Hariyana : પતિ વિરૂદ્ધ ફરિયાદ કરવા મહિલા પોલીસ સ્ટેશન પહોંચી પરંતુ ત્યાં હાજર રહેલા પોલીસકર્મીએ જે કર્યું તે શરમજનક છે.... જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-05 13:20:00

મહિલા પર થતાં અત્યાચાર પ્રતિદિન વધી રહ્યા છે. દેશમાં અનેક એવી મહિલાઓ છે જે કોઈ વખત ઘરેલુ હિંસાનો ભોગ બનતી હોય છે અથવા તો કોઈના હવસનો ભોગ બનતી હોય છે. અનેક વખત સ્ત્રી સશક્તિકરણની વાતો કરવામાં આવે છે, અનેક વખત એવું કહેવામાં આવે છે કે સ્ત્રીઓએ પોતાના માટે અવાજ ઉઠાવવો જોઈએ. પોતાના પર થતાં અત્યાચાર સામે ફરિયાદ કરવી જોઈએ. ત્યારે હરિયાણાથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં મહિલા પોતાના પતિ વિરૂદ્ધ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચે છે. પતિના ત્રાસથી છુટકારો મળે તે માટે તે પોલીસસ્ટેશન આવી પરંતુ તે પોલીસકર્મીઓના મિત્રોથી ન બચી શકી.   



પોલીસ ઈન્સ્પેક્ટરે જ મહિલાને મિત્રોને હવાલે કરી!   

હરિયાણાથી દિલને કંપાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. પોતાના પતિ વિરૂદ્ધ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચી. પરંતુ ત્યાં હાજર પોલીસકર્મીએ વિવાહીત મહિલાને પોતાના મિત્રોને હવાલે કરી દીધી. આ ઘટના અંગે પોલીસના અધિકારીએ જણાવ્યું કે એક મહિલા પોતાના પતિ વિરૂદ્ધ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચે છે અને ત્યાં હાજર પોલીસ સબ ઈન્સપેક્ટર તેને પોતાના મિત્રોના હવાલે કરી દે છે. 


આટલા લોકોના હવસનો શિકાર બની મહિલા!  

મીડિયા રિપોટર્સ અનુસાર પોલીસ સબ ઈન્સપેક્ટરે મહિલાને બલ્લી નામના વ્યક્તિને સોંપી. બલ્લી મહિલાને ખેતરમાં બનેલી ઝુંપડીમાં લઈ ગયો જ્યાં બે લોકો પહેલેથી હાજર હતા. ત્રણેય લોકોએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી. મહિલા પર સામૂહિક બળાત્કાર કર્યું અને અશ્લીલ વીડિયો પણ બનાવ્યા. તે બાદ શાંતિ નામની મહિલાના ઘરે પીડિતાને લઈ જવામાં આવી, જ્યાં નશાની દવા તેને આપવામાં આવી અને આખી રાત તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યો. તે બાદ ષડયંત્ર અંતર્ગત મહિલાને બિજેન્દ્ર નામના વ્યક્તિને વેચી દેવાઈ.



એવી પણ માહિતી સામે આવી રહી છે કે બિજેન્દ્રએ પણ મહિલાનું શારીરિક શોષણ કર્યું અને પછી તેના સાળાને સોંપી દીધી. સાળા ગજેન્દ્રએ પણ મહિલા પર દુષ્કર્મ આચર્યું. તે બાદ જબરદસ્તી મહિલાને કાગળો પર સાઈન કરાવડાઈ અને અંગૂઠો પણ લેવામાં આવ્યો. આની સામે ઈન્સપેક્ટરને એક લાખ રૂપિયા આપ્યા અને તે બાદ પોલીસકર્મીએ કહ્યું કે આ મામલે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે. પીડિતાને ત્યાં જ બાંધીને રાખી મૂકાઈ. 30 ઓગસ્ટના દિવસે મહિલાના હાથમાં ફોન આવ્યો. 



મહિલાને ફોન મળતા જ પોલીસને કરાઈ આ અંગે જાણ

ફોન મળતા જ મહિલાએ પોલીસને આ અંગેની જાણકારી આપી. ઉપરાંત પતિ અને માતાને પણ માહિતી આપી. માહિતી મળતા જ પોલીસ ગજેન્દ્રના ઘરે આવી અને મહિલાને પોલીસસ્ટેશન લઈ જવાઈ જે બાદ પરિવારને સોંપવામાં આવી હતી. આ ઘટના બની છે તે હસનપુર થાના વિસ્તારમાં બની છે અને 27 જુલાઈના રોજ મહિલા કેસ કરવા માટે પોલીસ સ્ટેશન ગઈ હતી. આ મામલે ઈન્સપેક્ટર સહિત સાત લોકો વિરૂદ્ધ એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. મહિલાએ આ મામલે ફરિયાદ કરી છે. 


પોતાના ઘરમાં પણ હવે મહિલાઓ સુરક્ષિત નથી!

મહત્વનું છે કે અનેક લોકો સ્ત્રીને વસ્તુ માને છે, સ્ત્રીની કિંમત લગાવે છે. એ વસ્તુ યાદ રાખવી પડશે કે સ્ત્રી કોઈ કોઈ વસ્તુ નથી કે તેની કિંમત લગાવાઈ શકાય. અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં છોકરીઓ પણ સુરક્ષિત નથી. પોતાના ઘરમાં પણ હવે મહિલાઓ હવે સુરક્ષિત નથી. પાકિસ્તાનથી પણ એક સમાચાર સામે આવ્યા હતા જેમાં ડોક્ટરે દર્દી પર દુષ્કર્મ આચર્યું હતું.     



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.