પોલીસ ભરતીને લઈ હર્ષ સંઘવીએ કરી મહત્વપૂર્ણ જાહેરાત, જાણો કેટલા પોલીસ કર્મીઓની કરાશે ભરતી


  • Published By :
  • Published Date : 2023-03-21 17:35:36

ગુજરાત વિધાનસભામાં હાલ સત્ર ચાલી રહ્યું છે. સત્રમાં અનેક ચર્ચાઓ તેમજ કાર્યવાહી કરવામાં આવી હોય છે. અનેક વખત મહત્વપૂર્ણ જાહેરાતો પણ સત્ર દરમિયાન કરવામાં આવતી હોય છે. ત્યારે આજે ગુજરાત ગૃહ વિભાગની માગણીઓ વિશેની ચર્ચા ચાલુ હતી તે દરમિયાન હર્ષ સંઘવીએ એક જાહેરાત કરી છે. પ્રશ્નોનો જવાબ આપતા જાહેરાત કરી કે 8 હજારથી વધુ પોલીસ કર્મચારીની ભરતી કરવામાં આવશે. ઉનાળા બાદ પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. 


ઉનાળો પૂર્ણ થશે તે બાદ લેવાશે પ્રેક્ટિકલ પરીક્ષા  

મહત્વનું છે કે ગયા વર્ષે પણ પોલીસ વિભાગે દસ હજારથી વધુ પોલીસ પદો માટે પરીક્ષાઓ લેવામાં આવી હતી. જેમાં એલઆરડી અને પીએસસાઈ પદ માટે ભરતી કરવામાં આવી હતી. ભરતી પૂરી થયા બાદ ગૃહવિભાગે ફરી જાહેરાત કરી હતી કે 2023માં દસ હજાર પદો માટે ફરીવાર પોલીસ ભરતી યોજાશે. જે હવે વિધાનસભા ગૃહમાં જાહેરાત થઈ ગઈ છે કે 8 હજારથી વધુ પદ માટે ભરતી કરવામાં આવશે. જો કે હજુ કોઈ નોટિફિકેશ બહાર પાડવામાં નથી આવ્યું પણ ગુજરાતના વિધાનસભા ગૃહમાં મૌખિક જાહેરાત થઈ છે તે નોંધવામાં પણ આવી છે. વિધાનસભા ગૃહમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે ગરમી પૂરી થશે ત્યાર બાદ પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે. એટલે કે બેથી ત્રણ મહિના બાદ પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે.


આ જગ્યાઓ માટે કરાશે ભરતી!

ત્યારે મળતી માહિતી અનુસાર રાજ્યના 7384 પોલીસ કર્મીઓની ભરતી કરવામાં આવશે. ઉનાળા બાદ પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. 6324 જગ્યાઓ પર પોલીસ કોન્સ્ટેબલની ભરતી કરવામાં આવશે. 678 જગ્યા પર જેલ સિપાહી પૂરુષની ભરતી કરવામાં આવશે. બિન હથિયારી પીએસઆઈની 325 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.   




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે