આનંદો! પોલીસ ભરતી અંગે હર્ષ સંઘવીએ કરી મહત્વની જાહેરાત, સપ્ટેમ્બર બાદ લેવાશે ફિઝિકલ ટેસ્ટ


  • Published By :
  • Published Date : 2023-05-18 19:54:55

રાજ્યમાં પોલીસ ભરતી માટે દિવસ-રાત તૈયારીઓ કરી રહેલા યુવાનો માટે આનંદના સમાચાર આવ્યા છે. છેલ્લા ઘણાં સમયથી પોલીસ ભરતીની ફિઝિકલ ટેસ્ટની રાહ જોઈ રહેલા ઉમેદવારોની આતુરતાનો આખરે ટૂંક સમયમાં અંત આવશે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ભરતીની ફિઝિકલ ટેસ્ટ લેવાની જાહેરાત કરી છે.


હર્ષ સંઘવીએ શું કહ્યું?


પોલીસની ભરતી મુદ્દે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આગામી સપ્ટેમ્બર સુધીમાં પોલીસ ભરતીની ફીઝીકલ ટેસ્ટ લેવાની જાહેરાત કરવામાં આવશે.પોલીસ ભરતી માટેની ફિઝિકલ ટેસ્ટ યોગ્ય વાતાવરણમાં લેવી પડતી હોવાથી ઉનાળા અને ચોમાસાના કારણે ફિઝિકલ ટેસ્ટમાં વિલંબ થયો છે. હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ ભરતીને જે ફીઝીકલ પરીક્ષા લેવાતી હોય છે તે યોગ્ય વાતાવરણમાં લેવી પડે છે. હવે કોઈ યુવાને વધુ રાહ જોવી પડશે જ નહી ગરમીની સીઝન પૂર્ણ થાય તેવી તરત જ તેની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે. અને પોલીસની ભરતીમાં ફીઝીકલ પરીક્ષા ગરમી તેમજ ચોમાસામાં લેવામાં ખૂબ તકલીફ પડતી હોય છે. આ કારણે આગામી સપ્ટેમ્બર મહિના બાદ પોલીસ ભરતી માટે ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે. આ માટે સપ્ટેમ્બર મહિના સુધીમાં સરકાર દ્વારા પોલીસ ભરતીનું આયોજન કરવામાં આવશે.


8 હજાર પોલીસકર્મીઓની થશે ભરતી


અત્રે ઉલ્લેખનિય છે કે બે મહિના અગાઉ હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં 8000 જેટલા પોલીસ કર્મચારીઓની ભરતી કરવાની જાહેરાત કરી હતી. જેમાં 325 બિન હથિયારી PSI, હથિયારી, બિન હથિયારી કૉન્સ્ટેબલની 6324 જગ્યાઓ પર ભરતી કરવાનું જણાવાયું હતુ. આ ઉપરાંત 628 પુરુષ જેલ સિપાઈ અને 57 મહિલા સિપાઈની ભરતી કરવામાં આવવાની જાહેરાત કરાઈ હતી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.