હર્ષ સંઘવીએ રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ, 'પદયાત્રા કરવાથી દાઢી વધે પણ બુદ્ધિ નહીં', કોંગ્રેસે આપ્યો આ જવાબ


  • Published By :
  • Published Date : 2023-02-09 16:33:32

કોંગ્રેસના અગ્રણી નેતા પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા તો થોડા દિવસ પહેલા જ પૂરી થઈ પણ તેને લઈ વિવાદ અને આરોપ-પ્રત્યારોપ હજુ પણ ચાલું જ છે. રાહુલ ગાંધીની પદયાત્રાને નિશાન બનાવીને ભાજપના નેતા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક વિવાદાસ્પદ ટ્વિટ કરતા રાજકારણ ગરમાયું છે.


હર્ષ સંઘવીએ શું ટ્વીટ કર્યું?


રાહુલ ગાંધી પર ગઈકાલે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કટાક્ષ કરતું ટ્વિટ કર્યુ હતું. હર્ષ સંઘવીએ લખ્યું હતું કે, હવે એક વાત "કન્ફર્મ" છે...! જો તમે 3000 કિલોમીટરની પદયાત્રા કરો તો પણ..માત્ર દાઢી વધે છે, બુદ્ધિ નહિ...!! અત્રે ઉલ્લેખનિય છે કે રાહુલ ગાંધીએ થોડા દિવસ પહેલા જ તેમની 3 હજાર કિલોમીટર લાંબી  ભારત જોડો યાત્રા પૂરી કરી છે. આ દરમિયાન અનેક જાણીતા લોકો તેમની સાથે જોડાયા હતા. 


કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ આપ્યો જવાબ


હર્ષ સંઘવીના આ ટ્વિટ બાદ કોંગ્રેસના નેતાએ પણ જોરદાર વળતો જવાબ આપ્યો છે. કોંગ્રેસ નેતા અને યુવા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ હર્ષ સંઘવીને વળતો જવાબ આપતા ટ્વીટ કર્યું કે 'જો તમે આઠ ચોપડી ભણ્યા હોય અને બુદ્ધિનો છાંટો ના હોય તો પણ ભાજપની સરકારમાં ગૃહમંત્રી બની શકો છો...!!!' તે જ પ્રકારે ડો. અમિત નાયકે હર્ષ સંઘવી પર શાબ્દિક પ્રહાર કરતું ટ્વિટ કર્યુ, કે 'ઓક્સફોર્ડ, કેમ્બ્રિજની ડીગ્રી મેળવેલ રાહુલ ગાંધીની બુદ્ધિની ચિંતા પ્રાથમિક શાળાની ડિગ્રીવાળા હર્ષ સંઘવી કરવા લાગે તે જ બુદ્ધિનું દેવાડું કહેવાય.' જ્યારે હેમાંગ રાવલે પણ હર્ષ સંઘવીને સણસણતો જવાબ આપતું ટ્વીટ કર્યું "રાહુલજીના સવાલ 8 પાસ ને ય આવડે એવા ઇઝી છે  @PMOIndia જવાબ ના આપી શક્યા, તમે તો આપો".




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.