Hariyana : ભાણીના લગ્નમાં મામાએ કર્યું એટલું મામેરૂ કે ચારેય તરફ થઈ રહી છે ચર્ચા! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-29 16:12:13

આપણે ત્યાં જ્યારે પણ લગ્નની વિધી થાય ત્યારે મામા મામેરૂ લઈને આવતા હોય છે. બધા પોત પોતાની પરિસ્થિતિ પ્રમાણે મામેરૂ કરતા હોય છે. ત્યારે હરિયાણાથી એક સમાચાર સામે આવ્યા જેમાં મામા એ પોતાની ભાણીના લગ્નમાં એક કરોડ 1 લાખ 11 હજાર 111 રૂપિયાનું મામેરું કર્યું છે. મામાએ પોતાની ભાણીને એટલું બધું શગુન આપ્યું કે તેની ચર્ચા દેશભરમાં થઈ રહી છે. આનો વીડિયો સામે આવ્યા બાદ લોકો આની પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

uncle gives 1 crore in his niece bhaat ceremony


લગ્ન વખતે મામા તરફથી મામેરૂ આપવામાં આવે છે! 

મામેરાની વિધિ દેશના અનેક રાજ્યોમાં લોકપ્રિય છે ત્યાં આનો રિવાજ પણ છે. આજથી નહીં, પરંતુ લાંબા સમયથી. આમાં, ભાઈ પોતાના બહેનના બાળકો એટલે કે તેના ભાણીયા, ભાણીના લગ્નમાં લાવે. ઘરેણાં, રોકડ, કપડાં અને અન્ય વસ્તુઓ આપે છે અને મામેરાની વિધી કરે છે. આવું જ કંઈક રેવાડીના એક ગામમાં થયું. હરિયાણાના રેવાડીને અડીને આવેલા અસલવાસ ગામમાં રહેતા સતબીરની એકમાત્ર બહેનના લગ્ન સિંદરપુરમાં થયા હતા. તે ઘણા સમયથી ગઢી બોલની રોડ પર પડયાવાસ પાસે તેના પરિવાર સાથે રહે છે. તેના પતિનું અવસાન થયું છે. તેમને એક પુત્રી છે. કાકા સતબીર તેમના લગ્નમાં ભાતની વિધિ કરવા આવ્યા હતા.



1 કરોડ, 1 લાખ, 11 હજાર 111 રૂપિયાની આપી રોકડ 

મામેરૂ કરવા જ્યારે મામા આવ્યા ત્યારે સતબીરે 500-500ની નોટોની ઢગલીઓ કાઢી. સમારોહમાં 1 કરોડ, 1 લાખ, 11 હજાર 111 રૂપિયાની રોકડ આપવામાં આવી હતી. આ સિવાય સતબીરે કરોડો રૂપિયાની જ્વેલરી તેમજ અન્ય વસ્તુઓ પણ આપી હતી. આ ધાર્મિક વિધિ દરમિયાનનો વીડિયો પણ સામે આવ્યો છે. મહત્વનું છે કે આ વીડિયો સામે આવ્યા બાદ આની ઓલોચના થઈ રહી છે તો કોઈને આ વીડિયો પસંદ પણ આવી રહ્યો છે.   




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે