હર્ષ સંઘવીએ રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ, 'પદયાત્રા કરવાથી દાઢી વધે પણ બુદ્ધિ નહીં', કોંગ્રેસે આપ્યો આ જવાબ


  • Published By :
  • Published Date : 2023-02-09 16:33:32

કોંગ્રેસના અગ્રણી નેતા પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા તો થોડા દિવસ પહેલા જ પૂરી થઈ પણ તેને લઈ વિવાદ અને આરોપ-પ્રત્યારોપ હજુ પણ ચાલું જ છે. રાહુલ ગાંધીની પદયાત્રાને નિશાન બનાવીને ભાજપના નેતા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક વિવાદાસ્પદ ટ્વિટ કરતા રાજકારણ ગરમાયું છે.


હર્ષ સંઘવીએ શું ટ્વીટ કર્યું?


રાહુલ ગાંધી પર ગઈકાલે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કટાક્ષ કરતું ટ્વિટ કર્યુ હતું. હર્ષ સંઘવીએ લખ્યું હતું કે, હવે એક વાત "કન્ફર્મ" છે...! જો તમે 3000 કિલોમીટરની પદયાત્રા કરો તો પણ..માત્ર દાઢી વધે છે, બુદ્ધિ નહિ...!! અત્રે ઉલ્લેખનિય છે કે રાહુલ ગાંધીએ થોડા દિવસ પહેલા જ તેમની 3 હજાર કિલોમીટર લાંબી  ભારત જોડો યાત્રા પૂરી કરી છે. આ દરમિયાન અનેક જાણીતા લોકો તેમની સાથે જોડાયા હતા. 


કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ આપ્યો જવાબ


હર્ષ સંઘવીના આ ટ્વિટ બાદ કોંગ્રેસના નેતાએ પણ જોરદાર વળતો જવાબ આપ્યો છે. કોંગ્રેસ નેતા અને યુવા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ હર્ષ સંઘવીને વળતો જવાબ આપતા ટ્વીટ કર્યું કે 'જો તમે આઠ ચોપડી ભણ્યા હોય અને બુદ્ધિનો છાંટો ના હોય તો પણ ભાજપની સરકારમાં ગૃહમંત્રી બની શકો છો...!!!' તે જ પ્રકારે ડો. અમિત નાયકે હર્ષ સંઘવી પર શાબ્દિક પ્રહાર કરતું ટ્વિટ કર્યુ, કે 'ઓક્સફોર્ડ, કેમ્બ્રિજની ડીગ્રી મેળવેલ રાહુલ ગાંધીની બુદ્ધિની ચિંતા પ્રાથમિક શાળાની ડિગ્રીવાળા હર્ષ સંઘવી કરવા લાગે તે જ બુદ્ધિનું દેવાડું કહેવાય.' જ્યારે હેમાંગ રાવલે પણ હર્ષ સંઘવીને સણસણતો જવાબ આપતું ટ્વીટ કર્યું "રાહુલજીના સવાલ 8 પાસ ને ય આવડે એવા ઇઝી છે  @PMOIndia જવાબ ના આપી શક્યા, તમે તો આપો".




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.