પોલીસ ભરતીને લઈ હર્ષ સંઘવીએ કરી મહત્વપૂર્ણ જાહેરાત, જાણો કેટલા પોલીસ કર્મીઓની કરાશે ભરતી


  • Published By :
  • Published Date : 2023-03-21 17:35:36

ગુજરાત વિધાનસભામાં હાલ સત્ર ચાલી રહ્યું છે. સત્રમાં અનેક ચર્ચાઓ તેમજ કાર્યવાહી કરવામાં આવી હોય છે. અનેક વખત મહત્વપૂર્ણ જાહેરાતો પણ સત્ર દરમિયાન કરવામાં આવતી હોય છે. ત્યારે આજે ગુજરાત ગૃહ વિભાગની માગણીઓ વિશેની ચર્ચા ચાલુ હતી તે દરમિયાન હર્ષ સંઘવીએ એક જાહેરાત કરી છે. પ્રશ્નોનો જવાબ આપતા જાહેરાત કરી કે 8 હજારથી વધુ પોલીસ કર્મચારીની ભરતી કરવામાં આવશે. ઉનાળા બાદ પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. 


ઉનાળો પૂર્ણ થશે તે બાદ લેવાશે પ્રેક્ટિકલ પરીક્ષા  

મહત્વનું છે કે ગયા વર્ષે પણ પોલીસ વિભાગે દસ હજારથી વધુ પોલીસ પદો માટે પરીક્ષાઓ લેવામાં આવી હતી. જેમાં એલઆરડી અને પીએસસાઈ પદ માટે ભરતી કરવામાં આવી હતી. ભરતી પૂરી થયા બાદ ગૃહવિભાગે ફરી જાહેરાત કરી હતી કે 2023માં દસ હજાર પદો માટે ફરીવાર પોલીસ ભરતી યોજાશે. જે હવે વિધાનસભા ગૃહમાં જાહેરાત થઈ ગઈ છે કે 8 હજારથી વધુ પદ માટે ભરતી કરવામાં આવશે. જો કે હજુ કોઈ નોટિફિકેશ બહાર પાડવામાં નથી આવ્યું પણ ગુજરાતના વિધાનસભા ગૃહમાં મૌખિક જાહેરાત થઈ છે તે નોંધવામાં પણ આવી છે. વિધાનસભા ગૃહમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે ગરમી પૂરી થશે ત્યાર બાદ પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે. એટલે કે બેથી ત્રણ મહિના બાદ પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે.


આ જગ્યાઓ માટે કરાશે ભરતી!

ત્યારે મળતી માહિતી અનુસાર રાજ્યના 7384 પોલીસ કર્મીઓની ભરતી કરવામાં આવશે. ઉનાળા બાદ પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. 6324 જગ્યાઓ પર પોલીસ કોન્સ્ટેબલની ભરતી કરવામાં આવશે. 678 જગ્યા પર જેલ સિપાહી પૂરુષની ભરતી કરવામાં આવશે. બિન હથિયારી પીએસઆઈની 325 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.   




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.