લ્યો બોલો! હવે હર્ષ સંઘવીનો નકલી PA ઝડપાયો, PA દત્તાજીના સ્વાંગમાં રોફ જમાવતો હતો ગઠિયો


  • Published By :
  • Published Date : 2023-07-17 22:12:44

સત્તાધારી પક્ષના કોઈ વગદાર નેતાના નામ પર લોકો સામે રોફ જમાવતા ગઠિયાઓની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે. નેતા સાથે ઓળખાણ હોવાનું કહીં લોકોને ઠગતા લેભાગુ તત્વોથી સાવધાન રહેવાની જરૂર છે. ગીર સોમનાથમાં LCBની ટીમે ગૃહ રાજ્યમંત્રીના PAની ખોટી ઓળખ આપી રોફ જમાવતા એક વ્યક્તિની ધરપકડ કરી છે. ગીર સોમનાથ LCBની ટીમે ગૃહ રાજ્યમંત્રીના PAની ખોટી ઓળખ આપનાર વ્યક્તિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહીં હાથ ધરી છે.


હર્ષ સંઘવીના નામે લોકોને ઠગતો હતો ઠગ


ગીરસોમનાથમાં ગૃહ રાજ્યમંત્રીના PA દત્તાજીની ખોટી ઓળખ આપીને લોકોને ઠગતા જગદીશ નંદાણીયાની ગીર સોમનાથ LCBની ટીમે ધરપકડ કરતા તેનો ભાંડો ફૂટી ગયો હતો. ઠગ જગદીશ નંદાણીયાની લોકો તેની વાતમાં ફોસલાઈ જાય તે માટે ગઠિયાએ ટ્રુ કોલર એપલિકેશનમાં તેના નંબરની ઓળખમાં હર્ષ સંઘવી PA લખ્યું હતું. સાથે જ હર્ષ સંઘવીનો ફોટો પણ મુક્યો હતો. ત્યાર બાદ ગઠિયો ગૃહમંત્રીના PA દત્તાજીની ખોટી ઓળખ આપીને સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓમાં નોકરી કરતાં નોકરીયાતોની બદલી કરવા, નોકરીમાં રાહત આપવા વગેરે પ્રકારની ભલામણો કરવા માટે અધિકારી અને કર્મચારીઓને ફોન કરતો હતો.


ગઠિયો કઈ રીતે ઝડપાયો?


ઠગ જગદીશ નંદાણીયાએ દોઢ મહિના પહેલા વેરાવળ ST ડેપોમાં ટ્રાફિક ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા દયારામ મેસવાણીયાને ફોન કરીને કહ્યું હતુ કે, તે હર્ષ સંઘવીની ઓફિસમાંથી PA દત્તાજી બોલે છે, તમારા ડેપોમાં ફરજ બજાવતા ગોપાલ બારડ નોકરી કરે છે. તેમને AC બસમાં ફરજ ફાળવજો સંઘવી સાહેબ સાથે વાત થઈ ગઈ છે. જોકે ટ્રાફિક ઈન્સપેક્ટર ઉપરના અધિકારીને વાત કરજો તેમ કહેતા ગઠિયાએ કહ્યું હતું કે, તમારે વલસાડ બદલીમાં જવું લાગે છે તેમ કહીને ફોન કાપી નાખ્યો હતો. ત્યાર બાદ દશ દિવસ પછી ફરીથી ગઠિયાએ ફોન કર્યો હતો અને ફરીથી પોતાની ઓળખ દત્તાજી PA તરીકેની આપીને કહ્યું હતું કે, ગોપાલ બારડને AC બસમાં તમે કેમ નોકરી આપતા નથી. જોકે ટ્રાફિક ઈન્સપેક્ટર શક્ય નથી તેવું કહેતા ફોન કાપી નાખ્યો હતો. ટ્રાફિક ઈન્સપેક્ટરને ગઠિયા પર શંકા જતાં તેમણે ઉપરી અધિકારીઓને જાણ કરી હતી અને ત્યારબાદ આ અંગે વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અંતે ગીર સોમનાથ LCBની ટીમે જગદીશ નંદાણીયાને ઉમરેઠી ગામ પાસેથી ઝડપી પાડ્યો હતો.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.