હર્ષદ ગઢવીની ચિમકી "ભીંતચિત્ર હટાવવામાં નહીં આવે તો અનશન પર ઉતરીશ, જાન ન્યૌછાવર પણ કરી દઇશ"


  • Published By :
  • Published Date : 2023-09-04 20:14:52

સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં દાદાને સ્વામિનારાયણના દાસ તરીકે દર્શાવાતા ભીંતચિત્રો મામલે રાજ્યના સાધુ સંતોથી લઈને સામાન્ય લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યા છે. જોકે, આ વિવાદ ચાલી જ રહ્યો છે તે દરમિયાન ચારણકી ગામના અને હનુમાન ભક્ત હર્ષદ ગઢવીએ કુહાડી સાથે સાળંગપુર મંદિરમાં પ્રવેશ કર્યો હતો અને આ ભીંતચિત્રો પર કાળો કૂચડો મારી દીધો હતો. બાદમાં પોલીસે હર્ષદ ગઢવીની અટકાયત કરી હતી, આજે હર્ષદ ગઢવી જામીન પર બહાર આવી ગયા છે. બરવાળા કોર્ટે હર્ષદ ગઢવી સહિત ત્રણેય આરોપીને વચગાળાના જામીન પર મુક્ત કર્યા છે. જામીન મળતા જ હર્ષદ ગઢવી મીડિયા સામે આવ્યા હતા અને તેમણે જણાવ્યુ હતુ કે, ‘જો પોસ્ટર નહીં હટાવવામાં આવે તો હું અનશન કરીશ.’


હર્ષદ ગઢવીએ શું ચિમકી ઉચ્ચારી?

 

હનુમાનજીના ભીંતચિત્રો મામલે  હર્ષદ ગઢવીનું મોટું નિવેદન સામે આવ્યું છે, તેમણે કહ્યું કે, "હું સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધી નથી પરંતુ તેમની વૃત્તિ અને પ્રવૃતિઓનો વિરોધી છું. હર્ષદ ગઢવીએ આજે સનાતન ધર્મની જય સાથે નિવેદન આપું છું કે હનુમાનજીનું અપમાન જોયા બાદ ગુસ્સો કન્ટ્રૉલમાં ના રહ્યો અને મારે ના છૂટકે આ કરવું પડ્યું. સનાતન ધર્મના સાધુ-સંતોને આ ભીંતચિત્રો હટાવવા  વારંવાર હાથ જોડીને વિનંતી કરી, છતાં પણ ભીંતચિત્રો હટાવવામાં આવ્યા ન હતા. હવે હું જે કાઈ પગલું ભરીશ તે ગુજરાતના સનાતન ધર્મના સાધુ સંતોને મળીને જ ભરીશ. જો ભીંતચિત્ર હટાવવામાં નહીં આવે તો અનશન પર ઉતરીશ અને જરૂર પડશે તો જાન ન્યૌછાવર પણ કરી દઇશ." ઉલ્લેખનીય છે કે, હર્ષદ ગઢવી હાલમાં જામીન પર બહાર છે, અને તેમને હવે અનશન કરવાની ચિમકી ઉચ્ચારી છે. 


હર્ષદ ગઢવીના સમર્થનમાં આવ્યા લોકો


સાળંગપુર ખાતે ભીત ચિત્રો પર શાહી ફેંકનાર હર્ષદ ગઢવીના સમર્થનમાં લોકો આવી રહ્યા છે. હર્ષદ ગઢવીના સમર્થનમાં બરવાળા પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી. બરવાળા પોલીસ મથક ખાતે બરવાળા તાલુકા હિન્દુ યુવા સંગઠન અને સાધુ સંતો અરજી આપવા પહોંચ્યા હતા. બરવાળા લક્ષ્મણજી મંદિરના મહંત મહામંડલેશ્વર જગદેવદાસ બાપુએ અરજી આપી છે. તેમણે કહ્યું કે, હર્ષદ ગઢવી સજ્જન વ્યક્તિ છે. મંદિરે રજૂઆત કરવા ગયેલ ત્યારે યોગ્ય જવાબ નહીં મળતા ધાર્મિક લાગણી દુભાતા ભીંત ચિત્રોને નુકસાન કર્યું. જ્યાં કિંગ ઓફ સાળંગપુર મૂર્તિ વિશાળ બનાવાઈ ત્યારે એની નીચે હનુમાનજીને સામાન્ય વ્યક્તિ સામે ઝુકાવવાનું કામ કર્યું તે દુ:ખદ છે. સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે બેધારી નીતિના વિરોધમાં અરજી આપવામાં આવી છે. હર્ષદ ગઢવીને તેમના ગામ ચારણકીના સરપંચ સહિત ગામલોકોએ સમર્થન આપ્યું હતું. સમર્થનમાં સરપંચ સહિત ગામલોકોએ પ્રતિક્રિયા આપી છે. હર્ષદ ગઢવીએ કરેલ કૃત્યને લોકોએ યોગ્ય ગણાવી સમર્થન આપ્યું હતું. 


બેરિકેડ્સ તોડીને ઘુસી ગયા હતા હર્ષદ ગઢવી


સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં બેરિકેડ્સ તોડીને શિલ્પ ચિત્રોને નુકસાન પહોંચાડવા આવેલા રાણપુરના ચારણકી ગામના હર્ષદ ગઢવીને પોલીસે પકડી પાડ્યો હતો. શિલ્પ ચિત્રો ઉપર હર્ષદ ગઢવીએ કાળો કલર કરી અને તોડફોડ કરી હતી. ત્યાર બાદ પોલીસે  હર્ષદ ગઢવીની ધરપકડ કરી તેની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. હર્ષદ ગઢવી, જેસિંગ ભરવાડ અને બળદેવ ભરવાડ વિરૂદ્ધ મોડીરાત્રે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ત્રણેય શખ્સો વિરૂદ્ધ કલમ ઇ.પી.કો.295( એ) 153(એ) 427, 506(2) 120(બી)GP ACT ક.135 મુજબ ગુનો નોંધી ત્રણેય શખ્સો વિરૂદ્ધ કાર્યવાહી કરી હાથ ધરી હતી.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.