Gandhinagar લીકર પોલિસી મુદ્દે Harsh Sanghviએ આપ્યું નિવેદન, કહ્યું કે....


  • Published By :
  • Published Date : 2023-12-25 16:43:53

ગાંધીનગર ગિફ્ટસીટીમાં ગુજરાત સરકારે લિકરની પરમિશન આપી છે. આ બાદ દરેક જગ્યાઓ પર આની ચર્ચાઓ થઈ રહી છે. અલગ અલગ તર્ક વિતર્ક સામે આવ્યા છે. આ બધા વચ્ચે હવે રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે લિકર પરમિટને લઈ માર્ગદર્શિકા જાહેર થશે અને પરિમટ મુદ્દે નિયમ છે તે વિભાગ દ્વારા આપવામાં આવશે તેવી જાણકારી તેમણે આપી છે.

Harsh Sanghvi News In Gujarati: Harsh Sanghvi Latest News, Harsh Sanghvi  News, Photos & Videos - News18 ગુજરાતી


વિભાગ દ્વારા નિયમો કરવામાં આવશે જાહેર     

થોડા દિવસ પહેલા ગુજરાત સરકારે ગાંધીનગર ગિફ્ટ સીટીમાં દારૂની છૂટ આપી છે. આ બાદ વિપક્ષી નેતાઓ દ્વારા આ અંગે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. વિપક્ષી નેતાઓએ આ નિર્ણયને વખોડ્યો હતો. તેમનું કહેવું હતું કે જો કોઈ પકડાય છે તો તે કહી દેશે કે ગિફ્ટ સીટીથી આવ્યો છે. લિકર પોલીસીને લઈ લોકોમાં ચર્ચાઓ ચાલી રહી હતી. આ બધા વચ્ચે હર્ષ સંઘવીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. ગિફ્ટ સિટી ગાંધીનગરમાં દારૂબંધીની છૂટ મુદ્દે હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે લિકર પરમિટને લઈ માગર્દર્શિકા જાહેર થશે અને પરમિટ મુદ્દે નિયમ છે તે વિભાગ દ્વારા આપવામાં આવશે.  


જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.