Gandhinagarથી Harsh Sanghviએ 'શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા'નો કરાવ્યો પ્રારંભ, તમામ એસ.ટી.ડેપોમાં કરાશે સફાઈ અભિયાન


  • Published By :
  • Published Date : 2023-12-02 15:15:31

આપણે ત્યાં કહેવાય છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા એટલે જ્યાં સફાઈ હોય છે ત્યાં ભગવાનનો વાસ રહે છે. ઘરમાં આપણે સફાઈની તકેદારી રાખતા હોઈએ છીએ પરંતુ જ્યારે બહાર જઈએ છીએ ત્યારે અનેક લોકો કચરાને જ્યાં ત્યાં નાખી દેતા હોય છે. જ્યાં ત્યાં કચરો નાખવાને કારણે અમદાવાદ, રાજ્ય તેમજ દેશમાં ગંદકી ફેલાય છે. રસ્તા પર તો કચરો અનેક વખત દેખાતો હોય છે પરંતુ અનેક એસટી બસો, અનેક એસટી સ્ટેશનો એવા હોય છે જ્યાં સફાઈ નથી હોતી. એસટીબસમાં મુસાફરી કરનારા લોકો એસટી બસમાં જ કચરો નાખી દેતા હોય છે. ત્યારે ગુજરાત સરકારે એસટી બસની સ્વચ્છતાનો દ્રઢ સંકલ્પ કર્યો છે. 

હર્ષ સંઘવીએ એસટી બસ સ્ટેશનની કરી સફાઈ 

ગાંધીનગર ખાતેથી હર્ષ સંઘવીએ શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા પ્રકલ્પનો આરંભ કરાવ્યો છે. એક મહિના સુધી ચાલનારા આ અભિયાનમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. એક મહિના સુધી ચાલનાર આ અભિયાન અંતર્ગત રાજ્યના તમામ એસ.ટી.ડેપો ખાતે સ્વચ્છતા કાર્યક્રમ, એસ.ટી.સ્ટેન્ડ ખાતે વૃક્ષારોપણ, રક્તદાન કાર્યક્રમ, શેરી નાટકો વગેરે જેવા કાર્યક્રમો યોજાશે અને મુસાફરોને એસ.ટી.ની સ્વચ્છતા માટે જાગૃત કરવામાં આવશે. હર્ષ સંઘવીએ ગાંધીનગર એસટી બસ સ્ટેશનથી રાજ્ય વ્યાપી શુભ યાત્રા, સ્વચ્છ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. એસ.ટી બસમાં સ્વચ્છતા જળવાય તે માટે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. હર્ષ સંઘવીએ ઝાડું લઈ બસ સ્ટેશનની તેમજ બસની સાફ સફાઈ કરી. મહત્વનું છે કે અનેક વખત એસટી વિભાગના કર્મચારીઓ પણ પાન-મસાલા ખઈ ટૂકતા હોય છે.   



બસને ગંદી કરવા વાળા સામાન્ય નાગરિકો જ હોય છે!

મહત્વનું છે કે અનેક વખત આપણે જ્યારે એસટી બસની મુસાફરી કરતા હોઈએ છીએ ત્યારે ગંદકીનો સામનો કરવો પડે છે. બસમાં સફાઈ રહેતી નથી જેને કારણે અનેક લોકોને અગવડનો સામનો કરવો પડે છે. બસમાં કચરો દેખાય છે ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે બસમાં સફાઈ નથી રહેતી. તંત્રની કામગીરી પર પ્રશ્ન ઉઠાવતા હોઈએ છીએ. પરંતુ ક્યારેય આપણે એવો વિચાર કર્યો કે આ કચરો આપણામાંથી જ કોઈએ ફેંક્યો હશે. આપણે પણ થોડી સુધરવાની જરૂર છે તેવો અહેસાસ ઘણી વખત થાય છે. એવી માહિતી સામે આવી છે કે એસટી બસમાં સ્વચ્છતા રહે તે માટે ડસ્ટબીન રાખવામાં આવશે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.