Gandhinagar લીકર પોલિસી મુદ્દે Harsh Sanghviએ આપ્યું નિવેદન, કહ્યું કે....


  • Published By :
  • Published Date : 2023-12-25 16:43:53

ગાંધીનગર ગિફ્ટસીટીમાં ગુજરાત સરકારે લિકરની પરમિશન આપી છે. આ બાદ દરેક જગ્યાઓ પર આની ચર્ચાઓ થઈ રહી છે. અલગ અલગ તર્ક વિતર્ક સામે આવ્યા છે. આ બધા વચ્ચે હવે રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે લિકર પરમિટને લઈ માર્ગદર્શિકા જાહેર થશે અને પરિમટ મુદ્દે નિયમ છે તે વિભાગ દ્વારા આપવામાં આવશે તેવી જાણકારી તેમણે આપી છે.

Harsh Sanghvi News In Gujarati: Harsh Sanghvi Latest News, Harsh Sanghvi  News, Photos & Videos - News18 ગુજરાતી


વિભાગ દ્વારા નિયમો કરવામાં આવશે જાહેર     

થોડા દિવસ પહેલા ગુજરાત સરકારે ગાંધીનગર ગિફ્ટ સીટીમાં દારૂની છૂટ આપી છે. આ બાદ વિપક્ષી નેતાઓ દ્વારા આ અંગે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. વિપક્ષી નેતાઓએ આ નિર્ણયને વખોડ્યો હતો. તેમનું કહેવું હતું કે જો કોઈ પકડાય છે તો તે કહી દેશે કે ગિફ્ટ સીટીથી આવ્યો છે. લિકર પોલીસીને લઈ લોકોમાં ચર્ચાઓ ચાલી રહી હતી. આ બધા વચ્ચે હર્ષ સંઘવીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. ગિફ્ટ સિટી ગાંધીનગરમાં દારૂબંધીની છૂટ મુદ્દે હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે લિકર પરમિટને લઈ માગર્દર્શિકા જાહેર થશે અને પરમિટ મુદ્દે નિયમ છે તે વિભાગ દ્વારા આપવામાં આવશે.  


ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.