Hariyana : પતિ વિરૂદ્ધ ફરિયાદ કરવા મહિલા પોલીસ સ્ટેશન પહોંચી પરંતુ ત્યાં હાજર રહેલા પોલીસકર્મીએ જે કર્યું તે શરમજનક છે.... જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-05 13:20:00

મહિલા પર થતાં અત્યાચાર પ્રતિદિન વધી રહ્યા છે. દેશમાં અનેક એવી મહિલાઓ છે જે કોઈ વખત ઘરેલુ હિંસાનો ભોગ બનતી હોય છે અથવા તો કોઈના હવસનો ભોગ બનતી હોય છે. અનેક વખત સ્ત્રી સશક્તિકરણની વાતો કરવામાં આવે છે, અનેક વખત એવું કહેવામાં આવે છે કે સ્ત્રીઓએ પોતાના માટે અવાજ ઉઠાવવો જોઈએ. પોતાના પર થતાં અત્યાચાર સામે ફરિયાદ કરવી જોઈએ. ત્યારે હરિયાણાથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં મહિલા પોતાના પતિ વિરૂદ્ધ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચે છે. પતિના ત્રાસથી છુટકારો મળે તે માટે તે પોલીસસ્ટેશન આવી પરંતુ તે પોલીસકર્મીઓના મિત્રોથી ન બચી શકી.   



પોલીસ ઈન્સ્પેક્ટરે જ મહિલાને મિત્રોને હવાલે કરી!   

હરિયાણાથી દિલને કંપાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. પોતાના પતિ વિરૂદ્ધ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચી. પરંતુ ત્યાં હાજર પોલીસકર્મીએ વિવાહીત મહિલાને પોતાના મિત્રોને હવાલે કરી દીધી. આ ઘટના અંગે પોલીસના અધિકારીએ જણાવ્યું કે એક મહિલા પોતાના પતિ વિરૂદ્ધ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચે છે અને ત્યાં હાજર પોલીસ સબ ઈન્સપેક્ટર તેને પોતાના મિત્રોના હવાલે કરી દે છે. 


આટલા લોકોના હવસનો શિકાર બની મહિલા!  

મીડિયા રિપોટર્સ અનુસાર પોલીસ સબ ઈન્સપેક્ટરે મહિલાને બલ્લી નામના વ્યક્તિને સોંપી. બલ્લી મહિલાને ખેતરમાં બનેલી ઝુંપડીમાં લઈ ગયો જ્યાં બે લોકો પહેલેથી હાજર હતા. ત્રણેય લોકોએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી. મહિલા પર સામૂહિક બળાત્કાર કર્યું અને અશ્લીલ વીડિયો પણ બનાવ્યા. તે બાદ શાંતિ નામની મહિલાના ઘરે પીડિતાને લઈ જવામાં આવી, જ્યાં નશાની દવા તેને આપવામાં આવી અને આખી રાત તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યો. તે બાદ ષડયંત્ર અંતર્ગત મહિલાને બિજેન્દ્ર નામના વ્યક્તિને વેચી દેવાઈ.



એવી પણ માહિતી સામે આવી રહી છે કે બિજેન્દ્રએ પણ મહિલાનું શારીરિક શોષણ કર્યું અને પછી તેના સાળાને સોંપી દીધી. સાળા ગજેન્દ્રએ પણ મહિલા પર દુષ્કર્મ આચર્યું. તે બાદ જબરદસ્તી મહિલાને કાગળો પર સાઈન કરાવડાઈ અને અંગૂઠો પણ લેવામાં આવ્યો. આની સામે ઈન્સપેક્ટરને એક લાખ રૂપિયા આપ્યા અને તે બાદ પોલીસકર્મીએ કહ્યું કે આ મામલે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે. પીડિતાને ત્યાં જ બાંધીને રાખી મૂકાઈ. 30 ઓગસ્ટના દિવસે મહિલાના હાથમાં ફોન આવ્યો. 



મહિલાને ફોન મળતા જ પોલીસને કરાઈ આ અંગે જાણ

ફોન મળતા જ મહિલાએ પોલીસને આ અંગેની જાણકારી આપી. ઉપરાંત પતિ અને માતાને પણ માહિતી આપી. માહિતી મળતા જ પોલીસ ગજેન્દ્રના ઘરે આવી અને મહિલાને પોલીસસ્ટેશન લઈ જવાઈ જે બાદ પરિવારને સોંપવામાં આવી હતી. આ ઘટના બની છે તે હસનપુર થાના વિસ્તારમાં બની છે અને 27 જુલાઈના રોજ મહિલા કેસ કરવા માટે પોલીસ સ્ટેશન ગઈ હતી. આ મામલે ઈન્સપેક્ટર સહિત સાત લોકો વિરૂદ્ધ એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. મહિલાએ આ મામલે ફરિયાદ કરી છે. 


પોતાના ઘરમાં પણ હવે મહિલાઓ સુરક્ષિત નથી!

મહત્વનું છે કે અનેક લોકો સ્ત્રીને વસ્તુ માને છે, સ્ત્રીની કિંમત લગાવે છે. એ વસ્તુ યાદ રાખવી પડશે કે સ્ત્રી કોઈ કોઈ વસ્તુ નથી કે તેની કિંમત લગાવાઈ શકાય. અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં છોકરીઓ પણ સુરક્ષિત નથી. પોતાના ઘરમાં પણ હવે મહિલાઓ હવે સુરક્ષિત નથી. પાકિસ્તાનથી પણ એક સમાચાર સામે આવ્યા હતા જેમાં ડોક્ટરે દર્દી પર દુષ્કર્મ આચર્યું હતું.     



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે