હર્ષા એન્જિનિયર્સ: કંપનીનો IPO 36 ટકા પ્રીમિયમ પર લિસ્ટ થતાં રોકાણકારોમાં હર્ષોલ્લાસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 17:06:40

હર્ષા એન્જિનિયર્સના IPOએ આજે ​​શેરબજારમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. આજે સવારે 10.25 વાગ્યે હર્ષા  એન્જિનિયર્સનો IPO 36 ટકાના પ્રીમિયમ સાથે રૂ. 444 પ્રતિ શેર પર લિસ્ટ થયો હતો. કંપનીનો શેર લિસ્ટિંગ ભાવથી 6.96 ટકા વધીને રૂ. 474.90 પર ટ્રેડ થઈ રહ્યો હતો. કંપનીના શાનદાર લિસ્ટીંગથી રોકાણકારો માલામાલ થઈ ગયા છે. 


હર્ષા એન્જિનિયર્સ IPOનું  ધમાકેદાર લિસ્ટીંગ


હર્ષા એન્જિનિયર્સ IPOના પ્રી-ઓપનિંગ સેશન દરમિયાન પણ સારું પ્રદર્શન કરી રહ્યો હતો. BSE પર કંપનીનો શેર 36 ટકાના પ્રીમિયમ સાથે રૂ. 444 પર ટ્રેડ થઈ રહ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, હર્ષા એન્જિનિયરિંગનો IPO 74.70 ટકાથી પણ વધુ ઓવર સબ્સ્ક્રાઇબ થયો હતો.


હર્ષા એન્જિનિયર્સનો IPO 14 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર 2022 સુધી ખુલ્લો હતો. કંપનીએ આ IPO દ્વારા રૂ. 755 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેમાંથી રૂ. 300 કરોડ OFS દ્વારા હતા. કંપનીએ IPO માટે લોટ સાઈઝ 45 શેરની રાખી હતી.




પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.