Hariyana : ભાણીના લગ્નમાં મામાએ કર્યું એટલું મામેરૂ કે ચારેય તરફ થઈ રહી છે ચર્ચા! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-29 16:12:13

આપણે ત્યાં જ્યારે પણ લગ્નની વિધી થાય ત્યારે મામા મામેરૂ લઈને આવતા હોય છે. બધા પોત પોતાની પરિસ્થિતિ પ્રમાણે મામેરૂ કરતા હોય છે. ત્યારે હરિયાણાથી એક સમાચાર સામે આવ્યા જેમાં મામા એ પોતાની ભાણીના લગ્નમાં એક કરોડ 1 લાખ 11 હજાર 111 રૂપિયાનું મામેરું કર્યું છે. મામાએ પોતાની ભાણીને એટલું બધું શગુન આપ્યું કે તેની ચર્ચા દેશભરમાં થઈ રહી છે. આનો વીડિયો સામે આવ્યા બાદ લોકો આની પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

uncle gives 1 crore in his niece bhaat ceremony


લગ્ન વખતે મામા તરફથી મામેરૂ આપવામાં આવે છે! 

મામેરાની વિધિ દેશના અનેક રાજ્યોમાં લોકપ્રિય છે ત્યાં આનો રિવાજ પણ છે. આજથી નહીં, પરંતુ લાંબા સમયથી. આમાં, ભાઈ પોતાના બહેનના બાળકો એટલે કે તેના ભાણીયા, ભાણીના લગ્નમાં લાવે. ઘરેણાં, રોકડ, કપડાં અને અન્ય વસ્તુઓ આપે છે અને મામેરાની વિધી કરે છે. આવું જ કંઈક રેવાડીના એક ગામમાં થયું. હરિયાણાના રેવાડીને અડીને આવેલા અસલવાસ ગામમાં રહેતા સતબીરની એકમાત્ર બહેનના લગ્ન સિંદરપુરમાં થયા હતા. તે ઘણા સમયથી ગઢી બોલની રોડ પર પડયાવાસ પાસે તેના પરિવાર સાથે રહે છે. તેના પતિનું અવસાન થયું છે. તેમને એક પુત્રી છે. કાકા સતબીર તેમના લગ્નમાં ભાતની વિધિ કરવા આવ્યા હતા.



1 કરોડ, 1 લાખ, 11 હજાર 111 રૂપિયાની આપી રોકડ 

મામેરૂ કરવા જ્યારે મામા આવ્યા ત્યારે સતબીરે 500-500ની નોટોની ઢગલીઓ કાઢી. સમારોહમાં 1 કરોડ, 1 લાખ, 11 હજાર 111 રૂપિયાની રોકડ આપવામાં આવી હતી. આ સિવાય સતબીરે કરોડો રૂપિયાની જ્વેલરી તેમજ અન્ય વસ્તુઓ પણ આપી હતી. આ ધાર્મિક વિધિ દરમિયાનનો વીડિયો પણ સામે આવ્યો છે. મહત્વનું છે કે આ વીડિયો સામે આવ્યા બાદ આની ઓલોચના થઈ રહી છે તો કોઈને આ વીડિયો પસંદ પણ આવી રહ્યો છે.   




સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'