હર્ષ સંઘવીએ રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ, 'પદયાત્રા કરવાથી દાઢી વધે પણ બુદ્ધિ નહીં', કોંગ્રેસે આપ્યો આ જવાબ


  • Published By :
  • Published Date : 2023-02-09 16:33:32

કોંગ્રેસના અગ્રણી નેતા પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા તો થોડા દિવસ પહેલા જ પૂરી થઈ પણ તેને લઈ વિવાદ અને આરોપ-પ્રત્યારોપ હજુ પણ ચાલું જ છે. રાહુલ ગાંધીની પદયાત્રાને નિશાન બનાવીને ભાજપના નેતા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક વિવાદાસ્પદ ટ્વિટ કરતા રાજકારણ ગરમાયું છે.


હર્ષ સંઘવીએ શું ટ્વીટ કર્યું?


રાહુલ ગાંધી પર ગઈકાલે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કટાક્ષ કરતું ટ્વિટ કર્યુ હતું. હર્ષ સંઘવીએ લખ્યું હતું કે, હવે એક વાત "કન્ફર્મ" છે...! જો તમે 3000 કિલોમીટરની પદયાત્રા કરો તો પણ..માત્ર દાઢી વધે છે, બુદ્ધિ નહિ...!! અત્રે ઉલ્લેખનિય છે કે રાહુલ ગાંધીએ થોડા દિવસ પહેલા જ તેમની 3 હજાર કિલોમીટર લાંબી  ભારત જોડો યાત્રા પૂરી કરી છે. આ દરમિયાન અનેક જાણીતા લોકો તેમની સાથે જોડાયા હતા. 


કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ આપ્યો જવાબ


હર્ષ સંઘવીના આ ટ્વિટ બાદ કોંગ્રેસના નેતાએ પણ જોરદાર વળતો જવાબ આપ્યો છે. કોંગ્રેસ નેતા અને યુવા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ હર્ષ સંઘવીને વળતો જવાબ આપતા ટ્વીટ કર્યું કે 'જો તમે આઠ ચોપડી ભણ્યા હોય અને બુદ્ધિનો છાંટો ના હોય તો પણ ભાજપની સરકારમાં ગૃહમંત્રી બની શકો છો...!!!' તે જ પ્રકારે ડો. અમિત નાયકે હર્ષ સંઘવી પર શાબ્દિક પ્રહાર કરતું ટ્વિટ કર્યુ, કે 'ઓક્સફોર્ડ, કેમ્બ્રિજની ડીગ્રી મેળવેલ રાહુલ ગાંધીની બુદ્ધિની ચિંતા પ્રાથમિક શાળાની ડિગ્રીવાળા હર્ષ સંઘવી કરવા લાગે તે જ બુદ્ધિનું દેવાડું કહેવાય.' જ્યારે હેમાંગ રાવલે પણ હર્ષ સંઘવીને સણસણતો જવાબ આપતું ટ્વીટ કર્યું "રાહુલજીના સવાલ 8 પાસ ને ય આવડે એવા ઇઝી છે  @PMOIndia જવાબ ના આપી શક્યા, તમે તો આપો".




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.