સ્ટંટ કરતા લોકોને Harsh Sanghviએ આપી આ સલાહ, કહ્યું જો સ્ટંટ કરવાનો આટલો જ શોખ હોય તો...


  • Published By :
  • Published Date : 2023-08-19 19:29:25

સોશિયલ મીડિયા પર અનેક લોકોના સ્ટંટ કરતા વીડિયો વાયરલ થતા હોય છે. તથ્યકાંડ બાદ તો સ્ટંટ કરનાર લોકોના વીડિયો બહુ સામે આવવા લાગ્યા હતા. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં વીડિયો પોલીસની નજરે આવતા લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ એક્શન મોડમાં દેખાઈ રહી છે. ત્યારે સ્ટંટ કરતા લોકોને, સ્ટંટ બાજોને હર્ષ સંઘવીએ એક સંદેશો આપ્યો છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેફામ રીતે વાહન ચલાવતા લોકોને સલાહ આપી છે. હર્ષ સંઘવીએ કહ્યું કે સ્ટંટ કરવાનો આટલો જ શોખ હોય તો આર્મીમાં જોડાઈ જાવ.     

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે સ્ટંટ કરતા લોકોના વીડિયો 

અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. સ્ટંટ કરતા લોકોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હોય છે. બેફામ રીતે વાહનો લોકો ચલાવે છે. જો અકસ્માત થાય તો તેમના ઝડપની મજા બીજા માટે મોતની સજા બનતું હોય છે. થોડા સમય પહેલા અમદાવાદમાં એક એક્સિડન્ટ થયો હતો જેમાં 10 નિર્દોષ લોકોના મોત થયા હતા. તે બાદ પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ કરવામાં આવી હતી. પરંતુ અનેક લોકો એવા જેમને જાણે કાયદાનો ડર જ ન હોય. 


સ્ટંટ કરતા લોકોને હર્ષ સંઘવીએ આપી આ સલાહ 

બેફામ રીતે વાહનો ચલાવતા લોકોના વીડિયો વાયરલ થતાં હોય છે. ત્યારે સ્ટંટ કરતા લોકોને હર્ષ સંઘવીએ એક મેસેજ આપ્યો છે. હર્ષ સંઘવીએ કહ્યું કે જો તમને થ્રિલ અને સ્ટંટ કરવાનો એટલો જ શોખ હોય અને તમારી અંદર એટલું જ ડેરિંગ હોય તો તમે મહેનત કરીને ઈન્ડિયન આર્મીમાં ભરતી થાવ અને દેશની સરહદ પર જઈને દેશની રક્ષા માટે તમે દરેક લોકો મહત્વનો રોલ ભજવો. વધુમાં તેમણે કહ્યું કે તમને એટલો જ શોખ હોય તો એક સારા ડોક્ટર બનીને એક સામાન્ય ગામની અંદર જઈને ઓપરેશન કરીને મારા રાજ્યના નાગરિકોને બચાવવાની કામગીરી કરો. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.