Gandhinagar લીકર પોલિસી મુદ્દે Harsh Sanghviએ આપ્યું નિવેદન, કહ્યું કે....


  • Published By :
  • Published Date : 2023-12-25 16:43:53

ગાંધીનગર ગિફ્ટસીટીમાં ગુજરાત સરકારે લિકરની પરમિશન આપી છે. આ બાદ દરેક જગ્યાઓ પર આની ચર્ચાઓ થઈ રહી છે. અલગ અલગ તર્ક વિતર્ક સામે આવ્યા છે. આ બધા વચ્ચે હવે રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે લિકર પરમિટને લઈ માર્ગદર્શિકા જાહેર થશે અને પરિમટ મુદ્દે નિયમ છે તે વિભાગ દ્વારા આપવામાં આવશે તેવી જાણકારી તેમણે આપી છે.

Harsh Sanghvi News In Gujarati: Harsh Sanghvi Latest News, Harsh Sanghvi  News, Photos & Videos - News18 ગુજરાતી


વિભાગ દ્વારા નિયમો કરવામાં આવશે જાહેર     

થોડા દિવસ પહેલા ગુજરાત સરકારે ગાંધીનગર ગિફ્ટ સીટીમાં દારૂની છૂટ આપી છે. આ બાદ વિપક્ષી નેતાઓ દ્વારા આ અંગે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. વિપક્ષી નેતાઓએ આ નિર્ણયને વખોડ્યો હતો. તેમનું કહેવું હતું કે જો કોઈ પકડાય છે તો તે કહી દેશે કે ગિફ્ટ સીટીથી આવ્યો છે. લિકર પોલીસીને લઈ લોકોમાં ચર્ચાઓ ચાલી રહી હતી. આ બધા વચ્ચે હર્ષ સંઘવીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. ગિફ્ટ સિટી ગાંધીનગરમાં દારૂબંધીની છૂટ મુદ્દે હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે લિકર પરમિટને લઈ માગર્દર્શિકા જાહેર થશે અને પરમિટ મુદ્દે નિયમ છે તે વિભાગ દ્વારા આપવામાં આવશે.  


પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.