સ્ટંટ કરતા લોકોને Harsh Sanghviએ આપી આ સલાહ, કહ્યું જો સ્ટંટ કરવાનો આટલો જ શોખ હોય તો...


  • Published By :
  • Published Date : 2023-08-19 19:29:25

સોશિયલ મીડિયા પર અનેક લોકોના સ્ટંટ કરતા વીડિયો વાયરલ થતા હોય છે. તથ્યકાંડ બાદ તો સ્ટંટ કરનાર લોકોના વીડિયો બહુ સામે આવવા લાગ્યા હતા. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં વીડિયો પોલીસની નજરે આવતા લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ એક્શન મોડમાં દેખાઈ રહી છે. ત્યારે સ્ટંટ કરતા લોકોને, સ્ટંટ બાજોને હર્ષ સંઘવીએ એક સંદેશો આપ્યો છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેફામ રીતે વાહન ચલાવતા લોકોને સલાહ આપી છે. હર્ષ સંઘવીએ કહ્યું કે સ્ટંટ કરવાનો આટલો જ શોખ હોય તો આર્મીમાં જોડાઈ જાવ.     

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે સ્ટંટ કરતા લોકોના વીડિયો 

અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. સ્ટંટ કરતા લોકોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હોય છે. બેફામ રીતે વાહનો લોકો ચલાવે છે. જો અકસ્માત થાય તો તેમના ઝડપની મજા બીજા માટે મોતની સજા બનતું હોય છે. થોડા સમય પહેલા અમદાવાદમાં એક એક્સિડન્ટ થયો હતો જેમાં 10 નિર્દોષ લોકોના મોત થયા હતા. તે બાદ પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ કરવામાં આવી હતી. પરંતુ અનેક લોકો એવા જેમને જાણે કાયદાનો ડર જ ન હોય. 


સ્ટંટ કરતા લોકોને હર્ષ સંઘવીએ આપી આ સલાહ 

બેફામ રીતે વાહનો ચલાવતા લોકોના વીડિયો વાયરલ થતાં હોય છે. ત્યારે સ્ટંટ કરતા લોકોને હર્ષ સંઘવીએ એક મેસેજ આપ્યો છે. હર્ષ સંઘવીએ કહ્યું કે જો તમને થ્રિલ અને સ્ટંટ કરવાનો એટલો જ શોખ હોય અને તમારી અંદર એટલું જ ડેરિંગ હોય તો તમે મહેનત કરીને ઈન્ડિયન આર્મીમાં ભરતી થાવ અને દેશની સરહદ પર જઈને દેશની રક્ષા માટે તમે દરેક લોકો મહત્વનો રોલ ભજવો. વધુમાં તેમણે કહ્યું કે તમને એટલો જ શોખ હોય તો એક સારા ડોક્ટર બનીને એક સામાન્ય ગામની અંદર જઈને ઓપરેશન કરીને મારા રાજ્યના નાગરિકોને બચાવવાની કામગીરી કરો. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.