પોલીસ ભરતીને લઈ હર્ષ સંઘવીએ કરી મહત્વપૂર્ણ જાહેરાત, જાણો કેટલા પોલીસ કર્મીઓની કરાશે ભરતી


  • Published By :
  • Published Date : 2023-03-21 17:35:36

ગુજરાત વિધાનસભામાં હાલ સત્ર ચાલી રહ્યું છે. સત્રમાં અનેક ચર્ચાઓ તેમજ કાર્યવાહી કરવામાં આવી હોય છે. અનેક વખત મહત્વપૂર્ણ જાહેરાતો પણ સત્ર દરમિયાન કરવામાં આવતી હોય છે. ત્યારે આજે ગુજરાત ગૃહ વિભાગની માગણીઓ વિશેની ચર્ચા ચાલુ હતી તે દરમિયાન હર્ષ સંઘવીએ એક જાહેરાત કરી છે. પ્રશ્નોનો જવાબ આપતા જાહેરાત કરી કે 8 હજારથી વધુ પોલીસ કર્મચારીની ભરતી કરવામાં આવશે. ઉનાળા બાદ પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. 


ઉનાળો પૂર્ણ થશે તે બાદ લેવાશે પ્રેક્ટિકલ પરીક્ષા  

મહત્વનું છે કે ગયા વર્ષે પણ પોલીસ વિભાગે દસ હજારથી વધુ પોલીસ પદો માટે પરીક્ષાઓ લેવામાં આવી હતી. જેમાં એલઆરડી અને પીએસસાઈ પદ માટે ભરતી કરવામાં આવી હતી. ભરતી પૂરી થયા બાદ ગૃહવિભાગે ફરી જાહેરાત કરી હતી કે 2023માં દસ હજાર પદો માટે ફરીવાર પોલીસ ભરતી યોજાશે. જે હવે વિધાનસભા ગૃહમાં જાહેરાત થઈ ગઈ છે કે 8 હજારથી વધુ પદ માટે ભરતી કરવામાં આવશે. જો કે હજુ કોઈ નોટિફિકેશ બહાર પાડવામાં નથી આવ્યું પણ ગુજરાતના વિધાનસભા ગૃહમાં મૌખિક જાહેરાત થઈ છે તે નોંધવામાં પણ આવી છે. વિધાનસભા ગૃહમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે ગરમી પૂરી થશે ત્યાર બાદ પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે. એટલે કે બેથી ત્રણ મહિના બાદ પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે.


આ જગ્યાઓ માટે કરાશે ભરતી!

ત્યારે મળતી માહિતી અનુસાર રાજ્યના 7384 પોલીસ કર્મીઓની ભરતી કરવામાં આવશે. ઉનાળા બાદ પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. 6324 જગ્યાઓ પર પોલીસ કોન્સ્ટેબલની ભરતી કરવામાં આવશે. 678 જગ્યા પર જેલ સિપાહી પૂરુષની ભરતી કરવામાં આવશે. બિન હથિયારી પીએસઆઈની 325 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.