Hariyana : ભાણીના લગ્નમાં મામાએ કર્યું એટલું મામેરૂ કે ચારેય તરફ થઈ રહી છે ચર્ચા! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-29 16:12:13

આપણે ત્યાં જ્યારે પણ લગ્નની વિધી થાય ત્યારે મામા મામેરૂ લઈને આવતા હોય છે. બધા પોત પોતાની પરિસ્થિતિ પ્રમાણે મામેરૂ કરતા હોય છે. ત્યારે હરિયાણાથી એક સમાચાર સામે આવ્યા જેમાં મામા એ પોતાની ભાણીના લગ્નમાં એક કરોડ 1 લાખ 11 હજાર 111 રૂપિયાનું મામેરું કર્યું છે. મામાએ પોતાની ભાણીને એટલું બધું શગુન આપ્યું કે તેની ચર્ચા દેશભરમાં થઈ રહી છે. આનો વીડિયો સામે આવ્યા બાદ લોકો આની પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

uncle gives 1 crore in his niece bhaat ceremony


લગ્ન વખતે મામા તરફથી મામેરૂ આપવામાં આવે છે! 

મામેરાની વિધિ દેશના અનેક રાજ્યોમાં લોકપ્રિય છે ત્યાં આનો રિવાજ પણ છે. આજથી નહીં, પરંતુ લાંબા સમયથી. આમાં, ભાઈ પોતાના બહેનના બાળકો એટલે કે તેના ભાણીયા, ભાણીના લગ્નમાં લાવે. ઘરેણાં, રોકડ, કપડાં અને અન્ય વસ્તુઓ આપે છે અને મામેરાની વિધી કરે છે. આવું જ કંઈક રેવાડીના એક ગામમાં થયું. હરિયાણાના રેવાડીને અડીને આવેલા અસલવાસ ગામમાં રહેતા સતબીરની એકમાત્ર બહેનના લગ્ન સિંદરપુરમાં થયા હતા. તે ઘણા સમયથી ગઢી બોલની રોડ પર પડયાવાસ પાસે તેના પરિવાર સાથે રહે છે. તેના પતિનું અવસાન થયું છે. તેમને એક પુત્રી છે. કાકા સતબીર તેમના લગ્નમાં ભાતની વિધિ કરવા આવ્યા હતા.



1 કરોડ, 1 લાખ, 11 હજાર 111 રૂપિયાની આપી રોકડ 

મામેરૂ કરવા જ્યારે મામા આવ્યા ત્યારે સતબીરે 500-500ની નોટોની ઢગલીઓ કાઢી. સમારોહમાં 1 કરોડ, 1 લાખ, 11 હજાર 111 રૂપિયાની રોકડ આપવામાં આવી હતી. આ સિવાય સતબીરે કરોડો રૂપિયાની જ્વેલરી તેમજ અન્ય વસ્તુઓ પણ આપી હતી. આ ધાર્મિક વિધિ દરમિયાનનો વીડિયો પણ સામે આવ્યો છે. મહત્વનું છે કે આ વીડિયો સામે આવ્યા બાદ આની ઓલોચના થઈ રહી છે તો કોઈને આ વીડિયો પસંદ પણ આવી રહ્યો છે.   




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.