયો પસંદ પણ આવી રહ્યો છે.   




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.