આનંદો! પોલીસ ભરતી અંગે હર્ષ સંઘવીએ કરી મહત્વની જાહેરાત, સપ્ટેમ્બર બાદ લેવાશે ફિઝિકલ ટેસ્ટ


  • Published By :
  • Published Date : 2023-05-18 19:54:55

રાજ્યમાં પોલીસ ભરતી માટે દિવસ-રાત તૈયારીઓ કરી રહેલા યુવાનો માટે આનંદના સમાચાર આવ્યા છે. છેલ્લા ઘણાં સમયથી પોલીસ ભરતીની ફિઝિકલ ટેસ્ટની રાહ જોઈ રહેલા ઉમેદવારોની આતુરતાનો આખરે ટૂંક સમયમાં અંત આવશે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ભરતીની ફિઝિકલ ટેસ્ટ લેવાની જાહેરાત કરી છે.


હર્ષ સંઘવીએ શું કહ્યું?


પોલીસની ભરતી મુદ્દે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આગામી સપ્ટેમ્બર સુધીમાં પોલીસ ભરતીની ફીઝીકલ ટેસ્ટ લેવાની જાહેરાત કરવામાં આવશે.પોલીસ ભરતી માટેની ફિઝિકલ ટેસ્ટ યોગ્ય વાતાવરણમાં લેવી પડતી હોવાથી ઉનાળા અને ચોમાસાના કારણે ફિઝિકલ ટેસ્ટમાં વિલંબ થયો છે. હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ ભરતીને જે ફીઝીકલ પરીક્ષા લેવાતી હોય છે તે યોગ્ય વાતાવરણમાં લેવી પડે છે. હવે કોઈ યુવાને વધુ રાહ જોવી પડશે જ નહી ગરમીની સીઝન પૂર્ણ થાય તેવી તરત જ તેની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે. અને પોલીસની ભરતીમાં ફીઝીકલ પરીક્ષા ગરમી તેમજ ચોમાસામાં લેવામાં ખૂબ તકલીફ પડતી હોય છે. આ કારણે આગામી સપ્ટેમ્બર મહિના બાદ પોલીસ ભરતી માટે ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે. આ માટે સપ્ટેમ્બર મહિના સુધીમાં સરકાર દ્વારા પોલીસ ભરતીનું આયોજન કરવામાં આવશે.


8 હજાર પોલીસકર્મીઓની થશે ભરતી


અત્રે ઉલ્લેખનિય છે કે બે મહિના અગાઉ હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં 8000 જેટલા પોલીસ કર્મચારીઓની ભરતી કરવાની જાહેરાત કરી હતી. જેમાં 325 બિન હથિયારી PSI, હથિયારી, બિન હથિયારી કૉન્સ્ટેબલની 6324 જગ્યાઓ પર ભરતી કરવાનું જણાવાયું હતુ. આ ઉપરાંત 628 પુરુષ જેલ સિપાઈ અને 57 મહિલા સિપાઈની ભરતી કરવામાં આવવાની જાહેરાત કરાઈ હતી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.