લ્યો બોલો! હવે હર્ષ સંઘવીનો નકલી PA ઝડપાયો, PA દત્તાજીના સ્વાંગમાં રોફ જમાવતો હતો ગઠિયો


  • Published By :
  • Published Date : 2023-07-17 22:12:44

સત્તાધારી પક્ષના કોઈ વગદાર નેતાના નામ પર લોકો સામે રોફ જમાવતા ગઠિયાઓની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે. નેતા સાથે ઓળખાણ હોવાનું કહીં લોકોને ઠગતા લેભાગુ તત્વોથી સાવધાન રહેવાની જરૂર છે. ગીર સોમનાથમાં LCBની ટીમે ગૃહ રાજ્યમંત્રીના PAની ખોટી ઓળખ આપી રોફ જમાવતા એક વ્યક્તિની ધરપકડ કરી છે. ગીર સોમનાથ LCBની ટીમે ગૃહ રાજ્યમંત્રીના PAની ખોટી ઓળખ આપનાર વ્યક્તિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહીં હાથ ધરી છે.


હર્ષ સંઘવીના નામે લોકોને ઠગતો હતો ઠગ


ગીરસોમનાથમાં ગૃહ રાજ્યમંત્રીના PA દત્તાજીની ખોટી ઓળખ આપીને લોકોને ઠગતા જગદીશ નંદાણીયાની ગીર સોમનાથ LCBની ટીમે ધરપકડ કરતા તેનો ભાંડો ફૂટી ગયો હતો. ઠગ જગદીશ નંદાણીયાની લોકો તેની વાતમાં ફોસલાઈ જાય તે માટે ગઠિયાએ ટ્રુ કોલર એપલિકેશનમાં તેના નંબરની ઓળખમાં હર્ષ સંઘવી PA લખ્યું હતું. સાથે જ હર્ષ સંઘવીનો ફોટો પણ મુક્યો હતો. ત્યાર બાદ ગઠિયો ગૃહમંત્રીના PA દત્તાજીની ખોટી ઓળખ આપીને સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓમાં નોકરી કરતાં નોકરીયાતોની બદલી કરવા, નોકરીમાં રાહત આપવા વગેરે પ્રકારની ભલામણો કરવા માટે અધિકારી અને કર્મચારીઓને ફોન કરતો હતો.


ગઠિયો કઈ રીતે ઝડપાયો?


ઠગ જગદીશ નંદાણીયાએ દોઢ મહિના પહેલા વેરાવળ ST ડેપોમાં ટ્રાફિક ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા દયારામ મેસવાણીયાને ફોન કરીને કહ્યું હતુ કે, તે હર્ષ સંઘવીની ઓફિસમાંથી PA દત્તાજી બોલે છે, તમારા ડેપોમાં ફરજ બજાવતા ગોપાલ બારડ નોકરી કરે છે. તેમને AC બસમાં ફરજ ફાળવજો સંઘવી સાહેબ સાથે વાત થઈ ગઈ છે. જોકે ટ્રાફિક ઈન્સપેક્ટર ઉપરના અધિકારીને વાત કરજો તેમ કહેતા ગઠિયાએ કહ્યું હતું કે, તમારે વલસાડ બદલીમાં જવું લાગે છે તેમ કહીને ફોન કાપી નાખ્યો હતો. ત્યાર બાદ દશ દિવસ પછી ફરીથી ગઠિયાએ ફોન કર્યો હતો અને ફરીથી પોતાની ઓળખ દત્તાજી PA તરીકેની આપીને કહ્યું હતું કે, ગોપાલ બારડને AC બસમાં તમે કેમ નોકરી આપતા નથી. જોકે ટ્રાફિક ઈન્સપેક્ટર શક્ય નથી તેવું કહેતા ફોન કાપી નાખ્યો હતો. ટ્રાફિક ઈન્સપેક્ટરને ગઠિયા પર શંકા જતાં તેમણે ઉપરી અધિકારીઓને જાણ કરી હતી અને ત્યારબાદ આ અંગે વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અંતે ગીર સોમનાથ LCBની ટીમે જગદીશ નંદાણીયાને ઉમરેઠી ગામ પાસેથી ઝડપી પાડ્યો હતો.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.