Hariyana : પતિ વિરૂદ્ધ ફરિયાદ કરવા મહિલા પોલીસ સ્ટેશન પહોંચી પરંતુ ત્યાં હાજર રહેલા પોલીસકર્મીએ જે કર્યું તે શરમજનક છે.... જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-05 13:20:00

મહિલા પર થતાં અત્યાચાર પ્રતિદિન વધી રહ્યા છે. દેશમાં અનેક એવી મહિલાઓ છે જે કોઈ વખત ઘરેલુ હિંસાનો ભોગ બનતી હોય છે અથવા તો કોઈના હવસનો ભોગ બનતી હોય છે. અનેક વખત સ્ત્રી સશક્તિકરણની વાતો કરવામાં આવે છે, અનેક વખત એવું કહેવામાં આવે છે કે સ્ત્રીઓએ પોતાના માટે અવાજ ઉઠાવવો જોઈએ. પોતાના પર થતાં અત્યાચાર સામે ફરિયાદ કરવી જોઈએ. ત્યારે હરિયાણાથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં મહિલા પોતાના પતિ વિરૂદ્ધ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચે છે. પતિના ત્રાસથી છુટકારો મળે તે માટે તે પોલીસસ્ટેશન આવી પરંતુ તે પોલીસકર્મીઓના મિત્રોથી ન બચી શકી.   



પોલીસ ઈન્સ્પેક્ટરે જ મહિલાને મિત્રોને હવાલે કરી!   

હરિયાણાથી દિલને કંપાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. પોતાના પતિ વિરૂદ્ધ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચી. પરંતુ ત્યાં હાજર પોલીસકર્મીએ વિવાહીત મહિલાને પોતાના મિત્રોને હવાલે કરી દીધી. આ ઘટના અંગે પોલીસના અધિકારીએ જણાવ્યું કે એક મહિલા પોતાના પતિ વિરૂદ્ધ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચે છે અને ત્યાં હાજર પોલીસ સબ ઈન્સપેક્ટર તેને પોતાના મિત્રોના હવાલે કરી દે છે. 


આટલા લોકોના હવસનો શિકાર બની મહિલા!  

મીડિયા રિપોટર્સ અનુસાર પોલીસ સબ ઈન્સપેક્ટરે મહિલાને બલ્લી નામના વ્યક્તિને સોંપી. બલ્લી મહિલાને ખેતરમાં બનેલી ઝુંપડીમાં લઈ ગયો જ્યાં બે લોકો પહેલેથી હાજર હતા. ત્રણેય લોકોએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી. મહિલા પર સામૂહિક બળાત્કાર કર્યું અને અશ્લીલ વીડિયો પણ બનાવ્યા. તે બાદ શાંતિ નામની મહિલાના ઘરે પીડિતાને લઈ જવામાં આવી, જ્યાં નશાની દવા તેને આપવામાં આવી અને આખી રાત તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યો. તે બાદ ષડયંત્ર અંતર્ગત મહિલાને બિજેન્દ્ર નામના વ્યક્તિને વેચી દેવાઈ.



એવી પણ માહિતી સામે આવી રહી છે કે બિજેન્દ્રએ પણ મહિલાનું શારીરિક શોષણ કર્યું અને પછી તેના સાળાને સોંપી દીધી. સાળા ગજેન્દ્રએ પણ મહિલા પર દુષ્કર્મ આચર્યું. તે બાદ જબરદસ્તી મહિલાને કાગળો પર સાઈન કરાવડાઈ અને અંગૂઠો પણ લેવામાં આવ્યો. આની સામે ઈન્સપેક્ટરને એક લાખ રૂપિયા આપ્યા અને તે બાદ પોલીસકર્મીએ કહ્યું કે આ મામલે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે. પીડિતાને ત્યાં જ બાંધીને રાખી મૂકાઈ. 30 ઓગસ્ટના દિવસે મહિલાના હાથમાં ફોન આવ્યો. 



મહિલાને ફોન મળતા જ પોલીસને કરાઈ આ અંગે જાણ

ફોન મળતા જ મહિલાએ પોલીસને આ અંગેની જાણકારી આપી. ઉપરાંત પતિ અને માતાને પણ માહિતી આપી. માહિતી મળતા જ પોલીસ ગજેન્દ્રના ઘરે આવી અને મહિલાને પોલીસસ્ટેશન લઈ જવાઈ જે બાદ પરિવારને સોંપવામાં આવી હતી. આ ઘટના બની છે તે હસનપુર થાના વિસ્તારમાં બની છે અને 27 જુલાઈના રોજ મહિલા કેસ કરવા માટે પોલીસ સ્ટેશન ગઈ હતી. આ મામલે ઈન્સપેક્ટર સહિત સાત લોકો વિરૂદ્ધ એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. મહિલાએ આ મામલે ફરિયાદ કરી છે. 


પોતાના ઘરમાં પણ હવે મહિલાઓ સુરક્ષિત નથી!

મહત્વનું છે કે અનેક લોકો સ્ત્રીને વસ્તુ માને છે, સ્ત્રીની કિંમત લગાવે છે. એ વસ્તુ યાદ રાખવી પડશે કે સ્ત્રી કોઈ કોઈ વસ્તુ નથી કે તેની કિંમત લગાવાઈ શકાય. અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં છોકરીઓ પણ સુરક્ષિત નથી. પોતાના ઘરમાં પણ હવે મહિલાઓ હવે સુરક્ષિત નથી. પાકિસ્તાનથી પણ એક સમાચાર સામે આવ્યા હતા જેમાં ડોક્ટરે દર્દી પર દુષ્કર્મ આચર્યું હતું.     



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.