સફાઈ કર્મી હર્ષ સોલંકી અને તેનો પરિવાર દિલ્હી પહોંચ્યો, ગુજરાતના સહપ્રભારી રાઘવ ચઢ્ઢાએ કર્યું સ્વાગત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 12:33:53

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને ગઈ કાલે એટલે કે રવિવારે અમદાવાદના શાહીબાગમાં સફાઈ કર્મચારીઓ સાથે એક જનસંવાદ કાર્યક્રમમાં જનસંવાદ કર્યો હતો. જેમાં હર્ષ સોલંકી નામના એક દલિત યુવકે તેમને પૂછ્યું, "શું તમે વાલ્મીકીના ઘરે જમવા જશો?". તે યુવકે કેજરીવાલને તેના ઘરે જમવા આવવાનું આમંત્રણ આપ્યું હતું. જેના જવાબમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે, પહેલા તમે મારા ઘરે આવો, પછી અમે તમારા ઘરે આવીશું. જેથી હર્ષના આવ્યા બાદ અરવિંદ કેજરીવાલ પણ તેના ઘરે પહોંચશે. જો કે તે સમયે કેજરીવાલે કહ્યું, હતું કે "હું ચોક્કસ તમારા ઘરે આવીશ, પરંતુ તે પહેલા મારી પાસે તમારા માટે એક ઓફર છે, દરેક ચૂંટણી પહેલા આપણે જોઈએ છીએ કે રાજકારણીઓ માત્ર દેખાડો માટે દલિત વ્યક્તિના ઘરે જમવા જતા હોય છે. આજ સુધી કોઈ રાજનેતાએ કોઈ દલિતને આમંત્રણ આપ્યું નથી. વ્યક્તિ લંચ માટે તેના ઘરે જાય છે. તો આ વખતે તમે મારી પાસે દિલ્હીમાં મુખ્યમંત્રી નિવાસસ્થાન પર આવો અને મારા પરિવાર સાથે લંચ કરો તેવી મારી ઈચ્છા છે?"



હર્ષ અને તેના પરિવારના પ્રવાસનો તમામ ખર્ચ કેજરીવાલ ઉઠાવશે 


દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હર્ષ સોલંકીને તેમના પરિવારના પાંચ સભ્યો - તેમની બહેન, ભાઈ અને માતાપિતા માટે મફત એર ટિકિટ પણ ઓફર કરી હતી. કેજરીવાલે સોલંકીને વચન પણ આપ્યું હતું કે આગામી વખતે તેઓ અમદાવાદ જશે ત્યારે તેઓ સોલંકીના ઘરે જશે અને પરિવાર સાથે ભોજન કરશે.આ અંગે પંજાબના સીએમ ભગવંત માને કહ્યું, 'અમે પણ ઈચ્છીએ છીએ કે તમે દિલ્હીમાં વિકસિત શાળાઓ જુઓ. ભગવંત માન દ્વારા સોલંકીને પંજાબ ભવનમાં રહેવાની ઓફર કરવામાં આવી હતી.


ગુજરાતથી ગયેલો હર્ષ અને તેનો પરિવાર ગુજરાતના પંજાબ ભવન ખાતે રોકાણ કરશે. અરવિંદ કેજરીવાલ દ્વારા હર્ષની તમામ મુસાફરીનો ખર્ચ ઉઠાવવા માટેની બાંહેધરી અપાઈ હતી. ઉપરાંત તેમને અન્ય રસ્તે આવવા જવા દરમિયાન કોઇ સમસ્યાનો સામનો ન કરવો પડે તેની પણ બાંહેધરી પણ આપી હતી.


એરપોર્ટ પર હર્ષના પરિવારની તસવીર વાયરલ


અરવિંદ કેજરીવાલના આમંત્રણને માન આપી  સફાઈ કર્મચારી હર્ષ સોલંકી તેમના પરિવાર સાથે આજે સોમવારે જ વિમાનમાં બેસી દિલ્હી જવા રવાના થયો હતો. ગોપાલ ઈટાલિયાએ અમદાવાદ એરપોર્ટ પરથી એક તસવીર પોસ્ટ કરી હતી. જેમાં સફાઈ કર્મચારી હર્ષ સોલંકી તથા તેનો પરિવાર છે. હર્ષ અને તેનો પરિવાર એરપોર્ટ પર વિમાનમાં બેઠેલા છે અને તેઓ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે જમવા માટે જઈ રહ્યા છે. કેજરીવાલે આ અંગે ટ્વીટ કરીને કહ્યું કે, હર્ષ અને તેમના પરિવારનું સ્વાગત છે. મારો પરિવાર તેમની રાહ જોઈ રહ્યો છે.



કેજરીવાલે પરિવારનું સ્વાગત કરતું ટ્વીટ કર્યું


કેજરીવાલે આ અંગે ટ્વીટ કરીને કહ્યું કે, હર્ષ અને તેમના પરિવારનું સ્વાગત છે. મારો પરિવાર તેમની રાહ જોઈ રહ્યો છે. દિલ્હી એરપોર્ટ પર રાજ્યસભા સાંસદ અને AAP ગુજરાત સહપ્રભારી રાઘવ ચઢ્ઢા દ્વારા હર્ષ અને એમના પરિવારનું ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.