ખાનગી બસ સંચાલકોને Harsh Sanghviએ આપી ચેતવણી, કહ્યું તહેવાર દરમિયાન બેફામ ભાડુ વસૂલાશે તો....


  • Published By :
  • Published Date : 2023-11-03 11:25:21

ભારતને તહેવારોનો દેશ કહેવામાં આવે છે. તહેવારોની ઉજવણી આપણે પરિવાર સાથે કરીએ ત્યારે તે આનંદ વધી જાય છે. જીવનનું ગુજરાન ચલાવવા માટે ગામડામાં રહેતા લોકો શહેરો તરફ આવતા હોય છે. દિવાળી દરમિયાન લોકો પોતાના વતન જાય છે પરંતુ પરંતુ આ દરમિયાન ખાનગી બસ ટ્રાન્સપોર્ટવાળાઓ વધારે ભાડુ વસૂલતા હોય છે. આ તકનો લાભ ખાનગી બસ સંચાલકો લેતા હોય છે. વધારે ભાડુ વસુલવામાં આવે છે ત્યારે ખાનગી બસોના સંચાલકો સામે હર્ષ સંઘવીએ લાલ આંખ કરી છે. જો બેફામ રીતે બસનું ભાડુ લેવામાં આવશે તો કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત હર્ષ સંઘવીએ કરી હતી. સોશિયલ મીડિયા પર તેમના નિવેદનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

The ST bus from Rajkot to Surat will be closed for 10 days from today |  રાજકોટથી સુરત જતી એસટી બસ આજથી 10 દિવસ સુધી બંધ રાખવામાં આવશે - Divya  Bhaskar

દિવાળીને ધ્યાનમાં રાખી દોડાવાશે વધારે એસટી બસ  

દિવાળીના તહેવારને માત્ર હવે ગણતરીના દિવસો બાકી છે. દિવાળી દરમિયાન અનેક લોકો ફરવા જતા હોય છે, અનેક લોકો પોકાના વતન જતા હોય છે. તહેવારને ધ્યાનમાં રાખી વધારાની એસટી બસ તો ફાળવવામાં આવી છે. વધારે એસટી બસો આ સમય દરમિયાન દોડાવવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે. મળતી માહિતી અનુસાર 200થી વધારે એસટી બસોને ફેરવવામાં આવશે. 7 નવેમ્બરથી 11મી નવેમ્બર દરમિયાન બસ ઉપડ્શે. એસટી બસોની વ્યવસ્થા તો કરાઈ છે પરંતુ અનેક લોકો ખાનગી બસનો ઉપયોગ કરતા હોય છે. 

Surat : દિવાળી વેકેશન માટે પ્રવાસી બસોનુ બુકીંગ શરૂ, હરવા ફરવાના ટૂંકા  અંતરના સ્થળો માટે ધસારો - Gujarati News | Surat: Tourist buses start  booking for Diwali vacation, rush to ...

Gujarat Police Harsh Sanghvi Big Reaction About Police Grade Pay And  Compulsory Afidevit Rule | Gujarat Police : પોલીસ ગ્રેડ પે અને એફિડેવિટ  મામલે હર્ષ સંઘવીએ શું આપ્યું મોટું નિવેદન?

ખાનગી બસ સંચાલકોને હર્ષ સંઘવીએ આપી ચેતવણી 

તહેવાર દરમિયાન ખાનગી બસ સંચાલકો બેફામ રીતે મુસાફરો પાસેથી ભાડુ વસુલતા હોય છે. ખાનગી બસોના માલિક મનફાવે તેટલો ભાવ આ ગાળા દરમિયાન લેતા હોય છે. બમણા કે તેથી વધારે પૈસા લોકોને ચૂકવવા પડતા હોય છે. આ બધા વચ્ચે હર્ષ સંઘવીએ બેફામ ભાડું વસૂલ કરનાર બસ સંચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની વાત કરી છે. નિવેદન આપતા તેમણે કહ્યું કે નાગરિકોની જરૂરિયાતનો લાભ લેવામાં આવશે તો જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે.ખાનગી બસ સંચાલકો આવી કોઈ પણ કાળાબજારી કરશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.