હર્ષદ ગઢવીની ચિમકી "ભીંતચિત્ર હટાવવામાં નહીં આવે તો અનશન પર ઉતરીશ, જાન ન્યૌછાવર પણ કરી દઇશ"


  • Published By :
  • Published Date : 2023-09-04 20:14:52

સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં દાદાને સ્વામિનારાયણના દાસ તરીકે દર્શાવાતા ભીંતચિત્રો મામલે રાજ્યના સાધુ સંતોથી લઈને સામાન્ય લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યા છે. જોકે, આ વિવાદ ચાલી જ રહ્યો છે તે દરમિયાન ચારણકી ગામના અને હનુમાન ભક્ત હર્ષદ ગઢવીએ કુહાડી સાથે સાળંગપુર મંદિરમાં પ્રવેશ કર્યો હતો અને આ ભીંતચિત્રો પર કાળો કૂચડો મારી દીધો હતો. બાદમાં પોલીસે હર્ષદ ગઢવીની અટકાયત કરી હતી, આજે હર્ષદ ગઢવી જામીન પર બહાર આવી ગયા છે. બરવાળા કોર્ટે હર્ષદ ગઢવી સહિત ત્રણેય આરોપીને વચગાળાના જામીન પર મુક્ત કર્યા છે. જામીન મળતા જ હર્ષદ ગઢવી મીડિયા સામે આવ્યા હતા અને તેમણે જણાવ્યુ હતુ કે, ‘જો પોસ્ટર નહીં હટાવવામાં આવે તો હું અનશન કરીશ.’


હર્ષદ ગઢવીએ શું ચિમકી ઉચ્ચારી?

 

હનુમાનજીના ભીંતચિત્રો મામલે  હર્ષદ ગઢવીનું મોટું નિવેદન સામે આવ્યું છે, તેમણે કહ્યું કે, "હું સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધી નથી પરંતુ તેમની વૃત્તિ અને પ્રવૃતિઓનો વિરોધી છું. હર્ષદ ગઢવીએ આજે સનાતન ધર્મની જય સાથે નિવેદન આપું છું કે હનુમાનજીનું અપમાન જોયા બાદ ગુસ્સો કન્ટ્રૉલમાં ના રહ્યો અને મારે ના છૂટકે આ કરવું પડ્યું. સનાતન ધર્મના સાધુ-સંતોને આ ભીંતચિત્રો હટાવવા  વારંવાર હાથ જોડીને વિનંતી કરી, છતાં પણ ભીંતચિત્રો હટાવવામાં આવ્યા ન હતા. હવે હું જે કાઈ પગલું ભરીશ તે ગુજરાતના સનાતન ધર્મના સાધુ સંતોને મળીને જ ભરીશ. જો ભીંતચિત્ર હટાવવામાં નહીં આવે તો અનશન પર ઉતરીશ અને જરૂર પડશે તો જાન ન્યૌછાવર પણ કરી દઇશ." ઉલ્લેખનીય છે કે, હર્ષદ ગઢવી હાલમાં જામીન પર બહાર છે, અને તેમને હવે અનશન કરવાની ચિમકી ઉચ્ચારી છે. 


હર્ષદ ગઢવીના સમર્થનમાં આવ્યા લોકો


સાળંગપુર ખાતે ભીત ચિત્રો પર શાહી ફેંકનાર હર્ષદ ગઢવીના સમર્થનમાં લોકો આવી રહ્યા છે. હર્ષદ ગઢવીના સમર્થનમાં બરવાળા પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી. બરવાળા પોલીસ મથક ખાતે બરવાળા તાલુકા હિન્દુ યુવા સંગઠન અને સાધુ સંતો અરજી આપવા પહોંચ્યા હતા. બરવાળા લક્ષ્મણજી મંદિરના મહંત મહામંડલેશ્વર જગદેવદાસ બાપુએ અરજી આપી છે. તેમણે કહ્યું કે, હર્ષદ ગઢવી સજ્જન વ્યક્તિ છે. મંદિરે રજૂઆત કરવા ગયેલ ત્યારે યોગ્ય જવાબ નહીં મળતા ધાર્મિક લાગણી દુભાતા ભીંત ચિત્રોને નુકસાન કર્યું. જ્યાં કિંગ ઓફ સાળંગપુર મૂર્તિ વિશાળ બનાવાઈ ત્યારે એની નીચે હનુમાનજીને સામાન્ય વ્યક્તિ સામે ઝુકાવવાનું કામ કર્યું તે દુ:ખદ છે. સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે બેધારી નીતિના વિરોધમાં અરજી આપવામાં આવી છે. હર્ષદ ગઢવીને તેમના ગામ ચારણકીના સરપંચ સહિત ગામલોકોએ સમર્થન આપ્યું હતું. સમર્થનમાં સરપંચ સહિત ગામલોકોએ પ્રતિક્રિયા આપી છે. હર્ષદ ગઢવીએ કરેલ કૃત્યને લોકોએ યોગ્ય ગણાવી સમર્થન આપ્યું હતું. 


બેરિકેડ્સ તોડીને ઘુસી ગયા હતા હર્ષદ ગઢવી


સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં બેરિકેડ્સ તોડીને શિલ્પ ચિત્રોને નુકસાન પહોંચાડવા આવેલા રાણપુરના ચારણકી ગામના હર્ષદ ગઢવીને પોલીસે પકડી પાડ્યો હતો. શિલ્પ ચિત્રો ઉપર હર્ષદ ગઢવીએ કાળો કલર કરી અને તોડફોડ કરી હતી. ત્યાર બાદ પોલીસે  હર્ષદ ગઢવીની ધરપકડ કરી તેની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. હર્ષદ ગઢવી, જેસિંગ ભરવાડ અને બળદેવ ભરવાડ વિરૂદ્ધ મોડીરાત્રે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ત્રણેય શખ્સો વિરૂદ્ધ કલમ ઇ.પી.કો.295( એ) 153(એ) 427, 506(2) 120(બી)GP ACT ક.135 મુજબ ગુનો નોંધી ત્રણેય શખ્સો વિરૂદ્ધ કાર્યવાહી કરી હાથ ધરી હતી.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી