ખાનગી બસ સંચાલકોને Harsh Sanghviએ આપી ચેતવણી, કહ્યું તહેવાર દરમિયાન બેફામ ભાડુ વસૂલાશે તો....


  • Published By :
  • Published Date : 2023-11-03 11:25:21

ભારતને તહેવારોનો દેશ કહેવામાં આવે છે. તહેવારોની ઉજવણી આપણે પરિવાર સાથે કરીએ ત્યારે તે આનંદ વધી જાય છે. જીવનનું ગુજરાન ચલાવવા માટે ગામડામાં રહેતા લોકો શહેરો તરફ આવતા હોય છે. દિવાળી દરમિયાન લોકો પોતાના વતન જાય છે પરંતુ પરંતુ આ દરમિયાન ખાનગી બસ ટ્રાન્સપોર્ટવાળાઓ વધારે ભાડુ વસૂલતા હોય છે. આ તકનો લાભ ખાનગી બસ સંચાલકો લેતા હોય છે. વધારે ભાડુ વસુલવામાં આવે છે ત્યારે ખાનગી બસોના સંચાલકો સામે હર્ષ સંઘવીએ લાલ આંખ કરી છે. જો બેફામ રીતે બસનું ભાડુ લેવામાં આવશે તો કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત હર્ષ સંઘવીએ કરી હતી. સોશિયલ મીડિયા પર તેમના નિવેદનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

The ST bus from Rajkot to Surat will be closed for 10 days from today |  રાજકોટથી સુરત જતી એસટી બસ આજથી 10 દિવસ સુધી બંધ રાખવામાં આવશે - Divya  Bhaskar

દિવાળીને ધ્યાનમાં રાખી દોડાવાશે વધારે એસટી બસ  

દિવાળીના તહેવારને માત્ર હવે ગણતરીના દિવસો બાકી છે. દિવાળી દરમિયાન અનેક લોકો ફરવા જતા હોય છે, અનેક લોકો પોકાના વતન જતા હોય છે. તહેવારને ધ્યાનમાં રાખી વધારાની એસટી બસ તો ફાળવવામાં આવી છે. વધારે એસટી બસો આ સમય દરમિયાન દોડાવવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે. મળતી માહિતી અનુસાર 200થી વધારે એસટી બસોને ફેરવવામાં આવશે. 7 નવેમ્બરથી 11મી નવેમ્બર દરમિયાન બસ ઉપડ્શે. એસટી બસોની વ્યવસ્થા તો કરાઈ છે પરંતુ અનેક લોકો ખાનગી બસનો ઉપયોગ કરતા હોય છે. 

Surat : દિવાળી વેકેશન માટે પ્રવાસી બસોનુ બુકીંગ શરૂ, હરવા ફરવાના ટૂંકા  અંતરના સ્થળો માટે ધસારો - Gujarati News | Surat: Tourist buses start  booking for Diwali vacation, rush to ...

Gujarat Police Harsh Sanghvi Big Reaction About Police Grade Pay And  Compulsory Afidevit Rule | Gujarat Police : પોલીસ ગ્રેડ પે અને એફિડેવિટ  મામલે હર્ષ સંઘવીએ શું આપ્યું મોટું નિવેદન?

ખાનગી બસ સંચાલકોને હર્ષ સંઘવીએ આપી ચેતવણી 

તહેવાર દરમિયાન ખાનગી બસ સંચાલકો બેફામ રીતે મુસાફરો પાસેથી ભાડુ વસુલતા હોય છે. ખાનગી બસોના માલિક મનફાવે તેટલો ભાવ આ ગાળા દરમિયાન લેતા હોય છે. બમણા કે તેથી વધારે પૈસા લોકોને ચૂકવવા પડતા હોય છે. આ બધા વચ્ચે હર્ષ સંઘવીએ બેફામ ભાડું વસૂલ કરનાર બસ સંચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની વાત કરી છે. નિવેદન આપતા તેમણે કહ્યું કે નાગરિકોની જરૂરિયાતનો લાભ લેવામાં આવશે તો જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે.ખાનગી બસ સંચાલકો આવી કોઈ પણ કાળાબજારી કરશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી