Gandhinagar લીકર પોલિસી મુદ્દે Harsh Sanghviએ આપ્યું નિવેદન, કહ્યું કે....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-25 16:43:53

ગાંધીનગર ગિફ્ટસીટીમાં ગુજરાત સરકારે લિકરની પરમિશન આપી છે. આ બાદ દરેક જગ્યાઓ પર આની ચર્ચાઓ થઈ રહી છે. અલગ અલગ તર્ક વિતર્ક સામે આવ્યા છે. આ બધા વચ્ચે હવે રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે લિકર પરમિટને લઈ માર્ગદર્શિકા જાહેર થશે અને પરિમટ મુદ્દે નિયમ છે તે વિભાગ દ્વારા આપવામાં આવશે તેવી જાણકારી તેમણે આપી છે.

Harsh Sanghvi News In Gujarati: Harsh Sanghvi Latest News, Harsh Sanghvi  News, Photos & Videos - News18 ગુજરાતી


વિભાગ દ્વારા નિયમો કરવામાં આવશે જાહેર     

થોડા દિવસ પહેલા ગુજરાત સરકારે ગાંધીનગર ગિફ્ટ સીટીમાં દારૂની છૂટ આપી છે. આ બાદ વિપક્ષી નેતાઓ દ્વારા આ અંગે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. વિપક્ષી નેતાઓએ આ નિર્ણયને વખોડ્યો હતો. તેમનું કહેવું હતું કે જો કોઈ પકડાય છે તો તે કહી દેશે કે ગિફ્ટ સીટીથી આવ્યો છે. લિકર પોલીસીને લઈ લોકોમાં ચર્ચાઓ ચાલી રહી હતી. આ બધા વચ્ચે હર્ષ સંઘવીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. ગિફ્ટ સિટી ગાંધીનગરમાં દારૂબંધીની છૂટ મુદ્દે હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે લિકર પરમિટને લઈ માગર્દર્શિકા જાહેર થશે અને પરમિટ મુદ્દે નિયમ છે તે વિભાગ દ્વારા આપવામાં આવશે.  


સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'