હર્ષા એન્જિનિયર્સ: કંપનીનો IPO 36 ટકા પ્રીમિયમ પર લિસ્ટ થતાં રોકાણકારોમાં હર્ષોલ્લાસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 17:06:40

હર્ષા એન્જિનિયર્સના IPOએ આજે ​​શેરબજારમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. આજે સવારે 10.25 વાગ્યે હર્ષા  એન્જિનિયર્સનો IPO 36 ટકાના પ્રીમિયમ સાથે રૂ. 444 પ્રતિ શેર પર લિસ્ટ થયો હતો. કંપનીનો શેર લિસ્ટિંગ ભાવથી 6.96 ટકા વધીને રૂ. 474.90 પર ટ્રેડ થઈ રહ્યો હતો. કંપનીના શાનદાર લિસ્ટીંગથી રોકાણકારો માલામાલ થઈ ગયા છે. 


હર્ષા એન્જિનિયર્સ IPOનું  ધમાકેદાર લિસ્ટીંગ


હર્ષા એન્જિનિયર્સ IPOના પ્રી-ઓપનિંગ સેશન દરમિયાન પણ સારું પ્રદર્શન કરી રહ્યો હતો. BSE પર કંપનીનો શેર 36 ટકાના પ્રીમિયમ સાથે રૂ. 444 પર ટ્રેડ થઈ રહ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, હર્ષા એન્જિનિયરિંગનો IPO 74.70 ટકાથી પણ વધુ ઓવર સબ્સ્ક્રાઇબ થયો હતો.


હર્ષા એન્જિનિયર્સનો IPO 14 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર 2022 સુધી ખુલ્લો હતો. કંપનીએ આ IPO દ્વારા રૂ. 755 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેમાંથી રૂ. 300 કરોડ OFS દ્વારા હતા. કંપનીએ IPO માટે લોટ સાઈઝ 45 શેરની રાખી હતી.




સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.