હર્ષા એન્જિનિયર્સ: કંપનીનો IPO 36 ટકા પ્રીમિયમ પર લિસ્ટ થતાં રોકાણકારોમાં હર્ષોલ્લાસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 17:06:40

હર્ષા એન્જિનિયર્સના IPOએ આજે ​​શેરબજારમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. આજે સવારે 10.25 વાગ્યે હર્ષા  એન્જિનિયર્સનો IPO 36 ટકાના પ્રીમિયમ સાથે રૂ. 444 પ્રતિ શેર પર લિસ્ટ થયો હતો. કંપનીનો શેર લિસ્ટિંગ ભાવથી 6.96 ટકા વધીને રૂ. 474.90 પર ટ્રેડ થઈ રહ્યો હતો. કંપનીના શાનદાર લિસ્ટીંગથી રોકાણકારો માલામાલ થઈ ગયા છે. 


હર્ષા એન્જિનિયર્સ IPOનું  ધમાકેદાર લિસ્ટીંગ


હર્ષા એન્જિનિયર્સ IPOના પ્રી-ઓપનિંગ સેશન દરમિયાન પણ સારું પ્રદર્શન કરી રહ્યો હતો. BSE પર કંપનીનો શેર 36 ટકાના પ્રીમિયમ સાથે રૂ. 444 પર ટ્રેડ થઈ રહ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, હર્ષા એન્જિનિયરિંગનો IPO 74.70 ટકાથી પણ વધુ ઓવર સબ્સ્ક્રાઇબ થયો હતો.


હર્ષા એન્જિનિયર્સનો IPO 14 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર 2022 સુધી ખુલ્લો હતો. કંપનીએ આ IPO દ્વારા રૂ. 755 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેમાંથી રૂ. 300 કરોડ OFS દ્વારા હતા. કંપનીએ IPO માટે લોટ સાઈઝ 45 શેરની રાખી હતી.




એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.