Gandhinagarથી Harsh Sanghviએ 'શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા'નો કરાવ્યો પ્રારંભ, તમામ એસ.ટી.ડેપોમાં કરાશે સફાઈ અભિયાન


  • Published By :
  • Published Date : 2023-12-02 15:15:31

આપણે ત્યાં કહેવાય છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા એટલે જ્યાં સફાઈ હોય છે ત્યાં ભગવાનનો વાસ રહે છે. ઘરમાં આપણે સફાઈની તકેદારી રાખતા હોઈએ છીએ પરંતુ જ્યારે બહાર જઈએ છીએ ત્યારે અનેક લોકો કચરાને જ્યાં ત્યાં નાખી દેતા હોય છે. જ્યાં ત્યાં કચરો નાખવાને કારણે અમદાવાદ, રાજ્ય તેમજ દેશમાં ગંદકી ફેલાય છે. રસ્તા પર તો કચરો અનેક વખત દેખાતો હોય છે પરંતુ અનેક એસટી બસો, અનેક એસટી સ્ટેશનો એવા હોય છે જ્યાં સફાઈ નથી હોતી. એસટીબસમાં મુસાફરી કરનારા લોકો એસટી બસમાં જ કચરો નાખી દેતા હોય છે. ત્યારે ગુજરાત સરકારે એસટી બસની સ્વચ્છતાનો દ્રઢ સંકલ્પ કર્યો છે. 

હર્ષ સંઘવીએ એસટી બસ સ્ટેશનની કરી સફાઈ 

ગાંધીનગર ખાતેથી હર્ષ સંઘવીએ શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા પ્રકલ્પનો આરંભ કરાવ્યો છે. એક મહિના સુધી ચાલનારા આ અભિયાનમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. એક મહિના સુધી ચાલનાર આ અભિયાન અંતર્ગત રાજ્યના તમામ એસ.ટી.ડેપો ખાતે સ્વચ્છતા કાર્યક્રમ, એસ.ટી.સ્ટેન્ડ ખાતે વૃક્ષારોપણ, રક્તદાન કાર્યક્રમ, શેરી નાટકો વગેરે જેવા કાર્યક્રમો યોજાશે અને મુસાફરોને એસ.ટી.ની સ્વચ્છતા માટે જાગૃત કરવામાં આવશે. હર્ષ સંઘવીએ ગાંધીનગર એસટી બસ સ્ટેશનથી રાજ્ય વ્યાપી શુભ યાત્રા, સ્વચ્છ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. એસ.ટી બસમાં સ્વચ્છતા જળવાય તે માટે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. હર્ષ સંઘવીએ ઝાડું લઈ બસ સ્ટેશનની તેમજ બસની સાફ સફાઈ કરી. મહત્વનું છે કે અનેક વખત એસટી વિભાગના કર્મચારીઓ પણ પાન-મસાલા ખઈ ટૂકતા હોય છે.   



બસને ગંદી કરવા વાળા સામાન્ય નાગરિકો જ હોય છે!

મહત્વનું છે કે અનેક વખત આપણે જ્યારે એસટી બસની મુસાફરી કરતા હોઈએ છીએ ત્યારે ગંદકીનો સામનો કરવો પડે છે. બસમાં સફાઈ રહેતી નથી જેને કારણે અનેક લોકોને અગવડનો સામનો કરવો પડે છે. બસમાં કચરો દેખાય છે ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે બસમાં સફાઈ નથી રહેતી. તંત્રની કામગીરી પર પ્રશ્ન ઉઠાવતા હોઈએ છીએ. પરંતુ ક્યારેય આપણે એવો વિચાર કર્યો કે આ કચરો આપણામાંથી જ કોઈએ ફેંક્યો હશે. આપણે પણ થોડી સુધરવાની જરૂર છે તેવો અહેસાસ ઘણી વખત થાય છે. એવી માહિતી સામે આવી છે કે એસટી બસમાં સ્વચ્છતા રહે તે માટે ડસ્ટબીન રાખવામાં આવશે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી