Gandhinagarથી Harsh Sanghviએ 'શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા'નો કરાવ્યો પ્રારંભ, તમામ એસ.ટી.ડેપોમાં કરાશે સફાઈ અભિયાન


  • Published By :
  • Published Date : 2023-12-02 15:15:31

આપણે ત્યાં કહેવાય છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા એટલે જ્યાં સફાઈ હોય છે ત્યાં ભગવાનનો વાસ રહે છે. ઘરમાં આપણે સફાઈની તકેદારી રાખતા હોઈએ છીએ પરંતુ જ્યારે બહાર જઈએ છીએ ત્યારે અનેક લોકો કચરાને જ્યાં ત્યાં નાખી દેતા હોય છે. જ્યાં ત્યાં કચરો નાખવાને કારણે અમદાવાદ, રાજ્ય તેમજ દેશમાં ગંદકી ફેલાય છે. રસ્તા પર તો કચરો અનેક વખત દેખાતો હોય છે પરંતુ અનેક એસટી બસો, અનેક એસટી સ્ટેશનો એવા હોય છે જ્યાં સફાઈ નથી હોતી. એસટીબસમાં મુસાફરી કરનારા લોકો એસટી બસમાં જ કચરો નાખી દેતા હોય છે. ત્યારે ગુજરાત સરકારે એસટી બસની સ્વચ્છતાનો દ્રઢ સંકલ્પ કર્યો છે. 

હર્ષ સંઘવીએ એસટી બસ સ્ટેશનની કરી સફાઈ 

ગાંધીનગર ખાતેથી હર્ષ સંઘવીએ શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા પ્રકલ્પનો આરંભ કરાવ્યો છે. એક મહિના સુધી ચાલનારા આ અભિયાનમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. એક મહિના સુધી ચાલનાર આ અભિયાન અંતર્ગત રાજ્યના તમામ એસ.ટી.ડેપો ખાતે સ્વચ્છતા કાર્યક્રમ, એસ.ટી.સ્ટેન્ડ ખાતે વૃક્ષારોપણ, રક્તદાન કાર્યક્રમ, શેરી નાટકો વગેરે જેવા કાર્યક્રમો યોજાશે અને મુસાફરોને એસ.ટી.ની સ્વચ્છતા માટે જાગૃત કરવામાં આવશે. હર્ષ સંઘવીએ ગાંધીનગર એસટી બસ સ્ટેશનથી રાજ્ય વ્યાપી શુભ યાત્રા, સ્વચ્છ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. એસ.ટી બસમાં સ્વચ્છતા જળવાય તે માટે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. હર્ષ સંઘવીએ ઝાડું લઈ બસ સ્ટેશનની તેમજ બસની સાફ સફાઈ કરી. મહત્વનું છે કે અનેક વખત એસટી વિભાગના કર્મચારીઓ પણ પાન-મસાલા ખઈ ટૂકતા હોય છે.   



બસને ગંદી કરવા વાળા સામાન્ય નાગરિકો જ હોય છે!

મહત્વનું છે કે અનેક વખત આપણે જ્યારે એસટી બસની મુસાફરી કરતા હોઈએ છીએ ત્યારે ગંદકીનો સામનો કરવો પડે છે. બસમાં સફાઈ રહેતી નથી જેને કારણે અનેક લોકોને અગવડનો સામનો કરવો પડે છે. બસમાં કચરો દેખાય છે ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે બસમાં સફાઈ નથી રહેતી. તંત્રની કામગીરી પર પ્રશ્ન ઉઠાવતા હોઈએ છીએ. પરંતુ ક્યારેય આપણે એવો વિચાર કર્યો કે આ કચરો આપણામાંથી જ કોઈએ ફેંક્યો હશે. આપણે પણ થોડી સુધરવાની જરૂર છે તેવો અહેસાસ ઘણી વખત થાય છે. એવી માહિતી સામે આવી છે કે એસટી બસમાં સ્વચ્છતા રહે તે માટે ડસ્ટબીન રાખવામાં આવશે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.