હર્ષા એન્જિનિયર્સ: કંપનીનો IPO 36 ટકા પ્રીમિયમ પર લિસ્ટ થતાં રોકાણકારોમાં હર્ષોલ્લાસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 17:06:40

હર્ષા એન્જિનિયર્સના IPOએ આજે ​​શેરબજારમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. આજે સવારે 10.25 વાગ્યે હર્ષા  એન્જિનિયર્સનો IPO 36 ટકાના પ્રીમિયમ સાથે રૂ. 444 પ્રતિ શેર પર લિસ્ટ થયો હતો. કંપનીનો શેર લિસ્ટિંગ ભાવથી 6.96 ટકા વધીને રૂ. 474.90 પર ટ્રેડ થઈ રહ્યો હતો. કંપનીના શાનદાર લિસ્ટીંગથી રોકાણકારો માલામાલ થઈ ગયા છે. 


હર્ષા એન્જિનિયર્સ IPOનું  ધમાકેદાર લિસ્ટીંગ


હર્ષા એન્જિનિયર્સ IPOના પ્રી-ઓપનિંગ સેશન દરમિયાન પણ સારું પ્રદર્શન કરી રહ્યો હતો. BSE પર કંપનીનો શેર 36 ટકાના પ્રીમિયમ સાથે રૂ. 444 પર ટ્રેડ થઈ રહ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, હર્ષા એન્જિનિયરિંગનો IPO 74.70 ટકાથી પણ વધુ ઓવર સબ્સ્ક્રાઇબ થયો હતો.


હર્ષા એન્જિનિયર્સનો IPO 14 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર 2022 સુધી ખુલ્લો હતો. કંપનીએ આ IPO દ્વારા રૂ. 755 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેમાંથી રૂ. 300 કરોડ OFS દ્વારા હતા. કંપનીએ IPO માટે લોટ સાઈઝ 45 શેરની રાખી હતી.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.